HomeAllખાખરેચીમાં તળાવમાં નવા નીરના વધામણાં નિમિત્તે લોહીની અંજલિ આપવાની વર્ષો જૂની પરંપરા...

ખાખરેચીમાં તળાવમાં નવા નીરના વધામણાં નિમિત્તે લોહીની અંજલિ આપવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત

મોરબી : મોરબી જિલ્લાના ખાખરેચી ગામમાં વરસાદના આગમન બાદ ગામના તળાવમાં નવા નીર આવતાં તેનું વધામણું કરવાની વર્ષો જૂની અને અનોખી પરંપરા આજે પણ શ્રદ્ધાપૂર્વક નિભાવવામાં આવે છે. ગામના ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ દ્વારા પોતાના લોહીની અંજલિ અર્પણ કરીને નવા જળનું સ્વાગત કરવામાં આવે છે. આ પરંપરા ગામની સાંસ્કૃતિક ઓળખ તેમજ પૂર્વજોની આસ્થા અને બલિદાનની ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે.

સ્થાનિક માન્યતા મુજબ આ વિધિનો મુખ્ય હેતુ પ્રકૃતિ, જળ અને ધરતી માતા પ્રત્યે આદર વ્યક્ત કરવાનો છે. “ધરતી માતા અને જળને પ્રથમ વંદન, ત્યારબાદ જ તેનો ઉપયોગ” – આ સંદેશને કેન્દ્રમાં રાખીને વર્ષોથી આ પરંપરા જળવાઈ રહી છે.

ગામના વડીલો જણાવે છે કે આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અનોખી સંસ્કૃતિ છે. નવી પેઢીને પોતાના ગામની પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિક મૂલ્યો સાથે જોડવાનો પણ આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.

આધુનિક સમયમાં પણ ખાખરેચી ગામમાં આ ઐતિહાસિક પરંપરા અવિરતપણે જળવાઈ રહી છે, જે ગામની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી અનોખી ઓળખ તરીકે જોવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments