HomeAllમોરબીના ઝીંઝુડા ગામે કાલે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે

મોરબીના ઝીંઝુડા ગામે કાલે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે

સીમા સુરક્ષા, રાષ્ટ્રીય ચેતના અને સ્વાવલંબનના ઉમદા હેતુ સાથે સીમા જાગરણ મંચ દ્વારા જુદાજુદા વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવે છે તેવામાં તા 3/5 ને રવિવારના રોજ ઝીંઝુડા ખાતે સીમા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાંજે 5:00 વાગ્યે કાનસ્વામી બાપુની જગ્યા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે.

આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ દેશની સરહદોની સુરક્ષા માટે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ સીમાવર્તી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ કરવાનો છે. તેમજ સંગઠન શક્તિ મજબૂત બનાવી સીમાવર્તી ગામોને સ્વાવલંબન તરફ આગળ વધારવાનો સંદેશ આપવામાં આવશે.

મોરબી જિલ્લા સીમા જાગરણ મંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો, યુવાનો અને સમાજના આગેવાનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદનું આયોજન આયોજકો દ્વારા કરાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments