
આજે વણા ખાતે 4 વાગ્યે અને કુંતલપુર, મૂળી ખાતે 8:30 વાગ્યે ખેડૂત સભા

મોરબી : જેતપર ખાતે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી અંતર્ગત ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓને લઈને ચાલી રહેલા આંદોલનમાં આજે 26/07/2026એ ખરેડા અને વાંકડા ગામના 23 ખેડૂતોએ પ્રતીક ઉપવાસ ધારણ કર્યો.

આંદોલનને સમર્થન આપવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો જોડાઈ રહ્યા છે.આંદોલનને વધુ મજબૂત બનાવવા આજે વિશેષ લોકજાગૃતિ સભાઓનું આયોજન છે. સાંજે 4 વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લાના વણા ગામે અને રાત્રે 8:30 વાગ્યે મૂળી તાલુકાના કુંતલપુર ગામે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી દ્વારા ખેડૂત સભા યોજાશે.






















