12 જૂને (ગુરુવાર) અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એર ઇન્ડિયાનું વિમાન AI-171 અમદાવાદમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દર્દનાક ઘટના બાદ એર ઇન્ડિયા વિમાન કંપનીએ એક મોટો નિર્ણય લીધો છે.
AI-171 નંબરનો ક્યારેય ઉપયોગ નહીં થાય
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં વિમાનમાં સવાર 242માંથી 241 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમદાવાદથી લંડન જઈ રહેલી ‘એર ઈન્ડિયા ફ્લાઇટ 171’ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જે બાદ એર ઈન્ડિયા તથા AI એક્સપ્રેસે ફ્લાઇટ નંબર ‘171’નો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક સામાન્ય પ્રથા છે કે ઘાતક વિમાન દુર્ઘટનાઓ બાદ એરલાઇન્સ વિશેષ ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 17 જૂનથી અમદાવાદ-લંડન ગેટવિકની ફ્લાઇટ માટે ‘AI 171’ ના બદલે ‘AI 159’ ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવામાં આવશે. બુકિંગ સિસ્ટમમાં જરૂરી ફેરફારો શુક્રવારે જ કરી દેવામાં આવ્યા છે.
આ પહેલાં ‘આઇએક્સ 171’ ને કરી હતી બંધ
એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ પોતાની ફ્લાઇટ નંબર ‘171’ને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે ફ્લાઇટ નંબર ‘171’ ને બંધ કરવાનો મતલબ દિવંગત આત્માઓ પ્રત્યે સન્માનનું પ્રતીક છે. આ પહેલા 2020માં પણ એર ઇન્ડિયા એક્સપ્રેસે કોઝિકોડમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનના ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. તે દુર્ઘટનામાં 21 લોકોના મોત નીપજ્યા હતા.
ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં આ ચોમાસાના પ્રારંભિક વરસાદથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ વીજળીના કડાકા અને વીજળી ગુલ થવાથી થોડી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકાને કારણે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાજળીના ભયાનક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે વરસાદની તીવ્રતા કેટલી હતી.
અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, સેલવાસ અને બનાસકાંઠાના અંબાજી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અમરેલીના ધારી અને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી,,ખાંભાના લાસા, ધાવડિયા અને ભાણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. જો કે લાસા ગામની શેરીમાંથી પાણી વહેતા થયા.
મધ્ય રાજકોટમાં ભારે વીજળીના કડાકા થયા હતા. રાજકોટ શહેરના નવા રાજકોટ, કાલાવડ રોડ , 150 ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને અમીન માર્ગ અને તેની આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદ નોંધાયો હતો. મોસમનો આ પ્રથમ વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે પડ્યો હતો. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનો અંદાજ છે.
ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
રાજકોટ જિલ્લાના ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલના અનેક ગામડાઓમાં ગાજવીજ સાથે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ સારા વરસાદના પગલે ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં વાવણી કાર્ય શરૂ થશે, જે ખેડૂતો માટે રાહતરૂપ છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી કરવામાં આવી છે. રવિવારે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી કરવામાં આવી છે. રવિવારે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે.
દાહોદમાં વીજળી પડતાં 2 લોકોનાં મોત
દાહોદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. દાહોદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વીજળી પડતાં 2 લોકોનાં મોત થયાના સમાચાર છે. મુવાલિયા ગામે બે લોકો પર વીજળી પડી હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં 30 વર્ષિય સંજયભાઈ અને 7 વર્ષીય આયુષનું વિજળી પડવાથી મોત થયું છે. ભારે પવન સાથે દાહોદમાં ધોધમાર વરસાદ ચાલું છે. શહેરના દેસાઈવાડમાં વૃક્ષ ધરાશાઈ થયું છે. લિટલ ફ્લાવર સ્કૂલની દિવાલ પણ ધરાસાઈ થવાના સમાચાર છે.
બગસરા શહેર અને તાલુકામાં વરસાદ
અમરેલીના બગસરા શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો છે. અમરેલીના હુલરીયા, હામાપુર, રફાળા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સિવાય અમરેલી જિલ્લાના બાબાપુર અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદ વરસ્યો. ખાંભા અને તેના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જસદણમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
રાજકોટના જસદણમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાડલા, ભંડારીયા, રાણીપર, બોઘરાવદર સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
બોટાદ શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ
બોટાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. પાળીયાદ રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ, ખોડિયાર નગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
દાહોદ-છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો
દાહોદ જિલ્લાના લીંમડી,ઝાલોદ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તેજ પવન ફુંકાયા બાદ અચાનક ધોધમાર વરસાદ વરસ્યો છે. દિવસ દરમિયાન અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. પાવી જેતપુર, કવાંટ, બોડેલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ.
ડાંગ જિલ્લાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ
અસહ્ય ઉકળાટ બાદ ડાંગ જિલ્લાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ગિરીમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. ડાંગ અને સાપુતારામાં અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક.
તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો
અસહ્ય ઉકળાટ વચ્ચે તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો. વ્યારા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર તાપીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો.
દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલ્ટો
દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદ વરસ્યો છે. સેલવાસ અને તેની આસપાસના વિસ્તારમા વરસાદ વરસ્યો છે. ટોકરખાડા વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી પાણી. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી મળી રાહત..
અમદાવાદમાં ખોફનાક વિમાન દુર્ઘટના બાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ અમદાવાદ પહોંચી ગઈ છે. વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (એએઆઈબી)એ પણ દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવાર તપાસ એજન્સી સાથે સંકળાયેલા અધિકારીઓએ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી અને ઘટનાની અનેક જરૂરી માહિતી મેળવી હતી, જોકે આથી વધુ જાણકારી શેર નથી કરાઈ. માનવામાં આવે છે કે નિશ્ચિત પ્રોટોકોલ અંતર્ગત એજન્સીઓ ઈનપુટ મેળવી રહી છે.
જેથી દુર્ઘટના સાથે જોડાયેલા કોઈ પાસા વણ સ્પર્શ્યા ન રહી જાય. તપાસ અધિકારીઓએ છાત્રો સાથે વાતચીતના આધારે જરૂરી ઈનપુટ એકત્ર કર્યા છે. ટાટા સમૂહના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, તપાસમાં મદદ માટે બ્રિટેન અને અમેરિકાથી પણ ટીમ ભારત પહોંચી ચૂકી છે. સૂત્રોએ જણાવ્યું છે કે ટીમે અનેક તથ્યો મેળવ્યા છે, જેના પર મંથન ચાલુ છે.
બ્રિટનના હાઈ કમિશનના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા
બ્રિટનના હાઈ કમિશનના અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે જાણકારોનું કહેવું છે કે, દુર્ઘટનામાં માર્યા ગયેલા બ્રિટીશ નાગરિકો સાથે સંકળાયેલી જાણકારી મેળવવાની સાથે પ્લેન ક્રેશને લઈને પણ માહિતી મેળવાશે. બીજી બાજુ એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજીંગ ડિરેકટર કેમ્પબેલ વિલ્સને પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
અહીં તેમણે એર ઈન્ડિયાના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરીને જાણકારી મેળવી હતી. તેમણે ખાતરી આપી હતી કે તપાસમાં એર ઈન્ડિયા પૂરેપૂરો સહકાર આપશે.
તેમણે કહ્યું હતું કે, તપાસ સમય લેશે પણ અમે પૂરી પારદર્શિતા સાથે તપાસમાં સહકાર આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એર ઈન્ડિયાના 40 એન્જિનિયરો અને 100 જેટલા સેવાભાવીઓની ટીમ અમદાવાદમાં આવી ચૂકી છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશ થવાનું કારણ હજુ જાણી શકાયું નથી. આ અંગે અનેક અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. તેવા સમયે એર ઈન્ડિયાના આ પ્લેનના પાયલોટ સુમિત સભરવાલે આખરી સમયે એર ટ્રાફિક કંટ્રોલરને મોકલેલો સંદેશ પ્રકાશમાં આવ્યો છે.
પાવર ઓછો થઇ રહ્યો છે. નહિ બચીએ જેમાં પાયલોટ સુમિત સભરવાલ વિમાન ઉડતાની સાથે જ 4 થી 5 સેક્ધડમાં, મેડે, મેડે, મેડે કહી રહ્યો છે થ્રસ્ટ નથી મળી રહ્યો, પાવર ઓછો થઇ રહ્યો છે. નહિ બચીએ.
આટલું બોલતાની સાથે જ વિમાન હોસ્ટેલ બિલ્ડિંગ પર વિમાન પર ક્રેશ થયું હતું . હોસ્ટલ બ્લોકમાં 34 લોકોના મોત થયા છે. આ દરમિયાન કુલ મૃત્યુઆંક 275 પર પહોંચી ગયો છે. આ વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો હતા. જેમાંથી એક મુસાફરનો આબાદ બચાવ થયો છે.
આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ વિમાન સંચાલન પ્રક્રિયાઓ અને અકસ્માતોને રોકવા માટે બનાવેલા માર્ગદર્શિકાઓની સમીક્ષા કરશે. આ સાથે તે ભવિષ્યમાં આવી ઘટનાઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શિકા આપશે.
આ અકસ્માત અંગે, ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું ભારત, બ્રિટન અને અમેરિકાની તપાસ એજન્સીઓ અમદાવાદ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે તપાસમાં જે કંઈ બહાર આવશે તે પારદર્શિતા સાથે શેર કરવામાં આવશે.
અમદાવાદ વિમાની દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું છે. જેમના મૃતદેહની ઓળખ માટે હાલ ડીએનએ મેચની પ્રોસેસ ચાલી રહી છે.
જે બાદ તેમના નશ્વર દેહને રાજકોટ લાવવામાં આવશે અને રાજકીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે તેઓને અંતિમ વિદાય આપવામાં આવશે.ગાંધીનગરથી મૃતદેહ રાજકોટ આવ્યાં બાદ ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકીય આગેવાનો, કાર્યકરો, સબંધીઓ સહિત શહેરીજનો અંતિમયાત્રામાં જોડાશે.
તેમજ તે બાદ રેસકોર્ષમાં પ્રાર્થના સભા યોજાશે જે અંગે રેસકોર્ષમાં યોજાનાર પ્રાર્થનાસભામાં બંદોબસ્ત અને પાર્કિંગની વ્યવસ્થા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ અગ્રણીઓએ નિરીક્ષણ કરી તૈયારીઓ આદરી હતી.
રાજકોટ સહિત ગુજરાતને ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ વિજયભાઈ રૂપાણીના નિધનથી પડી છે. વિજયભાઈ રૂપાણી નિધન બાદ તેમના મૃતદેહની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે.
જે સંભવત આજ સાંજ સુધીમાં પૂરી થઈ જશે જે બાદ તેમના નશ્વર દેને ગાંધીનગરના તેમના નિવાસ્થાનેથી રાજકોટ લાવવામાં આવશે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પર આવ્યા બાદ શહેર સહિત સૌરાષ્ટ્ર ભરના રાજકીય નેતાઓ કાર્યકરો સ્નહી સંબંધીઓ સહિતના શહેરીજનો તેમની અંતિમયાત્રામાં જોડાશે ગ્રીનલેન્ડ ચોકડી થી સીધા તેમના પ્રકાશ સોસાયટીમાં આવેલ નિવાસ્થાને નશ્વર દેને લઈ જવામાં આવશે.
તેમના નિવાસ્થાને નશ્વર દેને થોડા સમય માટે દર્શનાર્થે રખાયા બાદ જ્યાંથી રામનાથ પરા સ્મશાન ખાતે લઈ જવામાં આવશે જ્યાં આવું રાજકીય સન્માન અને ગાડો ઓનર આપી તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.
અંતિમયાત્રામાં રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ ઉદ્યોગપતિઓ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાવાના હોવાથી પોલીસે પણ તૈયારીઓનો આરંભ કરી દીધો છે અને ટ્રાફિક પોલીસ દ્વારા તેમના અંતિમયાત્રાના રૂટને વન-વે જાહેર કરવામાં આવ્યો છે તેમ જ તેલ ઉપર પાર્કિંગ પણ લોકો કરી શકશે નહીં.
છે બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થના સભા રેસ કોર્સમાં યોજવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ડીસીપી જગદીશ ભાંગરવા ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિતના પોલીસ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓએ સ્થળ નિરીક્ષણ કરી બંદોબસ્ત અને પાર્કિંગની વ્યવસ્થા કઈ રીતે કરી તે અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પ્રાર્થના સભામાં પણ સંભવત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આવી શકે છે તેમજ ગુજરાત સરકારના કેબિનેટ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓ ધારાસભ્યો સાંસદ સભ્યો સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ ગુજરાત ભરમાંથી કાર્યકરો ઉપરાંત શહેરીજનો મોટી સંખ્યામાં હાજરી આપે તેવી પણ શક્યતા હોવાથી પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ આદરી દિધી છે.
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીના પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને ભાજપના નેતાઓની ટીમ જરૂરી વ્યવસ્થામાં લાગી છે. અમદાવાદથી કોઇ સંદેશ મળે એટલે રાજકોટમાં તમામ તૈયારી કરી લેવામાં આવશે.
આજે સવારે પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, શાસક પક્ષના દંડક મનીષા રાડીયા, પૂર્વ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ પ્રકાશ સોસાયટી સ્થિત વિજયભાઇના નિવાસ સ્થાન ‘પુજીત’ ખાતે પહોંચ્યા હતા.
હાલ રૂપાણી પરિવારના કોઇ સદસ્ય અહીં હાજર નથી. આજે કે કાલે સદગતનો પાર્થિવદેહ રાજકોટ લાવવાનો થાય તે પહેલા ઘરે જરૂરી વ્યવસ્થા કરી છે. લોકોની અવરજવર, દર્શન સહિતની વ્યવસ્થા કયાં કરવી તે નેતાઓએ ચકાસ્યું હતું.
વધુમાં જાણવા મળ્યા મુજબ જો વિજયભાઇના પાર્થિવદેહને મોટર માર્ગે લાવવામાં આવે તો ગ્રીન લેન્ડ ચોકડીથી કાલાવડ રોડ અથવા રૈયા રોડ થઇને પ્રકાશ સોસાયટી લાવવામાં આવશે.જો વિમાન માર્ગે લાવવામાં આવે તો જુના એરપોર્ટથી છોટુનગર થઇ નિર્મલા રોડ પરથી ઘરે લાવવામાં આવશે. હજુ આવી કોઇ જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી નથી.
મોરબી મહાનાગપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે શનાળા બાયપાસથી શનાળા ગામ સુધી દબાણો હટાવવામાં આવ્યા હતા અને રોડની આસપાસ રહેલા દબાણો દુર કરવામાં આવ્યા હતા જયારે ગ્રામ્ય મામલતદાર ટીમે ત્રાજપર ચોકડી પાસે 16 જેટલા કોમર્શીયલ દબાણો દુર કરી જગ્યા ખુલ્લી કરી હતી.
મોરબી મહાપાલિકાની ઝુંબેશ અંતર્ગત આજે જેસીબી સહિતના સાધનોની મદદથી શનાળા બાયપાસથી શનાળા ગામ સુધી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
રોડ નજીક આવેલ અનેક નાના મોટા દબાણો હટાવવામાં આવ્યા હતા તો આજે ટીમ પહોંચે તે પૂર્વે જ અનેક આસામીઓએ જાતે જ દબાણો દુર કર્યા હતા.તેમજ મોરબી ત્રાજપર ચોકડી પાસે જુના ઘૂટું રોડ જવાના રસ્તે દબાણો હટાવવામાં આવ્યા હતા
સરકારી ખરાબાની જમીન પર ખડકી દીધેલ દબાણો ગ્રામ્ય મામલતદાર ટીમે દુર કરાવ્યા હતા સરકારી જગ્યામાં ગેરેજ, પતરાવાળી બંધ ઓરડી, શાકભાજી દુકાન અને દુકાનો સહીત 16 કોમર્શીયલ દબાણો દુર કરી અંદાજે 4 કરોડની કિમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. આ દુઃખદ સમાચારથી સમગ્ર ગુજરાત ખાસ કરીને રાજકોટ શોકમગ્ન બન્યું છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીનું અમદાવાદ ખાતે થયેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આ દુઃખદ સમાચારથી સમગ્ર ગુજરાત ખાસ કરીને રાજકોટ શોકમગ્ન બન્યું છે. વિજય રૂપાણીના નિધનની ઘટનાએ રાજકીય, સામાજિક અને વ્યાપારી વર્તુળોમાં શોકની લાગણી ફેલાવી છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન અપાયું
વિજય રૂપાણી, જેઓ રાજકોટ (પશ્ચિમ)ના ધારાસભ્ય રહ્યા હતા અને 2016થી 2021 સુધી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી, તેમનું નિધન રાજકોટ માટે અપૂરણીય ખોટ છે. દિવંગત નેતા વિજય રૂપાણીના સન્માનમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે આવતીકાલે (14 જૂન 2025) અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રાખવાનું એલાન કર્યું છે. ચેમ્બરે તમામ વેપારીઓ અને ઉદ્યોગકારોને આ બંધમાં જોડાવાની અપીલ કરી છે. આ બંધ દ્વારા શહેરના વેપારી વર્ગે પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લીધો છે.
રાજકોટની 600થી વધારે શાળાઓ રહેશે બંધ
એટલું જ નહીં, વિજય રૂપાણીના નિધનને લઈને રાજકોટમાં શાળા સંચાલકો દ્વારા સ્વેચ્છાએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે. જેમાં એક દિવસ શાળાઓ બંધ રાખીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આવતીકાલે રાજકોટની 600થી વધારે સ્કૂલો બંધ રહેવાની છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અંતિમ વિધિ રાજકોટમાં થશે
હાલમાં ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને સાંત્વના આપવા લોકો ઊમટી રહ્યા છે. પીએમ મોદીએ વિજય રૂપાણીના પત્ની અંજલિબેનને મળીને સાંત્વના આપી હતી. મળી રહેલા સમાચાર અનુસાર, વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે. તેમના પુત્ર ઋષભ હાલ યુએસએથી રવાના થયા છે. પુત્ર ઋષભ આવતીકાલે અમેરિકાથી આવશે પછી દિવંગત વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે.
થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે એરપોર્ટ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઇટ થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહી…
થાઇલેન્ડમાં એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે એરપોર્ટ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઇટ થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહી હતી અને આ દરમિયાન વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી, તેને થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. વિમાનમાં 156 મુસાફરો સવાર હતા.
એક અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે ફ્લાઇટ નંબર ai 379 એરપોર્ટ પર ઉતર્યા પછી તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ફ્લાઇટ ટ્રેકર Flightradar24 અનુસાર, વિમાન શુક્રવારે સવારે 9:30 વાગ્યે ફુકેટ એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી પરંતુ બોમ્બની ધમકી મળ્યા બાદ, તે આંદામાન સમુદ્રની આસપાસ ફર્યું અને થાઇ ટાપુ પર પાછું ઉતર્યું.
નોંધનીય છે કે ગુરુવારે જ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું અને તેમાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે.
મોરબીમાં કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ પેકેજીંગ ઉદ્યોગકારો હવે જુના પેમેન્ટ બાકી હશે તેવા યુનિટોને માલ આપશે નહિ તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સાથે…
મોરબીમાં કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ પેકેજીંગ ઉદ્યોગકારો હવે જુના પેમેન્ટ બાકી હશે તેવા યુનિટોને માલ આપશે નહિ તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સાથે બોક્સના લીધે ટાઇલ્સમાં કોઈ ડાઘ આવે તો પેકેજીંગ ઉદ્યોગકારની કોઈ જવાબદારી રહેશે નહીં તેવો નિયમ લાગુ કરાયો છે.
આજે કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ ઓટોપ્લાન્ટની કમ્ફર્ટ રિસોર્ટમાં પાર્થભાઈના પ્રમુખ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં જૂના તમામ નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે ચર્ચા થઈ હતી. મંદી અને હરીફાઈના માહોલમાં કઈ કઈ સમસ્યાઓ છે તે અંગે જરૂૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપરાંત આ ઉદ્યોગની સમસ્યાઓના નિરાકરણ માટે પણ અનેક ઉદ્યોગકારોએ પોતાના મત રજૂ કર્યા હતા.
વધુમાં બેઠક દરમિયાન કોઈ પણના જુના પૈસા બાકી હોય એવા યુનિટમાં કોઈ પણ બીજા પેકેજિંગ ઉદ્યોગે માલ સપ્લાય નહીં કરવો અને એની જાણ એકબીજા ઉદ્યોગે કરવી. તેવો નિર્ણય તમામ ઉદ્યોગકારોની સહમતીથી લેવામાં આવ્યો હતો.
આ બોક્સ રીયુઝ પેપર માંથી બન્ને છે એટલે એ બોક્સમાં કોઈ પણ ગેરન્ટી આવતી નથી. જ્યારે બોક્સમાં તકલીફ થાય છે એના કારણે ટાઇલ્સમાં ડાઘા પડવા કે બીજા પ્રોબ્લેમ આવે તો એ પણ બોક્સ બનાવતા ઓટો પ્લાન્ટની જવાબદારી રહેશે નહીં. તેવો નિયમ આ બેઠકમાં લાગુ કરવામાં આવ્યો હતો. આ મિટીંગમાં કમિટી મેમ્બર પાર્થભાઈ, પ્રકાશભાઈ, પિયુષભાઈ, કલ્પેશભાઈ, હાર્દિકભાઈ, મેહુલભાઈ, રાજુભાઈ, ભાવેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.