Category: All

  • મોરબી જિલ્લો ‘ટેમ્પરરી રેડ ઝોન’; ૩૦ જૂન સુધી સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

    મોરબી જિલ્લો ‘ટેમ્પરરી રેડ ઝોન’; ૩૦ જૂન સુધી સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

    સમગ્ર દેશ અને રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તથા સુરક્ષા લગત ગતિવિધિ હેતુથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી, IAS દ્વારા જાહેરનામુ બહાર પાડી સમગ્ર મોરબી જિલ્લાને ટેમ્પરરી રેડ ઝોન જાહેર કરી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

    ભારત પાકિસ્તાનની સરહદ પાસેથી ભારતીય વિસ્તારમાં અનેક નિયંત્રણ વગરના ડ્રોન જોવા મળેલ છે. આ બાબતને ધ્યાનમાં લેતા સરહદી વિસ્તારવાળા રાજ્યોમાં નાગરિક ડ્રોન ઉડાન પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા હોવાથી તથા સમગ્ર રાજ્યને ‘ટેમ્પરરી રેડ ઝોન’ તરીકે જાહેર કરીને ડ્રોન ઉડાન પર પ્રતિબંધ લગાવવું જરૂરી હોવાથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામુ સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારમાં આગામી ૩૦/૦૬/૨૦૨૫ સુધી અમલી રહેશે.

  • મોરબી મહાનગરપાલિકા દ્વારા ફાયર રિસ્ક મેનજમેન્ટ માટે સ્વિમિંગ ડ્રિલનું સફળ આયોજન

    મોરબી મહાનગરપાલિકા દ્વારા ફાયર રિસ્ક મેનજમેન્ટ માટે સ્વિમિંગ ડ્રિલનું સફળ આયોજન

    મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગની સતર્કતા તેમજ ક્ષમતા તપાસવા માટે મોરબીના નાની વાવડી ગામના તળાવ ખાતે તા. ૧૭/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે કમિશનર તથા ડેપ્યુટી કમિશનર  મોરબી મહાનગરપાલિકાના હાજરીમાં ફાયર વિભાગ દ્વારા રિપ્રિંગ ડ્રિલનું આયોજન કરવામાં આવેલ.

    જેમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલ વ્યક્તિને કેવી રીતે બચાવવો તે અંગેની સફળ સ્વિમિંગ ડ્રિલ કરવામાં આવેલ.

    આ સ્વિમિંગ ડ્રિલનો મુખ્ય ઉદ્દેશ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી વરસાદોમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી શકાય તેમજ કોઈ પણ ઇમરજન્સી સમયે તાત્કાલિક ધોરણે અમલમાં લેવાયેલા પગલાં દ્વારા નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાનહાનિ કે પછી કોઈ મોટી આપત્તિને ટાળી શકાય અને જાનમાલ બચાવી શકાય.

    આવી કોઈ દુર્ઘટના થાય તો આપ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ – ૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.

  • ગુજરાત દર્શન સમાચારના નિષ્પક્ષ, નીડર અને બાહોશ પત્રકાર શરાફુદીન માથકીયાનો આજે જન્મદિવસ

    ગુજરાત દર્શન સમાચારના નિષ્પક્ષ, નીડર અને બાહોશ પત્રકાર શરાફુદીન માથકીયાનો આજે જન્મદિવસ

    ગુજરાત દર્શન સમાચારના નિષ્પક્ષ, નીડર અને બાહોશ પત્રકાર તથા ચેનલ હેડ શરાફુદીન માથકીયાનો આજે જન્મદિવસ છે. તેઓ પત્રકારત્વની સાથે સાથે એક સજાગ આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ, સામાજિક કાર્યકર, અને પત્રકાર એકતા સંગઠનના સક્રિય સભ્ય તરીકે જાણીતા છે.સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં પોતાની વિશિષ્ટ ભુમિકા તથા લોકહિતમાં કરેલી કામગીરીથી તેમણે વિશાળ લોકચાહના મેળવી છે. તેમનો નિડર, નિષ્પક્ષ અને પ્રભાવશાળી પત્રકારત્વ આજે અનેક માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.શરાફુદીન માથકીયાને તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રો, સગાં-સંબંધીઓ, પત્રકારમિત્રો, સહકર્મીઓ અને સ્નેહીજનો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

  • કચ્છમાં મેઘમહેર: ભુજ સહિત અન્ય શહેરોમાં ધોધમાર વરસાદ, રાપર બન્યું જળમગ્ન

    કચ્છમાં મેઘમહેર: ભુજ સહિત અન્ય શહેરોમાં ધોધમાર વરસાદ, રાપર બન્યું જળમગ્ન

    અષાઢ મહિનો શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. સમગ્ર રાજ્યમાં આજે અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું છે, ત્યારે રાજ્યની સાથે-સાથે કચ્છમાં આજે સતત બીજા દિવસે ધીંગી મેઘસવારી આવી પહોંચી હતી.

    લાંબા સમયથી અકળાવનારા આકરા ઉકળાટ-તાપથી ત્રસ્ત બની ગયેલા કચ્છીઓ માટે અપર-એર સર્ક્યુલેશન જાણે શુકનિયાળ સાબિત થયું હતું અને પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાતાં ખેડૂતોએ હવે વાવણી કાર્ય શરૂ કરી દીધું છે.

    અત્યારસુધીમાં કોરા ધાકોર રહેલા ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ ધીમીધારે વરસી રહેલા વરસાદે હાજરી પૂરાવી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે મેઘાડંબર છવાયેલો હોઈ સચરાચર વરસાદ વરસવાની આશા શહેરીજનોમાં જીવંત બની છે.

    ભુજ ઉપરાંત તાલુકાના માનકૂવામાં પણ બપોરે જોરદાર વરસાદી હેલીની પધરામણી થતાં અહીંના માર્ગો ભીના બની જવા પામ્યા છે. નખત્રાણા ખાતે આજે વરસાદી ઝાપટાં નોંધાયાં છે.

    દેશલપર (વાંઢાય)માં માત્ર અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના સૌથી ઊંચા ધીણોધરના ડુંગર અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ થઇ જતાં આગામી શ્રાવણી તહેવારો સુધી કચ્છના ધીણોધર, ભુજના ભુજિયા ડુંગર, ટપકેશ્વરીની હારમાળાઓ, લીલા વાઘા ધારણ કરી લેશે.

    રાપર શહેર જળબંબાકાર

    નખત્રાણા, ભુજ ઉપરાંત સીમાને અડકીને આવેલા રાપર તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. શનિવારની રાતથી શરૂ થયેલો વરસાદ આજે બરકરાર રહેવા પામ્યો છે અને ચાર ઇંચથી વધારે પાણી વરસતાં રાપર શહેર જળમગ્ન બન્યું છે.

    તાલુકાના બાલાસર, આડેસર, ખડીર, પ્રાંથળ, રામવાવ, ખેંગારપર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ત્રણેક ઇંચ વરસાદ થતાં વાગડવાસીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

  • મોરબીમાં ૨૧ જૂને મણીમંદિર ખાતે મહાનગરપાલિકા દ્વારા શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

    મોરબીમાં ૨૧ જૂને મણીમંદિર ખાતે મહાનગરપાલિકા દ્વારા શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

    કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    આગામી ૨૧ જૂનના રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગરપાલિકાના કમિશનર  સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

    સમગ્ર વિશ્વ અને દેશમાં ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને યોગ બાબતે જાગૃત કરવા અને યોગ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીમાં મહાનગરપાલિકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી લોકોને યોગનું મહત્વ સમજાવવા તેમજ તેમની દૈનિક જીવનમાં યોગને મહત્વનું સ્થાન મળે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરાયું છે.

    મોરબી મહાનગરપાલિકા કક્ષાએ મણીમંદિર ખાતે વહેલી સવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સવિશેષ ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં મુખ્ય સ્ટેજ, ઉદઘોષક, સુશોભન અને ફૂલછોડ, મેડિકલ ટીમ, ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સહિતની કામગીરી બાબતે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી.

    ઉપરાંત આ ઉજવણી સવિશેષ બની રહે અને વધુને વધુ લોકો સ્વૈચ્છિક આ કાર્યક્રમમાં જોડાય તે માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.

    આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનર  કુલદીપસિંહ વાળા અને   સંજય સોની, જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિરલ વ્યાસ, સહાયક માહિતી નિયામક  પારૂલ આડેસરા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં અતિભારે વરસાદ, સરકારે જિલ્લા કલેક્ટર્સને આપ્યા મોટા આદેશ

    સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં અતિભારે વરસાદ, સરકારે જિલ્લા કલેક્ટર્સને આપ્યા મોટા આદેશ

    ગુજરાતમાં ચોમાસાની ધમધોકાટ શરુઆત થઈ ગઈ છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ ભારે વરસાદ પડવાની શરૂ થઈ ગઈ છે, ત્યારે ચોમાસાના પ્રવેશ તેમજ હવામાન ખાતાની આગાહીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે સતર્કતાના પગલા શરૂ કરી દીધા છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લઈ નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગેની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે.

    રાજ્ય સરકારે દિશાનિર્દેશ જાહેર કર્યા

    રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવા અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી-નાળા-વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે.

    સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગેની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે.

    હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવા અને ભરાયેલા પાણીના…

    અમરેલીમાં ભારે વરસાદથી નદી-ચેકડેમ છલકાયા

    બીજીતરફ અમરેલી શહેર અને જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લાના રાજુલામાં 66 મિ.મી., સાવરકુંડલામાં 58 મિ.મી., ખાંભામાં 37 મિ.મી., લીલીયામાં 35 મિ.મી., જાફરાબાદમાં 31 મિ.મી., બગસરામાં 20 મિ.મી., અમરેલીમાં 17 મિ.મી. વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

    ભાવનગરના જેસરમાં 10 ઇંચ વરસાદ

    ભાવનગરમાં પણ સોમવારે (16મી જૂન) આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેસરમાં 9 ઇંચ વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતાં કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઈ હતી. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. રાજ્યમાં આજે સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન 163થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

    ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    હવામાન આગાહી મુજબ, આજે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદે ધમડાટી બોલાવી દીધી છે. આવતીકાલે 17 જૂને પણ મેઘરાજા અનેક જિલ્લાઓમાં દોડ મૂકવાની આગાહી કરાઈ છે. 17 જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે.

    જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

  • સ્ટેટ બેંકે સેવિંગ ખાતા અને થાપણના વ્યાજદર ઘટાડયા

    સ્ટેટ બેંકે સેવિંગ ખાતા અને થાપણના વ્યાજદર ઘટાડયા

    સેવિંગ ખાતાના વ્યાજદર ઘટાડાથી વર્ષે રૂા.5750 કરોડ બચાવશે: અત્યાર સુધીનો સૌથી નીચો વ્યાજદર લાગુ: રૂા.3 કરોડ સુધીની એફડીમાં 25 બેઝીસ પોઈન્ટનો ઘટાડો

    સેવિંગ ખાતાના વ્યાજદર ઘટાડાથી વર્ષે રૂા.5750 કરોડ બચાવશે: અત્યાર સુધીનો સૌથી નીચો વ્યાજદર લાગુ: રૂા.3 કરોડ સુધીની એફડીમાં 25 બેઝીસ પોઈન્ટનો ઘટાડો

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક સાથે 50 બેઝીક પોઈન્ટ વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ બેંકોએ પણ તેના ધિરાણ સહિતના દરો ઘટાડવાનો પ્રારંભ કરી દીધો છે તેની સામે હવે બેંક થાપણના દરો પણ ઘટવા લાગ્યા છે.

    જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ તા.15 જૂનથી અમલી બને તે રીતે રૂા.3 કરોડ સુધીની થાપણોના બેઝીસ દરોમાં 25 પોઈન્ટનો ઘટાડો કર્યો છે જે નવી અને જુની તમામ થાપણોને લાગુ થશે.

    સ્ટેટ બેંકના કુલ 36 લાખ કરોડના ધિરાણમાં વ્યાજઘટાડાની અસર થશે અને તેથી બેંકે તેની વર્તમાન થાપણ કે જે અગાઉ ઉંચા વ્યાજદરે મુકાઈ છે તેના પણ દરમા ઘટાડો કર્યો છે.

    જયારે સેવિંગ એકાઉન્ટ પરનો વ્યાજદર 2.5 ટકા કર્યો છે જે અત્યાર સુધીનો સૌથી નીચો છે. સ્ટેટ બેંકે તેના હોમલોનના નવા દર 7.5 ટકા કર્યા છે. સેવિંગ વ્યાજદરના ઘટાડાના કારણે સ્ટેટ બેંકને વર્ષે રૂા.5750 કરોડનો ફાયદો થશે. જયારે ધિરાણ પરના દરો ઘટાડાથી સ્ટેટ બેંકને વર્ષે રૂા.8100 કરોડનું વ્યાજ ઓછુ મળશે અને તેથી જ બેંકે તેના થાપણના દરોને પણ ઘટાડયા છે.

  • ગૂગલ પે, પેટીએમ યુઝર્સને અસર કરતા યુપીઆઈમાં આજથી ફેરફારો

    ગૂગલ પે, પેટીએમ યુઝર્સને અસર કરતા યુપીઆઈમાં આજથી ફેરફારો

    આજથી યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ)માં મોટો ફેરફાર જોવા મળશે. એનપીસીઆઈ (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ના પરિપત્ર મુજબ, ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવા અને ટ્રાન્ઝેક્શન રિવર્સલ જેવા યુપીઆઈ એપીઆઈ (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) માટેનો પ્રતિભાવ સમય 30 સેક્ધડથી ઘટાડીને માત્ર 10 સેક્ધડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વેલિડેટ એડ્રેસ (પે, કલેક્ટ) યુપીઆઈ એપીઆઈ માટેનો પ્રતિભાવ સમય 15 સેક્ધડથી ઘટાડીને 10 સેક્ધડ કરવામાં આવ્યો છે.

    નવા ફેરફારથી ફોનપે, ગુગલ પે અને પેટીએમ જેવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સની સાથે રીમિટર બેંકો, લાભાર્થી બેંકોને પણ ફાયદો થશે. ઝડપી પ્રતિભાવ સમય સાથે, UPIવપરાશકર્તાઓ પહેલા કરતાં વધુ સારા વ્યવહાર અનુભવની અપેક્ષા રાખી શકે છે કારણ કે નિષ્ફળ વ્યવહારને ઉલટાવી દેવા અથવા ચુકવણીની સ્થિતિ તપાસવા માટેનો ટર્નઅરાઉન્ડ સમય હવે નોંધપાત્ર રીતે ઓછો થશે. આ માટે, વપરાશકર્તાઓને પહેલા 30 સેક્ધડ રાહ જોવી પડતી હતી, પરંતુ હવે આ કાર્ય ફક્ત 10 સેક્ધડમાં થઈ જશે.

    NPCI એ પરિપત્રમાં જણાવ્યું હતું કે, UPIમાં કરવામાં આવેલા ફેરફારોનો હેતુ વપરાશકર્તાઓના અનુભવને સુધારવાનો છે. સભ્યોએ ખાતરી કરવી પડશે કે તેઓ પ્રતિભાવોને સુધારેલા સમયની અંદર હેન્ડલ કરી શકે. ઉપરાંત, જો ભાગીદાર અથવા વેપારી તરફથી સભ્યો પર કોઈ નિર્ભરતા / રૂૂપરેખાંકન ફેરફાર થાય છે, તો તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

    21 મે, 2025 ના પરિપત્ર મુજબ, UPIસિસ્ટમ ઓગસ્ટથી અન્ય મોટા ફેરફારો લાગુ કરવા માટે તૈયાર છે. પરિપત્રમાં જણાવાયું છે કે બેંકો અને/અથવા હસ્તગત કરતી બેંકો ખાતરી કરશે કે UPIને મોકલવામાં આવેલી બધી વિનંતીઓનું યોગ્ય ઉપયોગ માટે નિરીક્ષણ અને નિયંત્રણ કરવામાં આવે. નવી માર્ગદર્શિકાના અમલીકરણ પછી, તમે બેલેન્સ પૂછપરછ, લિસ્ટ એકાઉન્ટ અને ઓટોપે મેન્ડેટ એક્ઝિક્યુશનમાં ફેરફારો જોશો.

  • વસતી ગણતરી માટે કેન્દ્રનું જાહેરનામું: બે તબક્કામાં 21 મહિને પૂર્ણ થશે કામગીરી

    વસતી ગણતરી માટે કેન્દ્રનું જાહેરનામું: બે તબક્કામાં 21 મહિને પૂર્ણ થશે કામગીરી

    કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી…

    કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

    ત્યારબાદ વસતી ગણતરી અંગેની સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં આપેલી માહિતી અનુસાર સૌ પ્રથમ સ્ટાફની નિમણૂક, તાલીમ, ફોર્મેટની તૈયારી અને ક્ષેત્રીય કાર્યનું આયોજન કરવામાં આવશે. દેશમાં પહેલીવાર વસતી ગણતરી અને જાતિ આધારિત વસતી ગણતરી એક સાથે હાથ ધરવામાં આવી રહી છે.

    આગામી વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરી (HLO)નો રહેશે. આ તબક્કામાં દરેક પરિવારની રહેણાંક સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવશે.

    બીજો તબક્કો (વસતી ગણતરી) આ તબક્કામાં દરેક ઘરમાં રહેતા દરેક વ્યક્તિની વસતીવિષયક, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય માહિતી એકત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વસતીગણતરીમાં જાતિ ગણના પણ કરવામાં આવશે.

    ભારતમાં વસતી ગણતરીની પ્રક્રિયા માર્ચ, 2027માં પૂર્ણ થશે. જે લગભગ 21 મહિને પૂર્ણ થશે. વસતી ગણતરીનો પ્રાથમિક ડેટા માર્ચ 2027માં જાહેર કરાશે. તેમજ વિગતવાર માહિતી જાહેર કરવામાં ડિસેમ્બર, 2027 સુધીનો સમય લાગી શકે છે.

  • માર્કેટમાં વેચાઈ રહી છે નકલી કોફી! પીતા પહેલા તેને આ રીતે કરો ચેક, જાણો રીત

    માર્કેટમાં વેચાઈ રહી છે નકલી કોફી! પીતા પહેલા તેને આ રીતે કરો ચેક, જાણો રીત

    બજારમાં ભેળસેળયુક્ત કોફી વેચાઈ રહી છે, જેમાં આમલી અને ખજૂરના બીજ, બળી ગયેલી ખાંડ અને સ્ટાર્ચ જેવા હાનિકારક તત્વો ભેળવવામાં આવી રહ્યા છે. આ નકલી કોફી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે

    મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચા કે કોફી પીને કરે છે. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે કોફી તેમને ઉર્જા આપે છે અને આરામ પણ આપે છે, પરંતુ જો તે કોફી અસલી ન હોય તો શું? પરંતુ આ બિલકુલ સાચું છે. તાજેતરના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે બજારમાં ભેળસેળયુક્ત અથવા નકલી કોફી વેચાઈ રહી છે. આ કોફી દેખાવમાં કોફી જેવી અને ગંધવાળી હોઈ શકે છે પરંતુ તેમાં સસ્તા અને હાનિકારક ઘટકો ઉમેરવામાં આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

    ભેળસેળવાળી કોફી શું છે?

    ભેળસેળવાળી કોફી એટલે એવી કોફી જેમાં સસ્તા અથવા હાનિકારક પદાર્થોનું પ્રમાણ વધારવા માટે મિશ્રણ કરવામાં આવ્યું હોય. આ ઉમેરણો વાસ્તવિક કોફી નથી, પરંતુ તે દેખાવમાં અને ગંધમાં ખૂબ સમાન હોય છે જેના કારણે તફાવત ઓળખવો મુશ્કેલ બને છે.

    આ કોફી પાવડર બનાવવા માટે આમલીના બીજનો પાવડર, ખજૂરના બીજનો પાવડર, વપરાયેલ કોફી પાવડર, મકાઈનો સ્ટાર્ચ અથવા તો બળી ગયેલી ખાંડનો પાવડર ઉમેરવામાં આવે છે. આ ભેળસેળ પછી પણ, કોફીનો સ્વાદ બદલાતો નથી પરંતુ આ કુદરતી નથી અને જો નિયમિતપણે પીવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.

    ભેળસેળવાળી કોફી પીવાથી શું નુકસાન થાય છે?

    ખાદ્ય અને આરોગ્ય નિષ્ણાતોના મતે, ભેળસેળવાળી કોફી વાસ્તવિક કોફી જેટલું પોષણ આપતી નથી. તેમાં ઉમેરવામાં આવતી નકલી વસ્તુઓ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. નિયમિતપણે ભેળસેળવાળી કોફી પીવાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે, તમારા લીવર અથવા કિડનીને નુકસાન થઈ શકે છે અને આ સાથે તમારું પાચન પણ બગડી શકે છે. સમય જતાં આવી કોફી પીવાથી તમારા શરીરમાં ગંભીર રોગો થઈ શકે છે.

    કેવી રીતે ચકાસવું કે તે અસલી છે કે નકલી?

    હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તમારી કોફીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તે તમે કેવી રીતે ચકાસશો? તો તમને જાણીને નવાઈ લાગશે કે તમે ઘરે એક સરળ ટેસ્ટ કરીને જાણી શકો છો કે તમારી કોફી અસલી છે કે નકલી. એક ગ્લાસમાં પાણી લો અને તેમાં એક ચમચી કોફી પાવડર ઉમેરો. તેને બિલકુલ હલાવો નહીં. જો કોફી પાવડર ઉપર તરે છે તો તે અસલી છે. જો પાવડર ઝડપથી નીચે બેસી જાય અથવા રંગ છોડી દે તો તે ભેળસેળયુક્ત હોઈ શકે છે.

    ભેળસેળયુક્ત કોફીથી કેવી રીતે બચવું

    નકલી કોફીથી પોતાને બચાવવા માટે, હંમેશા વિશ્વસનીય બ્રાન્ડ અથવા વિશ્વસનીય સ્ટોરમાંથી કોફી પાવડર ખરીદો. ખરીદતા પહેલા પેકેજિંગ અને એક્સપાયરી ડેટ ચેક કરો. જો શક્ય હોય તો, કોફી પીતા પહેલા પાણી ટેસ્ટ કરો. ખૂબ સસ્તી કોફી અથવા છૂટક અથવા બ્રાન્ડ વગરના પેકેટમાં વેચાતી કોફી ખરીદવાનું પણ ટાળો, કારણ કે તેમાં ભેળસેળ હોવાની શક્યતા વધુ હોય છે.