HomeAllવીજલાઇન વળતર અંગે ખેડૂતોની માંગ મુજબ પરિપત્ર નહીં બને તો 2027ની ચૂંટણીમાં...

વીજલાઇન વળતર અંગે ખેડૂતોની માંગ મુજબ પરિપત્ર નહીં બને તો 2027ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જેતપર ગામમાં મત માંગવા ન આવવા ચીમકી

જેતપર, તા. 31 જુલાઈ 2026: વીજલાઇન વળતર મુદ્દે ખેડૂતોની માંગણી મુજબ સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં નહીં આવે તો આગામી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે જેતપર ગામમાં મત માંગવા આવવું નહીં તેવી ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

વીજલાઇનને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે ખેડૂતો લાંબા સમયથી પોતાની માંગ રજૂ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ મુજબ વળતર અંગે સ્પષ્ટ અને યોગ્ય પરિપત્ર બહાર પાડવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે.

ખેડૂતો દ્વારા જણાવાયું છે કે સરકાર આ મુદ્દે તેમની માંગણીને ધ્યાને લઈ વીજલાઇન વળતરનો પરિપત્ર નહીં બનાવે તો તેનો વિરોધ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ કરવામાં આવશે. આ સાથે 2027ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારે જેતપર ગામમાં મત માંગવા આવવું નહીં તેવી ચીમકી આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments