HomeAllમોરબીમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં ભગતસિંહના સ્ટેચ્યૂ પરથી વિરોધ પ્રદર્શન

મોરબીમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં ભગતસિંહના સ્ટેચ્યૂ પરથી વિરોધ પ્રદર્શન

મોરબી : દિલ્હીમાં વિવિધ માંગણીઓને લઈને ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચૂકના સમર્થનમાં મોરબીમાં બે યુવકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરીને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું.

તા. 20 જુલાઈ, 2026ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલ નજીક આવેલા શહીદ ભગતસિંહના સ્ટેચ્યૂ પર બે યુવકો ચડી ગયા હતા. બંને યુવકોએ પોતાના હાથમાં સોનમ વાંગચૂકના સમર્થન દર્શાવતા પોસ્ટરો રાખીને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો.

આ ઘટનાને પગલે સ્થળ પર ઉપસ્થિત લોકોમાં થોડા સમય માટે કુતૂહલ સર્જાયું હતું. બંને યુવકો દ્વારા સોનમ વાંગચૂકના આંદોલનને સમર્થન આપતા સૂત્રો અને પોસ્ટરો સાથે પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સોનમ વાંગચૂક હાલમાં દિલ્હીમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને ભૂખ હડતાલ પર બેઠા છે. તેમના સમર્થનમાં દેશના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ પ્રકારના વિરોધ અને સમર્થન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મોરબીમાં પણ આ અનોખું પ્રદર્શન તે જ કડીનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments