Author: admin

  • ન પક્ષ, ન વિપક્ષ: ટીમ ઈંડિયાની શક્તિ એક ફ્રેમમાં જોઈ લો, પીએમ મોદીના આવાસ પર જોવા મળી અનોખી તસવીર

    ન પક્ષ, ન વિપક્ષ: ટીમ ઈંડિયાની શક્તિ એક ફ્રેમમાં જોઈ લો, પીએમ મોદીના આવાસ પર જોવા મળી અનોખી તસવીર

    વાત જ્યારે દેશની હોય ત્યારે કોઈ પાર્ટી મોટી નથી કે નથી વિચારધારા આડે આવતી. આ જ ભાવ જોવા મળ્યો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના આવાસ પર આ તમામ સાંસદો, પૂર્વ સાંસદો અને પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી, જેમણે હાલમાં જ દુનિયાના અલગ અલગ દેશોમાં ભારતનો અવાજ બુલંદ કર્યો. આતંકના મુદ્દા પર પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું. તસવીર કહી રહી છે કે જ્યારે દેશની વાત આવે તો ન પક્ષ રહ્યો, ન વિપક્ષ. બધા એક સાથે ઊભેલા જોવા મળ્યા.

    રાજકારણમાં જ્યાં હંમેશા મતભેદ જોવા મળતો હોય છે, ત્યાં પ્રધાનમંત્રી આવાસ પરથી આવી તસવીરો સામે આવવી જ, જેણે બતાવી દીધું કે, જ્યારે વાત વતનની હોય, તો દરેક પાર્ટી, દરેક નેતા ફક્ત એક ઝંડા નીચે આવી જાય છે. ઓપરેશન સિંદર અંતર્ગત દુનિયામાં પાકિસ્તાનને ખુલ્લુ પાડીને પરત ફરેલા વિવિધ પાર્ટીના સાંસદો, પૂર્વ સાંસદો અને વરિષ્ઠ રાજદ્વારીઓ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી તો દુનિયા માટે એક મેસેજ હતો. ભારતમાં મત ભલે અલગ હોય, પણ દેશ પહેલા છે.

    આ ગ્રુપ ફોટોમાં સત્તા પક્ષ, વિપક્ષ, પૂર્વ સાંસદ અને વરિષ્ઠ કૂટનીતિજ્ઞ એક સાથે ઊભેલા હતા. સૌના ચહેરા પર સંતોષ અને સન્માનની ચમક હતી. આ એ જ ટીમ છે, જેણે વિદેશોમાં ભારતની છબીને મજબૂત કરી. આતંકવાદ પર કોઈ પણ હિચક વિના પાકિસ્તાનને ખુલ્લુ પાડી શાંતિની વકીલાત કરી. આ તસવીર બતાવે છે કે જ્યારે દેશની વાત હોય, તો કોઈ વિપક્ષ નથી હોતો, ખાલી ટીમ ઇન્ડિયા હોય છે.

    પીએમ મોદી જ્યારે વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદને મળ્યા તો હસવા લાગ્યા. બે અલગ અલગ પાર્ટીની રાજનીતિ કરનારા આ નેતા આ ફ્રેમમાં ખાલી નેતા નહીં, પણ દેશ માટે એક સાથે ઊભેલા ભારતીય નાગરિકો દેખાઈ રહ્યા છે. આ ક્ષણ બતાવે છે કે મુદ્દો જ્યારે ભારતનો હોય તો મતભેદ મૂકી સંવાદની જગ્યા બને છે.

    વિદેશની ધરતી પર કોંગ્રેસ નેતા શશિ થરૂરના નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યા, ત્યારે આવા સમયે જ્યારે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી તો અલગ જ નજારો જોવા મળ્યો હતો. એક તરફ બિન ભાજપાઈ ચહેરો, બીજી તરફ પ્રધાનમંત્રી, પણ ચહેરામાં કોઈ અંતર નહોતું. ખાલી ઉષ્મા અને ખભે ખભો મિલાવીને દેશની વાત રજૂ કરવાનો ગર્વ છે. આ જ ભારતનો આત્મા છે. ચર્ચા થઈ શકે છે. પણ જ્યારે વાત વતનની આવે તો બધા એક સાથે ઊભા રહે છે.

    આ તસવીર એ તમામ ટીકાકારોને જવાબ છે, જે વિચારે છે કે પક્ષ અને વિપક્ષ સાથે નથી ચાલી શકતા. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે આ આત્મીય વાતચીત જણાવે છે કે, વિદેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા તમામ સાંસદ, પાર્ટીગત રાજનીતિથી ઉપર ઉઠીને ખાલી ભારત બોલે છે. તેમના એકજૂટ સ્વરે આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી.

    આ ફોટોમાં પીએમ મોદી કોંગ્રેસ સાંસદ અમર સિંહ સાથે મળતા જોવા મળ્યા. આ ઉપરાંત પીએમ મોદીએ તમામ સાંસદો સાથે એક એક કરીને વાત કરી. દરેક પાર્ટીના સાંસદ પાસેથી ફીડબેક લીધો. તેમને પાસેથી જાણ્યું કે મુલાકાત કેવી રહી, નેતા અલગ અલગ પાર્ટીના હતા, અલગ અલગ વિચારધારાના હતા, પણ ઉદ્દેશ્ય એક જ હતો, ભારતનું માથું ગર્વથી ઊંચું રાખવું. આ તસવીર બતાવે છે કે, વિવિધતામાં જ આપણી સૌથી મોટી તાકાત છે. અને જ્યારે આ તાકાત એક હોય તો આખી દુનિયા તમારી વાત સાંભળે છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોની વાત સાંભળી, તેમની સાથે સવાલ જવાબ કર્યા. સાંસદોએ પોતાના અનુભવ તેમની સાથે શેર કર્યા, જણાવ્યું કે કેવી રીતે સન્માન મળ્યું. ભારતની વાત કેવી રીતે સાંભળી. આ તસવીરમાં પૂર્વ મંત્રી એમજે અકબર પોતાના અનુભવ પીએમ મોદી સાથે શેર કરી રહ્યા છે.

  • વસ્તી ગણતરી પછી સીમાંકનમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રખાશે

    વસ્તી ગણતરી પછી સીમાંકનમાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રખાશે

    માર્ચ 2027 માં વસ્તી ગણતરીના ડેટા જાહેર થયા પછી લોકસભા અને વિધાનસભા બેઠકોના સીમાંકનની પ્રક્રિયા શરૂ થશે
    ડિજિટલ વસ્તી ગણતરી ડેટા અને ડિજિટલ મેપિંગની ઉપલબ્ધતાને કારણે, સીમાંકન પ્રક્રિયા દોઢ વર્ષમાં પૂર્ણ કરાશે

    વસ્તી ગણતરી પૂર્ણ થયા પછી, લોકસભા અને વિધાનસભાઓની બેઠકોનું સીમાંકન કરવામાં આવશે. આ સીમાંકનમાં, માત્ર લોકસભા અને વિધાનસભાઓની બેઠકોમાં વધારો થશે નહીં, પરંતુ મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકોનું અનામત પણ લાગુ કરવામાં આવશે. આ સંદર્ભમાં, સંસદે મહિલા અનામત બિલ 2023 પહેલાથી જ પસાર કરી દીધું છે.

    2002માં, 84મા બંધારણીય સુધારા હેઠળ, 2026 સુધી લોકસભા અને વિધાનસભાઓની બેઠકો વધારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સુધારામાં, તે પછી યોજાનારી પ્રથમ વસ્તી ગણતરીના ડેટાના આધારે સીમાંકન કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.

    હવે ફેબ્રુઆરી 2027માં વસ્તી ગણતરી યોજાવાની હોવાથી, તેના ડેટા આધારે સીમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સીમાંકન પંચ નક્કી કરશે કે લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા કેટલી વધારવી, પરંતુ એવું માનવામાં આવે છે કે લોકસભા બેઠકોની સંખ્યા 800 થી વધુ હોઈ શકે છે, જે હાલમાં 543 છે.

    છેલ્લે સીમાંકન 2008 માં યુપીએ સરકાર દરમિયાન કરવામાં આવ્યું હતું. તે 2002 માં સંસદ દ્વારા પસાર કરાયેલ સીમાંકન કાયદા મુજબ કરવામાં આવ્યું હતું.

    સીમાંકન પંચ મુજબ સીમાંકન કરવામાં આવ્યું હતું, જેમાં 2001 ની વસ્તી ગણતરીના આધારે રાજ્યોમાં હાલની લોકસભા અને વિધાનસભા બેઠકોના ક્ષેત્રોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. અગાઉ, 1951 થી 1971 સુધી, વસ્તી ગણતરી પછી, સીમાંકન પંચની રચના કરવામાં આવી હતી અને લોકસભા અને વિધાનસભાની બેઠકો વધતી રહી હતી. જોકે, 1976 માં, 2001 સુધી સીમાંકન પર રોક લગાવી દેવામાં આવી હતી.

    નિષ્ણાતોના મતે વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ હોવાથી, વિસ્તારવાર વસ્તી ડેટા એક થી દોઢ મહિનામાં જાહેર કરી શકાય છે, જ્યારે પહેલા આ પ્રક્રિયામાં બે વર્ષનો સમય લાગતો હતો. સીમાંકન પંચ સામાન્ય રીતે આ આંકડાઓ પછી જ કામ શરૂ કરતું હતું. આ જ કારણ છે કે 2002 માં રચાયેલા સીમાંકન પંચની ભલામણોના આધારે 2008 માં બેઠકોનું સીમાંકન કરવામાં આવ્યું હતું.

    આ વખતે, વસ્તી ગણતરીના ડેટા વહેલા આવવાની સાથે, દેશના વિવિધ ભાગોનું ડિજિટલ મેપિંગ પણ ઉપલબ્ધ થશે. આવી સ્થિતિમાં, સીમાંકન પંચ દોઢ વર્ષની અંદર તેની ભલામણો રજૂ કરી શકે છે. એકવાર આ ભલામણો સરકાર દ્વારા સ્વીકારાઈ જાય, પછી નવા સીમાંકનના આધારે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ માટે માર્ગ મોકળો થશે.

    દક્ષિણના રાજ્યોનું ધ્યાન રાખવામાં આવશે

    વસ્તી વૃદ્ધિ પર અસરકારક નિયંત્રણને કારણે દક્ષિણના રાજ્યો લોકસભામાં પોતાનો હિસ્સો ગુમાવે તેવી શક્યતાને નવા સીમાંકનમાં ધ્યાનમાં લેવામાં આવશે. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સંસદની અંદર અને બહાર ઉત્તર ભારતના રાજ્યોના પ્રમાણમાં દક્ષિણના રાજ્યોની લોકસભા બેઠકો વધારવાની ખાતરી આપી છે.

    આ અંતર્ગત, દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકસભા બેઠકો ઉત્તર ભારતના રાજ્યો કરતા ઓછી વસ્તી પર નક્કી કરવામાં આવશે. બંધારણ પણ આને મંજૂરી આપે છે. હાલમાં, પૂર્વોત્તરના રાજ્યો અને આંદામાન-નિકોબાર જેવા ઘણા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ પ્રમાણમાં ઓછી વસ્તી પર લોકસભા બેઠકો છે.

  • મોરબીમાં નિ:શુલ્ક દંતયજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાયો : 125થી વધુ દર્દીઓએ લાભ લીધેલ

    મોરબીમાં નિ:શુલ્ક દંતયજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાયો : 125થી વધુ દર્દીઓએ લાભ લીધેલ

    પરમ શ્રદ્ધેય પુજય શ્રી ધીર ગુરૂદેવની પ્રેરણાથી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ગઈકાલ તા.08 ને રવીવારના રોજ નિ:શુલ્ક દંતયજ્ઞ અને બત્રીસીના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કેમ્પમાં આશરે 90 જેટલા દર્દીઓ દાંતની ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યા હતા, જેમાં 35 દર્દીઓએ ફી બત્રીસી (ચોકઠા)નો લાભ લીધેલ. આ કેમ્પમાં ડો. જયસુખભાઈ મકવાણા તથા જાગૃતિબેન ચૌહાણ તથા મોનીકાબેન ભટ્ટ વિગેરેએ સુંદર સેવા બજાવેલ.

    આ કેમ્પનું ઉદઘાટન આ કેમ્પના દાતા માલીનીબેન સંઘવીના મોટા બહેન નિર્મળાબેન મહેતાએ દીપ પ્રગટાવીને કર્યું હતું. સ્થાનકવાસી જૈન સંઘ, સોનીબજાર, મોરબીના ટ્રસ્ટીઓ નવીનભાઈ દોશી, અશોકભાઈ મહેતા, ઉર્મિલાબેન મહેતા, યોગેશભાઈ મહેતા, કેતનભાઈ મહેતા તથા નિતીનભાઈ દોશી તથા અશોકભાઈ મહેતા તથા ચેતના દોશી વિગેરેએ કેમ્પને સફળ બનાવવા માટે ઘણી જહેમત ઉઠાવી હતી.

  • મોરબી સમસ્ત બ્રહ્મસમાજના નવા હોદ્દેદારોની વરણી

    મોરબી સમસ્ત બ્રહ્મસમાજના નવા હોદ્દેદારોની વરણી

    પ્રમુખ રાજેન્દ્રભાઇ ભટ્ટ, ઉપપ્રમુખ દીપક મહેતા, મહામંત્રી જયેશ દવે અને નીરજ ભટ્ટની નિમણૂંક

    મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે શનિવારે સાંજે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને કાર્યકારી પ્રમુખ કિશોરભાઈ પંડ્યાની હાજરીમાં બ્રહ્મ સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું

    આ તકે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજની નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે રાજેન્દ્રભાઇ કે. ભટ્ટ (આર.કે. ભટ્ટ)ની વરણી કરવામાં આવેલ છે.

    મોરબી સમસ્ત બ્રહ્મસમાજની નવી ટિમ જાહેર કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખ પદે રાજેન્દ્રભાઇ કે. ભટ્ટ, મહામંત્રી પદે જયેશભાઈ દવે અને નીરજભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ દીપકભાઈ મહેતા, કિશોરભાઈ પંડ્યા, મીલેશભાઈ જોશી અને રાજુભાઈ જોષી (આશીર્વાદ હોટલ),

    સહમંત્રી પદે સુરેશભાઈ જોશી, દીપ પંડ્યા, દીપકભાઈ ચાઉં, કાનાભાઈ ગિરધરભાઈ જોષી અને સુરેશભાઈ ત્રિવેદી, ખજાનચી પદે રાજુભાઈ પંડ્યા, પ્રોજેક્ટ ચેરમેન રવિન્દ્ર ભટ્ટ અને કારોબારી સમિતિમાં ડો. અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, ડો.બીકે લહેરૂ, એડવોકેટ જગદીશ ઓઝા, પ્રશાંતભાઈ મહેતા, મહેશ ભટ્ટ અને અતુલભાઇ જોશીનો સમાવેશ થાય છે.

  • મોરબી મહાપાલિકાની ટીમે એક સપ્તાહમાં 129 રખડતા ઢોરને ડબ્બે પૂર્યા

    મોરબી મહાપાલિકાની ટીમે એક સપ્તાહમાં 129 રખડતા ઢોરને ડબ્બે પૂર્યા

    મોરબી શહેરમાં રજડતા ઢોરની સમસ્યા દરેક વિસ્તારમાં છે ત્યારે મહાપાલિકાની ટિમ દ્વારા રજડતા ઢોરને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે છેલ્લા એક સપ્તાહમાં 129 રજડતા ઢોરને પકડેને ડબ્બે પુરવામાં આવ્યા છે.

    મોરબી મહાપાલિકાની ટિમ દ્વારા રજડતા ઢોરને પકડવા માટેની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે અને માલિકીના ઢોર રસ્તે રજડતા પકડાય તો તેના માલિક પાસેથી દંડ પણ લેવામાં આવી રહ્યો છે તેવામાં છેલ્લા એક સપ્તાહમાં મોરબીના જુદાજ્ડૂય વિસ્તારમાંથી કુલ 129 ઢોરને પકડવામાં આવેલ છે.

    અને આ ઢોરને રવાપર રોડ, બાપા સીતારામ ચોક, વસંત પ્લોટ, મંગલ ભુવન ચોક, ખાટકીવાસ, બેઠા પુલ, વાંકાનેર દરવાજા, વાવડી રોડ, માધાપર રોડ જેવા વિવિધ વિસ્તારમાંથી પકડીને આજુબાજુની ગૌશાળામાં મૂકવામાં આવ્યા હતા.

    આટલું જ નહીં આડેધડ રોડ પાસે ઘાસ વેચાણ કરતાં 11 વેપારી અને 17 પશુ માલિકોને મહાપાલિકા દ્વારા લાયસન્સ પણ ઇશ્યૂ કરવામાં આવેલ છે. તેવી માહિતી અધિકારી દ્વારા આપવામાં આવેલ છે.

  • મોરબીની અરાહી પટેલ રાષ્ટ્રીય સ્તરે ચમકી: ઇન્ડિયા ટોપ મોડેલ સીઝન-7 માં 3rd રેન્ક મેળવ્યું, 2 એવોર્ડ પ્રાપ્ત કરીને મોરબીનુ ગૌરવ વધાર્યું

    મોરબીની અરાહી પટેલ રાષ્ટ્રીય સ્તરે ચમકી: ઇન્ડિયા ટોપ મોડેલ સીઝન-7 માં 3rd રેન્ક મેળવ્યું, 2 એવોર્ડ પ્રાપ્ત કરીને મોરબીનુ ગૌરવ વધાર્યું

    મોરબીમાં રહેતી 10 વર્ષની અરાહી મોનિષભાઈ પટેલએ ઇન્ડિયા ટોપ મોડેલ સીઝન-7 માં મોરબી ખાતે ઓડિશન આપેલ હતું ત્યારદાબ ફાઇનલમાં જયપુર ખાતે રાષ્ટ્રીય સ્તરે સિલેક્ટ થઇ હતી.


    અને ફાઇનલમાં બે ટાઇટલ જીત્યા હતા. મોસ્ટ કોન્ફિડેન્સ અને India’s Top Model માં 3rd રેન્ક પ્રાપ્ત કર્યો અને બે એવોર્ડ પ્રાપ્ત કાર્ય હતા.
    આ પ્રતિયોગિતાનું આયોજન અગ્રવાલ પ્રોડક્શનના હાઉસ, બોમ્બેના આકાશ મિત્તલ દ્વારા

    કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી બધાએ ભાગ લીધો હતો અરાહીએ સફળતાનો શ્રેય તેમના માતા-પિતાને આપ્યો છે. મોરબીની ન્યુ ગ્લોબલ એરાં સ્કૂલમાં અભ્યાસ કરતી આરાહીએ રાષ્ટ્રીય સ્તરે સફળતા પ્રાપ્ત કરી મોરબી સહીત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

    આ પ્રતિયોગિતાનું પ્રસારણ બહુ જલ્દી વિભિન્ન ટીવી ચેનલોમાં પ્રસારિત થવાનું છે.

  • મોરબી જિલ્લામાં આર્મી, એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા માંગતા યુવા પુરૂષ ઉમેદવારો માટે નિવાસી તાલીમવર્ગ યોજાશે

    મોરબી જિલ્લામાં આર્મી, એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા માંગતા યુવા પુરૂષ ઉમેદવારો માટે નિવાસી તાલીમવર્ગ યોજાશે

    મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો, પેરા મીલીટરી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વગેરેમાં વધુમાં વધુ પ્રમાણમાં ઉમેદવારો જોડાય તે હેતુથી આવા ઉમેદવારોને ભરતીપૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ (રહેવા જમવાની સગવડની સાથે) દિવસ-૩૦ માટેના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે તાલીમવર્ગનું આયોજન ફક્ત મોરબી જિલ્લાના ઉમેદવારો માટે આ કચેરી દ્વારા કરવામાં આવનાર છે.

    આ તાલીમવર્ગમાં જોડાવવા માટેની લાયકાતની વાત કરીએ તો, ઉંમર-૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ, અભ્યાસ-ધો. ૧૦ પાસ કે તેથી વધું, ધો. ૧૦માં ઓછામાં ઓછા ૫૦% ફરજીયાત અને દરેક વિષયમાં ૩૩% માર્કસ ફરજીયાત, ધો.૧૨ પાસ, ઉંચાઇ ૧૬૮ સે.મી. કે તેથી વધુ, વજન-૫૦ કિ.ગ્રા. કે તેથી વધુ, છાતી ૭૭ સે.સી.(ફુલાવ્યા વગર) અને ૮૨ સે.મી.(ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ હોવું જરૂરી છે.

    જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.૨૧/૦૬/૨૦૨૫ સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) ૧૦:૩૦ થી ૦૬:૦૦ સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે. આ અગાઉ આ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી. વધુ માહિતી માટે અત્રેની કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨ – ૨૪૦૪૧૯ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

  • ભારતમાં હવે 7.52 કરોડ લોકો જ ગરીબ : વિશ્વ બેન્કનો રિપોર્ટ

    ભારતમાં હવે 7.52 કરોડ લોકો જ ગરીબ : વિશ્વ બેન્કનો રિપોર્ટ

    ગરીબી રેખાની મર્યાદા પ્રતિ દિન રૂા.240 કર્યા બાદ પણ ગરીબો ઘટયા : શહેરી ગરીબોમાં મોટો ઘટાડો

    જેમ-જેમ રાષ્ટ્ર આગળ વધે છે, તેમ-તેમ ગરીબીના માપદંડોને અપડેટ કરવા અને આર્થિક સમાવેશનને ટકાવી રાખવા એ ખરેખર સમાન અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે ચાવીરૂપ છે. વર્લ્ડ બેન્કે તાજેતરમાં તેની ગરીબી રેખા મર્યાદામાં સુધારો કર્યો છે, તેને 2.15 પ્રતિ દિવસથી વધારીને 3 પ્રતિ દિવસ કરી છે.

    World Bank report આ નવા ધોરણ મુજબ, ભારતમાં અત્યંત ગરીબી રેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્લ્ડ બેન્કના ડેટા અનુસાર, 2011-12માં 27.1%નો અત્યંત ગરીબી રેટ 2022-23માં ઘટીને માત્ર 5.3% થયો છે.

    ભારતે (India) છેલ્લા એક દાયકામાં અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં થયેલી પ્રગતિનું પરિણામ પણ ધીરે-ધીરે જોવા મળી રહ્યું છે. આ જ પ્રગતિના પરિણામ સ્વરૂપ હવે ભારતમાં ગરીબીના પ્રમાણમાં પણ મોટો ઘટાડો (Reduction in poverty) થયો છે. આનો અર્થ એ થયો કે અત્યંત ગરીબીમાં જીવતી વસ્તી 344.47 મિલિયનથી ઘટીને 75.24 મિલિયન થઈ ગઈ છે.

    વર્લ્ડ બેન્કના ગરીબી અને સમાનતા સંબંધિત સંક્ષિપ્ત વિવરણ (PEB) 100 થી વધુ વિકાસશીલ દેશોમાં ગરીબી, સહિયારી સમૃદ્ધિ અને અસમાનતાના વલણો વિશે માહિતી આપે છે.વર્લ્ડ બેન્ક અને IMF ની વાર્ષિક બેઠકો માટે વર્ષમાં બે વાર આ માહિતી બહાર પાડવામાં આવે છે. આ વિવરણ કોઈ પણ દેશની ગરીબી અને અસમાનતાનું એક સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે.

    રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં અત્યંત ગરીબી 2011-12માં 18.4% થી ઘટીને 2022-23માં 2.8% થઈ છે. એ જ સમયગાળામાં શહેરી વિસ્તારોમાં અત્યંત ગરીબી 10.7% થી ઘટીને 1.1% થઈ છે. ગ્રામીણ અને શહેરી ગરીબી વચ્ચેનો તફાવત 7.7% થી ઘટીને 1.7% રહ્યો છે. 2011-12 અને 2022-23 વચ્ચે વાર્ષિક ઘટાડાનો દર 16% રહેશે.

    વર્લ્ડ બેન્કે શોધી કાઢ્યું છે કે, ભારતને નિમ્ન-મધ્યમ આવક સ્તરે ગરીબી ઘટાડવાથી નોંધપાત્ર લાભ મળ્યો છે, જેને પ્રતિ દિન 3.65 અમેરિકી ડોલર પર માપવામાં આવ્યું છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં આ વ્યાપક-આધારિત વૃદ્ધિથી લાખો લોકોને ફાયદો થયો છે.

    2021-22 પછી, રોજગાર વૃદ્ધિમાં સકારાત્મક વલણો જોવા મળ્યા છે, ખાસ કરીને ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારો થયો છે, જે વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં જણાવાયું છે.

  • ઘઉં વધુ ખાવ છો કે ચોખા? વસતી ગણતરીમાં પુછાશે

    ઘઉં વધુ ખાવ છો કે ચોખા? વસતી ગણતરીમાં પુછાશે

    કેન્દ્ર સરકારે નવી જાતિગત જનગણનાનુ શિડયુલ જાહેર કર્યુ છે અને તે વિશે અનેકવિધ ખુલાસા-ટીપ્પણી થવા લાગી છે. વસતી ગણતરી દરમ્યાન આર્થિક-સામાજીક માપદંડોની પણ ચકાસણી કરવામાં આવ્યા છે અને તેમાં કેટલાંક નવા સવાલ પણ ઉમેરવામાં આવ્યા છે

    વસતી ગણતરીની સમગ્ર કવાયતમાં 10 લાખ કર્મચારીઓને સામેલ કરવામાં આવનાર છે. જેઓ ઘેર-ઘેર જઈને પરિવાર-નાગરિકોની સંખ્યા ગણશે. ઉપરાંત ચોખા, ઘઉં, બાજરો, જુવાર, મકાઈ જેવા કયા અનાજનો વધુ ઉપયોગ કરો છો? તેવો સવાલ પણ પુછવામાં આવશે. દોઢ દાયકા બાદ વસતી ગણતરી થવાની છે.

    આ દરમ્યાન લોકોના જીવન ધોરણ ઉપરાંત સુખ સુવિધા તથા સંશોધનોમાં મોટો બદલાવ આવ્યો છે. જુદા-જુદા સવાલો મારફત યોજનાઓના પ્રભાવ પણ ચકાસવામાં આવશે.

    લોકો બોટલના પાણીનો કેટલો ઉપયોગ કરે છે, રાંધણગેસ-પીએનજી કનેકશનના સવાલ પણ હશે. સોલારનો ઉપયોગ પણ ચકાસાશે. અગાઉની વસતી ગણતરીમાં ટીવી-રેડિયોની સુવિધા વિશે સવાલ થતા હતા. આ વખતે ફ્રી-ડીશ, ડીટીએચ કે કેબલ કનેકશન વિશે સવાલ કરવામાં આવશે.

    આ સિવાય પ્રથમ વખત એસીડ એટેકનો શિકાર બનેલા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ સિવાય જ્ઞાનતંતુના જટિલ રોગ ધરાવતા લોકો તથા બ્લડ ડીસઓર્ડર ધરાવતા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત હિજરતી લોકોની વસતી ગણતરી કરવા સાથે તેનું કારણ ચકાસવા કુદરતી આફતોની પણ ચકાસણી થશે.

  • તાલાલા-ગીર પંથકમાં ધ્રુજી ધરા, 3.5ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો; મોટો ધડાકાનો અવાજ સંભળાયો

    તાલાલા-ગીર પંથકમાં ધ્રુજી ધરા, 3.5ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો; મોટો ધડાકાનો અવાજ સંભળાયો

    ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધરા ધ્રૂજી છે. તાલાલા ગીર પંથકમાં 9:15 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 19 કિમી ઈસ્ટ નોર્થ ઈસ્ટ નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. મોટા ધડાકાનો અવાજ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તલાલા અને ગીર આસપાસના ગામડામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

    તલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

    પ્રાપ્ત માહિતી પ્રમાણે ગીર સોમનાથના તલાલા અને ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોટા ધડાકા સાથે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય માહોલ ફેલાયો હતો. ધડાકાનો અવાજ આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તલાલા અને ગીર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

    રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી 19 કિ.મી દૂર નોંધાયું છે. ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ પુરાવા કે અહેવાલ મળ્યા નથી.

    રિક્ટર સ્કેલ પર 3.5ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાથી 19 કિ.મી દૂર નોંધાયું છે. ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ પુરાવા કે અહેવાલ મળ્યા નથી.