HomeAllરક્ષાબંધન 2026: ગુજરાતમાં ક્યારે ઉજવાશે રક્ષાબંધન? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ભદ્રા...

રક્ષાબંધન 2026: ગુજરાતમાં ક્યારે ઉજવાશે રક્ષાબંધન? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ભદ્રા અંગે મહત્વની માહિતી

ભાઈ-બહેનના: અતૂટ પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક ગણાતો રક્ષાબંધનનો તહેવાર નજીક આવતાં જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક જ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે—આખરે રાખડી 27 ઓગસ્ટે બાંધવી કે 28 ઓગસ્ટે? પંચાંગમાં પૂર્ણિમા તિથિ બે દિવસ સુધી રહેવાના કારણે લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. જો તમે પણ રક્ષાબંધનની સાચી તારીખ અને શુભ સમય જાણવા માંગતા હોવ તો આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. હિંદુ પંચાંગ અનુસાર વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર શુક્રવાર, 28 ઓગસ્ટે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિનો પ્રારંભ 27 ઓગસ્ટે સવારે 9:08 વાગ્યે થશે અને તેનો સમાપન 28 ઓગસ્ટે સવારે 9:48 વાગ્યે થશે.

ઉદય તિથિના નિયમને ધ્યાનમાં રાખીને રાખડી બાંધવાનો મુખ્ય દિવસ 28 ઓગસ્ટ માનવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ મોટાભાગના મંદિરો અને જ્યોતિષાચાર્યો પંચાંગના આધારે 28 ઓગસ્ટે જ રક્ષાબંધન ઉજવવાની સલાહ આપી રહ્યા છે. આ દિવસે સૂર્યોદય બાદથી પૂર્ણિમા તિથિ યથાવત રહેતી હોવાથી સવારે રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. સ્થાનિક પંચાંગ અનુસાર શહેર પ્રમાણે શુભ સમય થોડો બદલાઈ શકે છે, તેથી પોતાના વિસ્તારના પંચાંગ અથવા મંદિરની માહિતી પણ ચકાસવી યોગ્ય રહેશે. ધાર્મિક માન્યતા મુજબ ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધવાનું ટાળવામાં આવે છે.

રાહતની વાત એ છે કે 28 ઓગસ્ટે સૂર્યોદય પહેલાં જ ભદ્રા પૂર્ણ થઈ જશે, એટલે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો અવરોધ રહેશે નહીં અને બહેનો નિઃચિંતે શુભ મુહૂર્તમાં ભાઈના હાથ પર રાખડી બાંધી શકશે. ઉપલબ્ધ પંચાંગ મુજબ રાખડી બાંધવાનો શુભ સમય સવારે શરૂ થઈ આશરે 9:48 વાગ્યા સુધી અનુકૂળ રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments