Author: admin

  • પાન-મસાલાના બંધાણીઓ માટે મોટા સમાચાર! આ પ્રકારના પેકિંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર

    પાન-મસાલાના બંધાણીઓ માટે મોટા સમાચાર! આ પ્રકારના પેકિંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર

    જો તમે પાન મસાલા કે ગુટખાના શોખીન છો, તો ટૂંક સમયમાં તમને આ પ્રોડક્ટ્સ નવા અવતારમાં જોવા મળશે. પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે પ્લાસ્ટિકના નાના પાઉચ (સેશે) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે.

    FSSAI નો મોટો નિર્ણય

    ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ખાદ્ય સુરક્ષા અને માનક (પેકેજિંગ) સુધારા નિયમ, 2026નો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમનો હેતુ પાન મસાલા ઉદ્યોગમાંથી પ્લાસ્ટિકનો વપરાશ જડમૂળથી ખતમ કરવાનો છે.

    શું પ્રતિબંધિત થશે?

    નવા ડ્રાફ્ટ મુજબ કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક પેકેટ કે સેશે પર પ્રતિબંધ રહેશે. ઉપરાંત પોલીથીન, પીવીસી (PVC) કે અન્ય સિન્થેટિક મટિરિયલ, ચમકદાર એલ્યુમિનિયમ ફોઇલ પેકેજિંગનો ઉપયોગ કરી શકાશે નહી. માત્ર વેચાણ જ નહીં, પણ આ ઉત્પાદનોના પેકેજિંગ, સ્ટોરેજ અને વિતરણમાં પણ પ્લાસ્ટિકના ઉપયોગ પર કડક મનાઈ ફરમાવવામાં આવશે.

    હવે કેવું હશે પેકેજિંગ?

    પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે સરકારે કુદરતી અને રિસાયકલ થઈ શકે તેવી સામગ્રીના પ્રયોગ માટેની છુટ આપી શકે છે. જેમાં પેપર અથવા પેપર બોર્ડ, સેલ્યુલોઝ જેવી કુદરતી સામગ્રી, ટીન કન્ટેનર અથવા કાચની બોટલ/ડબ્બાનો ઉપયોગ કરી શકાશે.

    કેમ લેવાયો આ નિર્ણય?

    પાન મસાલાના નાના પ્લાસ્ટિક પાઉચ ગમે ત્યાં ફેંકવાને કારણે ગટરો જામ થાય છે અને પર્યાવરણને ભારે નુકસાન થાય છે. આ કચરાનો નિકાલ કરવો લગભગ અશક્ય હોય છે. કુદરતી પેકેજિંગથી આ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.

    તમારો અભિપ્રાય પણ આપી શકશો

    FSSAI એ આ ડ્રાફ્ટ જાહેર કરીને આગામી 30 દિવસમાં જનતા અને ઉદ્યોગ જગત પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર તેને કાયદા તરીકે લાગુ કરશે.

  • ‘કામ કરો-ભ્રષ્ટાચાર નહીં’ : મોરબી અને માળીયા તાલુકામાં ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ટકોર

    ‘કામ કરો-ભ્રષ્ટાચાર નહીં’ : મોરબી અને માળીયા તાલુકામાં ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ટકોર

    મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં આવતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે ત્યારે મોરબીમાં રહેતા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાન ઉમાટાઉનશીપ ખાતે તમામ ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો

    અને આગામી પાંચ વર્ષ સુધી ભ્રષ્ટાચાર વગર સારામાં સારા કામ મોરબી અને માળીયા શહેર તથા તાલુકા વિસ્તારમાં કરવા માટેની તેઓએ ટકોર કરી હતી અને ખાસ કરીને તે કહ્યું હતું કે આ ચૂંટણીની અંદર નથી સત્તાનો દુરુપયોગ કર્યો, નથી કોઈ ટપોરીનો ઉપયોગ કર્યો તેમ છતાં પણ ભાજપનો ઝળહળતો વિજય થયો છે.

    મોરબી જિલ્લા પંચાયત, મોરબી મહાનગરપાલિકા, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા આમ કુલ મળીને 10 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં મોરબી મહાનગરપાલિકાની 52 એ 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે જ્યારે મોરબી જિલ્લા પંચાયતની મોરબી તાલુકા વિસ્તારમાં આવતી અને માળિયા વિસ્તારમાં આવતી 8 બેઠકોમાંથી 7 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.

    તે ઉપરાંત માળિયા તાલુકા પંચાયત અને મોરબી તાલુકા પંચાયતમાં પણ ભાજપને બહુમતી મળી છે તેમજ માળિયા નગરપાલિકામાં ભાજપના 7 ઉમેદવારોનો વિજય થયો છે ત્યારે ભાજપના તમામ વિજેતા ઉમેદવારોનો કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાન ખાતે અભિનંદન સમારોહ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, હરેશભાઈ બોપલિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને તમામ ચૂંટાયેલા સદસ્યોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

    ત્યારબાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટકોર કરતા કહ્યું હતું કે પાર્ટીને સારા માણસો જોઈએ છે, વફાદાર માણસો જોઈએ છે માટે તમને પાંચ વર્ષ મળ્યા છે તેનો સદઉપયોગ કરીને સારામાં સારી કામગીરી કરો અને ભ્રષ્ટાચાર ન કરો તેવી ટકોર કરી હતી અને ખાસ કરીને તેઓ એવું પણ કહ્યું હતું કે ચૂંટણીમાં આ વખતે નથી કોઈ સત્તાનો ઉપયોગ કર્યો, નથી કોઈ ટપોરીનો ઉપયોગ કર્યો તેમ છતાં પણ મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર ભાજપનો વિજય થયો છે.

    આ ભાજપના કાર્યકર્તાઓએ કરેલી મહેનતનું પરિણામ છે જેથી હવે ભાજપના કાર્યકર્તાઓને કોઈનું ફિલ્ડમાં સાંભળવું ન પડે તેવી કામગીરી કરવાની જવાબદારી ચૂંટાયેલા દરેક સભ્યોની છે.

  • મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક ક્લીન સ્વીપ, તમામ 52 બેઠકો પર ભવ્ય વિજય

    મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક ક્લીન સ્વીપ, તમામ 52 બેઠકો પર ભવ્ય વિજય

    મોરબી મહાનગરપાલિકામાં ભાજપએ તેની જીતનું પુનરાવર્તન કર્યું છે અને નગરપાલિકાની છેલ્લી ચૂંટણીમાં જે રીતે 52 ને 52 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો તેવી જ રીતે મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીની અંદર ઇતિહાસ રચતા ભાજપે 52 એ 52 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે અને ઐતિહાસિક જીત મેળવી છે સામા પક્ષે કોંગ્રેસ, આપ અન્ય પક્ષ અને અપક્ષ તેમજ ભાજપથી નારાજ થયેલા તમામ લોકોને સુપડા મતદારોએ મતદાન કરીને સાફ કરી નાખ્યા છે.

    મોરબી નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે છેલ્લી ચૂંટણીમાં 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજય બન્યા હતા ત્યાર બાદ ઝુલતો પુલ તૂટી પડવાના કારણે નગરપાલિકાની બોડીને સુપરસીડ કરવામાં આવી હતી ત્યારબાદ વહીવટદારનું શાસન નગરપાલિકામાં હતું તેવામાં ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને અહીંયા કમિશનર, ડેપ્યુટી કમિશન સહિતના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી.

    શહેરનો ચોમેર વિકાસ થઈ રહ્યો હતો તેવામાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં ગુજરાતની નવરચીત મહાનગરપાલિકા સહિત કુલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી જેમાં મોરબીનો પણ સમાવેશ થતો હતો.

    મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અપક્ષમાંથી કુલ 177 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી અને મંગળવારે સવારે પોલીટેકનીક કોલેજ ખાતે મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ ઇવીએમ ના આંકડા જાહેર કરીને મત ગણતરી શરૂ કરવામાં આવી હતી અને લગભગ બપોર સુધીમાં મહાનગરપાલિકાની મત ગણતરી પૂરી કરવાં આવેલ છે આ ચૂંટણીમાં પણ ભાજપએ નગરપાલિકાની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કર્યું હોય તે પ્રકારે 52 ને 52 બેઠક ઉપર ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે.

    આ ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ હતો આ ઉપરાંત ભાજપમાંથી ટિકિટ ન મળવાના કારણે પાલિકાના પૂર્વ પ્રમુખો તેમજ સભ્યો અને તેના પરિવારજનોએ અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી મોરબીના નગરજનો દ્વારા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અન્ય પક્ષ અને અપક્ષ કોઈને પણ મહાપાલીકામાં બેસવા જેવા રહેવા દીધા નથી અને આ ચૂંટણીની અંદર 52 ને 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો છે.

    અનેક પ્રકારની ચર્ચાઓ અને ક્રોસ વોટીંગ, સિંગલ વોટિંગ, જ્ઞાતિગત મતદાન સહિતની જે ચર્ચાઓ ચાલુ હતી તે તમામ ચર્ચાઓ અવગણીને મતદાન કરવામાં આવ્યું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. મોરબીના મતદારોએ વિકાસની રાજનીતિને ધ્યાને રાખીને મોરબીના સંભવિત વિકાસને ધ્યાને લઈ ચૂંટણીમાં ભાજપ તરફથી વન વે મતદાન કર્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે,

    વિજેતા બનેલા ઉમેદવારોના નામ
    વોર્ડ 1
    ભાજપ: જયંતિભાઈ દામજીભાઇ પડસુંબિયા, રમાબેન પરેશકુમાર રૂપાલા, વીણાબેન માવજીભાઇ કંઝારીયા, જયદીપ પ્રશાંતભાઇ મહેતા

    વોર્ડ 2
    ભાજપ: સીતાબેન પરબતભાઇ હુંબલ, જયેશભાઇ મહેશભાઇ અગેચણીયા, મનસુખભાઇ મુળજીભાઇ સારેસા, આરતીબેન અમિતભાઇ જંજવાડીયા

    વોર્ડ 3
    ભાજપ: રમાબેન કેતનભાઇ બોપલિયા, જિગ્નેશ હંસરાજભાઇ કૈલા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા

    વોર્ડ નં.: 4 પૂનાબેન જીતેનભાઇ અગેચાણીયા, અશ્ર્વિનીબેન અશ્ર્વિનભાઇ પાટડીયા, વિવેકભાઇ રમેશભાઇ ગોલતરા, ગૌતમ ભાવેશભાઇ પરમાર

    વોર્ડ 5
    ભાજપ: માનુબેન રમેશભાઇ સિયાર, ભગિરથ મનસુખભાઇ બરાસરા, મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા, મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ

    વોર્ડ 6
    ભાજપ: કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા, પુષ્પા જીગર વાળા, ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, ચિરાગ હસમુખભાઇ રાણપરા

    વોર્ડ 7
    ભાજપ: મમતાબેન ધીરેેન્દ્રભાઇ ઠાકર, જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી, જયેશભાઇ વસંતભાઇ દેસાઇ

    વોર્ડ 8
    ભાજપ: કુંદનબેન શૈલેષ માકાસણા, મહેન્દ્રભાઇ રમણિકલાલ સવસાણી, ઉતમ મહેશભાઇ સુરાણી, જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી

    વોર્ડ 9
    ભાજપ: હીરેનભાઇ પરબતભાઈ કરોતરા, નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા, ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા, નુતનબેન હરસુખભાઈ વિડજા

    વોર્ડ નંબર 10
    ભાજપ: સોનલબેન પ્રફુલભાઇ બાવરવા, અલ્પાબેન રોહિતભાઇ કંજારીયા, ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા અને ગણેશભાઇ નાનજીભાઇ ડાભી

    વોર્ડ નંબર 11
    ભાજપ: ગોપાલભાઇ વસ્તાભાઈ કાસુન્દ્રા, રવિન્દ્રભાઈ ઘનજીભાઇ સનાવડા, નિરૂપમા નિલેશભાઇ કાલરીયા અને ભારતીબેન ચુનીલાલ પરમાર

    વોર્ડ નંબર 12
    ભાજપ: રીષિપકુમાર નારણભાઇ કૈલા, બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા, મેઘાબેન દિપકકુમાર પોપટ અને શીતલ સાગરભાઇ વઘાડીયા

    વોર્ડ નંબર 13
    ભાજપ: ભાવિકકુમાર ભરતભાઈ જારીયા, રાજેશભાઈ કાનજીભાઇ ડાભી, ગીતાબેન મનોજભાઇ સોલંકી, જશવંતીબેન પ્રવિણભાઇ સોનગ્રા

  • ચૂંટણી બાદ પેટ્રોલ – ડીઝલના ભાવ વધારાની કોઈ યોજના નથી, કેન્દ્ર સરકારે ફરી કર્યો ઇન્કાર

    ચૂંટણી બાદ પેટ્રોલ – ડીઝલના ભાવ વધારાની કોઈ યોજના નથી, કેન્દ્ર સરકારે ફરી કર્યો ઇન્કાર

    5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ઈંધણના ભાવમાં તોતિંગ વધારો થશે તેવી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળોને કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ફગાવી દીધી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં પેટ્રોલ કે ડીઝલના ભાવમાં વધારો કરવાની સરકારની કોઈ જ યોજના નથી.

    પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ સતત ચોથા વર્ષે યથાવત રહ્યા છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે છેલ્લા બે મહિનામાં ક્રૂડ ઓઇલ 50 ટકાથી વધુ મોંઘુ થયું છે.
    ખર્ચ અને વેચાણ કિંમતો વચ્ચેનો વધતો જતો તફાવત સરકારી માલિકીની તેલ કંપનીઓને ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે, કેટલાક અંદાજ મુજબ દૈનિક નુકસાન લગભગ 2,400 કરોડ છે.

    આ કારણોસર, એવી અટકળો હતી કે બુધવારે તમિલનાડુ, બંગાળ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી તરત જ ભાવમાં વધારો થઈ શકે છે.

    પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, નસ્ત્રપેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.સ્ત્રસ્ત્ર
    તેમણે આંધ્રપ્રદેશ જેવા રાજ્યોના કેટલાક ભાગોમાં પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે ઉતાવળ થઈ રહી હોવાના તાત્કાલિક ભાવ વધારા અંગેની અટકળોને ફગાવી દીધી.

    શર્માએ કહ્યું, “અમે કેટલીક જગ્યાએ ગભરાટ ભર્યા ખરીદી જોઈ છે. અમે આ બધી જગ્યાએ રાજ્ય સરકારો સાથે સંપર્કમાં છીએ. બધા રિટેલ આઉટલેટ્સ પર નજર રાખવામાં આવી રહી છે, અને જ્યાં ભારે ખરીદી થઈ રહી છે ત્યાં પુરવઠાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.”

    શર્માએ જણાવ્યું હતું કે દેશમાં તમામ ઇંધણની માંગને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક છે અને નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી હતી. દિલ્હીમાં પેટ્રોલનો વર્તમાન ભાવ 94.77 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા છે.

  • મેજર અપસેટ : મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે

    મેજર અપસેટ : મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે

    મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 17 જેટલી બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે પરંતુ જિલ્લા પંચાયતમાં મેજર અપસેટ જોવા મળે તેવી શક્યતા છે કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખ પદની સીટ આદિવાસી અનામતની સીટ છે.

    અનામત સીટ ઉપર ભાજપ તરફથી જે ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા તેનો પરાજય થયો છે અને કોંગ્રેસમાંથી નેકનામ બેઠક ઉપર ચૂંટણી લડતા મહિલાનો વિજય થયો હોય ભાજપની જિલ્લા પંચાયતમાં બહુમતી હોવા છતાં પણ પ્રમુખ કોંગ્રેસના બેસસે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

    મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં મતદારો દ્વારા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવ્યું હતું અને આ ચૂંટણીમાં જિલ્લા પંચાયત ભાજપ ગુમાવશે તેવી ચર્ચાઓ ચાલતી હતી પરંતુ આજે સવારે 900 વાગ્યાથી જ્યારે મતગણતરી શરૂ થઈ.

    ત્યારે એક પછી એક જિલ્લા પંચાયતની બેઠકોની ગણતરી પૂર્ણ થતી જતી હતી તેમ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવતા હતા જો કે, જિલ્લા પંચાયતની બગથળા બેઠક કે જ્યાં સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવિયાના દીકરા યશવંતભાઈ મગનભાઈ વડાવિયા ચૂંટણી લડી રહ્યા હતા.

    જેથી કરીને બેઠક ઉપર સહુ કોઇની નજર હતી. જોકે, મોરબી તાલુકાની જિલ્લા પંચાયતની 6 બેઠકો પૈકી માત્ર એક બગથળાની બેઠક ઉપર ભાજપની હાર થયેલ છે અને ત્યાં કોંગ્રેસના સતિષભાઈ મેરજાનો વિજય થયો છે જો કે, બાકીની પાંચે પાંચ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે

    જ્યારે માળિયા અને ટંકારા તાલુકાની ત્રણ-ત્રણ બેઠકો છે અને તેમાંથી માળિયાની ત્રણેય બેઠક ઉપર ભાજપ તથા ટંકારાની ત્રણ પૈકી બે બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે જોકે ટંકારા તાલુકાની નેકનામ બેઠક આદિવાસી અનામતની બેઠક હોય તે બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસની સિદ્ધિ ટક્કર હતી.

    આ બેઠક ઉપરથી જે વિજેતા બને તે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે તે નિશ્ચિત હતું તેવામાં આ ચૂંટણીની અંદર મેજર અપસેટ જોવા મળ્યો છે અને નેકનામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો પરાજય થયો છે જેથી હવે જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં પણ કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે બેસે તે નક્કી છે,

    વાંકાનેર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની સાત બેઠકો પૈકી કોઠી અને ઢુવા બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે જોકેમ બાકીની પાંચેય બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે અને હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની પાંચે પાંચ બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે આમ 24 બેઠક પૈકી 17 બેઠક ઉપર ભાજપ અને 7 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે.

  • ‘ગુજરાત અને ભાજપનો સંબંધ વધુ ગાઢ અને અખંડ બન્યો,’ PM મોદીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો

    ‘ગુજરાત અને ભાજપનો સંબંધ વધુ ગાઢ અને અખંડ બન્યો,’ PM મોદીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. જેમાં ભાજપે જંગી બહુમત સાથે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે.

    આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમણે કહ્યું કે “ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે. રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલ પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું

    .” વધુમાં પીએમ મોદીએ એવું પણ કહ્યું કે “રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે

    .” સાથે જ તેમણે કહ્યું કે “હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે આવનારા સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કાર્ય કરી, રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.” સાથે જ વડાપ્રધાન મોદીએ એવું પણ કહ્યું કે,

    “આ અવસરે, હું ભાજપના વિશાળ કાર્યકર્તા પરિવારના જમીનસ્તરના અવિરત પ્રયત્નોની સરાહના કરું છું અને અભિનંદન પાઠવું છું. તેઓ હંમેશાં જનતા વચ્ચે રહી તેમની સમસ્યાઓને સમજવા અને સમર્પિત ભાવથી ઉકેલવા માટે કાર્યરત રહ્યા છે. આ જ કારણે ભારતીય જનતા પાર્ટી વારંવાર ગુજરાતના લોકોની પ્રથમ પસંદ બની.”

  • હોર્મુઝની સામુદ્રધુનીમાં `બ્લોકેડ’ વચ્ચે મોટી રાહત : યુદ્ધ શરૂ થયા બાદ LNG ભરેલું પ્રથમ જહાજ બહાર નીકળ્યું

    હોર્મુઝની સામુદ્રધુનીમાં `બ્લોકેડ’ વચ્ચે મોટી રાહત : યુદ્ધ શરૂ થયા બાદ LNG ભરેલું પ્રથમ જહાજ બહાર નીકળ્યું

    મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવને કારણે બંધ જેવી સ્થિતિમાં રહેલી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)નો પ્રથમ કાર્ગો સફળતાપૂર્વક બહાર નીકળ્યો છે.

    શિપ-ટ્રેકિંગ ડેટા અનુસાર, અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC)નું જહાજ ‘મુબારઝ’ (Mubaraz) આ વ્યૂહાત્મક જળમાર્ગ પાર કરી ભારતની પશ્ચિમે સમુદ્રમાં જોવા મળ્યું છે. 28 ફેબ્રુઆરી 2026 ના રોજ યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ગેસથી ભરેલું જહાજ આ રસ્તો પાર કરવામાં સફળ રહ્યું હોય.

    બે મહિનાથી અટવાયેલું હતું જહાજ
    `મુબારઝ’ ટેન્કરે માર્ચ મહિનાની શરૂઆતમાં જ યુએઈના દાસ આઇલેન્ડ પરથી ગેસનો જથ્થો લોડ કર્યો હતો. જોકે, હોર્મુઝમાં વધતા જોખમોને કારણે તે અખાતમાં જ લાંબા સમય સુધી ‘આઈડલિંગ’ એટલે કે અટવાયેલું રહ્યું હતું. 31 માર્ચના રોજ આ જહાજે તેની ઓળખ છુપાવવા માટે ટ્રાન્સપોન્ડર (AIS) બંધ કરી દીધું હતું અને 27 એપ્રિલ 2026 ના રોજ તે ભારતની પશ્ચિમ દિશામાં ફરી ટ્રેકિંગમાં દેખાયું હતું.

    ચીન તરફ પ્રયાણઃ ગેસ માર્કેટ માટે આશાનું કિરણ
    ટ્રેકિંગ ડેટા મુજબ, આ જહાજ હાલમાં 15 મે સુધીમાં ચીન પહોંચવા માટે રવાના થયું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાંથી વિશ્વનો 20% જેટલો LNG પુરવઠો પસાર થાય છે. છેલ્લા બે મહિનાથી ટ્રાફિક લગભગ શૂન્ય થઈ જવાથી વૈશ્વિક સ્તરે ગેસના ભાવ બમણા થઈ ગયા હતા. જોકે, આ સફળ ટ્રાન્ઝિટ એ સંકેત આપે છે કે હવે કદાચ આ રસ્તો સુરક્ષિત રીતે ખુલવાની શરૂઆત થઈ શકે છે.

    મહત્વની હકીકતો
    યુદ્ધની અસરઃ 28 ફેબ્રુઆરી 2026 થી ઈરાન અને અમેરિકાના બ્લોકેડને કારણે ટ્રાફિક ઠપ થયો હતો.
    કિંમતો પર અસરઃ હોર્મુઝ બંધ હોવાને કારણે સ્પોટ કગૠ ના ભાવ 20 પ્રતિ યુનિટથી ઉપર પહોંચી ગયા હતા.
    અન્ય જહાજોઃ અગાઉ એપ્રિલમાં ઓમાનનું એક ‘ખાલી’ જહાજ બહાર નીકળ્યું હતું, પરંતુ માલ ભરેલું (Loaded) આ પ્રથમ જહાજ છે.

  • આધાર કાર્ડ હવે Google Walletમાં થશે સેવ: જાણો કેવી રીતે સેવ કરશો?

    આધાર કાર્ડ હવે Google Walletમાં થશે સેવ: જાણો કેવી રીતે સેવ કરશો?

    Googleએ ભારતમાં તેના Wallet એપ માટે એક નવી સુવિધાની જાહેરાત કરી છે. આ દ્વારા તેના યુઝર્સ હવે તેમના સ્માર્ટફોનમાં આધાર આધારિત ડિજિટલ ID સ્ટોર કરી શકશે. આ પહેલ Unique Identification Authority of India (UIDAI) સાથેની ભાગીદારીના આધારે રજૂ કરવામાં આવી છે.

    આ સુવિધાનો હેતુ ઓળખ ચકાસણીને સરળ બનાવવાનો છે, જેથી વપરાશકર્તાઓને ફિઝિકલ કાર્ડ સાથે રાખવાની જરૂર ન પડે અને તેઓ સરળતાથી પોતાની ઓળખ અથવા ઉંમર સાબિત કરી શકે.ડેટા પ્રાઈવસી માટે સિલેક્ટિવ ડિસ્ક્લોઝર આ નવી સુવિધા વપરાશકર્તાઓને તેમના આધારને verifiable credential તરીકે તેમના ડિવાઇસમાં સેવ કરવાની મંજૂરી આપે છે.

    એટલે કે ID સુરક્ષિત રીતે સ્ટોર થાય છે અને તેને ઓનલાઈન તથા ઑફલાઈન બંને રીતે ચકાસણી માટે ઉપયોગ કરી શકાય છે. આ સિસ્ટમનો મુખ્ય ભાગ selective disclosure છે, જેમાં ચકાસણી દરમિયાન ફક્ત જરૂરી માહિતી જ શેર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વપરાશકર્તાને માત્ર તેમની ઉંમર કન્ફર્મ કરવાની જરૂર હોય તો આખી આધાર વિગતો શેર કરવાની જરૂર નથી. સરળ ચકાસણી માટે પાર્ટનરશિપ આ આધાર ઈન્ટિગ્રેશનનો ઉપયોગ પસંદ કરાયેલા પાર્ટનર્સ સાથે વિગતો ચકાસવા માટે થઈ શકે છે.

    તેમાં PVR INOX દ્વારા ફિલ્મ બુકિંગ વખતે ઉંમર ચકાસણી, Bharat Matrimony દ્વારા વેરિફાઇડ પ્રોફાઇલ સાથે મેચિંગ, અને Atlys દ્વારા આંતરરાષ્ટ્રીય વિઝા એપ્લિકેશન ઓટો-ફિલ કરવાની સુવિધા સામેલ છે. Google ટૂંક સમયમાં MyGate અને Snabbit માટે પણ સપોર્ટ ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે,

    જેથી ડિલિવરી સ્ટાફ અને ગિગ વર્કર્સની સુરક્ષિત ચકાસણી થઈ શકે. Google Walletમાં આધાર કેવી રીતે ઉમેરવું? Google Walletમાં આધારને verifiable credential તરીકે ઉમેરવા માટે, યુઝરે UIDAI એકાઉન્ટ સાથે જોડાયેલા મોબાઇલ નંબરને OTP દ્વારા વેરિફાઇ કરવું પડશે. સૌ પ્રથમ ખાતરી કરો કે તમારા Android ફોનમાં Google Wallet એપનું લેટેસ્ટ વર્ઝન છે.

    પછી એપ ખોલો અને હોમ સ્ક્રીન પર + અથવા Add to Wallet બટન પર ટૅપ કરો. મેનુમાંથી ID પાસ અથવા આધાર કાર્ડ પસંદ કરો અને રજિસ્ટર્ડ નંબર પર મોકલાયેલા OTP દ્વારા UIDAIના ઑફિશિયલ પોર્ટલ પર તમારી વિગતો ઓથેન્ટિકેટ કરો. આટલું કરતાં તેમાં આધાર કાર્ડનો સમાવેશ થઈ જશે.

  • હોર્મુઝ સ્ટ્રેટ બંધ, UAEએ OPEC અને OPEC પ્લસમાંથી બહાર નીકળવાની કરી જાહેરાત, ભારતને થઈ શકે ફાયદો

    હોર્મુઝ સ્ટ્રેટ બંધ, UAEએ OPEC અને OPEC પ્લસમાંથી બહાર નીકળવાની કરી જાહેરાત, ભારતને થઈ શકે ફાયદો

    ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે, જેના લીધે ખાડી દેશોમાંથી ક્રૂડ અને ગેસ સપ્લાય પર ખૂબ જ ખરાબ અસર પડી છે. આ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ક્રૂડ બજારને ચોંકાવતા ક્રૂડ ઉત્પાદક દેશોના જૂથ OPEC અને ઓપેક પ્લસ (OPEC+) માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે.

    ઓપેકના લીડર સાઉદી અરેબિયા સાથેના આંતરિક મતભેદો વચ્ચે UAE એ કહ્યું છે કે તે 1 મેથી ઓપેક અને ઓપેક પ્લસ બંને ક્રૂડ સંગઠનોનું સભ્યપદ છોડી રહ્યું છે.શું છે OPEC? ઓપેક એટલે કે Organization of the Petroleum Exporting Countries ક્રૂડ નિકાસ કરતા દેશોનું એક જૂથ છે, જે વૈશ્વિક ક્રૂડ ઉત્પાદન નીતિઓ પર સંકલન સાથે કામ કરે છે જેથી ક્રૂડ બજારમાં સ્થિરતા જળવાઈ રહે. તેની સ્થાપના 1960માં થઈ હતી.

    અગ્રણી સભ્ય દેશોમાં સામાન્ય રીતે સાઉદી અરેબિયા, UAE, ઈરાક, ઈરાન, કુવૈત, વેનેઝુએલા અને નાઈજીરિયા જેવા દેશો સામેલ રહ્યા છે. OPEC+ની ભૂમિકા બીજી તરફ ઓપેક પ્લસ (OPEC Plus) એ ઓપેકનું વિસ્તૃત જૂથ છે, જેમાં ઓપેક દેશોની સાથે કેટલાક બિન-ઓપેક ક્રૂડ ઉત્પાદક દેશો પણ સામેલ હોય છે. સૌથી મહત્વનો બિન-ઓપેક સભ્ય રશિયા છે. આ જૂથ ખાસ કરીને 2016 પછી વધુ સક્રિય થયું, જ્યારે ક્રૂડના ભાવને સંભાળવા માટે ઓપેકે અન્ય મોટા ઉત્પાદકોને પોતાની સાથે લઈ લીધા. 80% ક્રૂડ રિઝર્વ ઓપેક દેશો પાસે સંયુક્ત રીતે વિશ્વનો 80% ક્રૂડ રિઝર્વ (જથ્થો) છે અને તેઓ મળીને વૈશ્વિક ક્રૂડ ઉત્પાદનનો લગભગ 40% હિસ્સો ઉત્પાદિત કરે છે.

    આ જૂથના દેશો જ્યારે ઉત્પાદન ઘટાડે છે કે વધારે છે, ત્યારે વિશ્વમાં ક્રૂડની કિંમત બદલાય છે, જેની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલ, મોંઘવારી અને આયાત બિલ પર પડે છે. ભારત પર કેવી અસર થશે? UAEનું ઓપેક છોડવું એ ભારત-ચીન જેવા વિશ્વના મોટા ક્રૂડ ખરીદદારો માટે અત્યંત અગત્યના સમાચાર છે. UAEના ઓપેક છોડવાથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધ-ઘટ જોવા મળી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં ઈરાન યુદ્ધની શરૂઆતથી હોર્મુઝ સ્ટ્રેટ લગભગ બંધ છે.

    ઈરાને શિપિંગ રોકી દીધું અને અમેરિકાએ ઈરાની બંદરો પર બ્લોકેડ લગાવી દીધું. આનાથી વિશ્વનું લગભગ 20% ક્રૂડ-ગેસ ટ્રાન્સપોર્ટ પ્રભાવિત થયું. સાઉદી અરેબિયા, UAE, ઈરાક, કુવૈત જેવા ખાડી દેશોની નિકાસ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે અને આ દેશો દરરોજ લાખો બેરલનું નુકસાન વેઠી રહ્યા છે. ભારતને ફાયદો પણ થઈ શકે ભારત પર પણ હોર્મુઝ બંધ થવાની મોટી અસર થઈ છે અને મધ્ય પૂર્વથી ક્રૂડની આયાત 60% સુધી ઘટી છે, જ્યારે કુલ આયાતમાં 13% નો ઘટાડો થયો છે.

    ભારતે રશિયાથી આયાત લગભગ બમણી કરી દીધી છે, પરંતુ તેમ છતાં સપ્લાયનું દબાણ અને ઊંચી કિંમતો યથાવત છે. પરંતુ UAEનું ઓપેક છોડવું એ ભારત માટે એક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. UAE પાસે હબશાન-ફુજૈરા (ADCOP) પાઈપલાઈન છે, જે સંપૂર્ણપણે હોર્મુઝની બહાર છે.

    તેની ક્ષમતા 1.5-1.8 મિલિયન બેરલ પ્રતિ દિવસ છે અને UAE આના દ્વારા પોતાનું ક્રૂડ સરળતાથી વેચી રહ્યું છે. જૂથ છોડતાની સાથે જ UAEને OPEC+ ક્વોટામાંથી મુક્તિ મળી જશે અને આ કારણે તે પોતાની સંપૂર્ણ ક્ષમતા (4.8-5 મિલિયન બેરલ પ્રતિ દિવસ સુધી)નો ઉપયોગ કરી શકે છે.

    જેનાથી UAEનું વધારાનું ક્રૂડ બજારમાં આવશે જેનાથી કિંમતો ઓછી થઈ શકે છે. ભારતની રિફાઇનરીઓ UAEના મરબાન (Murban) ક્રૂડને પસંદ કરે છે. હવે UAE કોઈપણ રોકટોક વગર વધુ ઉત્પાદન કરશે અને પોતાની મરજીથી ક્રૂડ વેચશે. વૈશ્વિક સપ્લાયમાં થોડા વધારાથી ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઉછાળો અટકી શકે છે અથવા થોડો ઘટાડો આવી શકે છે. જેથી ભારતને રાહત મળી શકે છે અને તેનું આયાત બિલ ઘટી શકે છે. જોકે, જો OPEC+ માં ફૂટ પડવાથી ગ્લોબલ ક્રૂડ બજાર વધુ અસ્થિર બન્યું તો કિંમતોમાં અસ્થિરતા વધી શકે છે.

  • તમામ મહાપાલિકામાં કેસરીયો લહેરાયો : મોરબી, પોરબંદરમાં ક્લીન સ્વીપ

    તમામ મહાપાલિકામાં કેસરીયો લહેરાયો : મોરબી, પોરબંદરમાં ક્લીન સ્વીપ

    ગુજરાતમાં નવ નવી મહાનગરપાલિકાની રચના સાથે રાજ્ય સરકારે ડ્યુ થયેલી 6 મહાનગરપાલિકાઓમાં યોજેલી ચૂંટણીમાં ફરી એક વખત તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને અત્યાર સુધી આમ આદમી પાર્ટીને એક વોર્ડમાં સફળતા મળી છે.

    સુરતમાં તેણે ચાર બેઠકો જીતી છે. જ્યારે મહાનગરપાલિકાની કુલ 1044ની બેઠકમાંથી 665ના પરિણામ જાહેર થયા છે અને ભાજપને 608 તથા કોંગ્રેસના 52 બેઠકો મળી છે. આમ કોંગ્રેસે મહાનગરપાલિકામાં પોતાની હાજરી નોંધાવી છે. ખાસ કરીને સુરતમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી પરંતુ આ ચૂંટણીમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કોંગ્રેસ 3 બેઠકો જીતી ગઇ છે.

    તો અમદાવાદમાં કોંગ્રેસને 10 બેઠકો મળી છે. આમ શહેરી વિસ્તારોમાં ભાજપનો ગઢ અકબંધ રહ્યો છે. નવી બનેલી ગાંધીધામ, મહેસાણા, સુરેન્દ્રનગર, પોરબંદર, આણંદ, નડીયાદ, નવસારી, વાપી અને મોરબી આ તમામ મહાનગરપાલિકામાં ભાજપ સત્તા કબજે કરશે તે નિશ્ચિત છે અને હાલની 6 મહાનગરપાલિકા જેમાં રાજકોટ, ભાવનગર, અમદાવાદ, જામનગર અને વડોદરા ઉપરાંત સુરતમાં પણ ભાજપે ફરી સત્તા મેળવી છે.

    ખાસ કરીને શહેરી વિસ્તારોમાં કોંગ્રેસને જે રીતે બેઠકો મળી છે અને તેમાં અનેક વોર્ડમાં અપસેટ પણ સર્જાયા છે. રસપ્રદ બાબત એ છે કે વાપી નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંનેને આંચકો આપતા અપક્ષોની એક પેનલ જીતી છે.

    રાજ્યની નવી રચાયેલી પોરબંદર મહાનગરપાલિકાની બેઠકમાં ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કરી છે અને તમામ બાવન બેઠકો જીતી લીધી છે. મોરબીમાં પણ આ જ પ્રકારે જીતી છે. બાવન બેઠકમાંથી ભાજપ પુરી રીતે સત્તામાં આવ્યું છે અને એક પણ બેઠક કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે વિપક્ષની મળી નથી.

    ભાવનગરમાં અત્યાર સુધીમાં 29 બેઠકોના પરિણામ જાહેર થયા છે જેમાં ભાજપને 28 અને કોંગ્રેસને 1 તથા જામનગર મહાનગરપાલિકામાં 64 બેઠકમાં ભાજપે 28 બેઠક જીતી છે અને કોંગ્રેસને 6 બેઠક મળી છે. પોરબંદરમાં પ્રથમ વખત ભાજપના 3 મુસ્લિમ ઉમેદવારો પણ મહાનગરપાલિકામાં જીત્યા છે. આમ શહેરી વિસ્તારોમાં ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.