HomeAllRBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા...

RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ

RBIએ: KYC અપડેટ નામે થતી છેતરપિંડી સામે ચેતવણી. શંકાસ્પદ મેસેજ, કોલ, લિંક્સથી સાવધ રહેવા ગ્રાહકોને સૂચના. ઉતાવળ ટાળો, માહિતી સત્તાવાર બેંક વેબસાઇટ પર ચકાસો.OTP, પિન, પાસવર્ડ જેવી ગુપ્ત વિગતો કોઈને ન આપો. ભારત હવે ડિજિટલ બની ગયું છે, પરંતુ તેના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છે. કારણ કે હવે તમે મેસેજ કે ફોન કોલ્સ દ્વારા સરળતાથી છેતરપિંડીનો ભોગ બની શકો છો.

તાજેતરમાં RBI એ લોકોને આવા એક કૌભાંડ વિશે ચેતવણી આપી છે જેથી તમે આવી છેતરપિંડીનો શિકાર ન બનો. વાસ્તવમાં આજના દિવસોમાં ઘણા લોકોને તેમના મોબાઇલ ફોન પર મેસેજ મળી રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, “તમારું KYC અપડેટ કરો, નહીં તો તમારું બેન્ક એકાઉન્ટ બ્લોક થઈ જશે.” આ મેસેજ મારફતે RBIને લોકોને ચેતવણી આપવા માટે પ્રેરિત કર્યા છે. આ સાયબર છેતરપિંડીની એક નવી પદ્ધતિ હોઈ શકે છે. RBI એ ગ્રાહકોને આવા નકલી મેસેજ, કોલ્સ અને લિંક્સથી સાવધ રહેવાની સલાહ આપી છે. તેનાથી કેવી રીતે બચવું તે અંગે ટિપ્સ પણ આપી છે. આ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવે છે

સ્કેમર્સ ઘણીવાર લોકોને લિંક્સ પર ક્લિક કરવા અને પછી તેમની બેંકિંગ માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરીને ભય અથવા ગભરાટનું વાતાવરણ બનાવે છે. આવા કિસ્સાઓમાં RBI એ આવી છેતરપિંડીને રોકવા માટે ત્રણ નિયમો આપ્યા છે. રાહ જુઓ: ઉતાવળમાં નિર્ણયો ન લો. જો તમને તમારા KYC અપડેટ કરવાનો દાવો કરતો મેસેજ અથવા કોલ મળે અને તાત્કાલિક કાર્યવાહી કરવાનું કહેવામાં આવે તો અટકી જાવ. જો તમે મિનિટો કે કલાકોમાં તમારું KYC અપડેટ નહીં કરો તો સ્કેમર્સ ઘણીવાર તમારા એકાઉન્ટને બંધ અથવા બ્લોક કરવાની ધમકી આપે છે.

આવી ધમકીઓથી ગભરાવાની જરૂર નથી. કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં અથવા તમારી બેંકિંગ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. વિચારો: સંદેશની સત્યતા તપાસો. બીજો નિયમ વિચારવાનો છે. તરત જ કોઈ મેસેજ અથવા કોલ સાચો છે એમ માની લેશો નહીં. RBI સલાહ આપે છે કે, બેંક અને NBFC-સંબંધિત KYC બાબતોમાં શંકાસ્પદ લિંક્સથી સાવચેત રહો.

જો તમને તમારા KYC અપડેટ કરવા માટે કોઈ લિંક મોકલવામાં આવે છે, તો તેના પર ક્લિક કરવાને બદલે તમારી બેંક અથવા NBFCની સત્તાવાર વેબસાઇટ, એપ્લિકેશન અથવા હેલ્પલાઇન દ્વારા માહિતીની ચકાસણી કરો. કાર્ય: સુરક્ષિત રીતે પગલા ભરો

ત્રીજો નિયમ એ છે કે કાર્ય કરો, પરંતુ તે યોગ્ય રીતે કરો. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. તમારો OTP, ATM અથવા ડેબિટ કાર્ડ પિન, ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ અથવા અન્ય ગુપ્ત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. વધુમાં જો તમને કોઈ શંકાસ્પદ સંદેશ મળે તો તેની પુષ્ટી કરવા માટે તમારી બેંક અથવા NBFC નો સીધો સંપર્ક કરો. યાદ રાખો, અજાણી લિંક્સ તમારા બેન્ક એકાઉન્ટ અને વ્યક્તિગત માહિતી માટે નોંધપાત્ર જોખમ ઊભું કરી શકે છે. RBI ગ્રાહકોને સતર્ક રહેવા અને ઉતાવળમાં કોઈપણ પગલાં લેવાનું ટાળવાની સલાહ આપે છે. થોભો, વિચારો અને પછી સુરક્ષિત રીતે કાર્ય કરો. KYCના નામે ઓનલાઈન છેતરપિંડી ટાળવાનો આ સૌથી સરળ રસ્તો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments