HomeAllમાળીયા (મીં)ના વવાણિયા ગામે સ્મશાનમાં મુકાયેલા મૂર્તિઓ ખંડિત કરનાર સામે આકરા પગલા...

માળીયા (મીં)ના વવાણિયા ગામે સ્મશાનમાં મુકાયેલા મૂર્તિઓ ખંડિત કરનાર સામે આકરા પગલા લેવાની માંગણી

મોરબી: માળીયા (મી)ના વવાણિયા ગામે સ્મશાન ગૃહમાં મૂકવામાં આવેલ દેવી દેવતાઓની મૂર્તિઓમાં તોડફોડ કરીને મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી જે અંગેની વવાણીયા ગામના આગેવાન દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે ત્યાર બાદ હવે ગ્રામજનો તેમજ ગામમાં આવેલ વિવિધ ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરીને હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર શખ્સની સામે આકરા પગલાં લેવા માંગ કરવામાં આવેલ છે.

વવાણીયા ગામે સ્મશાન ગૃહની અંદર મૂકવામાં આવેલ જુદા જુદા દેવી-દેવતાઓની મુતિઓમાં અજાણ્ય શખ્સ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જેથી આ બાબતે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગામના આગેવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે વવાણિયા ગામના સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો અને જુદી જુદી ધાર્મિક સંસ્થાઓના આગેવાનો દ્વારા કલેક્ટર તથા એસપીને આવેદનપત્ર આપીને સ્મશાન ગૃહમાં મૂર્તિઓમાં તોડફોડ કરીને ખંડિત કરનારા શખ્સની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

વધુમાં મળતી માહિતી મુજબ ગત તા.18/ 6 થી 15/ 8 સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સ્મશાન ગૃહ ની અંદર મૂર્તિઓમાં તોડફોડ કરીને તેને ખંડિત કરવામાં આવી છે જે અંગેની તા 17/8 ના રોજ ગામના આગેવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી ત્યાર બાદ ગઇકાલે પોલીસ ફરિયાદ લેવામાં આવેલ છે.

આ ગુનામાં સંડોવાયેલ શખ્સની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે વવાણિયા ગામે આવેલ શ્રીમદ રાજચંદ્ર જન્મભૂમિ ટ્રસ્ટમ આદિ તપાસસ્થલી નીમકરોલી બાબા હનુમાનજી મંદિર વ્યવસ્થાપક મંડળ તથા વવાણીયા ગામ સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનોએ આવેદન પાઠવ્યું છે અને આરોપીને પકડીને તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments