ગુજરાતની સ્કૂલોમાં ધૂળેટી, રામનવમી, ઈદ, ચેટી ચાંદની રજાની તારીખો બદલાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં રજાના કેલેન્ડરમાં સુધારો કરવામાં આવ્યો છે અને તમામ સંલગ્ન શાળાઓને શૈક્ષણિક સમયપત્રકમાં થયેલા ફેરફારો અંગે જાણ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.
જે મુજબ ધૂળેટીની રજા 3 માર્ચના રોજ હતી તેને બદલીને 4 માર્ચ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા રમઝાન ઈદ અને ચેટીચંદની રજાઓની તારીખોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના કેલેન્ડરમાં આ બંને રજાઓ 20 માર્ચના રોજ નક્કી કરવામાં આવી હતી. જોકે હવે ચેટીચંદની રજા 19 માર્ચના રોજ રહેશે, જ્યારે રમઝાન ઈદની રજા 21 માર્ચના રોજ રહેશે.
આવી જ રીતે રામનવમીની રજામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ રજા 27 માર્ચના રોજ જાહેર કરવામાં આવી હતી પરંતુ હવે 26 માર્ચના રોજ રામનવમીની રજા રહેશે. બોર્ડ દ્વારા આ ફેરફારો અંગે તમામ સંબંધિત શાળાઓને જાણ કરી દેવામાં આવી છે અને તે મુજબ તેમના શૈક્ષણિક કેલેન્ડર અપડેટ કરવા સૂચના આપી છે.
માર્ચ મહિનાની પહેલી તારીખથી દેશમાં ઘણા મોટા બદલાવ અમલમાં આવ્યા છે. આ બદલાવ તમારા ઘરમાં વપરાતા LPG સિલિન્ડરથી લઈને ટ્રેનમાં મુસાફરી સુધી સંબંધિત છે.
ફેબ્રુઆરી મહિનો પૂરો થયા પછી માર્ચ 2026ની શરૂઆત સાથે દેશમાં ઘણા મોટા નિયમોમાં ફેરફાર લાગુ થયા છે. આ ફેરફારની અસર સીધી સામાન્ય લોકોના ખર્ચ પર પડશે. એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે અને હવાઈ ઈંધણ (એવિએશન ફ્યુઅલ) પણ મોંઘું થયું છે. આ સિવાય ભારતીય રેલ્વેના કેટલાક નિયમોમાં ફેરફાર થયા છે તેમજ સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં પણ બદલાવ લાગુ થયા છે. એટલે કે આ ફેરફારોનો અસર ઘરખર્ચથી લઈને મુસાફરી અને મોબાઈલ વપરાશ સુધી જોવા મળશે.
માર્ચની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે. દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 28 રૂપિયા મોંઘો થયો છે, જ્યારે અન્ય મોટા શહેરોમાં તેનો ભાવ આશરે 31 રૂપિયા સુધી વધ્યો છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ પણ 19 કિલો વજનના સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. હવે ફરી એકવાર ભાવ વધતા સામાન્ય લોકોને મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે.
કેટલો થયો ભાવ વધારો? નવી કિંમતો મુજબ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1740.50 રૂપિયાથી વધીને 1768.50 રૂપિયા થયો છે. કોલકાતામાં તે 1844.50 રૂપિયાથી વધીને 1875.50 રૂપિયા થયો છે જ્યારે મુંબઈમાં 1692 રૂપિયાની જગ્યાએ હવે 1720.50 રૂપિયા ચૂકવવા પડશે. ચેન્નાઈમાં 1899.50 રૂપિયાનો મળતો સિલિન્ડર હવે 1929 રૂપિયાનો થયો છે. બીજી તરફ 14 કિલોના ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 8 એપ્રિલ 2025 પછી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
એરવેની મુસાફરીને ઝટકો માર્ચની પહેલી તારીખે એલપીજી સિવાય હવાઈ મુસાફરોને પણ મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે. તેલ કંપનીઓએ એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે હવાઈ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. હવાઈ ઈંધણ મોંઘું થવાથી ફ્લાઇટ ટિકિટના ભાવ પર પણ અસર પડે છે. 1 માર્ચ 2026થી દિલ્હીમાં ATFનો ભાવ 91,393.39 રૂપિયાથી વધીને 96,638.14 રૂપિયા પ્રતિ કિલોલિટર થયો છે. કોલકાતામાં 94,445.62 રૂપિયાથી વધીને 99,587.14 રૂપિયા, મુંબઈમાં 85,474.63 રૂપિયાથી વધીને 90,451.87 રૂપિયા અને ચેન્નાઈમાં 94,781.99 રૂપિયાથી વધીને 1,00,280.49 રૂપિયા પ્રતિ કિલોલિટર થયો છે.
તે સિવાય રેલવે સંબંધિત પણ એક મહત્વનો ફેરફાર થયો છે. 1લી માર્ચ 2026થી ભારતીય રેલવે પોતાનું જૂનું UTS એપ બંધ કરી શકે છે. આ એપ બંધ થયા પછી મુસાફરો UTS દ્વારા ટિકિટ બુકિંગ કે અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. તેની જગ્યાએ નવા RailOne એપ દ્વારા ટિકિટ બુકિંગ અને અન્ય કામ કરવાની સુવિધા શરૂ થઈ શકે છે.
1 માર્ચ 2026થી દેશમાં મોબાઇલ યુઝર્સ માટે SIM-Binding નિયમ લાગુ થઇ શકે છે. સરકારે અગાઉ સ્પષ્ટ કરી દીધું છે કે મેસેજિંગ એપ્સ માટે યુઝરનું એકાઉન્ટ તેના એક્ટિવ SIM સાથે જ જોડાયેલું હોવું ફરજિયાત રહેશે અને 1 માર્ચની ડેડલાઇન રાખવામાં આવી છે. હાલમાં આ ડેડલાઇન વધારવાના કોઈ સમાચાર નથી. ટેલિકોમ વિભાગ (DoT) એ OTT મેસેજિંગ એપ્સને માર્ગદર્શન આપ્યું છે કે યુઝરના એકાઉન્ટ સક્રિય SIM સાથે જોડાયેલ હોવું જોઈએ. તેના કારણે જો ફોનમાં તે SIM ન હોય જેમાં WhatsApp કે Telegram રજીસ્ટર છે તો આ એપ્સનો ઉપયોગ સીમિત કે બંધ થઈ શકે છે.
બેંકની કામગીરી માર્ચમાં બેંક સંબંધિત કામ કરવા માટે જો યોજના બનાવી હોય તો જાણો કે આ મહિને અનેક તહેવારો અને પ્રસંગોના કારણે બેંકોમાં વિશેષ રજાઓ રહેશે અને બેંકિંગ કામગીરી બંધ રહેશે. આ રજાઓમાં હોળી, ગુઢી પડવા, ઈદ, રામ નવમી અને મહાવીર જયંતીનો સમાવેશ થાય છે. સમગ્ર મહિને કુલ 18 દિવસ બેંક રજા રહેશે જેમાં બીજો અને ચોથો શનિવાર તેમજ રવિવારના સાપ્તાહિક રજા દિવસો પણ સામેલ છે.
ઇઝરાયલ અને અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ વડા ખામેનેઇ માર્યા ગયા હોવાના સમાચારને ઈરાની મીડિયાએ કન્ફર્મ કર્યા છે. અલી ખામેનેઈ બાદ હવે તેમનું પદ અને કમાન તેમના દીકરા મોજતબા ખામેનેઈએ સાંભળ્યું છે.
ઈરાની મીડિયાએ પુષ્ટિ કરી છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયા છે. અને એટલું જ નહીં આ હુમલામાં તેમના પરિવારના સદસ્યો દીકરી-જમાઈ, પૌત્રી અને પુત્રવધૂનું પણ મોત થયું છે. આ ખબરે વૈશ્વિક સ્તર પર ભૂ-રાજનૈતિક તણાવ અને યુદ્ધની આશંકાને ચરમ સીમાએ પહોંચાડી દીધું છે.
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના અવસાન અંગેના અહેવાલો વચ્ચે તેમના પુત્ર મોજતબા ખામેને ને નવા સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાના દાવાઓ સામે આવ્યા છે. સૂત્રો અનુસાર અલી ખામેનેઈના અવસાન બાદ મોજતબા ખામેનેઈએ નેતૃત્વની કમાન સંભાળી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈરાનમાં સુપ્રીમ લીડરની પસંદગી પ્રક્રિયા બંધારણીય રીતે વિશેષજ્ઞોની સભા દ્વારા કરવામાં આવે છે. તેથી પરિસ્થિતિ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.
ટ્રમ્પ અને ઇઝરાયલના દાવા પછી હવે ઈરાની મીડિયાના મુખ્ય સમાચાર ચેનલ Press TV એ ઓફિશિયલ રીતે આ વાતની પુષ્ટિ કરી છે જે ઈસ્લામિક ક્રાંતિના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયા છે અને ખામેનેઈના મૃત્યુ પછી ઈરાનમાં 40 દિવસના સાર્વજનિક શોકની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હીમાં સ્થિત ઈરાનની એમ્બેસી ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પગલું ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના અવસાન સંબંધિત અહેવાલો સામે આવ્યા બાદ લેવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે. પરિસ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા માટે રાજદ્વારી સ્તરે નજર રાખવામાં આવી રહી છે.
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાં કહ્યું હતું કે ” ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંના એક ” હવે નથી રહ્યા. તેમને ઈરાનના લોકો માટે આને સ્વતંત્રતાનો એકલ મોટો અવસર ગણાવ્યો હતો. તો બીજી તરફ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ સંકેત આપ્યા હતા કે ખામેનેઈના ઠેકાણાને જમીનદોસ્ત કરી દેવાયા છે. ઇઝરાયલના ખાનગી સૂત્રોનો દાવો છે કે આ એક સર્જીકલ સ્ટ્રાઈક હતી જેને મોડર્ન હથિયારો અને ચોક્કસ સચોટ જાણકારીના આધાર પર અંજામ આપવામાં આવ્યો હતો.
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોત અંગેના અપ્રમાણિત અહેવાલો સામે આવતા ઈરાનમાં અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. વિવિધ સ્થળોએ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હોવાના દાવા થઈ રહ્યા છે. જ્યાં સમર્થકો દ્વારા નારા લગાવવામાં આવ્યા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા.
પ્રેસ ટીવીની પુષ્ટિ બાદ સત્તાના ઉત્તરાધિકારને લઈને ઈરાનમાં હવે એક મોટું સંકટ ઉભું થયું છે. તેહરાનની શેરીઓ ઉજ્જડ અને ગભરાટની સ્થિતિમાં છે. જ્યારે સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલય અને લશ્કરી કમાન્ડરોએ આ “કાયર હુમલા”નો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. જેનાથી સમગ્ર વિશ્વમાં પરમાણુ યુદ્ધ અથવા ત્રીજા વિશ્વયુદ્ધનો ભય ફેલાયો છે.
મોરબી મહાપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે એક સપ્તાહ સુધી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે તા.1 થી 8 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે તેની માહિતી આપવા માટે કમિશનરની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં 15 થી 22 સુધી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું મહાપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
તા. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર 1 માર્ચના રોજ સવારે 9 કલાકે સરદાર બાગ મોરબી ખાતે યોગા અને ઝુમ્બા સેશન ફોર વૂમન, 2 માર્ચના રોજ સાંજે 7 કલાકે નગર દરવાજા ફ્લેશ મોબ, 3 માર્ચના રોજ સાંજે 7:30 કલાકે શનાળા પટેલ વાડીએ હોલિકા દહન, 5 માર્ચના રોજ સવારે 10 થી 11 સુધી ઓમ શાંતિ વિધાલય ખાતે સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ કાર્યક્રમ અને અડલ્ટ એજ્યુકેશન અવેરનેસ કાર્યક્રમ યોજાશે.
6 માર્ચના રોજ સર્વાઈકલ કેન્સર, સ્તન કેન્સર સ્વ નિરીક્ષણ કાર્યક્રમ બપોરે 3 કલાકે યોજાશે. તો 6 અને 7 માર્ચના રોજ સવારે 9 કલાકે મહાપાલિકા મુખ્ય કચેરીએ અ ડે વિથ કમિશ્નર, 7 માર્ચના રોજ સાંજે 7 કલાકે ડી માર્ટ ખાતે નુક્કડ નાટક અને મકનસર ક્રિકેટ મેદાન ખાતે મહિલા ક્રિકેટ મહાપાલિકા સ્ટાફ માટે, 8 માર્ચના રોજ વિકાસ વિધાલય ખાતે મસ્તી સ્ટ્રીટ અને સરદાર બાગ ખાતે મહિલા સશક્તિકરણ અને સમાજમાં ભૂમિકા વિષય પર સ્પર્ધા યોજાશે. તેમજ 15 થી 22 માર્ચ સુધી મકનસર ક્રિકેટ મેદાન ખાતે ઓલ મોરબી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
1 માર્ચથી સિમ કાર્ડ વગર WhatsApp, Telegram કે Signal જેવી મેસેજિંગ એપ્સ ચલાવી શકાશે નહીં. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમમાં કોઈ રાહત આપવામાં નહીં આવે. હવે આ એપ્સ વાપરવા માટે સંબંધિત નંબરનું સિમ ફોનમાં હોવું ફરજિયાત રહેશે.
1 માર્ચથી દેશભરમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનના ઉપયોગને લઈને મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. Department of Telecommunications (DoT)ના આદેશ મુજબ હવે સિમ-બાઇન્ડિંગ ફરજિયાત બનાવવામાં આવશે. એટલે કે, 1 માર્ચ બાદ યુઝર્સ સિમ કાર્ડ વગર WhatsApp, Telegram અને Signal જેવી એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં. કેન્દ્ર સરકારે આ મુદ્દે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
હાલમાં ઘણા લોકો પોતાના ફોનમાં સિમ ન હોવા છતાં, તે નંબર સાથે જોડાયેલું એકાઉન્ટ અન્ય ડિવાઇસ અથવા Wi-Fi મારફતે ચલાવે છે. ખાસ કરીને Telegram અને Signalમાં આ પ્રકારનો ઉપયોગ વધુ જોવા મળે છે. પરંતુ હવે સિમ-બાઇન્ડિંગ લાગુ થયા બાદ, જે નંબરથી એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે તે નંબરનું સિમ કાર્ડ તે જ ફોનમાં હોવું જરૂરી રહેશે. જો સિમ કાઢી નાખવામાં આવશે, તો એપ આપમેળે લોગઆઉટ થઈ જશે.
રિપોર્ટ અનુસાર, WhatsAppએ પોતાના બીટા વર્ઝન 2.26.8.6માં સિમ-બાઇન્ડિંગ સાથે જોડાયેલું પોપ-અપ દર્શાવવાનું શરૂ કર્યું છે. આ પોપ-અપમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારના આદેશને અનુસરીને, એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે સંબંધિત નંબરનું સિમ ફોનમાં હોવું આવશ્યક છે. આ માહિતી જાણીતા ટેક પ્લેટફોર્મ WA Beta Info દ્વારા પણ શેર કરવામાં આવી છે.
નવી વ્યવસ્થા મુજબ, જે યુઝર્સ કમ્પ્યુટર અથવા લૅપટોપ પર Linked Device તરીકે WhatsApp ચલાવે છે, તેમનું સેશન દર 6 કલાકે આપમેળે લોગઆઉટ થઈ જશે. કમ્પ્યુટર પર ફરીથી WhatsApp વાપરવા માટે યુઝરને મુખ્ય મોબાઇલ એપ મારફતે ફરી લિંક કરવું પડશે. આ પગલું સુરક્ષા વધારવા અને અનધિકૃત ઍક્સેસ અટકાવવા માટે લેવામાં આવી રહ્યું છે.
ગયા વર્ષે DoTએ તમામ મેસેજિંગ પ્લેટફોર્મને સિમ-બાઇન્ડિંગ ફીચર અમલમાં મૂકવા સૂચના આપી હતી. સિમ-બાઇન્ડિંગનો અર્થ એ છે કે જે નંબરથી એકાઉન્ટ ચલાવવામાં આવે છે, તે નંબરનું સિમ કાર્ડ ફોનમાં સક્રિય હોવું જોઈએ. આ નિયમનો મુખ્ય હેતુ સાયબર ફ્રોડ, ફેક એકાઉન્ટ અને ઑનલાઇન ઠગાઈના બનાવોમાં ઘટાડો લાવવાનો છે.
જો કે, આ નિર્ણયથી ઘણા યુઝર્સને પ્રારંભિક અસુવિધાનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને તેઓને જેઓ સિમ વગર Wi-Fi આધારિત ઉપયોગ કરતા હતા. છતાં, સરકારનો દાવો છે કે આ પગલું લોકોની સુરક્ષા અને ડિજિટલ વિશ્વાસ વધારવા માટે જરૂરી છે. 1 માર્ચથી આ નિયમ WhatsApp, Telegram અને Signal સહિત તમામ મુખ્ય મેસેજિંગ એપ્સ પર લાગુ પડશે.
ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના માર્ગદર્શન હેઠળ ભારત જન વિજ્ઞાન જાથાની રાષ્ટ્રીય કચેરી દ્વારા રાજ્યભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી. જિલ્લા અને તાલુકા મથકોએ વિજ્ઞાન વિષયક વિવિધ સ્પર્ધાઓ, રેલીઓ અને અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા. રાજકોટ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વિજ્ઞાન અભિગમથી જ રાષ્ટ્રની પ્રગતિ શક્ય હોવાનું ઉલ્લેખાયું અને રાજમાર્ગો ઉપર યોજાયેલી વિજ્ઞાન રેલીએ જબરું આકર્ષણ જમાવ્યું.
કાર્યક્રમનું ઉદ્ઘાટન જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ કર્યું. તેમણે ડૉ. સી. વી. રામનની શોધના મહત્વ, વૈજ્ઞાનિક દષ્ટિકોણની આવશ્યકતા અને અંધશ્રદ્ધા નિવારણ અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે વિજ્ઞાનને માનવકલ્યાણનું સશક્ત સાધન ગણાવી વસ્તી વિસ્ફોટ, અશિક્ષિતતા, ગરીબી અને અસમાનતા જેવા પરિબળોના નિરાકરણ પર ભાર મૂક્યો.
ન્યુ પરિમલ સ્કૂલમાં આયોજિત કાર્યક્રમમાં સંચાલક ચંદ્રકાન્તભાઈ મંડિર, બ્રહ્મસમાજના કેતનભાઈ બોરીસાગર, બ્રિજેશભાઈ મંડિર, આચાર્યા અલ્પાબેન જોષી અને રમેશભાઈ વ્યાસે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું. શાળાના ટ્રસ્ટી ચંદ્રકાન્તભાઈ મંડિર અને તેમની ટીમનું જાથાએ સન્માન કર્યું. વિજ્ઞાન રેલીમાં ન્યુ પરિમલ સ્કૂલના છાત્ર-છાત્રાઓ, શિક્ષકગણ તેમજ જાથાના પ્રકાશ મનસુખભાઈ, અંકલેશ ગોહિલ, નિર્ભય જોશી, રોમિત રાજદેવ અને ભાનુબેન શેઠીયાએ મશાલ સરઘસ અને વિજ્ઞાન સૂત્રો સાથે આગેવાની લીધી. કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ વ્યાસે કર્યું.
રાજ્યના અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, હિંમતનગર, રાજપીપળા, ડાંગ-આહવા, છોટા ઉદેપુર, ગોધરા, વ્યારા, પંચમહાલ, મોડાસા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા-તાલુકા મથકોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જાથાએ અનુરોધ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાત દરમિયાન સાણંદ ખાતે દેશને પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ આપી છે. તેમણે સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સુવિધાનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ ઐતિહાસિક કાર્યક્રમ પહેલા સાણંદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો.
પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી અત્યારે સાણંદમાં જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ શરૂ થવાની સાથે જ ભારત હવે ગ્લોબલ ચિપ માર્કેટમાં મજબૂત દાવેદાર બની ગયું છે. જણાવી દઈએ કે, સપ્ટેમ્બર 2023માં ભૂમિપૂજન બાદ ₹22,500 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આ સુવિધાથી હવે મેડ-ઇન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થઈ જશે.
સેમિકન્ડક્ટર એ માત્ર એક નાનકડી ચિપ નથી પરંતુ આધુનિક ટેકનોલોજીનું ‘મગજ’ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, તે વીજળીના સુવાહક અને અવાહક (Conductor And Insulator) એમ બંને ગુણધર્મો ધરાવતું વિશેષ તત્વ છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ચિપ એક સ્માર્ટ ‘સ્વિચ’ તરીકે કામ કરે છે, જે કોઈપણ ઈલેક્ટ્રોનિક ગેજેટને ઓપરેટ કરવા માટે જરૂરી આદેશો આપે છે.
આજે મોબાઈલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ કાર, હાઈ-ટેક કેમેરા અને જીવનરક્ષક મેડિકલ સાધનો સુધીની તમામ વસ્તુઓ સેમિકન્ડક્ટર ચિપ વગર અધૂરી છે. એવામાં જ્યારે આ ‘માસ્ટર ચિપ’નું ઉત્પાદન ભારતમાં શરૂ થઈ ગયું છે, ત્યારે ભારત વિશ્વના ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં એક શક્તિશાળી ખેલાડી તરીકે ઉભરી આવશે.
આ વર્ષે હોળીના તહેવારને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. સામાન્ય રીતે હોલિકા દહન પછીના દિવસે રંગોત્ત્સવની ઉજવણી કરવામાં આવે છે.પરંતુ વર્ષ 2026માં ખગોળીય ઘટનાઓને કારણે આ પરંપરામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તેનું કારણ છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, હોલિકા દહન 2 માર્ચ, 2026ના રોજ થશે, પરંતુ બીજા જ દિવસે 3 માર્ચે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. ગ્રહણને કારણે સૂતક કાળ હોવાથી આ દિવસે પૂજા અને રંગોત્ત્સવની ઉજવણી ન કરવી, તેવું માનવામાં આવે છે. બીજી તરફ, સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણને લઈને પણ જ્યોતિષીયોએ જાણકારી આપી છે.
ક્યારે છે હોળી?
પંચાંગ મુજબ, હોલિકા દહન 2 માર્ચની રાત્રે થશે. બીજા દિવસે ચંદ્રગ્રહણ હોવાથી જ્યોતિષીઓ કહે છે કે, સૂતક સમયગાળા દરમિયાન રંગોથી રમવું યોગ્ય નથી. તેથી રંગોની હોળી 4 માર્ચે ઉજવવામાં આવશે. સૂતક નિયમોનું પાલન કરીને 3 માર્ચે પૂજા અને ધાર્મિક વિધિઓ ટાળવાની સલાહ આપવામાં આવે છે.
ક્યારે છે સૂર્યગ્રહણ?
મળતી માહિતી મુજબ, વર્ષ 2026માં બે સૂર્યગ્રહણ થવાના છે. જેમાંથી પહેલું ગ્રહણ 17 ફેબ્રુઆરીએ થઈ ગયું છે. જ્યારે બીજું સૂર્યગ્રહણ 12 ઓગસ્ટ, 2026ના રોજ થશે. 12 ઓગસ્ટે થનારું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ સૂર્યગ્રહણ મુખ્યત્વે યુરોપ, કેનેડા અને ગ્રીનલેન્ડમાં દેખાશે. એટલાં માટે તેનો સૂતક કાળ પણ દેશમાં માન્ય નહીં થાય અને કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ પર રોક નહીં રહે.
સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ 2027માં થશે
વર્ષના બીજા સૂર્યગ્રહણ વિશે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ વચ્ચે નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે “સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ” 2027માં થશે. 2 ઓગસ્ટ, 2027ના રોજ થનારું આ ગ્રહણ 21મી સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે, જે લગભગ 6 મિનિટ અને 22 સેકન્ડ ચાલશે. આટલું લાંબુ ગ્રહણ 2114 વર્ષ સુધી ફરી નહીં થાય.
ભારતમાં અહીં થશે અંધકાર!
આ આંશિક સૂર્યગ્રહણ ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ દેખાશે. તેથી 2027ના ગ્રહણ માટેનો સૂતક કાળ ભારતમાં માન્ય રહેશે. જેમાં દિવસ દરમિયાન અંધકારનો સમયગાળો રહેશે, જેના પરિણામે રાત્રિ જેવો નજારો જોવા મળશે.
28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાને ઇઝરાયેલ અને અમેરિકાના હુમલાના વિરોધમાં ઐતિહાસિક અને આકરો નિર્ણય લેતા સ્ટ્રેટ ઑફ હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કરી દીધો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે (IRGC) આ સમુદ્રી માર્ગ પર પોતાની મિસાઇલો અને જંગી જહાજોને તહેનાત કરી દીધા છે,
1 માર્ચથી સિમ કાર્ડ વગર WhatsApp, Telegram કે Signal જેવી મેસેજિંગ એપ્સ ચલાવી શકાશે નહીં. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમમાં કોઈ રાહત આપવામાં નહીં આવે. હવે આ એપ્સ વાપરવા માટે સંબંધિત નંબરનું સિમ ફોનમાં હોવું ફરજિયાત રહેશે.
1 માર્ચથી દેશભરમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનના ઉપયોગને લઈને મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. Department of Telecommunications (DoT)ના આદેશ મુજબ હવે સિમ-બાઇન્ડિંગ ફરજિયાત બનાવવામાં આવશે. એટલે કે, 1 માર્ચ બાદ યુઝર્સ સિમ કાર્ડ વગર WhatsApp, Telegram અને Signal જેવી એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં. કેન્દ્ર સરકારે આ મુદ્દે કોઈપણ પ્રકારની છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
હાલમાં ઘણા લોકો પોતાના ફોનમાં સિમ ન હોવા છતાં, તે નંબર સાથે જોડાયેલું એકાઉન્ટ અન્ય ડિવાઇસ અથવા Wi-Fi મારફતે ચલાવે છે. ખાસ કરીને Telegram અને Signalમાં આ પ્રકારનો ઉપયોગ વધુ જોવા મળે છે. પરંતુ હવે સિમ-બાઇન્ડિંગ લાગુ થયા બાદ, જે નંબરથી એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે તે નંબરનું સિમ કાર્ડ તે જ ફોનમાં હોવું જરૂરી રહેશે. જો સિમ કાઢી નાખવામાં આવશે, તો એપ આપમેળે લોગઆઉટ થઈ જશે.
રિપોર્ટ અનુસાર, WhatsAppએ પોતાના બીટા વર્ઝન 2.26.8.6માં સિમ-બાઇન્ડિંગ સાથે જોડાયેલું પોપ-અપ દર્શાવવાનું શરૂ કર્યું છે. આ પોપ-અપમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારના આદેશને અનુસરીને, એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે સંબંધિત નંબરનું સિમ ફોનમાં હોવું આવશ્યક છે. આ માહિતી જાણીતા ટેક પ્લેટફોર્મ WA Beta Info દ્વારા પણ શેર કરવામાં આવી છે.
નવી વ્યવસ્થા મુજબ, જે યુઝર્સ કમ્પ્યુટર અથવા લૅપટોપ પર Linked Device તરીકે WhatsApp ચલાવે છે, તેમનું સેશન દર 6 કલાકે આપમેળે લોગઆઉટ થઈ જશે. કમ્પ્યુટર પર ફરીથી WhatsApp વાપરવા માટે યુઝરને મુખ્ય મોબાઇલ એપ મારફતે ફરી લિંક કરવું પડશે. આ પગલું સુરક્ષા વધારવા અને અનધિકૃત ઍક્સેસ અટકાવવા માટે લેવામાં આવી રહ્યું છે.
ગયા વર્ષે DoTએ તમામ મેસેજિંગ પ્લેટફોર્મને સિમ-બાઇન્ડિંગ ફીચર અમલમાં મૂકવા સૂચના આપી હતી. સિમ-બાઇન્ડિંગનો અર્થ એ છે કે જે નંબરથી એકાઉન્ટ ચલાવવામાં આવે છે, તે નંબરનું સિમ કાર્ડ ફોનમાં સક્રિય હોવું જોઈએ. આ નિયમનો મુખ્ય હેતુ સાયબર ફ્રોડ, ફેક એકાઉન્ટ અને ઑનલાઇન ઠગાઈના બનાવોમાં ઘટાડો લાવવાનો છે.
જો કે, આ નિર્ણયથી ઘણા યુઝર્સને પ્રારંભિક અસુવિધાનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને તેઓને જેઓ સિમ વગર Wi-Fi આધારિત ઉપયોગ કરતા હતા. છતાં, સરકારનો દાવો છે કે આ પગલું લોકોની સુરક્ષા અને ડિજિટલ વિશ્વાસ વધારવા માટે જરૂરી છે. 1 માર્ચથી આ નિયમ WhatsApp, Telegram અને Signal સહિત તમામ મુખ્ય મેસેજિંગ એપ્સ પર લાગુ પડશે.
જેથી ખાડી દેશો તરફથી થતી તેલ અને ગેસની નિકાસ સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ ઘેરાબંધીના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં મોટો ઉછાળો આવી શકે છે અને $150 પ્રતિ બેરલને પાર પહોંચી શકે છે. આ નિર્ણય વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે કોઈ ઓઇલ બોમ્બથી ઓછો નથી
ઈરાનનું આ પગલું સીધી રીતે અમેરિકા અને તેના સહયોગીઓ માટે મોટી આર્થિક પડકાર બનીને ઊભું થયું છે, જેના કારણે હવે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ વધી ગઈ છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ એટલો સાંકડો છે કે તેના સૌથી ઓછા પહોળાઈના ભાગમાં જહાજોને પસાર થવા માટે માત્ર 3 કિલોમીટરનો રસ્તો મળે છે. ઈરાને આ ‘નબળાઈ’ને પોતાનું હથિયાર બનાવી લીધું છે. ખાડીના આ સાંકડા રસ્તાથી દુનિયાનો લગભગ 25 ટકા તેલ અને ગેસ પસાર થાય છે, જે અટકવાથી સીધો અર્થ એ થાય છે કે વૈશ્વિક સ્તરે ઊર્જાનું મોટું સંકટ ઊભું થઈ શકે છે.
હોર્મુઝ બંધ થવાથી શું થશે? તેલની ભારે તંગી: ભારત, ચીન અને જાપાન જેવા એશિયાઈ દેશો પોતાની ઊર્જાની જરૂરિયાત માટે આ જ રસ્તા પર આધાર રાખે છે. સપ્લાય અટકવાથી પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાઈ શકે છે.
મોંઘવારીનો વિસ્ફોટ: જ્યારે તેલ મોંઘું થશે, ત્યારે માલ-સપ્લાયથી લઈને વીજળી સુધી બધું મોંઘું થઈ જશે, જેના કારણે દુનિયાભરમાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. સૈન્ય ટકરાવનો ખતરો: અમેરિકા હંમેશા કહે છે કે તે હોર્મુઝને ખુલ્લો રાખવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આવી સ્થિતિમાં અમેરિકન નૌસેના અને ઈરાન વચ્ચે સમુદ્રમાં સીધો ટકરાવ હવે નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.
મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26 નું વિવિધ પ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસેથી ટેક્સ વસુલવાની કામગીરી મિલકતવેરા શાખાએ હાથ ધરી હતી. તેવામાં છેલ્લા દિવસોમાં વેરો નહીં ભરનારા 88 બાકીદારોની મિલકત સીલ કરવામાં આવી છે અને 2 આસામીના નળ કનેક્શન કટ કર્યા છે.
મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા જે આસામીઓ દ્વારા મિલકતવેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને વોરંટ બજવણી અને સીલિંગ કામગીરી કરવામાં આવે છે અત્યાર સુધીમા કુલ 634 મિલકતવેરો ન ભરનાર આસામીને નોટિસ આપી હતી, આ સીલીંગ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાં કુલ 26,54,90,700 ની મિલકતવેરા શાખાને આવક થઈ હતી.
તેમજ જુદા- જુદા કલ્સટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી 2,53,13,352 ની મિલકતવેરા શાખાને આવક થઈ હતી. જેમાં 24 બાકીદારોએ મિલકતની રકમ ભરતા તેઓની મિલકતનું સીલ ખોલવામાં આવ્યું હતું. હાલ 64 મિલકતધારકોને મિલકત સીલ કરાય છે, અને જે રહેણાંક મિલકત હોય તેનો મિલકતવેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેવી 2 મિલકતનું નળકનેકશન કટ કરવામાં આવ્યું છે.
આગામી સમયમાં જે રહેણાંક મિલકતના 10000 ઉપર મિલકતવેરો બાકી તેવી દરેક મિલકતને વોરંટ રૂબરૂ તેમજ મોબાઈલ દ્રારા આપતા મિલકતધારક દ્રારા ટેકસ ભરપાઈ કરવામાં નહિ આવે તેવી રહેણાંક મિલકતના નળ અને ડ્રેનેજ કનેકશન કટ કરવામાં આવશે.