HomeAllખેડૂત આંદોલનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી બંધ થતાં ખેડૂતોમાં રોષ

ખેડૂત આંદોલનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી બંધ થતાં ખેડૂતોમાં રોષ

ખેડૂત આંદોલનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી બંધ થતાં ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ખેડૂત ક્રાંતિ જેતપર આંદોલન સાથે સંકળાયેલું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આજે ફરી બંધ થઈ જતાં ખેડૂતો અને સમર્થકોમાં અનેક સવાલો ઊભા થયા છે.

આંદોલન સાથે જોડાયેલા આગેવાનો અને સમર્થકોનું કહેવું છે કે ખેડૂતોના અવાજને સોશિયલ મીડિયા પર દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમના મતે, આંદોલનને મળતા વ્યાપક જનસમર્થન અને ખેડૂતોની ગર્જનાથી કેટલાક તત્વો ગભરાઈ ગયા હોવાથી વારંવાર સોશિયલ મીડિયા એકાઉન્ટને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે લોકશાહીમાં દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. જો કોઈના અવાજને ટેકનિકલ અથવા અન્ય કોઈ રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવે તો તે અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ચિંતાજનક બાબત છે.

ખેડૂત આગેવાનોએ જવાબદાર તંત્રને આ મામલે પારદર્શકતા દાખવવા તેમજ આવા કૃત્યો પાછળના કારણો જાહેર કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે કોઈપણ પ્રકારના અવરોધો છતાં ખેડૂતોનો સંઘર્ષ અને જનજાગૃતિ અભિયાન યથાવત ચાલુ રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments