Category: All

  • હવે ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવશે પૂર! અંબાલાલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી

    હવે ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવશે પૂર! અંબાલાલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી

    હવામાન વિભાગની આગાહી અનુસાર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.

    તાપી, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, દાહોદ, પંચમહાલ, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.

    અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.

    તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે.

  • મોરબીમાં રાજપૂત સમાજની જુદી જુદી ત્રણ સંસ્થા દ્વારા પી.ટી.જાડેજા સામેનો પાસા હુકમ રદ કરવા માંગ

    મોરબીમાં રાજપૂત સમાજની જુદી જુદી ત્રણ સંસ્થા દ્વારા પી.ટી.જાડેજા સામેનો પાસા હુકમ રદ કરવા માંગ

    મોરબી, તા.8 ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની ગેરકાયદેસર અટકાયત કરીને તેની સામે પાસાનો હુકમ કરવામાં આવે છે તેનો ગામોગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધ, શ્રી મોરબી જીલ્લા રાજપૂત સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લાના હોદેદારોની હાજરીમાં કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર આપીને પાસાના હુકમને રીવોક કરવાની માંગ કરેલ છે.

    જિલ્લાના હોદેદારોની હાજરીમાં મોરબી ક્ષત્રિય સમાજના લોકોની હાજરીમાં આજે કલેકટરે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કોઈ રાજકીય ઈશારે કિન્નાખોરી પૂર્વક ષડયંત્ર કરવામાં આવે છે.

    જેથી સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે અને ગંભીર પ્રકારના અનેક ગુનાઓ આચરનાર વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ પી.ટી.જાડેજા સામે પાસાની કાર્યવાહી કરીને અન્યાયકારી વલણ અપનાવામાં આવેલ છે.

    જેથી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે. વધુમાં જણાવ્યુ છે કે, પી.ટી.જાડેજા અમરનાથ મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ છે.

    તેમણે લોકોની માંગણીને ધ્યાને લઈને અમુક તકવાદી તત્વોને રોકવાનો પ્રયાસ માત્ર કરેલ જે તેની ફરજ પણ હતી. જેથી તેને મોટુ સ્વરૂપ આપી પી.ટી.જાડેજાની સામાજીક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા હિન પ્રયાસ કરવામાં આવેલ છે.

    આ પાસાને રીવોક કરવામાં આવે તેવી માંગ કરેલ છે. નહિ તો  અન્યાયની સામે ગુજરાતમાં રાજપૂત સમાજ ન્યાયોચિત લડાઈ લડશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

  • ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ લોન્ચ કરી નવી ચેટ એપ્લિકેશન: વોટ્સએપની હરીફ એપ ઇન્ટરનેટ વગર કરશે કામ

    ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ લોન્ચ કરી નવી ચેટ એપ્લિકેશન: વોટ્સએપની હરીફ એપ ઇન્ટરનેટ વગર કરશે કામ

    ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ નવી એપ્લિકેશન લોન્ચ કરી છે.આ એપ્લિકેશનનું નામ બિટચેટ છે.

    આ એક ડિસેન્ટ્રલાઈઝ્ડ પીયર-ટૂ-પીયર મેસેન્જિંગ એપ છે.આ એપ વોટ્સએપની હરીફ છે જે ઇન્ટરનેટની જગ્યાએ બ્લૂટૂથની મદદથી કામ કરે છે.

    એમાં કોઈ ઇન્ટરનેટ, કોઈ સર્વર, કોઈ ફોન નંબર કે ઇમેલની જરૂર નથી પડતી. જેક ડોર્સી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટેસ્ટફ્લાઇટ પર આ એપ્લિકેશનનું બીટા વર્ઝન ઉપલબ્ધ છે.ઇન્ટરનેટની જગ્યાએ બ્લૂટૂથની મદદથી મેસેજ થશે સેન્ડ જેક ડોર્સીએ જાહેર કરેલી માહિતી અનુસાર આ એપ્લિકેશન બ્લૂટૂથ મેશ નેટવર્ક પર કામ કરે છે.

    તેમણે રીલે, સ્ટોર અને ફોરવર્ડ મોડેલ અને મેસેજ એન્ક્રિપ્શન મોડલની સાથે અન્ય ઘણી બાબતોને લઈને એક્સપેરિમેન્ટ કર્યું છે.બિટચેટ તેની આસપાસની ડિવાઇસની વચ્ચે એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન કરી શકશે. યુઝર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય છે.

    આથી તેનો મોબાઇલ રેન્જની બહાર જતો રહે છે.જોકે આ મેસેજ એક ડિવાઇસથી બીજી ડિવાઇસ પર જશે અને એથી બ્લૂટૂથની સ્ટાન્ડર્ડ રેન્જની બહાર પણ મેસેજ પહોંચી શકશે. એ પણ વાય-ફાય અથવા તો નેટવર્ક સર્વિસનો ઉપયોગ કર્યા વગર. સર્વરનો ઉપયોગ નહીં થાય, આથી પૂરેપૂરી પ્રાઇવસી મળશે જેક ડોર્સી પહેલેથી પ્રાઇવસી અંગે ચિંતિત રહેતો આવ્યો છે.

    દરેક કંપની તેમના મેસેજ માટે સર્વરનો ઉપયોગ કરે છે. દરેક ચેટ અને મીડિયા તેમના સર્વર પર સ્ટોર હોય છે.આથી જેક ડોર્સીએ એવી એપ્લિકેશન તૈયાર કરી છે જેમાં મેસેજ સ્ટોર કરવા માટે સર્વરનો ઉપયોગ થાય જ નહીં. આથી મેસેજ સીધા મોબાઇલમાં જ સ્ટોર થશે. એથી એ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ હશે. કોઈ પણ સંજોગમાં એપ્લિકેશન બેન નહીં કરી શકાય? આજકાલ દરેક એપ્લિકેશન ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

    આ સાથે જ એમાં સોશિયલ મીડિયાના તમામ ફીચર્સ અને પેમેન્ટનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે.આથી બ્લૂટૂથ આધારિત એપ્લિકેશન હવે ફક્ત મેસેજ પર ધ્યાન આપશે. આ એપ્લિકેશનનો ફાયદો એ છે કે એને બેન નહીં કરી શકાય. 2019માં હોંગકોંગમાં એક પ્રોટેસ્ટ થઈ હતી. આ દરમિયાન ઇન્ટરનેટને બ્લોક કરી દેવામાં આવ્યું હતું. જોકે એ સમયે બ્લૂટૂથ આધારિત જેટલી પણ એપ્લિકેશન હતી એ કામ કરતી હતી. આજના સમયે એ એપ્લિકેશન્સ હવે રહી નથી. જોકે બિટચેટ હવે એ જગ્યા લઈ શકે છે.

    આઉટેજ હોય કે શટડાઉન હોય કે સર્વેલન્સ કરવામાં આવતું હોય — બિટચેટ પર કોઈ અસર નહીં થાય. એ એગદમ સુરક્ષિત રહેશે કારણ કે એ ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતું. આ પણ વાંચો: ટેક્નો દેશ માટે પ્રાઇવેટ આઇલેન્ડ ખરીદનાર બાલાજી શ્રીનિવાસન કોણ?: જાણો આ આઇલેન્ડ ક્યાં આવેલો છે… અન્ય ફીચર્સ આ એપ્લિકેશનમાં ગ્રુપ ચેટ અને રૂમ બનાવવાનો પણ વિકલ્પ છે.

    આ સાથે જ એને હેશટેગનો ઉપયોગ કરી નામ આપી શકાશે અને પાસવર્ડ દ્વારા પ્રોટેક્ટ પણ કરી શકાશે. કોઈપણ વ્યક્તિ ઑફલાઇન હોય તો પણ એને મેસેજ ફોરવર્ડ કરવા માટેનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.ભવિષ્યમાં આ એપ્લિકેશનમાં વાય-ફાય ડાયરેક્ટનો ઉપયોગ કરવામાં આવશે એવી સંભાવના છે.

    એની મદદથી મેસેજ વધુ જલદી ફોરવર્ડ થશે. વોટ્સએપ અને મેસેન્જર માટે નંબર અને એકાઉન્ટની જરૂર પડે છે.

  • કચ્છમાં ચાર ડેમ ઓવરફલો થતા રસ્તાઓ તૂટ્યા, ગામો સંપર્ક વિહોણા

    કચ્છમાં ચાર ડેમ ઓવરફલો થતા રસ્તાઓ તૂટ્યા, ગામો સંપર્ક વિહોણા

    કચ્છમાં વરસેલા ભારે વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે.જેમાં વેગડી ડેમ, વિજય સાગર ડેમ, રાજડા ડેમ, કંકાવતી ડેમ અને શેરડી ભાડઈનો ખારોડ ડેમ મુખ્ય… કચ્છમાં વરસેલા ભારે વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે.જેમાં વેગડી ડેમ, વિજય સાગર ડેમ, રાજડા ડેમ, કંકાવતી ડેમ અને શેરડી ભાડઈનો ખારોડ ડેમ મુખ્ય છે.


    આ ઉપરાંત, ભૂખી નદી અને નખત્રાણા નજીક ભીટારા ગામની નદી પણ બે કાંઠે વહેતી થઈ છે.નખત્રાણાના દેવીસર તળાવ માં પણ પાણીની સારી આવક નોંધાઈ છે, જ્યારે અબડાસાના નુંધાતડ ગામની નદી પણ બે કાંઠે વહેતી થઈ છે.


    શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા – ગાંધીધામમાં વરસાદને કારણે સથવારા નગર, ભારત નગર, ગુરુકુળ વિસ્તાર અને મુખ્ય ગાંધી માર્કેટ સહિતના બજારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. તેવી જ રીતે, ભુજ રેલવે સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ જતા અનેક મુસાફરોને મુશ્કેલી પડી હતી અને ફસાયેલા વાહનોને ટોઈંગ કરવાની ફરજ પડી હતી.

    રસ્તાઓ અને સંપર્ક પર અસર – માંડવી તાલુકામાં સાર્વત્રિક વરસાદને પગલે હમલા-રતડિયા રોડ તૂટી જતાં કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. નખત્રાણાના વડવા ભોપા પાસેના ડાયવર્ઝનનું પણ ધોવાણ થયું હતું.સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદની આ સ્થિતિથી ખેડૂતો અને જળાશયો માટે રાહત છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી અનેક લોકોની દિનચર્યા પર અસર પડી છે.

  • રસ્તાના નબળા કામ કરનાર એજન્સીઓને બ્લેક લીસ્ટ કરો: મુખ્યમંત્રી

    રસ્તાના નબળા કામ કરનાર એજન્સીઓને બ્લેક લીસ્ટ કરો: મુખ્યમંત્રી

    ચોમાસામાં દર વર્ષે એક જ જગ્યાએ કેમ પાણી ભરાય છે?, આજ સુધી નોંધ કેમ નથી લેવાઈ?, તમામ મનપા-નગરપાલિકાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી ભૂપેન્દ્રભાઈએ સતાધીશોને આડે હાથ લીધા

    ચોમાસાની શરૂઆત થતાં જ ગુજરાતભરના શહેરો, ગામડાઓ અને રોડ રસ્તાઓ તુટી જવાની ઘટનાઓ બહાર આવી છે. અને આ મુદ્દાને વિપક્ષે પણ હથિયાર બનાવી સરકાર ઉપર માછલા ધોવાનું ચાલુ કર્યુ છે. તેવી જ રીતે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ફરિયાદોનો ધોધ મુખ્યમંત્રી સુધી પહોંચતા સરકાર સફાળી જાગી છે. અને આ મુદ્દે તમામ વિભાગો સાથે સંકલન કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે તમામ કોર્પોરેશનો, નગરપાલિકાઓ, પંચાયતો, હાઈવે ઓથોરીટી, માર્ગમકાન વિભાગ સહિતના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી નબળા રોડ-રસ્તા બનાવનાર એજન્સીઓને બ્લેક લીસ્ટ કરી લોકોની ફરિયાદનું તુરંત નિરાકરણ લેવામાં આવે તેવો આદેશ જારી કરતા તંત્ર દોડતુ થઈ ગયું છે.

    ચોમાસાએ વહેલી દસ્તક દીધા બાદ આ વર્ષે વરસાદી પાણીના કારણે રોડ રસ્તાઓને વધુ ધોવાણ થઈ ગયાનું બહાર આવ્યું છે. શહેરો તેમજ ગામડાઓ અને હાઈવે ઉપર ખાડાઓના સામ્રાજ્ય છવાઈ જતાં પબ્લીકમાં દેકારો બોલી ગયો છે. અને આ મુદ્દાને હથિયાર બનાવી વિપક્ષોએ પણ સરકાર ઉપર માછલા ધોવાનું ચાલુ કર્યુ છે. નગર પાલિકાઓ અને કોર્પોરેશનમાં ખરાબ રોડ રસ્તા મુદ્દે ફરિયાદોના ધોધ વહ્યા છે. તેવી જ રીતે આ પ્રકારની ગુજરાતભરમાંથી ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચતા હવે આ મુદ્દે કડક પગલા લેવા પડશે. તેવો નિર્ણય લઈ મુખ્યમંત્રીએ આજે તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, હાઈવે ઓથોરીટી અને માર્ગ મકાન વિભાગ સહિતના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.

    આજે 11 વાગ્યે યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં અમદાવાદ અને ગાંધીનગરના અધિકારીઓ રૂબરૂ હાજર રહ્યા હતા ત્યારે બાકીના વિભાગો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી મુખ્યમંત્રીએ જણાવેલ કે, રોડના કામની ગુણવત્તા સુધારો નબળા કામ કરનાર એજન્સીઓને ફરી વખત કામ ન આપી તેમને બ્લેક લીસ્ટ કરવામાં આવેલ તેવી જ રીતે હવે પછી રોડ રસ્તા માટે જે ટેન્ડર કરવામાં આવે તેમાં આ મુદ્દે ખાસ શરતોનો ઉમેરો કરવામાં આવે.

    મુખ્યમંત્રીએ વધુમાં જણાવેલ કે, વર્ષોથી લોકોની ફરિયાદો ઉઠવા પામી છે. જેનું સંકલન કરતા માલુમ પડેલ કે, ચોમાસામાં દર વર્ષે એક જ જગ્યાએ પાણી શા માટે ભરાઈ રહ્યું છે ત્યાં હાલત કેમ સુધરતી નથી. લોકોમાં ફરિયાદ ઉઠે ત્યાર બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે.

    આથી રોડ રસ્તાના ટેન્ડર પ્રસિદ્ધ કર્યા બાદ વાપી અને વડોદરાને લઈને સુચારુ આયોજન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. તેવી જ રીતે હાઈવે ઓથોરીટીના અધિકારીઓને સુચના આપી જણાવેલ કે, હાઈવેના કામો મોટે ભાગે ગેરંટીમાં થતાં હોય છે. ત્યારે રોડ તુટી જવાની ઘટનામાં એજન્સી પાસે તાત્કાલીક ધોરણે કામ કેમ કરાવવામાં નથી આવતું. અને નબળા કામ થયા હોય તો પણ આ એજન્સીને શા માટે ફરી વખત કામ આપવામાં આવી રહ્યું છે. તેની તપાસ પણ થવી જોઈએ આમ આજે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ યોજી છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાંથી ઉઠી રહેલ રોડ રસ્તાની ફરિયાદો બાબતે કમિશનરો તેમજ ઉચ્ચ અધિકારીઓને આડેહાથ લેતા આજથી જ તંત્ર દોડતુ થઈ ગયું છે.

  • લર્નિગ લાયસન્સ માટે હવે આરટીઓ ઓફિસે જવુ નહી પડે: ઓનલાઈન સેવાનો પ્રારંભ થયો

    લર્નિગ લાયસન્સ માટે હવે આરટીઓ ઓફિસે જવુ નહી પડે: ઓનલાઈન સેવાનો પ્રારંભ થયો

    એઆઈ આધારિત ટેસ્ટ પણ ઘર બેઠા આપી શકાશે: પરિવહન વિભાગે 57માંથી 44 સેવા ફેસલેસ બનાવી

    ગુજરાત પરિવહન વિભાગે (આર.ટી.ઓ) વાહન ચાલકો માટે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવી છે. જેમાં આજથી જ લર્નિગ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન અરજીનો પ્રારંભ થતા હવે 18 વર્ષ પુર્ણ કરનાર વ્યકિત ઓનલાઈન અરજી કરી શકશે.

    અને ઘરબેઠા જ દિન-7માં લાયસન્સ મેળવી શકશે.આ પ્રક્રિયાથી લર્નિગ લાયસન્સ મેળવવા હવે આરટીઓ કચેરીએ જવાની જરૂર નથી.આર.ટી.ઓ.વિભાગે 57માંથી 44 સેવાઓ ફેસલેસ બનાવી છે.

    તેમાં લર્નિંગ લાયસન્સ મેળવવા ઈચ્છુક અરજદાર હવે ઓનલાઈન અરજી વેબસાઈટ ઉપર કરવાની રહેશે ઓનલાઈન અરજી સિસ્ટમથી અરજદારોનો સમય અને ખર્ચ બચશે સાથે ઝડપથી લાયસન્સ મળશે.

    https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do પર ક્લિક કરો.

    – હવે ડ્રોપ-ડાઉન સૂચિમાંથી તમારું રાજ્ય પસંદ કરો.

    – પછી Apply for Learner License પર ક્લિક કરો.

    – પછી આધાર વિકલ્પ સાથે અરજદારને પસંદ કરો અને તમારા પોતાના ઘરેથી પરીક્ષા આપો.

    – ત્યારબાદ ભારતમાં જારી કરાયેલા ડ્રાઇવિંગ લાયસન્સનાં વિકલ્પ પર ક્લિક કરો.

    – હવે સબમિટ બટન પર ક્લિક કરો.

    – આ પછી સબમિટ વાયા આધાર ઓથેન્ટિકેશન વિકલ્પ પર ક્લિક કરો અને પછી સબમિટ કરો.

    – હવે તમારા આધાર કાર્ડની વિગતો અને મોબાઈલ નંબર સબમિટ કરો અને જનરેટ OTP પર ક્લિક કરો.

    – તે પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલો OTP દાખલ કરો.

    – પછી નિયમો અને શરતો સ્વીકારતા બોક્સ પર ક્લિક કરો અને પછી પ્રમાણીકરણ બટન પર ક્લિક કરો.

    – તે પછી લાઇસન્સ ફી ચૂકવવા માટે ઇચ્છિત ચુકવણી વિકલ્પ પસંદ કરો.

    – હવે પરીક્ષણ સાથે આગળ વધવા માટે સરકારે ફરજિયાત 10 મિનિટનો ડ્રાઇવિંગ દિશા નિર્દેશનો વીડિયો જુઓ.

    – હવે વીડિયો પૂરો થયા પછી તમને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP અને પાસવર્ડ મળશે.

    – પછી આપેલ ફોર્મ ભરો અને પરીક્ષણ સાથે આગળ વધો.

    – હવે તમારા ઉપકરણના આગળના કેમેરાને ઠીક કરો અને તેને ચાલુ કરો.

    – હવે ટેસ્ટ પૂર્ણ કરો. પરીક્ષા પાસ કરવા માટે તમારે 10 માંથી ઓછામાં ઓછા 6 પ્રશ્નોના સાચા જવાબ આપવા આવશ્યક છે.

    – જો તમે ટેસ્ટમાં નાપાસ થાવ છો, તો તમારે ટેસ્ટમાં ફરીથી હાજર રહેવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

    – તમે પૂર્ણ કરી લો અને પછી પીડીએફ પ્રાપ્ત કરી લો તે પછી તમને તમારા લર્નિંગ ડ્રાઇવર લાયસન્સનું ક્ધફર્મેશન મળશે.જનરેટ થયેલી સ્લીપ તમારી પાસે રાખવી

  • કંઈક મોટું થવાનું છે? ગઈકાલે ગડકરીએ આપી હતી ચેતવણી, આજે રાજનાથ સિંહે કરી ચોંકાવનારી વાત

    કંઈક મોટું થવાનું છે? ગઈકાલે ગડકરીએ આપી હતી ચેતવણી, આજે રાજનાથ સિંહે કરી ચોંકાવનારી વાત

    રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે શાંતિનો સમય એક ‘ભ્રમ’ (illusion) સિવાય કંઈ નથી. ભારતે હંમેશા અનિશ્ચિતતાઓ માટે તૈયાર રહેવું જોઈએ, ભલે પરિસ્થિતિ ગમે તેટલી શાંત કેમ ન લાગે. આ ઉપરાંત તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની હિંમત અને બહાદુરીની પ્રશંસા કરી. એક કાર્યક્રમને સંબોધતા સિંહે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન સ્વદેશી રીતે બનાવેલા હથિયારો અને લશ્કરી પ્લેટફોર્મનું પ્રદર્શન ખૂબ સારું હતું. આ કારણે વિશ્વભરમાં ભારતના રક્ષા ઉત્પાદનોની માંગ વધી છે.

    રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે, નાણાકીય પ્રક્રિયામાં થોડો વિલંબ કે ભૂલ પણ ઓપરેશનલ તૈયારીઓને અસર કરી શકે છે. આજે આખી દુનિયા ભારતના રક્ષા ક્ષેત્રને નવા દ્રષ્ટિકોણ અને સન્માનથી જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, ‘મોટાભાગના ઉપકરણ જે આપણે પહેલાં આયાત કરતા હતા, હવે ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે. અમારા સુધારા ઉચ્ચતમ સ્તર પર સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને પ્રતિબદ્ધતાને કારણે સફળ થઈ રહ્યા છે.’

    રક્ષા મંત્રી ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ (DAD)ના કંટ્રોલર્સના કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, “નાણાકીય પ્રક્રિયાઓમાં એક પણ વિલંબ અથવા ભૂલ ઓપરેશનલ તૈયારીઓને સીધી અસર કરી શકે છે.” તેમણે DADને રક્ષામાં ખાનગી ક્ષેત્રની વધતી જતી ભાગીદારીની સાથે તાલમેલમાં કંટ્રોલરથી ફેસિલિટેટરના રૂપમાં વિકસિત થવાની હાકલ કરી.

    જિયો પોલિટિકલ સિચ્યુએશન પર પ્રકાશ પાડતા રક્ષા મંત્રીએ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિશ્લેષણનો હવાલો આપીને કહ્યું કે, 2024માં Global Military Expenditure  2.7 ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચશે. તેમણે કહ્યું કે, આ ભારતના સ્વદેશી રક્ષા ઉદ્યોગો માટે જબરદસ્ત તકો ખોલે છે. રક્ષા મંત્રીએ રક્ષા વિભાગના નવા સૂત્ર ‘સર્તક, ચુસ્ત, અનુકૂલટ’ ની પ્રશંસા કરી અને કહ્યું કે, આ ફક્ત શબ્દો નથી, પરંતુ આજના ઝડપથી વિકસતા રક્ષા વાતાવરણમાં જરૂરી કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.

    તેમણે કહ્યું કે, ‘તાજેતર સુધી રક્ષા બજેટને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો ભાગ માનવામાં આવતો ન હતો. આજે તે વિકાસના ચાલક છે.’ સિંહે કહ્યું કે, ભારત બાકીના દુનિયા સાથે પુનઃશસ્ત્રીકરણના એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, જેની વિશેષતા રક્ષા ક્ષેત્રમાં મૂડી-સઘન રોકાણો છે. રક્ષા મંત્રીએ રક્ષા વિભાગથી આગ્રહ કર્યો કે, તે પોતાની યોજના અને મૂલ્યાંકનમાં રક્ષા અર્થશાસ્ત્રનો સમાવેશ કરે, જેમાં સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સ અને દ્વિ-ઉપયોગ તકનીકોના સામાજિક અસર વિશ્લેષણનો સમાવેશ થાય છે.

    નીતિન ગડકરીનું નિવેદન: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વ યુદ્ધ વિશે મોટી ચેતવણી આપી છે. એક પુસ્તકના વિમોચન દરમિયાન પોતાના સંબોધનમાં માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીએ કહ્યું કે, ‘ભારત ભગવાન બુદ્ધની ભૂમિ છે, જે સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આપે છે. તેથી, આપણે વિશ્વમાં બની રહેલી ઘટનાઓને જોઈને ભવિષ્યની નીતિઓ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.’ તેમણે ચેતવણી આપી હતી કે, યુદ્ધોને કારણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વિશ્વ યુદ્ધ ગમે ત્યારે શરૂ થઈ શકે છે.

  • પ્રાથમિક સુવિધા નહિ મળે તો મોરબીના ચિત્રકુટ સોસાયટી વિસ્તારમાં વિસાવદરવાળી થશે : સ્થાનિકોની ચીમકી

    પ્રાથમિક સુવિધા નહિ મળે તો મોરબીના ચિત્રકુટ સોસાયટી વિસ્તારમાં વિસાવદરવાળી થશે : સ્થાનિકોની ચીમકી

    મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લાઈટ પાણી રોડ રસ્તા, ગટર વગેરે જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવતા નથી જેથી લોકોમાં રોષની લાગણી છે અને ખાસ કરીને છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી ચિત્રકૂટ સોસાયટી ભાજપનો ગઢ ગણાય છે.

    અને ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં પણ જો પ્રાથમિક સુવિધા માટે લોકોને હેરાન થવું પડતું હોય તો આગામી ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય વિસ્તારમાં નહીં ખુલે અને વિસાવદર વાળી થશે તેવી ચીમકી સાથેના વિડીયો સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.

    મોરબી મહાનગરપાલિકામાં આવતા શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી વિસ્તારને છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ કહેવામાં આવે છે પરંતુ ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારની અંદર રહેતા લોકોને આજની તારીખે લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેથી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

    તેવામાં રવિવારે રાતના સમયે અંદાજે 150 થી 200 જેટલા સોસાયટી વિસ્તારના લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ તેઓએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

    જેમાં સ્થાનિક લોકોના કહેવા મુજબ 25 વર્ષ કરતાં વધુ સમયથી બીજી કોઈ પાર્ટીનું કાર્યલય ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં ખોલવા દેવામાં આવ્યું નથી અને વન વે ભાજપ તરફ વોટિંગ કરવામાં આવતું હોવાથી આ વિસ્તારને ભાજપનો ગઢ કહેવામા આવે છે

  • ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ

    ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ

    ઈમરજન્સીની રાહ ન જોતા તાત્કાલિક આયુષ્માન કાર્ડ(PMJAY) કઢાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નો અનુરોધ

    મોરબી જિલ્લામાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ‘સર્વજન સુખાય,સર્વજન હિતાય,’ નીતિ સાથે લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત અને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ સુલભ બને તે હેતુસર આયુષ્માન કાર્ડ બનાવવા માટે સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.

    આ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત (૧) વયવંદના યોજનાના લાભાર્થીઓ (૭૦ વર્ષ કે તેથી વધુ વય ના વરિષ્ઠ નાગરીકો) (૨) NFSA રેશનકાર્ડ ધરાવતા યાદી મુજબના તમામ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બનાવવાનું કામ હાલમાં દરેક સરકારી આરોગ્ય સંસ્થામાં ચાલી રહ્યું છે.

    જિલ્લા વહીવટી તંત્ર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી લોકોને અપીલ કરવામાં આવે છે કે, ઉપરોક્ત લાભાર્થીઓએ ઈમરજન્સીની રાહ ન જોતા તાત્કાલિક આયુષ્માન કાર્ડ(PMJAY) કઢાવવું. આ કામગીરી માટે આપના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરશો. આયુષ્માન કાર્ડ લાભાર્થી જાતે પણ આયુષ્માન એપ દ્વારા Beneficiary ID  માંથી તથા PMJAY પોર્ટલ https:// beneficiary.nhm.gov.in  પરથી જાતે કાઢી શકશે મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય ની યાદીમાં જણાવાયું છે.

  • પ્રાથમિક સુવિધાઓ ન મળે તો ચિત્રકુટ સોસાયટી, મોરબીમાં વિસાવદરવાળી ચળવળની ચીમકી: સ્થાનિકો

    પ્રાથમિક સુવિધાઓ ન મળે તો ચિત્રકુટ સોસાયટી, મોરબીમાં વિસાવદરવાળી ચળવળની ચીમકી: સ્થાનિકો

    મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી લાઈટ પાણી રોડ રસ્તા, ગટર વગેરે જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવતા નથી જેથી લોકોમાં રોષની લાગણી છે અને ખાસ કરીને છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી ચિત્રકૂટ સોસાયટી ભાજપનો ગઢ ગણાય છે.

    અને ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં પણ જો પ્રાથમિક સુવિધા માટે લોકોને હેરાન થવું પડતું હોય તો આગામી ચૂંટણીમાં ભાજપનું કાર્યાલય વિસ્તારમાં નહીં ખુલે અને વિસાવદર વાળી થશે તેવી ચીમકી સાથેના વિડીયો સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.

    મોરબી મહાનગરપાલિકામાં આવતા શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી વિસ્તારને છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ કહેવામાં આવે છે પરંતુ ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારની અંદર રહેતા લોકોને આજની તારીખે લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેથી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

    તેવામાં રવિવારે રાતના સમયે અંદાજે 150 થી 200 જેટલા સોસાયટી વિસ્તારના લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ તેઓએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

    જેમાં સ્થાનિક લોકોના કહેવા મુજબ 25 વર્ષ કરતાં વધુ સમયથી બીજી કોઈ પાર્ટીનું કાર્યલય ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં ખોલવા દેવામાં આવ્યું નથી અને વન વે ભાજપ તરફ વોટિંગ કરવામાં આવતું હોવાથી આ વિસ્તારને ભાજપનો ગઢ કહેવામા આવે છે