HomeAllપેક્‍ડ ફૂડ પર વોર્નિંગ-લેબલના મુદ્દે કેન્‍દ્ર સરકાર બે સપ્તાહમાં નિર્ણય લેઃ...

પેક્‍ડ ફૂડ પર વોર્નિંગ-લેબલના મુદ્દે કેન્‍દ્ર સરકાર બે સપ્તાહમાં નિર્ણય લેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્‍હી: પેક્‍ડ ફૂડ પર ફ્રન્‍ટ-ઑફ-પેક વોર્નિગ લેબલ લગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્‍દ્ર સરકારને માત્ર બે સપ્તાહમાં નિર્ણય લેવાનો આદેશ આપ્‍યો હતો. જાસ્‍ટિસ જે. બી. પારડીવાલા અને જાસ્‍ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્‍ચે સ્‍પષ્ટ કર્યું છે કે જો સરકાર પોતાની મેળે પગલાં નહીં લે તો કોર્ટે કડક નિર્દેશો જાહેર કરવા પડશે. કોર્ટે સવાલ કર્યો હતો કે શું ભારતે હંમેશાં અવિકસિત દેશ જ બની રહેવું છે?

દેશમાં વધી રહેલી સ્‍થૂળતા (ઓબેસિટી) અને અલ્‍ટ્રા-પ્રોસેસ્‍ડ ફૂડના વપરાશ સામે ચિતા વ્‍યક્‍ત કરતાં કોર્ટે આ મુદ્દાને બંધારણના આર્ટિકલ ૨૧ હેઠળના જીવવાના અધિકાર સાથે જોડ્‍યો છે. NGO 3S અને અવર હેલ્‍થ સોસાયટીની પબ્‍લિક ઇન્‍ટરેસ્‍ટ લિટિગેશન ( PIL ) પર સુનાવણી કરતાં કોર્ટે ફૂડ સેફટી ઍન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્‍ડિયા ( FSSAI )નાં અત્‍યાર સુધીનાં પગલાં સામે ભારે અસંતોષ વ્‍યક્‍ત કર્યો છે.આર્થિક સર્વે ૨૦૨૫-‘૨૬ મુજબ ભારતમાં અલ્‍ટ્રા-પ્રોસેસ્‍ડ ફૂડનું બજાર ૧૫૦ ટકાથી વધુ વધ્‍યું છે અને ૨૪ ટકા મહિલાઓ તથા ૨૩ ટકા પુરુષો વજનવધારા કે સ્‍થૂળતાથી પીડાઈ રહ્યાં છે. પેક્‍ડ ખોરાકમાં સાકર, મીઠું અને ચરબીનું પ્રમાણ વધુ હોવાથી ગ્રાહકોને પ્રોડક્‍ટ પર સ્‍પષ્ટ ચેતવણી મળવી અનિવાર્ય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments