HomeAllમોરબીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થનાસભા યોજાઇ

મોરબીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થનાસભા યોજાઇ

મોરબીમાં શનાળા રોડ પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. વિજયભાઈ રૂપાણીના ભત્રીજા મેહુલભાઈ રૂપાણી અને જમાઈ નિમિતભાઈ મિશ્રા હાજર રહ્યા હતા.

આ તકે સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જૈન મુનિ દિવ્યયસ વિજયજી મહારાજ, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઇ સોમણી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ઉપપ્રમુખ હીરાલાલ ટમારિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા,

પ્રદીપભાઈ વાળા, લખાભાઇ જારીયા, રિશિપભાઇ કૈલા, ભૂપતભાઇ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા, રાઘવજીભાઇ ગડારા, કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા, જયુભા જાડેજા, જયંતિભાઈ પટેલ, નિકુંજભાઈ કોટક, જયદીપભાઈ કંડિયા, મેઘરાજસિંહ ઝાલા, મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા,

મુકેશભાઇ કુંડારિયા, મુકેશભાઇ ઉઘરેજા, હિરેનભાઇ પારેખ, હંસાબેન ઠાકર, જયોત્સનાબેન અમૃતિયા, મંજુલાબેન દેત્રોજા, કલેક્ટર કે.બી.ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, અધિક કલેક્ટર શિવરાજસિંહ ખાચર ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજયભાઇ સોની તેમજ જુદાજુદા જ્ઞાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here