રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક સાથે 50 બેઝીક પોઈન્ટ વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ બેંકોએ પણ તેના ધિરાણ સહિતના દરો ઘટાડવાનો પ્રારંભ કરી દીધો છે તેની સામે હવે બેંક થાપણના દરો પણ ઘટવા લાગ્યા છે.
જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ તા.15 જૂનથી અમલી બને તે રીતે રૂા.3 કરોડ સુધીની થાપણોના બેઝીસ દરોમાં 25 પોઈન્ટનો ઘટાડો કર્યો છે જે નવી અને જુની તમામ થાપણોને લાગુ થશે.
સ્ટેટ બેંકના કુલ 36 લાખ કરોડના ધિરાણમાં વ્યાજઘટાડાની અસર થશે અને તેથી બેંકે તેની વર્તમાન થાપણ કે જે અગાઉ ઉંચા વ્યાજદરે મુકાઈ છે તેના પણ દરમા ઘટાડો કર્યો છે.
જયારે સેવિંગ એકાઉન્ટ પરનો વ્યાજદર 2.5 ટકા કર્યો છે જે અત્યાર સુધીનો સૌથી નીચો છે. સ્ટેટ બેંકે તેના હોમલોનના નવા દર 7.5 ટકા કર્યા છે. સેવિંગ વ્યાજદરના ઘટાડાના કારણે સ્ટેટ બેંકને વર્ષે રૂા.5750 કરોડનો ફાયદો થશે. જયારે ધિરાણ પરના દરો ઘટાડાથી સ્ટેટ બેંકને વર્ષે રૂા.8100 કરોડનું વ્યાજ ઓછુ મળશે અને તેથી જ બેંકે તેના થાપણના દરોને પણ ઘટાડયા છે.
આજથી યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ)માં મોટો ફેરફાર જોવા મળશે. એનપીસીઆઈ (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ના પરિપત્ર મુજબ, ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવા અને ટ્રાન્ઝેક્શન રિવર્સલ જેવા યુપીઆઈ એપીઆઈ (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) માટેનો પ્રતિભાવ સમય 30 સેક્ધડથી ઘટાડીને માત્ર 10 સેક્ધડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વેલિડેટ એડ્રેસ (પે, કલેક્ટ) યુપીઆઈ એપીઆઈ માટેનો પ્રતિભાવ સમય 15 સેક્ધડથી ઘટાડીને 10 સેક્ધડ કરવામાં આવ્યો છે.
નવા ફેરફારથી ફોનપે, ગુગલ પે અને પેટીએમ જેવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સની સાથે રીમિટર બેંકો, લાભાર્થી બેંકોને પણ ફાયદો થશે. ઝડપી પ્રતિભાવ સમય સાથે, UPIવપરાશકર્તાઓ પહેલા કરતાં વધુ સારા વ્યવહાર અનુભવની અપેક્ષા રાખી શકે છે કારણ કે નિષ્ફળ વ્યવહારને ઉલટાવી દેવા અથવા ચુકવણીની સ્થિતિ તપાસવા માટેનો ટર્નઅરાઉન્ડ સમય હવે નોંધપાત્ર રીતે ઓછો થશે. આ માટે, વપરાશકર્તાઓને પહેલા 30 સેક્ધડ રાહ જોવી પડતી હતી, પરંતુ હવે આ કાર્ય ફક્ત 10 સેક્ધડમાં થઈ જશે.
NPCI એ પરિપત્રમાં જણાવ્યું હતું કે, UPIમાં કરવામાં આવેલા ફેરફારોનો હેતુ વપરાશકર્તાઓના અનુભવને સુધારવાનો છે. સભ્યોએ ખાતરી કરવી પડશે કે તેઓ પ્રતિભાવોને સુધારેલા સમયની અંદર હેન્ડલ કરી શકે. ઉપરાંત, જો ભાગીદાર અથવા વેપારી તરફથી સભ્યો પર કોઈ નિર્ભરતા / રૂૂપરેખાંકન ફેરફાર થાય છે, તો તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
21 મે, 2025 ના પરિપત્ર મુજબ, UPIસિસ્ટમ ઓગસ્ટથી અન્ય મોટા ફેરફારો લાગુ કરવા માટે તૈયાર છે. પરિપત્રમાં જણાવાયું છે કે બેંકો અને/અથવા હસ્તગત કરતી બેંકો ખાતરી કરશે કે UPIને મોકલવામાં આવેલી બધી વિનંતીઓનું યોગ્ય ઉપયોગ માટે નિરીક્ષણ અને નિયંત્રણ કરવામાં આવે. નવી માર્ગદર્શિકાના અમલીકરણ પછી, તમે બેલેન્સ પૂછપરછ, લિસ્ટ એકાઉન્ટ અને ઓટોપે મેન્ડેટ એક્ઝિક્યુશનમાં ફેરફારો જોશો.
કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી…
કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસતી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસતી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ત્યારબાદ વસતી ગણતરી અંગેની સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં આપેલી માહિતી અનુસાર સૌ પ્રથમ સ્ટાફની નિમણૂક, તાલીમ, ફોર્મેટની તૈયારી અને ક્ષેત્રીય કાર્યનું આયોજન કરવામાં આવશે. દેશમાં પહેલીવાર વસતી ગણતરી અને જાતિ આધારિત વસતી ગણતરી એક સાથે હાથ ધરવામાં આવી રહી છે.
આગામી વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરી (HLO)નો રહેશે. આ તબક્કામાં દરેક પરિવારની રહેણાંક સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવશે.
બીજો તબક્કો (વસતી ગણતરી) આ તબક્કામાં દરેક ઘરમાં રહેતા દરેક વ્યક્તિની વસતીવિષયક, સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય માહિતી એકત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વસતીગણતરીમાં જાતિ ગણના પણ કરવામાં આવશે.
ભારતમાં વસતી ગણતરીની પ્રક્રિયા માર્ચ, 2027માં પૂર્ણ થશે. જે લગભગ 21 મહિને પૂર્ણ થશે. વસતી ગણતરીનો પ્રાથમિક ડેટા માર્ચ 2027માં જાહેર કરાશે. તેમજ વિગતવાર માહિતી જાહેર કરવામાં ડિસેમ્બર, 2027 સુધીનો સમય લાગી શકે છે.
બજારમાં ભેળસેળયુક્ત કોફી વેચાઈ રહી છે, જેમાં આમલી અને ખજૂરના બીજ, બળી ગયેલી ખાંડ અને સ્ટાર્ચ જેવા હાનિકારક તત્વો ભેળવવામાં આવી રહ્યા છે. આ નકલી કોફી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે
મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચા કે કોફી પીને કરે છે. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે કોફી તેમને ઉર્જા આપે છે અને આરામ પણ આપે છે, પરંતુ જો તે કોફી અસલી ન હોય તો શું? પરંતુ આ બિલકુલ સાચું છે. તાજેતરના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે બજારમાં ભેળસેળયુક્ત અથવા નકલી કોફી વેચાઈ રહી છે. આ કોફી દેખાવમાં કોફી જેવી અને ગંધવાળી હોઈ શકે છે પરંતુ તેમાં સસ્તા અને હાનિકારક ઘટકો ઉમેરવામાં આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
ભેળસેળવાળી કોફી શું છે?
ભેળસેળવાળી કોફી એટલે એવી કોફી જેમાં સસ્તા અથવા હાનિકારક પદાર્થોનું પ્રમાણ વધારવા માટે મિશ્રણ કરવામાં આવ્યું હોય. આ ઉમેરણો વાસ્તવિક કોફી નથી, પરંતુ તે દેખાવમાં અને ગંધમાં ખૂબ સમાન હોય છે જેના કારણે તફાવત ઓળખવો મુશ્કેલ બને છે.
આ કોફી પાવડર બનાવવા માટે આમલીના બીજનો પાવડર, ખજૂરના બીજનો પાવડર, વપરાયેલ કોફી પાવડર, મકાઈનો સ્ટાર્ચ અથવા તો બળી ગયેલી ખાંડનો પાવડર ઉમેરવામાં આવે છે. આ ભેળસેળ પછી પણ, કોફીનો સ્વાદ બદલાતો નથી પરંતુ આ કુદરતી નથી અને જો નિયમિતપણે પીવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
ભેળસેળવાળી કોફી પીવાથી શું નુકસાન થાય છે?
ખાદ્ય અને આરોગ્ય નિષ્ણાતોના મતે, ભેળસેળવાળી કોફી વાસ્તવિક કોફી જેટલું પોષણ આપતી નથી. તેમાં ઉમેરવામાં આવતી નકલી વસ્તુઓ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. નિયમિતપણે ભેળસેળવાળી કોફી પીવાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે, તમારા લીવર અથવા કિડનીને નુકસાન થઈ શકે છે અને આ સાથે તમારું પાચન પણ બગડી શકે છે. સમય જતાં આવી કોફી પીવાથી તમારા શરીરમાં ગંભીર રોગો થઈ શકે છે.
કેવી રીતે ચકાસવું કે તે અસલી છે કે નકલી?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તમારી કોફીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તે તમે કેવી રીતે ચકાસશો? તો તમને જાણીને નવાઈ લાગશે કે તમે ઘરે એક સરળ ટેસ્ટ કરીને જાણી શકો છો કે તમારી કોફી અસલી છે કે નકલી. એક ગ્લાસમાં પાણી લો અને તેમાં એક ચમચી કોફી પાવડર ઉમેરો. તેને બિલકુલ હલાવો નહીં. જો કોફી પાવડર ઉપર તરે છે તો તે અસલી છે. જો પાવડર ઝડપથી નીચે બેસી જાય અથવા રંગ છોડી દે તો તે ભેળસેળયુક્ત હોઈ શકે છે.
ભેળસેળયુક્ત કોફીથી કેવી રીતે બચવું
નકલી કોફીથી પોતાને બચાવવા માટે, હંમેશા વિશ્વસનીય બ્રાન્ડ અથવા વિશ્વસનીય સ્ટોરમાંથી કોફી પાવડર ખરીદો. ખરીદતા પહેલા પેકેજિંગ અને એક્સપાયરી ડેટ ચેક કરો. જો શક્ય હોય તો, કોફી પીતા પહેલા પાણી ટેસ્ટ કરો. ખૂબ સસ્તી કોફી અથવા છૂટક અથવા બ્રાન્ડ વગરના પેકેટમાં વેચાતી કોફી ખરીદવાનું પણ ટાળો, કારણ કે તેમાં ભેળસેળ હોવાની શક્યતા વધુ હોય છે.
કચ્છ-સૌરાષ્ટ્રને જોડતા સુરજબારી પુલ નજીક આજે બે ટ્રેલર અને એક કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને ત્રાસનો સામનો કરવો પડ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પી.આઇ.સાઈ બી.પી. ઠક્કર સહિત માળિયા પોલીસ, મોરબી ટ્રાફિક પોલીસ અને રેશનલ ડાઈવાઈન ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક ટ્રાફિક ક્લિયર કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા અનુસાર લગભગ 15 કિ.મી. સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. કલાકો સુધી અટવાયેલા વાહનચાલકો ભારે અકળામણ અનુભવી રહ્યા હતા.
રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે રવિવારે (15 જૂન) અમરેલીના ખાંભા, સાવરકુંડલા, રાજુલા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસ્યો છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તેવામાં સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે સાવરકુંડલાના જાબાળ ગામે ખેડૂત પિતા-પુત્ર બળદ ગાડું લઈને આવતા હતા, આ દરમિયાન ભારે વરસાદને લઈને થોરાળી નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. જેમાં મુકેશ અને લાલજીભાઈ બરવાળીયા પાણીમાં પ્રવાહમાં તણાયા હતા. જોકે, આ મામલે સ્થાનિકોને જાણ થતાં ફાયર વિભાગની મદદથી મુકેશ નામના યુવકને બચાવી લેવાયો હતો. આ દુર્ઘટનામાં લાલજી બરવાળીયાનું મોત નીપજતા મૃતદેહને પીએમ અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ લઈ મોકલવામાં આવ્યો હતો.
અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સાવરકુંડલાના બાઢડા, કરજાળા, નેસડી, ઓળીયા, ઝીંઝુડા, પીઠવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી રાહત થઈ.
આ ઉપરાંત, અમરેલીના રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભા ગીરના ભાડ, લાસા, ઉમરીયા, નાના વિસાવદર, તાતણીયા, લાસા, ધાવડિયા, ભાડ, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લાપાળીયા, દેવળીયા, રાજસ્થળીસહિત ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ થતાં રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે 14 જૂન પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સુરત, ડાંગ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભરૂચ, વલસાડ, સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. આજે રવિવારે બપોરે 2 વાગ્યાથી રાત્રના 8 વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 3.39 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજ્યમાં 148 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે રાજ્યમાં આગામી આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 3.39 ઈંચ વરસાદ
હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં આજે રવિવારે 2 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 69 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 3.39 ઈંચ, ડાંગના આહવામાં 2.68 ઈંચ, અમરેલીના ખાંભા અને વલસાડના ઉમરગામમાં 2.56 ઈંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2.17 ઈંચ, ડાંગના સુબીરમાં 1.73 ઈંચ, સુરતના કામરેજમાં 1.65 ઈંચ, ભાવનગરના વલ્લભીપુર અને સુરતના માંગરોળમાં 1.42 ઈંચ, જૂનાગઢના મેંદરડા, ભાવનગરના સિહોર અને ડાંગના વઘઈમાં 1.38-1.38 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ રાજ્યના 19 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 50 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.
અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સાવરકુંડલાના બાઢડા, કરજાળા, નેસડી, ઓળીયા, ઝીંઝુડા, પીઠવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી રાહત થઈ.
છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો, 148 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના ગોંડલમાં 3.9. ઈંચ, આણંદના ખંભાતમાં 3.1 ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં 2.9 ઈંચ, રાજકોટમાં 2.5 ઈંચ, અમદાવાદના માંડલ અને ખેડાના નડિયાદમાં 2.4 ઈંચ, અમદાવાદના ધોળકા, ખેડાના વસો અને સુરેન્દ્રનગરના થાનગઢમાં 2.2-2.2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે 42 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
10 અબજથી વધુના પ્રોજકટ માટે 50 સભ્યોની સુપર ઇન્ટેલીજન્સની ટીમ બનાવી રહ્યા છે માર્ક ઝુકરબર્ગ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ટેકનોલોજીના લેન્ડસ્કેપને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, પરંતુ તે હજી પણ માનવીય સમજણથી નીચું માનવામાં આવે છે. જોકે હવે મેટાના માર્ક ઝુકરબર્ગ એક ડગલું આગળ આર્ટીફિશ્યલ જનરલ ઈન્ટેલિજન્સ (એજીઆઈ) બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
તે માણસો કરતાં વધુ બુદ્ધિશાળી હશે. ઝુકરબર્ગ પોતે માણસો કરતા એજીઆઈને વધુ સારી રીતે સમજવાની ક્ષમતા વિકસાવવા માટે નિષ્ણાતોની ભરતી કરી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય, વ્યવસાય, કાયદો, મીડિયા, ટેકનોલોજી અને વહીવટ સહિતનાં દરેક ક્ષેત્રમાં તેનાં ફાયદા ઉપલબ્ધ થશે.
આ છે હેતુ :ખરેખર, મનુષ્યો તેમનાં અનુભવોમાંથી શીખે છે. તેઓ લોકો સાથે વાત કરીને, વસ્તુઓનું નિરીક્ષણ કરીને, પુસ્તકો વાંચીને, ટીવી જોઈને શીખે છે. જ્યારે મનુષ્ય મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે તેમનું મગજ નિર્ણય લેવા માટે એકત્રિત કરેલી માહિતી અને અનુભવોનો ઉપયોગ કરે છે.
મેટા સોફ્ટવેર અથવા કમ્પ્યુટર્સ પણ બનાવી રહી છે જે માનવ મગજ જે કરે છે તે બધું કરી શકે છે. આ સાથે જ ઘણા જાણકારોનું માનવું છે કે આ પ્રકારની AI બનાવવામાં ઘણા દશકાઓ લાગી શકે છે.
ઘણા ક્ષેત્રોમાં ક્રાંતિકારી ફેરફારો થશે
એજીઆઈ શું છે ? :એજીઆઇ એટલે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ એક એવી ટેકનોલોજી છે જે વિચારવાની ક્ષમતા ધરાવે છે અને માનવ મગજની સમકક્ષ અથવા તેનાથી પણ વધુ સારા નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે.
ફેરફારો આ પ્રમાણે હશે : એ.જી.આઈ મશીનો મનુષ્ય જેવી લાગણીઓ અને જટિલ સમસ્યાઓને સમજવામાં સમર્થ હશે જટિલ રોગોને ઓળખી અને વધુ સારી સારવાર સૂચવી શકે છે.
અમદાવાદ પ્લેન ક્રેશ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના DNA થયા મેચ
અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું છે. જેને લઈને આવતીકાલે 16 જૂનના રોજ ગુજરાતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે તેમનો પાર્થિવ દેહ રાજકોટ લઈ જવામાં આવશે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
શહેરમાં થયેલા પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું છે. જેને લઈને આવતીકાલે રાજકોટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાથે જ આવતીકાલે ગુજરાતમાં રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે.
જેથી આવતીકાલે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. તેમના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં તેમના પરિવાર સાથે ભાજપના નેતાઓ પણ જોડાયા હતા. આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું કે કાલે તેમનો પાર્થિવ દેહ રાજકોટ લઈ જવામાં આવશે. જેમાં સાંજના 6 વાગ્યે તેમના અંતિમ સંસ્કારની વિધિ થશે.
પૂર્વ સીએમ વિજય રૂપાણી ગુજરાતના એક લોકપ્રિય નેતા હતા. તેમના નિધનને લઈને ગુજરાતને મોટી ખોટ પડી છે. વિજયભાઈના જાહેર જીવન અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી, સૌ વધુને વધુ લોકોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે તે હેતુથી તેમનો અંતિમ મુસાફરો વિશાળ રૂટ દ્વારા યોજાવાનો છે. તેઓના અંતિમ સંસ્કારને લઈને સમગ્ર માહિતી નીચે મુજબ વિગતવાર તમે જોઈ શકો છો.
16 જૂન, સોમવાર – અંતિમ વિદાયનો દિવસ
સવારના 11:00 વાગ્યે વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફ લઈ જવામાં આવશે. સવારના 11:30 વાગ્યે દેહનો સ્વીકાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે થશે. 11:30 થી 12:30 દરમિયાન પાર્થિવ દેહ સિવિલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ તરફ રવાના થશે. 12:30 વાગે એરપોર્ટ પરથી હવાઈ માર્ગે રાજકોટ માટે ફ્લાઇટ લેશે. બપોરે 2:00 વાગ્યે દેહ રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ 2:00 થી 4:00 દરમિયાન વિશિષ્ટ રૂટ મારફતે પાર્થિવ દેહ રાજકોટ નિવાસસ્થાન તરફ લઈ જવાશે – જેમાં ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ આશ્રમ, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ, પુજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ, કેસરીહિંદ પુલ અને અન્ય મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે.
4:00 થી 5:00 – જાહેર દર્શન
રાજકોટ નિવાસસ્થાન (પુજિત, પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સામે) ખાતે પાર્થિવ દેહના જાહેર દર્શન માટે વ્યવસ્થા કરાશે. લોકો તેમના નેતાને અંતિમ વિદાય આપી શકે તે માટે આ સમય નક્કી કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ અને જાહેર સહયોગ માટે વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી છે. રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ અને વિજયભાઈના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
અમદાવાદમાં વિમાન કેમ અને કેવી રીતે ક્રેશ થયું તેની તપાસ શરૂૂ કરવામાં આવી છે. દરમિયાન, યોગ ગુરુ બાબા રામદેવે પણ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી…
અમદાવાદમાં વિમાન કેમ અને કેવી રીતે ક્રેશ થયું તેની તપાસ શરૂૂ કરવામાં આવી છે. દરમિયાન, યોગ ગુરુ બાબા રામદેવે પણ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી છે. તેમણે તપાસની માંગ કરી છે કે શું આ કાવતરું તુર્કીમાં રચાયું હતું અને શું આ કરીને દુશ્મની બહાર આવી હતી.
નોંધનીય છે કે તાજેતરમાં પાકિસ્તાનમાં ભારતના ઓપરેશન સિંદૂર પછી, તુર્કી સાથે તણાવ વધ્યો હતો. તુર્કી આ દિવસોમાં પાકિસ્તાનનો સાચો મિત્ર છે.
શનિવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન રામદેવે પોતાની શંકા વ્યક્ત કરી અને તપાસની માંગ કરી. તેમણે કહ્યું, વિમાન દુર્ઘટના પાછળ પણ કોઈ દ્રષ્ટિ હોવી જોઈએ, મને ખબર પડી છે કે કોઈ તુર્કી એજન્સી જાળવણીનું કામ કરે છે. ભારતે ઉડ્ડયન ક્ષેત્ર પર નજીકથી નજર રાખવી પડશે.
શું તુર્કીએ આ માધ્યમથી પોતાનો દુશ્મની બહાર કાઢી છે? કારણ કે ત્યાંની એજન્સી સર્વિસ મેન્ટેનન્સનું કામ કરતી હતી. શું તેણે કોઈ કાવતરું રચ્યું છે?
જ્યારે તેમને કહેવામાં આવ્યું કે બે મહિના પહેલા તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે, ત્યારે બાબા રામદેવે કહ્યું કે તેથી ભારતે આવા સંવેદનશીલ મામલાઓમાં વિદેશીઓની દખલગીરી 100 ટકા દૂર કરવી પડશે.