HomeAllમોરબીના કન્યા છાત્રાલય રોડ પર અધૂરી ગટરથી જોખમ: રહીશોનો આક્રોશ, 10 દિવસમાં...

મોરબીના કન્યા છાત્રાલય રોડ પર અધૂરી ગટરથી જોખમ: રહીશોનો આક્રોશ, 10 દિવસમાં કામ નહીં પૂરું તો JCBથી ખાડો પુરવાની ચીમકી

12 ફૂટ ઊંડો ખાડો મહિનાોથી ખુલ્લો—નાળા પાસેની દીવાલ તૂટી, માત્ર માટી નાખી કામ ચલાવાતા અવરજવરમાં જોખમ

મોરબી : કન્યા છાત્રાલય રોડ પર રાધે કૃષ્ણા સ્કૂલની પાછળ આવેલી શિવકુંજ અને વિજયનગર સોસાયટી વિસ્તારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે 12 ફૂટ ઊંડો ગટરની લાઇનનો ખાડો ખોદાયો હતો. કામ શરૂ થયાને અઢીથી 3 મહિના બાદ પણ છેલ્લા લગભગ એક મહિના થી કામગીરી રોકાઈ જતાં ખાડો ખુલ્લો રહી ગયો છે. સ્થાનિક રહીશો—ખાસ કરીને મહિલાઓ—એ ભારે આક્રોશ વ્યક્ત કરી 10 દિવસમાં કામ પૂરૂં કરવાની માંગ સાથે અલ્ટિમેટમ આપ્યો છે.

સ્થિતિ એવી છે કે લોકો તરાપા નાખીને અને ભયના ઓથાર હેઠળ અવરજવર કરવા મજબૂર બન્યા છે. મહિલાઓએ ચિંતાવ્યક્ત કરી કે અહીંથી બાળકો પણ પસાર થાય છે, ક્યાંય ઈજા કે જાનહાનિ થાય તો જવાબદારી કોણે લેશે, એ પ્રશ્ન અજવાળ્યો છે.

રહીશોના જણાવ્યા મુજબ નાળા પાસેની દીવાલ તૂટી જતાં વાહનો સરકી જવાની ભીતિ ઊભી થઈ છે. મહાનગરપાલિકા તરફથી માત્ર એક ટ્રેક્ટર માટી નાખીને અસ્થાયી રીતે કામ ચલાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. ભારે વરસાદ કે ભારે વાહન પસાર થાય તો આ માટી ખસી જવાની શક્યતા બતાવવામાં આવી છે, જેને કારણે વિજયનગર જતો મુખ્ય રસ્તો પણ બંધ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

સ્થાનિકોએ યાદ અપાવ્યું કે આ જ પુલિયા પર ગયા વર્ષે પણ ભુવો પડ્યો હતો, ત્યારે પણ માટી નાખીને કામ ચલાવાયું હતું.

મહિલાઓ મોટી સંખ્યામાં ભેગી થઈ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા આવે છે, પરંતુ મુશ્કેલીઓ સમયે કોઇ જોવા નથી આવતું અને કોર્પોરેટર વિડિયો બનાવવા સુધી સીમિત રહે છે. રહીશોએ ચીમકી ઉચ્ચારી કે 10 દિવસમાં ખાડા અને ગટરની કામગીરી પૂર્ણ નહીં થાય તો તેઓ જાતે જ JCB બોલાવી ખાડો પૂરી દેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments