
મોરબી : મોરબી શહેરમાં આજે ભારતીય બંધારણના શિલ્પી અને મહામાનવ Dr. B. R. Ambedkarની 135મી જન્મજયંતિ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી. આ અવસરે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભીમ અનુયાયીઓ જોડાયા હતા.

વી.સી. ફાટક વિસ્તારથી શરૂ થયેલી શોભાયાત્રામાં ટ્રેક્ટરો પર Dr. B. R. Ambedkarની પ્રતિમા, Gautama Buddhaની પ્રતિમા તેમજ ભીમા કોરેગાંવના વિજય સ્તંભના પ્રતિકોને સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રેલીના માર્ગ પર વિવિધ સ્થળોએ પાણી અને છાશના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા.

શોભાયાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અંતે Dr. B. R. Ambedkarની પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં પ્રતિમાને સલામી અર્પણ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

જન્મજયંતિ નિમિત્તે માત્ર શોભાયાત્રા જ નહીં પરંતુ દિવસભર અનેક સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, વિવિધ વિસ્તારોમાં ભીમ ભજન, બાળકો માટે બટુક ભોજન તથા શાળાઓમાં વિદ્યાર્થીઓને બાબાસાહેબના જીવન સંઘર્ષ અને યોગદાન અંગે માહિતગાર કરવાની પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

ઉલ્લેખનીય છે કે Columbia University દ્વારા પણ Dr. B. R. Ambedkarના વૈશ્વિક યોગદાનને માન આપી આ દિવસને “માનવતા દિવસ” તરીકે ઉજવવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

મોરબીમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં પોલીસ વિભાગ, સ્થાનિક વેપારીઓ અને સમાજના આગેવાનોનો પણ નોંધપાત્ર સહયોગ રહ્યો હતો. રાત્રિના સમયે કેક કટિંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.














