HomeAllમોરબીમાં ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ યોજાશે

મોરબીમાં ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ યોજાશે

મોરબીના રાજકોટ હાઇવે પર કડવા પાટીદાર ક્ધયા કેળવણી મંડળ સંચાલિત ઉમા સંસ્કાર ધામનું નિર્માણ થયેલું છે, આ ધામ દ્વારા વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રકલ્પો દ્વારા જનસેવા કરવામાં આવે છે, ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ આગામી 5 મી નવેમ્બરના રોજ યોજાશે

જેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી હવન જપ તપ યજ્ઞ, બપોરે 2 વાગ્યે આનંદનો ગરબો,સાંજે 5  વાગ્યે સ્નેહમિલન યોજાશે જેમાં ઉમા સંસ્કાર ધામના સેવાકીય પ્રકલ્પોને લોકો સમક્ષ મૂકવામાં આવશે, સમાજ શ્રેષ્ઠીઓના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવશે.

તાજેતરમાં મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ,કૌશલ, રોજગાર વિભાગના રાજયકક્ષાના મંત્રી તરીકે નિયુક્તિ થતા સમસ્ત પાટીદાર સમાજ વતી એમનું અદકેરું સન્માન કરાશે, ઉમા સંસ્કાર ધામ દ્વારા થતા

વિવિધ સેવાકીય પ્રકલ્પોની વિગતો, સામાજિક ઉત્થાન માટેના લેખો,પ્રેરક પ્રસંગો, વિશિષ્ટ પ્રતિભા,પાટીદાર સમાજની જુદી જુદી સંસ્થાઓનો પરિચય વગેરે લેખો સાથેનો “ઉમા સંસ્કાર દર્શન” ત્રિમાસિક અંક બહાર પાડવાનો હોય અંકની પ્રતનું મહાનુભાવો કર કમલોથી વિમોચન કરવામાં આવશે, સ્નેહમિલન સમારોહ બાદ સમૂહ ભોજન મહાપ્રસાદ લેવામાં આવશે અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે કડવા પાટીદાર ક્ધયા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપ પ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, ઉમા સંસ્કાર ધામના ચેરમેન એ.કે.પટેલ તેમજ તમામ ટ્રસ્ટી દ્વારા મોરબી જિલ્લાના તમામ કડવા પાટીદાર પરિવારોને સમાજ શ્રેષ્ઠીઓને, રાજસ્વી હસ્તીઓને વગેરેને મહાપ્રસાદ તેમજ અન્ય તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં  આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!