ભારતીય દૂતાવાસે પરિસ્થિતિ પર નજર રાખવાની ખાતરી – હુમલો કોણે કર્યો તેની સત્તાવાર પુષ્ટિ નથી

સમાચાર : મોઝામ્બિક-ધ્વજવાળા LPG ટેન્કર ‘દિશા’ પર હોર્મુઝ સ્ટ્રેટ નજીક અજ્ઞાત મિસાઇલથી પ્રહાર થયો. જહાજ પર 28 ભારતીયો સવાર હતા અને ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે બધા ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત છે. દૂતાવાસે વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઑફ ઇન્ડિયા અનુસાર ટેન્કર પર્સિયન ગલ્ફ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે હુમલો થયો હતો. હાલમાં આ હુમલો કોણે કર્યો છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનો જળમાર્ગ ગણાય છે. તાજેતરના સંઘર્ષો પહેલા વિશ્વના તેલ અને ગેસ પુરવઠાનો અંદાજે 20% હિસ્સો આ માર્ગ પરથી પસાર થતો હતો.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને જુલાઈની શરૂઆતમાં અસ્થાયી યુદ્ધવિરામ તૂટ્યા બાદ વિસ્તારમાં વ્યાપારી જહાજોની સુરક્ષા પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.





















