HomeAll4 સપ્ટેમ્બરના રોજ 45 મિનિટ સુધી નહીં કામ કરે UPI, મોટી બેન્કમાં...

4 સપ્ટેમ્બરના રોજ 45 મિનિટ સુધી નહીં કામ કરે UPI, મોટી બેન્કમાં મેઇન્ટેનન્સની પ્રક્રિયા

જો: તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની UPI સેવાઓનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરો છો, તો 4 સપ્ટેમ્બરની રાત્રે થોડું ધ્યાન રાખવું પડશે. બેંક દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ટેકનિકલ મેઇન્ટેનન્સના કારણે 4 સપ્ટેમ્બર 2026 ની રાત્રે 12:15 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી (આશરે 45 મિનિટ) UPI ટ્રાન્ઝેક્શન સેવા બંધ રહેશે. જોકે, બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ મેઇન્ટેનન્સ કામ નક્કી કરેલા સમય પહેલાં પણ પૂરું થઈ શકે છે.

આ સમયગાળા દરમિયાન નાના પેમેન્ટ્સ માટે ગ્રાહકો UPI Lite નો ઉપયોગ કરી શકશે. UPI Lite મારફતે PIN નાખ્યા વગર 1,000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકાય છે અને તેમાં મહત્ત્વ 5,000 રૂપિયા સુધીનું બેલેન્સ રાખી શકાય છે.SBI UPI ની ડેઇલી ટ્રાન્ઝેક્શન લિમિટ અને નિયમો : સામાન્ય રીતે UPI મારફતે એક દિવસમાં કુલ 1 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરવાની છૂટ મળે છે. પર્સન ટુ પર્સન (P2P) પેમેન્ટથી ગ્રાહકો રોજના 20 ટ્રાન્ઝેક્શન કરી શકે છે. જોકે, કેટલીક ચકાસાયેલી મર્ચન્ટ કેટેગરી માટે આ મર્યાદા વધુ રાખવામાં આવી છે.

ઇન્સ્યોરન્સ અને કેપિટલ માર્કેટ માટે આ સીમા 2 લાખ રૂપિયા સુધીની છે, જ્યારે IPO, ટેક્સ પેમેન્ટ, હોસ્પિટલ અને સ્કૂલ-કોલેજ માટે 5 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.Loading tweet…MDR ચાર્જ અંગે સરકારની સ્પષ્ટતા અને સામાન્ય નાગરિકો માટે રાહત : કેન્દ્ર સરકાર UPI ના કેટલાક ચોક્કસ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં નોટિફિકેશન જારી થવાની શક્યતા છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય નાગરિકો પાસેથી UPI પેમેન્ટ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં અને P2P ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત જ રહેશે.

જો MDR લાગુ થશે તો તે માત્ર કેટલાક નક્કી કરેલા મોટા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર જ લાગુ થશે. ડિજિટલ UPI ટ્રાન્ઝેક્શનમાં અભૂતપૂર્વ ઉછાળો : UPI એ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને અત્યંત સરળ અને વ્યાપક બનાવી દીધી છે. નાણાકીય વર્ષ 2016-17 માં જ્યાં UPI પર માત્ર 2 કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા, ત્યાં નાણાકીય વર્ષ 2025-26 માં આ આંકડો વધીને 24,162 કરોડથી વધુ થયો છે. આ જ સમયગાળા દરમિયાન ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય પણ 0.07 લાખ કરોડ રૂપિયાથી વધીને આશરે 314 લાખ કરોડ રૂપિયાના વિક્રમી સ્તરે પહોંચી ગયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments