HomeAllમોરબીના પ્રા.શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં હૂંકાર કર્યો

મોરબીના પ્રા.શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં હૂંકાર કર્યો

મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવામાં આવતા નથી અને ખાસ કરીને 4200 ગ્રેડ પે ની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે તેને ધ્યાને લેવામાં આવતી નથી જેથી ન્યાયિક માંગને બળ આપવા માટે મોરબીમાં શિક્ષકોનું સ્નેહમિલન યોજાયું હતું.

સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો સ્નેહમિલનના કાર્યક્રમમાં આવ્યા હતા અને પડતર માંગણીઓ માટે એકજૂથ થઈને પોતાનો સૂર બુલંદ કર્યો હતો. અને તેઓની રજૂઆત સરકાર સુધી પહોચે તે માટે ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ’ તેમજ ‘રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ’ના હોદ્દેદારોને પણ આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા. અને ધો. 6 થી 8 ના શિક્ષકોએ 4200 ગ્રેડ પે તેમનો હક હોવાની રજૂઆત તથ્યો સાથે સંઘના હોદ્દેદારો સમક્ષ મૂકી હતી.

શિક્ષકોની રજૂઆતો અને લાગણીઓને હોદ્દેદારોએ સાંભળીને આ પ્રશ્નને રાજ્ય કક્ષાએ સક્ષમ સત્તાધીશો સમક્ષ યોગ્ય મંચ પર રજૂ કરી સકારાત્મક ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં જિલ્લા તેમજ રાજ્ય સ્તરે આ માંગણીને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટેની રણનીતિ અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments