HomeAllગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસશે! વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ કરી 40...

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસશે! વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ કરી 40 થી 50 ઈંચ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ચોમાસાને લઈને ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં રાજ્યના 11 જેટલા વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ આ વર્ષના ચોમાસા અંગે મહત્વનો વરતારો રજૂ કર્યો છે.

આગાહીકારોના મતે, આ વર્ષે રાજ્યમાં સરેરાશ 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા છે. આ બેઠકમાં ચોમાસાના આગમન અને વાવણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ખેડૂતો માટે વાવણી અંગેની માર્ગદર્શિકા જાહેર કરતા તજજ્ઞોએ જણાવ્યું છે કે, આ વર્ષે વાવણી ત્રણ તબક્કામાં થઈ શકે છે. આમાં ખેડૂતો 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ સુધીમાં વાવણી કરી શકશે. રાહતની વાત એ છે કે, આ વખતે વાવાઝોડાનો કોઈ ખતરો નથી, જે ખેતીના પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વરતારા મુજબ, આ ચોમાસું અંદાજે 15 ઓક્ટોબરની આસપાસ વિદાય લેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments