Author: admin

  • કંઈક મોટું થવાનું છે? ગઈકાલે ગડકરીએ આપી હતી ચેતવણી, આજે રાજનાથ સિંહે કરી ચોંકાવનારી વાત

    કંઈક મોટું થવાનું છે? ગઈકાલે ગડકરીએ આપી હતી ચેતવણી, આજે રાજનાથ સિંહે કરી ચોંકાવનારી વાત

    રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે શાંતિનો સમય એક ‘ભ્રમ’ (illusion) સિવાય કંઈ નથી. ભારતે હંમેશા અનિશ્ચિતતાઓ માટે તૈયાર રહેવું જોઈએ, ભલે પરિસ્થિતિ ગમે તેટલી શાંત કેમ ન લાગે. આ ઉપરાંત તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની હિંમત અને બહાદુરીની પ્રશંસા કરી. એક કાર્યક્રમને સંબોધતા સિંહે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન સ્વદેશી રીતે બનાવેલા હથિયારો અને લશ્કરી પ્લેટફોર્મનું પ્રદર્શન ખૂબ સારું હતું. આ કારણે વિશ્વભરમાં ભારતના રક્ષા ઉત્પાદનોની માંગ વધી છે.

    રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે, નાણાકીય પ્રક્રિયામાં થોડો વિલંબ કે ભૂલ પણ ઓપરેશનલ તૈયારીઓને અસર કરી શકે છે. આજે આખી દુનિયા ભારતના રક્ષા ક્ષેત્રને નવા દ્રષ્ટિકોણ અને સન્માનથી જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, ‘મોટાભાગના ઉપકરણ જે આપણે પહેલાં આયાત કરતા હતા, હવે ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે. અમારા સુધારા ઉચ્ચતમ સ્તર પર સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને પ્રતિબદ્ધતાને કારણે સફળ થઈ રહ્યા છે.’

    રક્ષા મંત્રી ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ (DAD)ના કંટ્રોલર્સના કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, “નાણાકીય પ્રક્રિયાઓમાં એક પણ વિલંબ અથવા ભૂલ ઓપરેશનલ તૈયારીઓને સીધી અસર કરી શકે છે.” તેમણે DADને રક્ષામાં ખાનગી ક્ષેત્રની વધતી જતી ભાગીદારીની સાથે તાલમેલમાં કંટ્રોલરથી ફેસિલિટેટરના રૂપમાં વિકસિત થવાની હાકલ કરી.

    જિયો પોલિટિકલ સિચ્યુએશન પર પ્રકાશ પાડતા રક્ષા મંત્રીએ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિશ્લેષણનો હવાલો આપીને કહ્યું કે, 2024માં Global Military Expenditure  2.7 ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચશે. તેમણે કહ્યું કે, આ ભારતના સ્વદેશી રક્ષા ઉદ્યોગો માટે જબરદસ્ત તકો ખોલે છે. રક્ષા મંત્રીએ રક્ષા વિભાગના નવા સૂત્ર ‘સર્તક, ચુસ્ત, અનુકૂલટ’ ની પ્રશંસા કરી અને કહ્યું કે, આ ફક્ત શબ્દો નથી, પરંતુ આજના ઝડપથી વિકસતા રક્ષા વાતાવરણમાં જરૂરી કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.

    તેમણે કહ્યું કે, ‘તાજેતર સુધી રક્ષા બજેટને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો ભાગ માનવામાં આવતો ન હતો. આજે તે વિકાસના ચાલક છે.’ સિંહે કહ્યું કે, ભારત બાકીના દુનિયા સાથે પુનઃશસ્ત્રીકરણના એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, જેની વિશેષતા રક્ષા ક્ષેત્રમાં મૂડી-સઘન રોકાણો છે. રક્ષા મંત્રીએ રક્ષા વિભાગથી આગ્રહ કર્યો કે, તે પોતાની યોજના અને મૂલ્યાંકનમાં રક્ષા અર્થશાસ્ત્રનો સમાવેશ કરે, જેમાં સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સ અને દ્વિ-ઉપયોગ તકનીકોના સામાજિક અસર વિશ્લેષણનો સમાવેશ થાય છે.

    નીતિન ગડકરીનું નિવેદન: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વ યુદ્ધ વિશે મોટી ચેતવણી આપી છે. એક પુસ્તકના વિમોચન દરમિયાન પોતાના સંબોધનમાં માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીએ કહ્યું કે, ‘ભારત ભગવાન બુદ્ધની ભૂમિ છે, જે સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આપે છે. તેથી, આપણે વિશ્વમાં બની રહેલી ઘટનાઓને જોઈને ભવિષ્યની નીતિઓ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.’ તેમણે ચેતવણી આપી હતી કે, યુદ્ધોને કારણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વિશ્વ યુદ્ધ ગમે ત્યારે શરૂ થઈ શકે છે.

  • પ્રાથમિક સુવિધા નહિ મળે તો મોરબીના ચિત્રકુટ સોસાયટી વિસ્તારમાં વિસાવદરવાળી થશે : સ્થાનિકોની ચીમકી

    પ્રાથમિક સુવિધા નહિ મળે તો મોરબીના ચિત્રકુટ સોસાયટી વિસ્તારમાં વિસાવદરવાળી થશે : સ્થાનિકોની ચીમકી

    મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લાઈટ પાણી રોડ રસ્તા, ગટર વગેરે જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવતા નથી જેથી લોકોમાં રોષની લાગણી છે અને ખાસ કરીને છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી ચિત્રકૂટ સોસાયટી ભાજપનો ગઢ ગણાય છે.

    અને ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં પણ જો પ્રાથમિક સુવિધા માટે લોકોને હેરાન થવું પડતું હોય તો આગામી ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય વિસ્તારમાં નહીં ખુલે અને વિસાવદર વાળી થશે તેવી ચીમકી સાથેના વિડીયો સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.

    મોરબી મહાનગરપાલિકામાં આવતા શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી વિસ્તારને છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ કહેવામાં આવે છે પરંતુ ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારની અંદર રહેતા લોકોને આજની તારીખે લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેથી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

    તેવામાં રવિવારે રાતના સમયે અંદાજે 150 થી 200 જેટલા સોસાયટી વિસ્તારના લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ તેઓએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

    જેમાં સ્થાનિક લોકોના કહેવા મુજબ 25 વર્ષ કરતાં વધુ સમયથી બીજી કોઈ પાર્ટીનું કાર્યલય ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં ખોલવા દેવામાં આવ્યું નથી અને વન વે ભાજપ તરફ વોટિંગ કરવામાં આવતું હોવાથી આ વિસ્તારને ભાજપનો ગઢ કહેવામા આવે છે

  • ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ

    ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ

    ઈમરજન્સીની રાહ ન જોતા તાત્કાલિક આયુષ્માન કાર્ડ(PMJAY) કઢાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નો અનુરોધ

    મોરબી જિલ્લામાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ‘સર્વજન સુખાય,સર્વજન હિતાય,’ નીતિ સાથે લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત અને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ સુલભ બને તે હેતુસર આયુષ્માન કાર્ડ બનાવવા માટે સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.

    આ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત (૧) વયવંદના યોજનાના લાભાર્થીઓ (૭૦ વર્ષ કે તેથી વધુ વય ના વરિષ્ઠ નાગરીકો) (૨) NFSA રેશનકાર્ડ ધરાવતા યાદી મુજબના તમામ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બનાવવાનું કામ હાલમાં દરેક સરકારી આરોગ્ય સંસ્થામાં ચાલી રહ્યું છે.

    જિલ્લા વહીવટી તંત્ર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી લોકોને અપીલ કરવામાં આવે છે કે, ઉપરોક્ત લાભાર્થીઓએ ઈમરજન્સીની રાહ ન જોતા તાત્કાલિક આયુષ્માન કાર્ડ(PMJAY) કઢાવવું. આ કામગીરી માટે આપના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરશો. આયુષ્માન કાર્ડ લાભાર્થી જાતે પણ આયુષ્માન એપ દ્વારા Beneficiary ID  માંથી તથા PMJAY પોર્ટલ https:// beneficiary.nhm.gov.in  પરથી જાતે કાઢી શકશે મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય ની યાદીમાં જણાવાયું છે.

  • પ્રાથમિક સુવિધાઓ ન મળે તો ચિત્રકુટ સોસાયટી, મોરબીમાં વિસાવદરવાળી ચળવળની ચીમકી: સ્થાનિકો

    પ્રાથમિક સુવિધાઓ ન મળે તો ચિત્રકુટ સોસાયટી, મોરબીમાં વિસાવદરવાળી ચળવળની ચીમકી: સ્થાનિકો

    મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લાઈટ પાણી રોડ રસ્તા, ગટર વગેરે જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવતા નથી જેથી લોકોમાં રોષની લાગણી છે અને ખાસ કરીને છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી ચિત્રકૂટ સોસાયટી ભાજપનો ગઢ ગણાય છે.

    અને ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં પણ જો પ્રાથમિક સુવિધા માટે લોકોને હેરાન થવું પડતું હોય તો આગામી ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય વિસ્તારમાં નહીં ખુલે અને વિસાવદર વાળી થશે તેવી ચીમકી સાથેના વિડીયો સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.

    મોરબી મહાનગરપાલિકામાં આવતા શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી વિસ્તારને છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ કહેવામાં આવે છે પરંતુ ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારની અંદર રહેતા લોકોને આજની તારીખે લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેથી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

    તેવામાં રવિવારે રાતના સમયે અંદાજે 150 થી 200 જેટલા સોસાયટી વિસ્તારના લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ તેઓએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

    જેમાં સ્થાનિક લોકોના કહેવા મુજબ 25 વર્ષ કરતાં વધુ સમયથી બીજી કોઈ પાર્ટીનું કાર્યલય ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં ખોલવા દેવામાં આવ્યું નથી અને વન વે ભાજપ તરફ વોટિંગ કરવામાં આવતું હોવાથી આ વિસ્તારને ભાજપનો ગઢ કહેવામા આવે છે

  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: નદીઓ ભયજનક સ્તરે: એલર્ટનાં આદેશ

    દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: નદીઓ ભયજનક સ્તરે: એલર્ટનાં આદેશ

    અંબિકા,પૂર્ણા, મિંઢોળા સહિતની નદીઓ બે કાંઠે : હાલ રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું જામ્યું છે

    સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરના પગલે નદી-નાળા છલકાયા છે.ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબિકા, પૂર્ણા, મીંઢોળા, ઓલન, અને ઝાખરી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તાપી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા, ખાપરી સહિતની નદીઓ ભયજનક સપાટી વટાવી બે કાંઠે વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે.

    ડાંગ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના લીધે નદી, નાળા, ઝરણાં અને ડેમ છલકાયા હતા . ઘણી જગ્યા તબાહીના દ્વશ્યો પણ સામે આવ્યા છે.ડાંગની જિલ્લામાં આવેલો ગીરાધોધ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે.

    ત્યારે ભારે વરસાદના લીધે હાલમાં ગીરાધોધ પાસે જવાની મનાઇ ફરમાવી દેવામાં આવી છે. વરસાદની સતત વધતી તીવ્રતાને જોતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું છે.

    જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવાના આદેશ આપ્યા છે.ખાસ કરીને નદી કિનારે આવેલા ગામો અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.

    સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

  • વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા બનાવાઈ કમિટી

    વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર: રાજ્ય સરકાર દ્વારા બનાવાઈ કમિટી

    ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો ભરતીને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે આ વ્યાયામ શિક્ષકોને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભરતી, લાયકાત અને વયમર્યાદા અંગે એક કમિટીની રચના કરવામાં આવી છે.

    જણાવી દઈએ કે, ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના 35 દિવસના આંદોલનના સમયે મુખ્યમંત્રીએ કમિટી બનાવવાનું આશ્વાસન આપ્યું હતું.
    ત્યારે હવે કમિટીની રચના અંગે શૈક્ષણિક મહાસંઘની પ્રતિક્રિયા સામે આવી છે.

    ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે.તમામ શાળાઓને વ્યાયામ શિક્ષકો મળે.વ્યાયામ શિક્ષકોની ભરતી માટે બનાવાઈ કમિટી મુખ્યમંત્રીના આશ્વાસન બાદ હવે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે પ્રાથમિક શિક્ષણના અગ્ર સચિવની અધ્યક્ષતામાં 10 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

    નોંધનીય છે કે, સરકારના શિક્ષણ વિભાગની ખેલ સહાયક યોજનામાં દરેક નિયમોમાં વિસંગતતા હોવાના કારણે તેને રદ કરવાની અને વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવાની મુખ્ય માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે.

    ત્યારે ધોરણ 1થી 8ના પ્રાથમિક વિભાગમાં તો વ્યાયામ શિક્ષક હોવા એ અનિવાર્ય હોવા છતાં સરકાર દ્વારા ભરતી ન કરાતી હોવાના આક્ષેપ શિક્ષકોના સંગઠન દ્વારા કરવામાં આવ્યા હતા.
    આ ઓછું હોય તેમ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં 11 મહિનાના કરાર આધારિત વ્યાયામ શિક્ષકો માટે વિટંબણાઓનો કોઈ પાર રહ્યો નથી.તેમને વર્ષમાં ચાર મહિનાથી વધુ સમય ઘરે બેસી રહેવાનું થાય છે.

    પરિણામે પરિવારનો જીવન નિર્વાહ કેવી રીતે કરવો તે પ્રશ્નો સામે આવ્યા છે. નજીવા વળતર સાથેની નોકરીમાં પણ અનિશ્ચિતતાની સાથે કેવી રીતે કામ કરી શકાય તે વાત એર કન્ડિશન્ડ ચેમ્બરમાં બેસી રહેલાઓને સમજાઇ રહી નથી..

  • હાફિઝ સઈદ, મસુદ અઝહરને સોંપવા પાક.તૈયાર? બિલાવલનો સંકેત

    હાફિઝ સઈદ, મસુદ અઝહરને સોંપવા પાક.તૈયાર? બિલાવલનો સંકેત

    પાક.ના પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતને માટે ચિંતાજનક વ્યકિતઓના પ્રત્યાર્પણમાં પાકિસ્તાનને કોઈ વાંધો હોઈ શકે નહીં : જોકે ભારતના ‘સહકાર’ની પૂર્વ શરત મુકી

    ભારતના અનેક વોન્ટેડ પાકિસ્તાનમાં શરણ લઈ રહ્યા છે અને અગાઉ ભારત દ્વારા પાકિસ્તાનને દાઉદ ઈબ્રાહીમ સહિતના વોન્ટેડને સુપ્રત કરવા કરાયેલી માંગણીમાં પણ પાકે ઠંડુ પાણી રેડયુ છે અને જૈસે મહમદ અને હીઝબુલ મુજાહીદીન સહિતના ત્રાસવાદી સંગઠનના વડાઓ પણ પાકિસ્તાનમાં સલામત છે.

    તે સમયે પાકના પૂર્વ વિદેશ મંત્રી બીલાવલ ભૂટ્ટો ઝરદારીએ એક મુલાકાતમાં કહ્યું કે, જો ભારત માટે કોઈ વ્યકિત ચિંતાજનક હોય અને તેની માંગણી કરે તો અમને આપવામાં કોઈ વાંધો નથી.


    તેમણે એવો દાવો કર્યો કે, પાકિસ્તાન ભારત સાથે વિશ્વાસભર્યા સબંધો માટે આગળ વધવા તૈયાર છે પણ મહત્વનું એ છે કે ભારતે તેમાં સહકાર આપવો જોઈએ. અલ ઝઝીરા ચેનલ સાથે એક મુલાકાતમાં તેણે આ નિવેદનો કર્યા હતા.

    તેમનું પુછાયું કે, લશ્કર એ તોયબાના વડા હાફીજ સઈદ અને જૈસે મહમદના મસૂદ અઝરને ભારતને સોંપવા અંગે પાકિસ્તાન વિચારી શકે છે તે સમયે બીલાવલે આ જવાબ આપ્યો હતો અને કહ્યું કે પાકિસ્તાન સાથે સર્વગ્રાહી વાટાઘાટોનો ભાગ હોઈ શકે મને ખાત્રી છે કે પાકિસ્તાનને તેમાં કોઈ વાંધો નહીં હોય.

  • મોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા SP

    મોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા SP

    મોરબી જિલ્લામાં ફરજ બજાવતા અલગ અલગ પોલીસ કર્મીઓની બદલીનો નવો ઘાણવો નિકળ્યો છે જેમાં એએસઆઈ થી લઈ કોન્સ્ટેબલ સુધીના 26 પોલીસ કર્મીની બદલી

    મોરબી જિલ્લામાં ફરજ બજાવતા અલગ અલગ પોલીસ કર્મીઓની બદલીનો નવો ઘાણવો નિકળ્યો છે જેમાં એએસઆઈ થી લઈ કોન્સ્ટેબલ સુધીના 26 પોલીસ કર્મીની બદલી કરાઇ છે.

    જિલ્લા પોલીસ વડાએ મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા યશવંતસિંહ ઝાલાને મોરબી સીટી બી ડિવિઝન, વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા રમેશચંદ્ર મિયાત્રાની સીટી એ ડિવિઝનમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુકેશભાઈ જીલરીયાની જિલ્લા કંટ્રોલમાં, માળિયામાં સુરેશભાઈ પરમારની હળવદ પોલીસ મથકમાં, ટ્રાફિક શાખાના નાગધનભાઈ ગઢવીની મોરબી તાલુકા મથકમાં, દેવેન્દ્રસિંહ ઝાલાની હળવદમાં, લાલભા ચૌહાણની મોરબી તાલુકામાં, ટંકારામાં મહેશકુમાર ઈસરાણીની પોલીસ હેડ ક્વાર્ટરમાં,

    હસમુખ ચાવડાની ટ્રાફિક શાખામાં સીટી બી ડિવિઝનમાં, ભાવેશ ડાંગરની માળિયા પોલીસમાં, નિર્મળસિંહ જાડેજાની એલસીબી હેડ ક્વાર્ટરમાં, વિજયકમાર ચાવડાની વાયરલેસ શાખામાં, દીપક કાઠિયાની માળિયા પોલીસમાં, મોહમ્મદ રેનીઝ કડીવારની વાંકાનેર તાલુકામાં, રમેશભાઈ રાઠોડની મોરબી સીટી એ ડિવિઝનમાં , ભૂમિબેન સોલંકીની મહિલા પોલીસ મથકમાં, પ્રદિપસિંહ ઝાલાની એલસીબીમાં, મયુર ચાવડાની બી ડિવિઝનમાં બદલી કરાઇ છે

  • મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 30 માં ફાઉન્ડેશન-ડે ની ઉજવણી

    મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 30 માં ફાઉન્ડેશન-ડે ની ઉજવણી

    સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદી વિચારધારાઓને વરેલી એવી ઇન્ડિયન લાયન્સ ક્લબના ફાઉન્ડેશન-ડે ની ઉજવણી 2 જી જુલાઈના રોજ ઇડનહીલ્સ ખાતે કરવામાં આવી હતી. 2 જુલાઈ 1995 ના રોજ વડોદરા મુકામે ઇન્ડિયન લાયન કૌશિક બુમિયા તેમજ તેમના અન્ય સાથીઓને ભારતના પૈસા તેમજ અન્ય ડ્યુસ ભારતીયોને જ ઉપયોગમાં આવે તેવા ઉમદા વિચારથી ઇન્ડિયન લાયન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી.

    જે આજે વટવૃક્ષ બનીને ગુજરાતના અનેક શહેરોમાં પોતાની આગવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સદાય અગ્રેસર રહી છે.
    ભારતીયતાને વરેલા આ વિચારને વધુ આગળ વધારવા તેમજ ઇન્ડિયન લાયન્સનો વ્યાપ વધારવામાં જેમનો સિંહફાળો છે તેવા ઈન્ડિયન લાયન હિતેશભાઈ પંડ્યા તથા ઇન્ડિયન લાયન આશાબેન પંડ્યાનો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબે ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.


    આ તકે ઇન્ડિયન લાયન્સ ક્લબ એક ફેમિલી ક્લબ હોવાથી બધાએ સાથે મળીને ઇન્ડિયન લાયન્સ ક્લબના સ્થાપના દિવસની ઉજવણી કેક કટીંગ, ઘણી બધી ગેમો રમાડી તેમજ સંગીતમય ગીતો સાથે ઉજવણી કરી હતી.


    2017 માં મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં મોરબીના મેમ્બર બહેનો તેમજ આ સંસ્થાને આગળ વધારવા માટે તમામ દાતાઓ તેમજ મોરબીની જનતાનો ફાઉન્ડર શોભનાબા ઝાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા, ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડન્ટ મયુરબેન કોટેચા તેમજ હાલના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાએ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

  • પાકિસ્તાનના અણુશસ્ત્રો પર અમેરિકાનો કમાન્ડ અને કન્ટ્રોલ : પુર્વ CIA અધિકારી

    પાકિસ્તાનના અણુશસ્ત્રો પર અમેરિકાનો કમાન્ડ અને કન્ટ્રોલ : પુર્વ CIA અધિકારી

    નુરખાન એરબેઝ પાસે પાકના અણુમથકોનો કન્ટ્રોલ અમેરિકી જનરલ ધરાવે છે : ભારતના હુમલાથી આ એરબેઝને થયેલા નુકસાન બાદ યુદ્ધવિરામ થયાનું કારણ પણ આ જ હતું : નવો ધડાકો

    ઓપરેશન સિંદુર સમયે ભારતે પાકિસ્તાન પર મર્યાદીત હુમલો કર્યો અને બાદમાં ઓપરેશનને સ્થગીત કરી દીધુ તે માટે અમેરિકાની દરમ્યાનગીરી હોવાના એકથી વધુ રિપોર્ટ વચ્ચે અમેરિકાની જાસૂસી એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ના એક પુર્વ ટોચના અધિકારીએ ધડાકો કર્યો છે કે વાસ્તવમાં પાકિસ્તાનના અણુશસ્ત્ર મથક નજીક ભારતના હુમલાથી અમેરિકા ચોંકી ઉઠયુ હતું અને તુર્તજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યુ હતું.


    આ અધિકારીએ એવો દાવો કર્યો છે કે, પાકિસ્તાનના અણુમથકો પર અમેરિકાનો પુર્ણ અંકુશ છે અને એક અમેરિકી જનરલ પાકિસ્તાનના અણુશસ્ત્રોના ઈન્ચાર્જ તરીકે કામ કરી રહ્યા છે. સીઆઈએના અધિકારી તરીકે પાકિસ્તાનમાં પણ કામ કરી ચૂકેલા જહોન કીરીઓકુ એ એવો ધડાકો કર્યો કે ભારતે તેના પશ્ર્ચિમી પાડોશી દેશ પર જે હુમલો મર્યાદીત કર્યો તેની પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાનના અણુશસ્ત્રો પર અમેરિકાનો કમાન્ડ અને કંટ્રોલ છે અને તેથી જ અમેરિકાએ બંને દેશો વચ્ચેના યુદ્ધમાં મોટો ભડકો ન થાય તે નિશ્ચિત કર્યુ હતું.


    આ અધિકારીએ દાવો કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે લાંબા સમયથી લશ્કરી સહિતના તનાવો છે અને ભૂતકાળમાં યુદ્ધ પણ થઈ ચૂકયા છે તે જોતા અમેરિકાએ પાકિસ્તાનના આ અણુશસ્ત્રોના ભંડાર પર પોતાનો કબ્જો રાખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદથી થોડે જ દુર નુરખાન એરબેઝ આવેલુ છે અને તે એરબેઝની પાસે જ પાકિસ્તાનના અણુશસ્ત્રોનું મુખ્ય મથક છે.


    ભારતે જયારે નુરખાન એરબેઝ પર હુમલો કર્યો ત્યારે પણ અમેરિકાની ચિંતા વધી ગઈ હતી અને કોઈ અણુ લીકેજ થયુ નથી ને તે નિશ્ર્ચિત કરવા અમેરિકી ખાસ વિમાન પાકિસ્તાન પહોંચ્યુ હતું.


    આ ઉપરાંત નુરખાન એરબેઝ પર અમેરિકી સેનાનું મહત્વનું મથક છે અને અમેરિકાએ ઈરાન સહિતના દેશો પર જે રીતે કાર્યવાહી કરી છે તેમાં નુરખાન એરબેઝની ભૂમિકા મહત્વની હતી અને અહી અમેરિકી યુદ્ધ વિમાનો પણ પાર્ક થયા છે. સેટેલાઈટ ઈમેજ પણ બતાવતા હતા કે પાકિસ્તાનના
    નુરખાન એરબેઝ પર વ્યાપક નુકશાન થયું છે.