દેશમાં વધી રહેલાં ’ડિજિટલ અરેસ્ટ’ અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓને રોકવા માટે વોટ્સએપ હવે વધુ કડક પગલાં લઈ રહ્યું છે. વોટ્સએપે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે તેઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર આધારિત એવી સિસ્ટમ તૈયાર કરી છે જે પોલીસ કે તપાસ એજન્સીઓના લોગોનો ખોટો ઉપયોગ કરનારાઓને પકડી પાડશે.
ઘણીવાર ઠગો પોલીસ અધિકારી બનીને અથવા સત્તાવાર લોગોનો ઉપયોગ કરીને લોકોને ડરાવે છે, પરંતુ હવે વોટ્સએપની નવી ટેકનોલોજી આવા શંકાસ્પદ એકાઉન્ટ્સને ઓળખી લેશે અને યુઝર્સને તરત જ ચેતવણી (એલર્ટ) આપશે. તપાસ એજન્સીઓ સાથે સહયોગ અને નવા ફેરફાર વોટ્સએપે ખાતરી આપી છે કે તે છેતરપિંડી કરનારા નેટવર્ક અને પોલીસના નામે ખોટા કામ કરનારાઓ વિરૂધ્ધ સમયસર પગલાં લેવા માટે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) અને તપાસ એજન્સીઓને પૂરો સહકાર આપશે.
ખાસ કરીને ’ડિજિટલ અરેસ્ટ’ જેવા કિસ્સાઓમાં, જ્યાં કલાકો સુધી વીડિયો કોલ ચાલું રાખીને લોકોને લૂંટવામાં આવે છે, તેને રોકવા માટે વોટ્સએપ એક મહિનામાં વધુ ટેકનિકલ પગલાં રજૂ કરશે.
એટોર્ની જનરલ આર. વેંકટરમણીએ સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં આ અહેવાલ રજૂ કર્યો છે, જેમાં ટેલિકોમ વિભાગ અને બેંકો સાથે મળીને આ સ્કેમ રોકવાની યોજના તૈયાર કરવામાં આવી છે. સીમ કાર્ડ લેવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત સાયબર ગુનાઓને જડમૂળથી નાબૂદ કરવા માટે સરકાર હવે સીમ કાર્ડ આપવાની પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર કરી રહી છે.
હવેથી તમામ ટેલિકોમ કંપનીઓએ સીમ કાર્ડ આપતા પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન જેમ કે ફિંગરપ્રિન્ટ કરવું પડશે. ડિસેમ્બર 2026 સુધીમાં આ આખી સિસ્ટમ તૈયાર થઈ જશે, જેનાથી એક જ વ્યક્તિ અલગ-અલગ કંપનીઓમાંથી ખોટી રીતે અનેક સીમ કાર્ડ મેળવી શકશે નહીં. આ ઉપરાંત, સીમ કાર્ડ વેચનારા એજન્ટો પર પણ નજર રાખવામાં આવશે જેથી ગુનેગારો નકલી આઈડી પર સીમ કાર્ડ એક્ટિવેટ ન કરી શકે.
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતાં તણાવને કારણે વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. ભારતીય રૂપિયો ડૉલર સામે 95ના સ્તરને પાર કરી જતાં ભારત હવે પોતાની આર્થિક સુરક્ષા માટે સજાગ થયું છે.
રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(RBI)એ બ્રિક્સ દેશો સાથે મળીને એક નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.પશ્ચિમી પ્રતિબંધો અને ડૉલરની અનિશ્ચિતતાનો ઉકેલ આ નવી પેમેન્ટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો અને અમેરિકી ડૉલરની અસ્થિરતાના પ્રભાવને ઓછો કરવાનો છે.
આ ફ્રેમવર્ક હેઠળ બ્રિક્સ સભ્ય દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને UAE) સીમા-પારના વ્યવહારો સ્થાનિક ચલણમાં જ પતાવશે. આનાથી ડૉલરમાં કન્વર્ટ કરવાની ફી બચશે અને પશ્ચિમી બૅંકો પરની નિર્ભરતા ઘટશે.
ભારત માટે ‘ઇન્શ્યોરન્સ પોલિસી’ સમાન નિષ્ણાતોના મતે, આ પેમેન્ટ સિસ્ટમ ભારત માટે મહત્ત્વની વસ્તુઓની આયાત કરવા અને નાણાકીય પ્રતિબંધોથી બચવા માટે એક ‘વીમા પોલિસી’ જેવું કામ કરશે. બ્રિક્સ દેશો પાસે વિશ્વના 42% તેલ અને 40% અનાજનું ઉત્પાદન છે, જે આ જૂથની આર્થિક તાકાત દર્શાવે છે.
અમેરિકા સાથેના સંબંધોમાં સંતુલન જોકે, ભારત માટે પડકાર એ છે કે આ પ્લાનથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ ન થાય. ભારત અમેરિકા સાથે વ્યાપાર કરાર કરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે, તેથી ભારતે અમેરિકાને વિશ્વાસમાં લેવું પડશે કે આ સિસ્ટમ ડૉલરના વિકલ્પ તરીકે નહીં, પરંતુ માત્ર વ્યવહારોને સરળ બનાવવા માટે છે. નવી દિલ્હીમાં આગામી 14-15 મેના રોજ યોજાનારી બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં આ પેમેન્ટ કનેક્ટિવિટીના મુદ્દા પર ગંભીર ચર્ચા થવાની શક્યતા છે.
ભારતની કુલ ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા 1,822 કરોડ લિટર છે, જેનો મોટો હિસ્સો દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા પહેલેથી જ પાણીની તંગી ધરાવતાં રાજ્યોમાંથી આવે છે. પેટ્રોલ સાથે ઇથેનોલ મિશ્રિત કરવાનું ભારતનું આ અભિયાન, જેને ક્લીન એનજીર્ના ઉકેલ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, તે વાસ્તવમાં દેશના જળ સંકટને વધુ ગંભીર બનાવી રહ્યું છે.
આ સમસ્યાના મૂળમાં એવા પાકો છે જે ભારતમાં ઉગાડવામાં આવતા અન્ય પાકો કરતા સૌથી વધુ પાણી પીવે છે, જેમ કે મકાઈ, શેરડી અને દેશનું પ્રિય અનાજ ચોખા'. IPCC ના લેખક અંજલ પ્રકાશે જણાવ્યું હતું કે,ઇથેનોલનું મિશ્રણ ભારતની પાણીની સમસ્યાને બગાડી શકે છે કારણ કે તેનો મુખ્ય કાચો માલ- શેરડી અને મકાઈ- ઉગાડવામાં અને પ્રોસેસ કરવામાં ખૂબ જ વધુ પાણી વાપરવું પડે છે.’
ઇથેનોલ બ્લેન્ડિંગ શું છે અને તેમાં ચોખાનો શું રોલ છે? ઇથેનોલ બ્લેન્ડિંગ એટલે વનસ્પતિ આધારિત આલ્કોહોલ, જેને ઇથેનોલ કહેવામાં આવે છે, તેને પેટ્રોલમાં ભેળવવો જેથી ભારતની આયાતી કાચા તેલ પરની નિર્ભરતા ઓછી કરી શકાય. દેશ આ પ્રોગ્રામને ખૂબ જ ઝડપથી આગળ વધારી રહ્યો છે અને હવે તેમાં ચોખા મુખ્ય કાચો માલ બની ગયા છે.
સરકારે વર્ષ 2024-25 માં ઇથેનોલ ઉત્પાદન માટે 52 લાખ ટન ચોખા ફાળવ્યા હતા, અને હવે 2025-26 માટે 90 લાખ ટનનો લક્ષ્યાંક રાખ્યો છે. આ અનાજની અછત ન પડે તે માટે, સરકારે જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ ગરીબોને વહેંચવામાં આવતા ચોખાનો હિસ્સો 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાની યોજના બનાવી છે, જેથી વધેલા ચોખા સીધા ઇથેનોલ બનાવવા માટે ડિસ્ટિલરીમાં મોકલી શકાય.
ઇથેનોલ બ્લેન્ડિંગ પાણી પર કેવી અસર કરશે? આંકડાઓ આ સમસ્યાને સ્પષ્ટપણે સમજાવે છે. ફૂડ સેક્રેટરી સંજીવ ચોપરાએ 2024 માં દિલ્હીમાં એક વૈશ્વિક કોન્ફરન્સમાં શેર કરેલા ડેટા મુજબ, ચોખામાંથી એક લિટર ઇથેનોલ બનાવવા માટે લગભગ 10,790 લિટર પાણીની જરૂર પડે છે.
જેમાં ખેતી દરમિયાન સિંચાઈ માટે વપરાતા પાણીનો પણ સમાવેશ થાય છે. ચોખા આધારિત ઇથેનોલમાં વપરાતું મોટાભાગનું પાણી તેની ખેતીમાંથી આવે છે, પ્રોસેસિંગમાંથી નહીં. 1 કિલો ચોખા ઉગાડવા માટે લગભગ 3,000 થી 5,000 લિટર પાણી જોઈએ છે.
આશરે 2.5 થી 3 કિલો ચોખામાંથી એક લિટર ઇથેનોલ બને છે, જેનાથી કુલ ‘વોટર ફૂટપ્રિન્ટ’ લગભગ 10,000 લિટરથી વધુ થઈ જાય છે. તેની સરખામણીમાં, એક લિટર ઇથેનોલ બનાવવા માટે મકાઈને 4,670 લિટર અને શેરડીને 3,630 લિટર પાણીની જરૂર પડે છે.
ઉત્પાદનનો રેશિયો આ સ્થિતિને વધુ ખરાબ બનાવે છે. 1 કિલો ચોખા ઉગાડવા માટે આશરે 3,000 લિટર પાણી જોઈએ છે, છતાં 1 ટન ચોખામાંથી માત્ર 470 લિટર ઇથેનોલ જ મળે છે, જે ચોખાને સૌથી વધુ પાણી વાપરતા ઇંધણ સ્ત્રોત બનાવે છે.
આ ઉપરાંત, અંજલ પ્રકાશે ઉમેર્યું કે ઇથેનોલ મિલો મોટા પ્રમાણમાં ગંદુ પાણી પણ પેદા કરે છે, જે જો યોગ્ય રીતે ટ્રીટ ન કરવામાં આવે તો જમીન અને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી શકે છે.
‘કિસાન તક’ ના એડિટર ઓમ પ્રકાશે એક મહત્વની વાત જણાવી કે જ્યારે ખેડૂત 1 કિલો ચોખા ઉગાડવા માટે પાણી વાપરે છે ત્યારે તેના પર સંસાધનો ઘટાડવાનો આરોપ લાગે છે, પરંતુ ઉદ્યોગો જ્યારે 1 લિટર ઇથેનોલ માટે 10,000 લિટરથી વધુ પાણી વાપરે છે ત્યારે તેમને જળ સંકટ માટે જવાબદાર ગણવામાં આવતા નથી.
ભારતમાં પાણી પહેલેથી જ ખૂટી રહ્યું છે ઇથેનોલ બ્લેન્ડિંગ પરનો આ આગ્રહ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ વચ્ચે થઈ રહ્યો છે. નીતિ આયોગના ‘કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્સ’ (CWMI) એ ચેતવણી આપી છે કે 2030 સુધીમાં દિલ્હી, બેંગલુ અને ચેન્નાઈ જેવા 21 મોટા શહેરોમાં ભૂગર્ભ જળ શૂન્ય થઈ શકે છે.
ભારતની કુલ ઇથેનોલ ક્ષમતા 1,822 કરોડ લિટર છે, જેમાંથી મોટો હિસ્સો એવા રાજ્યોમાં છે જે પહેલેથી પાણીની તંગી સામે ઝઝૂમી રહ્યા છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રમાં 396 કરોડ લિટરની ક્ષમતાવાળા પ્લાન્ટ્સ છે, જ્યારે ત્યાંના વિદર્ભ અને મરાઠવાડાના ખેડૂતો પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે.
તેવી જ રીતે, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ઇથેનોલ પ્લાન્ટ્સ એ જ ભૂગર્ભ જળનો ઉપયોગ કરી રહ્યા છે જેને પહેલેથી જ જોખમી સ્તરે નીચે ગયેલું જાહેર કરવામાં આવ્યું છે. જોકે ભારતમાં ઇથેનોલ માટે ચોખાનો ઉપયોગ હજુ નવો છે, પરંતુ દેશ મુખ્યત્વે શેરડી પર નિર્ભર છે. શેરડી પણ 1 લિટર ઇથેનોલ માટે 3,636 લિટર પાણી વાપરે છે.
એનર્જી સ્પેશિયાલિસ્ટ સ્વાતિ શેષાદ્રી જણાવે છે કે શેરડીની ખેતીને કારણે આ પ્રદેશોમાં વોટર લેવલ પહેલેથી જ નીચે ગયું છે અને ઇથેનોલ પ્લાન્ટ્સ આ સ્થિતિને વધુ ખરાબ કરી રહ્યા છે.
વર્ષોથી પંજાબ અને હરિયાણાના ખેડૂતો પર ભૂગર્ભ જળ ઘટાડવાનો આરોપ લાગતો હતો, હવે તે જ પાકોનો ઉપયોગ મોટા પાયે ઇંધણ બનાવવા માટે થઈ રહ્યો છે અને તેને ‘ગ્રીન એનર્જી’ કહેવામાં આવે છે.
આ વિરોધાભાસને અવગણવો મુશ્કેલ છે, અને તેનાથી પણ વધુ મુશ્કેલ એ પરિસ્થિતિ હશે જ્યારે ભારતના શહેરો લાખો લોકોને અસર કરતી પાણીની તીવ્ર અછતનો સામનો કરશે.
શું તમારા ઘરમાં પણ LPG સિલિન્ડર અને PNG પાઈપલાઈન બંને છે? ભારત સરકારે હવે એક ઘર, એક કનેક્શનનો નિયમ કડકાઈથી લાગુ કરી દીધો છે. ગ્લોબલ એનર્જી સંકટ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવના કારણે ગેસની સપ્લાય પ્રભાવિત થઈ છે.
જેના કારણે હવે ડબલ કનેક્શન રાખવું ગેરકાયદેસર થઈ ગયું છે. શું તમે તમારો સિલિન્ડર સરેન્ડર કરી દીધો છે? જાણો સરકારના આ નવા આદેશની તમારા પર કેવી અસર થશે અને કેમ સરકારે નવા ગેસ કનેક્શન આપવા પર રોક લગાવી રાખી છે.
શું તમે એ લોકોમાં આવો છો, જેમના ઘરમાં પાઈપવાળી ગેસ એટલે કે PNG પણ છે અને ખૂણામાં એક LPGનો બાટલો પણ રાખેલો છે. જો હા, આ સમાચાર આપના માટે છે. કેમ કે સરકાર હવે આ ડબલ ફાયદા પર લગામ લગાવવાની તૈયારી કરી ચૂકી છે. હકીકતમાં દિલ્હીમાંથી આવેલા તાજા રિપોર્ટ અનુસાર, સરકાર હવે એ ઘરોની ઓળખ કરી રહી છે, જ્યાં LPG અને PNG બંને કનેક્શન એક સાથે ચાલી રહ્યા છે.
આ પગલું એટલા માટે ઉઠાવવામાં આવ્યું છે, જેથી ગેસની કાળાબજારી રોકાઈ શકે અને સબસિડીનો લાભ એ લોકો સુધી પહોંચી શકે, જેની વાસ્તવમાં તેમને જરૂર છે. સરકારે ગત મહિને જ એક કડક આદેશ જાહેર કર્યો હતો, જેમાં સ્પષ્ટ કહેવાયું હતું કે જે ઘરોમાં પાઈપથી રસોઈ ગેસ પહોંચી રહ્યો છે, તેઓ હવે સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડર રાખી શકશે નહીં. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે 14 માર્ચના રોજ જરૂરી વસ્તુ અધિનિયમ અંતર્ગત જૂના નિયમોમાં બદલાવ કરતા આ ફરજિયાત કરી દીધું છે કે જો આપની પાસે PNG કનેક્શન છે, તો તમારે તમારું LPG કનેક્શન તરત સરેન્ડર કરવાનું રહેશે.
આ નિર્ણય પાછળ મોટું કારણ દુનિયાભરમાં ચાલી રહેલા ઊર્જા સંકટ છે, જેના કારણે સરકાર ઈચ્છે છે કે PNGનો ઉપયોગ વધે અને LPG સિલિન્ડર પર પ્રેશર ઓછું થાય. આ નિયમની અસર ખાલી ગ્રાહકો પર જ નહીં પણ તેલ કંપનીઓ અને ગેસ ડિસ્ટ્રિબ્યૂટર્સ પર પણ પડશે. હવે સરકારી તેલ કંપનીઓ અને તેમના ડીલરોને કડક નિર્દેશ આપ્યા છે કે તેઓ એવા કોઈ પણ ગ્રાહકોને નવા LPG કનેક્શન ન આપે અથવા સિલિન્ડર રિફીલ ન કરે, જેમના ઘરમાં પહેલાથી PNGની સપ્લાય છે.
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે હાલમાં એ વાતનું આકલન કરી રહ્યા છીએ કે દેશમાં કુલ કેટલા એવા પરિવાર છે, જે બંને સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. આંકડાની વાત કરીએ તો, સુજાતા શર્માએ જાણકારી આપી છે કે અત્યાર સુધી લગભગ 43,000થી વધારે એવા લોકો સામે આવ્યા છે, જેમણે PNG હોવાના કારણે LPG કનેક્શન ખુદ સરેન્ડર કરી દીધું છે. જો કે સરકારનું માનવું છે કે આ સંખ્યા હજુ ઘણી ઓછી છે અને અસલમાં આવા લાખો લોકો છે, જેમની પાસે બંને કનેક્શન છે.
સરકાર હવે ડેટા દ્વારા આવા લોકો સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે, જેથી નિયમોનું પાલન કડકાઈથી કરાવી શકાય અને જે લોકો ખુદ કનેક્શન નથી છોડી રહ્યા છે, તેમના પર કાર્યવાહી થઈ શકે. સરકારના આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય એ પરિવારોને પ્રાથમિકતા આપવાનો છે, જેમની પાસે પાઈપવાળી ગેસની સુવિધા નથી. ભારત પોતાની જરૂરિયાતનો લગભગ 88 ટકા ક્રૂડ ઓઈલ, 50 ટકા પ્રાકૃતિક ગેસ અને 60 ટકા એલપીજી વિદેશોમાંથી આયાત કરે છે.
આવા સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર કેટલાય તણાવ છે, તો ભારતમાં ગેસ અને તેલની સપ્લાય પર સીધી અસર પડે છે. હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી હાલાતોના કારણે સપ્લાય ચેનમાં ભારે તકલીફ આવી રહી છે, જેને જોતા ઘરેલુ સંસ્થાનો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી થઈ ગયું છે. જો સપ્લાય રૂટની વાત કરીએ તો, સઉદી અરબ અને યૂએઈ જેવા દેશોમાંથી ભારતનો 85-90 ટકા એલપીજી આવે છે.
હાલમાં જ ઈરાન અને ઈઝરાયેલની વચ્ચે તણાવના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો પ્રભાવિત થયો છે. જ્યાંથી ભારતનું મોટા ભાગનું ઈંધણ આવે છે. જો કે ભારતે રશિયા જેવા દેશો પાસેથી ઓઈલ ખરીદી ક્રૂડની કમી તો ઘણા બધા અંશે સંભાળી લીધી છે. પણ ગેસની સપ્લાય હજુ પણ એક મોટો પડકાર બનેલો છે. આ સંકટને જોતા સરકારે હાલમાં નવા એલપીજી કનેક્શન આપવા પર રોક લગાવી રાખી છે. આ આખી સ્થિતિની અસર ખાલી સામાન્ય જનતા પર જ નહીં પણ કોમર્શિયલ સેક્ટર પર પણ દેખાઈ રહી છે.
ગેસની કમીના કારણે હોટલો અને રેસ્ટોરન્ટ્સને આપવામાં આવતા એલપીજીની સપ્લાયમાં કાપ કર્યો છે અને ઈન્ડસ્ટ્રિયલ યુનિટ્સ માટે પણ ગેસની ઉપલબ્ધતા ઓછી થઈ ગઈ છે. સરકારનું માનવું છે કે જ્યાં સુધી ગ્લોબલ માર્કેટમાં હાલત સામાન્ય નહીં થાય, ત્યાં સુધી એક વ્યક્તિને એક જ ગેસ કનેક્શનની સુવિધા આપવામાં આવશે, જેથી દેશના દરેક ખૂણે રસોઈ બનતી રહે અને કોઈ પણ ઈંધણની તકલીફનો સામનો ન કરે.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જુદાજુદા વિસ્તારમાં આવેલ ચાર પીવાનું પાણી સપ્લાઈ કરતાં પ્લાન્ટમાં જઈને ત્યાંથી નમુના લેવામાં આવ્યા હતા તે પૈકીનાં બે પાણીના પ્લાન્ટના નમુનાનું પરિણામ અસંતોષકારક આવ્યું હતું જેથી તે બંને પાણીના પ્લાન્ટની પેઢીઓને હાલમાં નોટીસ આપવામાં આવેલ છે.
અને બંને પ્લાન્ટને બંધ કરાવવામાં આવેલ છે. મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સત્યમ વોટર, રાજા મિનરલ વોટર, દેવ વોટર સપ્લાય અને સુપર ડીલક્ષ વોટરના પ્લાન્ટમાંથી નમુના લેવામાં આવ્યા હતા જેમાંથી નવલખી રોડ પર આવેલા દેવ વોટર સપ્લાય તેમજ સુપર ડીલક્ષ વોટરમાં પાણીના નમુનાનું પરિણામ અસંતોષકારક આવતા બંને પાણીના પ્લાન્ટની પેઢીઓને નોટીસ આપવામાં આવેલ છે.
જ્યાં સુધી પાણીના શુદ્ધિકરણનું પરિણામ સંતોષકારક ન આવે ત્યાં સુધી કામગીરી બંધ કરવા માટેની સુચના મનપાની ફૂડ શાખા દ્વારા આપવામાં આવી છે આ સાથે મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા તમામ પાણીના પ્લાન્ટના વેપારીઓને તાકીદ કરવામાં આવી છે કે, પાણીનું શુદ્ધિકરણ અને પાણીની ગુણવત્તા જળવાય રહે અન્યથા ફૂડ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
મોરબીના મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને વિપક્ષ વગરની મહાપાલિકા ભાજપની બની છે ત્યારે આ મહાપાલિકાના પ્રથમ મેયર કોણ બનશે તેની લઈને ઠેરઠેર ચર્ચા ચાલી રહી છે સાથોસાથ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને શાસક પક્ષના દંડક કોણ બનશે તેના ઉપર સહુ કોઇની નજર છે.
નવરચિત મહાપાલિકાના પ્રથમ મેયર રાજકીય અનુભવી વ્યક્તિ હશે કે પછી નવા નિશાળિયાને મેયર બનાવવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે જો કે, અંદરખાને હાલમાં લોબિંગ શરૂ થઈ ગયું છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી મહાપાલિકાના મેયર પદ માટેનું રોટેશન જાહેર કરવામાં આવ્યું હતું તેમાં પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અને પછીના અઢી વર્ષ માટે મહિલા અનામત મેયર પદ માટે જાહેર કરવામાં આવી છે.
જો વાત કરીએ મોરબી મહાપાલિકાની ચૂંટણીની તો તાજેતરમાં જે પરિણામ આવ્યું છે તેમાં વિપક્ષને મહાપાલિકામાં બેસવા જેવુ મતદારોએ રહેવા દીધું નથી એટ્લે કે 52 એ 52 બેઠક ઉપર હાલમાં ભાજપના ઉમેદવારો ચૂંટાયેલ છે. જેમાં ઓબીસીની કેટેગીરીમાં 3 મહિલા સહિત કુલ 13 વ્યક્તિ આવે છે જો કે, પ્રથમ અઢી વર્ષ પછી મેયર પદ માટે મહિલા અનામત છે જેથી પહેલા મેયર મહિલા બને તેવી હાલમાં કોઈ શક્યતા દેખાતી નથી.
બાકીના નવ ચૂંટાયેલા આગેવાનોમાં ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા, વિવેક રમેશભાઇ ગોલતર, ભગિરથ મનસુખભાઇ બરાસરા, ઉતમ મહેશભાઇ સુરાણી, હીરેનભાઇ પરબતભાઈ કરોતરા, ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા અને ગણેશભાઇ નાનજીભાઇ ડાભી, બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા, ભાવિકકુમાર ભરતભાઈ જારીયા વિગેરેનો સમાવેશ થાય છે આ ચૂંટાયેલા આગેવાનોમાંથી ઘણા પહેલી વખત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ઉમેવદાર બન્યા હતા.
અને ચૂંટાયેલ છે જેથી તેઓને અધિકારી અને કર્મચારી પાસેથી કામ લેવાનો અનુભવ નથી, સરકાર પાસેથી વિકાસ માટેની ગ્રાન્ટ લેવી રીતે મેળવવી તેનો કોઈ અનુભવ નથી જેથી નવા નિશાળિયા જેવા આગેવાનને મેયર બનાવવામાં આવે તો ભાજપ શહેરનો ધર્યો વિકાસ કરી શકે નહીં જેથી આ પદ ઉપર અનુભવી આગેવાનને તક આપવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકતી નથી.
જેમાં પાલિકામાં અગાઉ ચૂંટાયેલ હોય અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં કામ કરવાનો અનુભવ હોય તેવા આગેવાનમાં ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા, બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા અને ભાવિકકુમાર ભરતભાઈ જારીયાનો સમાવેશ થાય છે જો કે, ભાજપ દ્વારા કોના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.
ઉલેખનીય છે કે, જો મેયર બોરિચા સમજમાંથી આવશે તો ડેપ્યુટી મેયર સતવારા સમાજમાંથી આવશે અને જો કે, મેયર સતવારા સમજમાંથી આવશે તો ડેપ્યુટી મેયર બોરિચા સમજમાંથી આવશે તે નિશ્ચિત છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાટીદાર સમજમાંથી આવશે તે લગભગ નિશ્ચિત છે. જો કે, શાસક પક્ષના નેતા ક્ષત્રિય સમાજ અને શાસક પક્ષના દંડકમાં બ્રહ્મણ કે સોની સમાજને સ્થાન મળી શકે છે.
છતા પક્ષ દ્વારા કોને કયું પદ આપવામાં આવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે પરંતુ મહાપાલિકાની પ્રથમ બોડીમાં મોભાદાર પદ મેળવવા માટે અંદરખાને કયાંક ને ક્યાંક લોબિંગ શરૂ થઈ ગયું છે.
મોરબીના મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને વિપક્ષ વગરની મહાપાલિકા ભાજપની બની છે ત્યારે આ મહાપાલિકાના પ્રથમ મેયર કોણ બનશે તેની લઈને ઠેરઠેર ચર્ચા ચાલી રહી છે સાથોસાથ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને શાસક પક્ષના દંડક કોણ બનશે તેના ઉપર સહુ કોઇની નજર છે.
નવરચિત મહાપાલિકાના પ્રથમ મેયર રાજકીય અનુભવી વ્યક્તિ હશે કે પછી નવા નિશાળિયાને મેયર બનાવવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે જો કે, અંદરખાને હાલમાં લોબિંગ શરૂ થઈ ગયું છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી મહાપાલિકાના મેયર પદ માટેનું રોટેશન જાહેર કરવામાં આવ્યું હતું તેમાં પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અને પછીના અઢી વર્ષ માટે મહિલા અનામત મેયર પદ માટે જાહેર કરવામાં આવી છે.
જો વાત કરીએ મોરબી મહાપાલિકાની ચૂંટણીની તો તાજેતરમાં જે પરિણામ આવ્યું છે તેમાં વિપક્ષને મહાપાલિકામાં બેસવા જેવુ મતદારોએ રહેવા દીધું નથી એટ્લે કે 52 એ 52 બેઠક ઉપર હાલમાં ભાજપના ઉમેદવારો ચૂંટાયેલ છે. જેમાં ઓબીસીની કેટેગીરીમાં 3 મહિલા સહિત કુલ 13 વ્યક્તિ આવે છે જો કે, પ્રથમ અઢી વર્ષ પછી મેયર પદ માટે મહિલા અનામત છે જેથી પહેલા મેયર મહિલા બને તેવી હાલમાં કોઈ શક્યતા દેખાતી નથી.
બાકીના નવ ચૂંટાયેલા આગેવાનોમાં ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા, વિવેક રમેશભાઇ ગોલતર, ભગિરથ મનસુખભાઇ બરાસરા, ઉતમ મહેશભાઇ સુરાણી, હીરેનભાઇ પરબતભાઈ કરોતરા, ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા અને ગણેશભાઇ નાનજીભાઇ ડાભી, બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા, ભાવિકકુમાર ભરતભાઈ જારીયા વિગેરેનો સમાવેશ થાય છે આ ચૂંટાયેલા આગેવાનોમાંથી ઘણા પહેલી વખત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ઉમેવદાર બન્યા હતા.
અને ચૂંટાયેલ છે જેથી તેઓને અધિકારી અને કર્મચારી પાસેથી કામ લેવાનો અનુભવ નથી, સરકાર પાસેથી વિકાસ માટેની ગ્રાન્ટ લેવી રીતે મેળવવી તેનો કોઈ અનુભવ નથી જેથી નવા નિશાળિયા જેવા આગેવાનને મેયર બનાવવામાં આવે તો ભાજપ શહેરનો ધર્યો વિકાસ કરી શકે નહીં જેથી આ પદ ઉપર અનુભવી આગેવાનને તક આપવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકતી નથી.
જેમાં પાલિકામાં અગાઉ ચૂંટાયેલ હોય અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં કામ કરવાનો અનુભવ હોય તેવા આગેવાનમાં ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા, બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા અને ભાવિકકુમાર ભરતભાઈ જારીયાનો સમાવેશ થાય છે જો કે, ભાજપ દ્વારા કોના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.
ઉલેખનીય છે કે, જો મેયર બોરિચા સમજમાંથી આવશે તો ડેપ્યુટી મેયર સતવારા સમાજમાંથી આવશે અને જો કે, મેયર સતવારા સમજમાંથી આવશે તો ડેપ્યુટી મેયર બોરિચા સમજમાંથી આવશે તે નિશ્ચિત છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાટીદાર સમજમાંથી આવશે તે લગભગ નિશ્ચિત છે. જો કે, શાસક પક્ષના નેતા ક્ષત્રિય સમાજ અને શાસક પક્ષના દંડકમાં બ્રહ્મણ કે સોની સમાજને સ્થાન મળી શકે છે.
છતા પક્ષ દ્વારા કોને કયું પદ આપવામાં આવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે પરંતુ મહાપાલિકાની પ્રથમ બોડીમાં મોભાદાર પદ મેળવવા માટે અંદરખાને કયાંક ને ક્યાંક લોબિંગ શરૂ થઈ ગયું છે.
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા 177 જેટલા ઉમેદવારોમાંથી આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ મળીને 94 જેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનીને લોક સેવા કરવા માટે ઘણા આગેવાનો દ્વારા રાજકીય પક્ષો અને અપક્ષોમાંથી ઉમેદવારી નોંધાવવામાં આવી હતી 52 બેઠકો માટે કુલ 177 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી જોકે, મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં મતદારો દ્વારા 65.62 ટકા જેટલું મતદાન કરવામાં આવ્યું હતું
તે મતોની ગણતરી કરવામાં આવી હતી દરમિયાન જે તે વોર્ડમાં માન્ય થયેલા મતોને 16 થી ભાંગવામાં આવેલ ત્યાર બાદ જે આંકડો આવે તેટલા મતો જે ઉમેદવારોને મળ્યા હોય તેમની ડિપોઝિટ બચી જાય છે તેનાથી ઓછા મત જે ઉમેદવારોને મળ્યા હોય તેવા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ જતી હોય છે. મોરબીમા મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જે ઉમેદવારો હતા
તેમાંથી કોંગ્રેસના 28, આમ આદમી પાર્ટીના 46 તથા અન્ય પક્ષ અને અપક્ષના 20 આમ કુલ મળીને 94 જેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાની ચૂંટણીમાં 52 ને 52 બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા
જો કે, પરિણામ જાહેર થયું ત્યારે 52 પૈકીના 46 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગયેલ છે. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો 49 બેઠક ઉપર કોંગ્રેસે તેના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને તે પૈકીના 28 જેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે આ ઉપરાંત અન્ય પક્ષ અને અપક્ષમાંથી જે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી તેમાંથી 20 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થયેલ છે
શું તમે પણ કુલરને એસી બનાવવા માટે તેમાં બરફના ચોસલા નાખો છો? ટેકનિકલ રીતે જાણો કે આ દેશી જુગાડ ખરેખર કામ કરે છે કે પછી તમે ખોટી મહેનત કરી રહ્યા છો. ગુજરાતમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે લોકો પોતાના કુલરમાં બરફના ટુકડા નાખીને તેને ‘બરફીલું’ બનાવવાનો પ્રયાસ કરે છે. ઘણા લોકો માને છે કે ટાંકીમાં બરફ નાખવાથી એસી જેવી ઠંડક મળશે, પરંતુ શું આ વાતમાં ખરેખર દમ છે?
ટેક એક્સપર્ટ્સ અને વિજ્ઞાન કાંઈક અલગ જ વાર્તા કહે છે. સત્ય એ છે કે કુલરમાં બરફ નાખવાથી મળતી ઠંડક એટલી મામૂલી હોય છે કે જે કદાચ તમને અનુભવાય પણ નહીં! બરફ નાખવો એ અડધું સત્ય છે! કુલર જે ટેકનિકલ સિદ્ધાંત પર કામ કરે છે, તેમાં પાણી પોતાની જાતે જ ઠંડું થતું હોય છે. જ્યારે પંપ દ્વારા પાણી ઘાસ અથવા હનીકોમ્બ પેડ પર પડે છે અને તેમાંથી હવા પસાર થાય છે, ત્યારે ‘બાષ્પીભવન’ની પ્રક્રિયાથી પાણી કુદરતી રીતે જ ઠંડું થાય છે.
જો તમે પાણીમાં સીધો બરફ નાખો છો, તો તે પાણીના પ્રવાહને કારણે મિનિટોમાં પીગળી જાય છે અને તેની અસર બહુ લાંબો સમય ટકતી નથી. આઈસ ચેમ્બરવાળા કુલરનું ગણિત માત્ર એવા જ કુલરમાં બરફનો થોડો ફાયદો મળી શકે છે જેમાં અલગથી ‘આઈસ બોક્સ’ અથવા ‘આઈસ ચેમ્બર’ આપેલું હોય. પ્લાસ્ટિકના એવા કુલર જે રૂમની અંદર રાખવામાં આવે છે, તેમાં પાણી કુદરતી રીતે ઠંડું થવામાં વાર લાગે છે, ત્યાં બરફ થોડી રાહત આપી શકે છે.
પરંતુ જો તમે બહારની હવા લેતું લોખંડનું મોટું કુલર વાપરતા હોવ, તો તેમાં બરફ નાખવો એ પાણી અને મહેનતનો બગાડ માત્ર છે.ઠંડક વધારવાની અસલી અને સચોટ રીતો: જો તમારે કુલરમાંથી એસી જેવી ઠંડક જોઈતી હોય, તો બરફ નાખવાને બદલે આ ચાર બાબતો પર ધ્યાન આપો:
ક્રોસ વેન્ટિલેશન: કુલર ક્યારેય બંધ રૂમમાં ન ચલાવો. તેની સામેની બારી કે દરવાજો ખુલ્લો રાખો જેથી ભેજવાળી હવા બહાર નીકળી શકે. જો રૂમમાં એક્ઝોસ્ટ ફેન હોય તો તે ચાલુ રાખવો શ્રેષ્ઠ છે. યોગ્ય સ્થાન: કુલરને હંમેશા બારી પર જ ગોઠવો. બહારની સૂકી અને તાજી હવા કુલરના પાણીને વધુ ઝડપથી ઠંડું કરી શકે છે.
પેડ્સની સફાઈ: જો કુલરના ઘાસ કે પેડ્સમાં ક્ષાર જામી ગયો હોય કે ધૂળ ભરાઈ હોય, તો તેને તરત બદલો. જો પેડ્સ બરાબર પલળશે નહીં તો ઠંડક મળશે નહીં.
સમયસર ચલાવો: બપોરે ભયાનક તાપ વધે તે પહેલા જ કુલર ચાલુ કરી દેવું જોઈએ, જેથી ઘરની દીવાલો અને છતનું તાપમાન જળવાઈ રહે. કુલરમાં બરફ નાખવાથી તે એસી નથી બની જતું. તેના કરતા કુલરને હવા ઉજાસવાળી જગ્યાએ રાખીને યોગ્ય રીતે વાપરશો, તો તે કુદરતી રીતે જ તમને શિમલા જેવી ઠંડક આપશે. તમારા ખિસ્સા પર બોજ વધારવા કરતા આ સ્માર્ટ ટિપ્સ અપનાવો!
મોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી થયેલા ભાજપના ઉમેદવારો અને ચૂંટાયેલા સભ્યો માટે આયોજિત માર્ગદર્શન સમારોહમાં પક્ષના આગેવાનોએ વિકાસલક્ષી કાર્ય, લોકસેવા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠા પર ભાર મુક્યો હતો.
જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્ર સક્સેના એ સંબોધન કરતા જણાવ્યું હતું કે, 18 દિવસ ચાલેલી ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ભાજપે 250 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 188 બેઠકો પર વિજય મેળવ્યો છે. તેમણે ચૂંટાયેલા સભ્યોને સંદેશ આપતા કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ઐતિહાસિક કાર્ય કરી લોકોના વિશ્વાસ પર ખરા ઉતરવું જોઈએ. વિકાસને પ્રાથમિકતા આપવી અને વ્યક્તિગત લાભથી દૂર રહેવું જોઈએ. સંગઠનને સર્વોપરી માનવા પણ તેમણે અપીલ કરી હતી.
સાંસદ ચંદુભાઈ શિહોરા એ જણાવ્યું હતું કે, જનતાએ પાંચ વર્ષ માટે વિશ્વાસ મૂકી જવાબદારી સોંપી છે. ચૂંટાયેલા સભ્યોએ ચૂંટણી ખર્ચની ચિંતા કર્યા વગર સેવા કાર્યોમાં જોડાઈ જવું જોઈએ. આગામી સમયમાં વધુ મજબૂત જનસમર્થન મળે તે માટે લોકહિતના કાર્યો કરવા તેમણે અપીલ કરી હતી.
પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયા એ જણાવ્યું હતું કે, આ વિજય કાર્યકર્તાઓની મહેનત અને સંગઠનની શક્તિનું પરિણામ છે. તેમણે ચૂંટાયેલા સભ્યોને પોતાના વિસ્તારમાં જઈ મતદાતાઓનો આભાર માનવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા એ ઉમેદવારોને મનદુઃખ ભૂલી લોકોના કામોમાં લાગી જવાની અપીલ કરી હતી. જ્યારે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા એ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઝડપથી પહોંચે તે માટે કાર્ય કરવાની હાકલ કરી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા એ જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન જે ઉત્સાહથી પ્રચાર કરવામાં આવ્યો હતો, તે જ ભાવનાથી આગામી પાંચ વર્ષ સુધી લોકોની વચ્ચે રહી સેવા કરવી જોઈએ. લોકો ફરિયાદ કરે તે પહેલાં સમસ્યાઓ ઓળખી તેનું નિરાકરણ લાવવું જોઈએ. તેમણે દર મહિને ચૂંટાયેલા સભ્યોને માર્ગદર્શન આપવામાં આવશે તેવી માહિતી આપી હતી.
સમારોહમાં પ્રકાશભાઈ વરમોરા, બ્રિજેશ મેરજા, હંસાબેન પારેલી, રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.