Category: Featured

Featured posts

  • ઘઉં વધુ ખાવ છો કે ચોખા? વસતી ગણતરીમાં પુછાશે

    ઘઉં વધુ ખાવ છો કે ચોખા? વસતી ગણતરીમાં પુછાશે

    કેન્દ્ર સરકારે નવી જાતિગત જનગણનાનુ શિડયુલ જાહેર કર્યુ છે અને તે વિશે અનેકવિધ ખુલાસા-ટીપ્પણી થવા લાગી છે. વસતી ગણતરી દરમ્યાન આર્થિક-સામાજીક માપદંડોની પણ ચકાસણી કરવામાં આવ્યા છે અને તેમાં કેટલાંક નવા સવાલ પણ ઉમેરવામાં આવ્યા છે

    વસતી ગણતરીની સમગ્ર કવાયતમાં 10 લાખ કર્મચારીઓને સામેલ કરવામાં આવનાર છે. જેઓ ઘેર-ઘેર જઈને પરિવાર-નાગરિકોની સંખ્યા ગણશે. ઉપરાંત ચોખા, ઘઉં, બાજરો, જુવાર, મકાઈ જેવા કયા અનાજનો વધુ ઉપયોગ કરો છો? તેવો સવાલ પણ પુછવામાં આવશે. દોઢ દાયકા બાદ વસતી ગણતરી થવાની છે.

    આ દરમ્યાન લોકોના જીવન ધોરણ ઉપરાંત સુખ સુવિધા તથા સંશોધનોમાં મોટો બદલાવ આવ્યો છે. જુદા-જુદા સવાલો મારફત યોજનાઓના પ્રભાવ પણ ચકાસવામાં આવશે.

    લોકો બોટલના પાણીનો કેટલો ઉપયોગ કરે છે, રાંધણગેસ-પીએનજી કનેકશનના સવાલ પણ હશે. સોલારનો ઉપયોગ પણ ચકાસાશે. અગાઉની વસતી ગણતરીમાં ટીવી-રેડિયોની સુવિધા વિશે સવાલ થતા હતા. આ વખતે ફ્રી-ડીશ, ડીટીએચ કે કેબલ કનેકશન વિશે સવાલ કરવામાં આવશે.

    આ સિવાય પ્રથમ વખત એસીડ એટેકનો શિકાર બનેલા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ સિવાય જ્ઞાનતંતુના જટિલ રોગ ધરાવતા લોકો તથા બ્લડ ડીસઓર્ડર ધરાવતા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત હિજરતી લોકોની વસતી ગણતરી કરવા સાથે તેનું કારણ ચકાસવા કુદરતી આફતોની પણ ચકાસણી થશે.

  • તાલાલા-ગીર પંથકમાં ધ્રુજી ધરા, 3.5ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો; મોટો ધડાકાનો અવાજ સંભળાયો

    તાલાલા-ગીર પંથકમાં ધ્રુજી ધરા, 3.5ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો; મોટો ધડાકાનો અવાજ સંભળાયો

    ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધરા ધ્રૂજી છે. તાલાલા ગીર પંથકમાં 9:15 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 19 કિમી ઈસ્ટ નોર્થ ઈસ્ટ નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. મોટા ધડાકાનો અવાજ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તલાલા અને ગીર આસપાસના ગામડામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

    તલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

    પ્રાપ્ત માહિતી પ્રમાણે ગીર સોમનાથના તલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોટા ધડાકા સાથે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય માહોલ ફેલાયો હતો. ધડાકાનો અવાજ આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તલાલા અને ગીર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

    રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી 19 કિ.મી દૂર નોંધાયું છે. ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ પુરાવા કે અહેવાલ મળ્યા નથી.

    રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી 19 કિ.મી દૂર નોંધાયું છે. ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ પુરાવા કે અહેવાલ મળ્યા નથી.

  • પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી

    પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી

    પહેલગામની આતંકી ઘટના બાદ સિંધુ જળ સમજૂતીને સ્થગીત કરવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાનમાં બેચેની વધી રહી છે. પાકિસ્તાન આ સમજુતી લાગુ કરવા માટે ભારતને અત્યાર સુધીમાં ચાર-ચાર પત્ર લખી ચૂકયું છે.

    જલશક્તિ મંત્રાલયને લખેલા આ પત્રો આગળ વિચાર માટે વિદેશ મંત્રાલયને મોકલ્યા છે, દરમિયાન ભારત સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે આતંકવાદ ચાલુ રહેવાને લઈને આ સંધી હાલ સ્થગીત જ રહેશે.

    ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલા પહેલા ત્રણ મુખ્ય નદીઓ સિંધુ, ચિનાબ અને ઝેલમથી મળતા મોટાભાગના પાણીનો ઉપયોગ ભારત પોતાના અનુસાર કરી રહ્યું છે. સમજુતી અંતર્ગત મોટાભાગનું (80 ટકાથી વધુ) પાકિસ્તાન જતું હતું.

    આ ઉપરાંત રાવી, સતલજ, બિયાસનું પાણી પણ ભારત પોતાના હિસાબે છોડશે કે બંધ કરશે. બીજી બાજુ પાકિસ્તાનના લોકો પણ સિંધુમાં જળને લઈને પાક. સરકાર પર દબાણ કરી રહ્યા છે, તેને લઈને દેખાવો પણ થયા છે.

error: Content is protected !!