HomeAllપેટ્રોલ-ડીઝલ પર સરકારે લીધો મોટો નિર્ણય, એક્સાઈઝ ટેક્સ વધારી દીધો, જાણો લોકો...

પેટ્રોલ-ડીઝલ પર સરકારે લીધો મોટો નિર્ણય, એક્સાઈઝ ટેક્સ વધારી દીધો, જાણો લોકો પર તેની શું અસર થશે?

નવી: દિલ્હી: કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને હવાઈ જહાજના ઈંધણ એટલે કે એટીએફ અને દેશમાંથી નીકળતા ક્રૂડ ઓઈલ પર લાગતા એક્સાઈઝ ટેક્સ અને સેસમાં બદલાવ કર્યો છે. નવા દર 3 ઓગસ્ટ 2026થી લાગુ થઈ ગયા છે. સરકારના આ નિર્ણય બાદ લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શું હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે. હાલમાં તેનો સીધો જવાબ ના છે. સરકારે ટેક્સ જરૂરથી વધાર્યો છે, પણ પેટ્રોલ પંપ પર મળતા ઈંધણની કિંમત ડાયરેક્ટ સરકાર નક્કી નથી કરતી.

તેને ઈન્ડિયન ઓયલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી તેલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત, ડોલરની સરખામણીમાં રૂપિયાની સ્થિતિ, રિફાઈનિંગ અને ટ્રાન્સપોર્ટ ખર્ચા સહિત કેટલાય બીજા કારણો ધ્યાનમાં રાખવામાં આવે છે. સરકારના નવા નોટિફિકેશન અનુસાર, પેટ્રોલ પર એક્સાઈઝ ટેક્સ 2.5 રૂપિયા પ્રતિ લીટરથી વધારી 3.5 રૂપિયા પ્રતિ લીટર કરી દીધા છે. એટલે કે તેમાં 1 રૂપિયો પ્રતિ લીટર વધારો કર્યો છે. ડીઝલ પર સૌથી વધારે વધારો થયો છે. તેનો ટેક્સ 15.5 પ્રતિ લીટરથી વધારીને 24 રૂપિયા પ્રતિ લીટર કરી દીધો છે.

એટલે કે તેમાં 8.5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. હવાઈ જહાજમાં ઈંધણ એટલે કે એટીએફ પર ટેક્સ 14.5 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 22 રૂપિયા પ્રતિ લીટર કરી દીધો છે. તેમાં 7.5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આ ઉપરાંત દેશમાં નીકળતા ક્રૂડ ઓઈલ પર 1.5 રૂપિયા પ્રતિ લીટરનો રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ પણ ફરીથી લાગુ કરી દીધો છે. ટેક્સ વધારવાનો મતલબ એ નથી કે પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા જ તરત વધી જશે.

છુટક કિંમતોમાં બદલાવનો નિર્ણય તેલ કંપનીઓ કરે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઓછી રહે અથવા તેલ કંપનીઓ વધેલા ટેક્સનો બોજ ખુદ ઉઠાવે તો ગ્રાહકો પર તેની અસર પડતી નથી. પણ જો ક્રૂડ ઓઈલ મોંઘું હોય અને વધારાના ટેક્સની અસર ગ્રાહકો પર નાખવામાં આવે તો આવનારા સમયમાં ઈંધણના ભાવમાં વધારો જોવા મળી શકે છે. સામાન્ય લોકો પર શું અસર પડી શકે

ડીઝલ મોંઘું થવાની સ્થિતિમાં ટ્રાંસપોર્ટ ખર્ચો વધી શકે છે. કેમ કે દેશમાં માલ સપ્લાયનો મોટો ભાગ ડીઝલ વાહનો દ્વારા થાય છે. તેનાથી આગળ કેટલાય જરુરી સામાનોના વેચાણ પર તેની અસર પડી શકે છે. વળી એટીએફ પર ટેક્સ વધવાથી એરલાઈન્સના ખર્ચા પણ વધી શકે છે. જો કે ભાડા વધારવા કે ન વધારવા તેનો નિર્ણય એરલાઈન્સ કંપની પર નિર્ભર કરે છે.

હાલમાં સામાન્ય લોકો માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે સરકારે ટેક્સમાં બદલાવ કર્યો છે પણ પેટ્રોલ અને ડીઝલની છુટક કિંમતોમાં તાત્કાલિક વધારો થાય તેવું નક્કી નથી. આગળનો નિર્ણય તેલ કંપનીઓ પર નિર્ભર કરશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments