Author: admin

  • ગુજરાતનો ડબલ ધડાકો: ધોલેરા અને સુરતમાં ₹4,000 કરોડના સેમીકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી, ચીન-કોરિયાને ટક્કર આપશે ભારત!

    ગુજરાતનો ડબલ ધડાકો: ધોલેરા અને સુરતમાં ₹4,000 કરોડના સેમીકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી, ચીન-કોરિયાને ટક્કર આપશે ભારત!

    કેન્દ્ર સરકારે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન (ISM) હેઠળ ગુજરાતમાં બે નવા સેમીકન્ડક્ટર એકમો સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. આ પગલું માત્ર ભારતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ નેક્સ્ટ જનરેશન ડિસ્પ્લે ટેકનોલોજી અને ચિપ પેકેજિંગમાં ભારતની હાજરી વૈશ્વિક સ્તરે નોંધાવશે.

    આ બંને પ્રોજેક્ટ્સમાં આશરે 4,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર અત્યાર સુધીમાં કુલ 10 સેમીકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી આપી ચૂકી છે, જેમાંથી માઈક્રોન ટેકનોલોજી અને કેન્સ ટેકનોલોજી જેવી દિગ્ગજ કંપનીઓના પ્લાન્ટમાં ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે.

    સરકારે ગુજરાતના ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડની 3,068 કરોડ રૂપિયાના રોકાણવાળી ‘ઇન્ટિગ્રેટેડ કમ્પાઉન્ડ સેમીકન્ડક્ટર અને એડવાન્સ્ડ પેકેજિંગ’ (ATMP) સુવિધાને મંજૂરી આપી છે. આ યુનિટ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે કારણ કે તે ગેલિયમ નાઇટ્રાઇડ (GaN) વેફર્સનું ઉત્પાદન કરશે,

    જે મિની અને માઇક્રો LED ડિસ્પ્લેનો મુખ્ય હિસ્સો છે. તેની વાર્ષિક ક્ષમતા 72,000 ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ અને 24,000 સેટ RGB GaN વેફર્સની હશે. આ પ્રોજેક્ટથી અંદાજે 1,600 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. આ એકમ ભારતનું પ્રથમ માઇક્રો LED ફેબ્રિકેશન યુનિટ હશે, જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદેશ મંત્રાલયનું વ્યૂહાત્મક સમર્થન પણ સામેલ છે. માઇક્રો LEDમાં ભારતનો વ્યૂહાત્મક દાવ :-

    કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડના આ પ્રોજેક્ટને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે આને એક વ્યૂહાત્મક દાવ ગણાવ્યો છે. હાલમાં વૈશ્વિક ડિસ્પ્લે ઇન્ડસ્ટ્રી એક મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે.

    દાયકાઓ સુધી જાપાન, તાઇવાન અને દક્ષિણ કોરિયાએ LCD બજાર પર રાજ કર્યું, પરંતુ તાજેતરના વર્ષોમાં ચીને ભારે રોકાણના દમ પર આ ક્ષેત્રમાં પોતાની પકડ જમાવી લીધી છે. સુરતમાં ચિપ ટેસ્ટિંગ અને એસેમ્બલી :- ગુજરાતના જ સુરત શહેરમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક OSAT (Outsourced Semiconductor Assembly and Test) સુવિધાને કેબિનેટે લીલી ઝંડી આપી છે. 868 કરોડ રૂપિયાના રોકાણથી બનનારું આ યુનિટ સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનની એક મહત્વપૂર્ણ કડી છે.

    અહીં ‘લીડ ફ્રેમ’ અને ‘વાયર-બોન્ડ’ પેકેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચિપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ કરવામાં આવશે. આ યુનિટ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), ઓટોમોટિવ સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરશે. તેની વાર્ષિક ક્ષમતા 673 મિલિયન સ્મોલ આઉટલાઇન ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ (SOIC) અને 360 મિલિયન ટ્રાન્ઝિસ્ટર આઉટલાઇન પેકેજ તૈયાર કરવાની હશે. આ પ્લાન્ટથી અંદાજે 630 લોકોને રોજગારી મળશે.

  • ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ

    ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ

    ગત 4 મેના રોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામોની જાહેરાત બાદ, હવે આજે સવારે 8 કલાકે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે SSCનું કુલ 83.86% પરિણામ આવ્યું છે.

    વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જઈને માત્ર 4 સરળ સ્ટેપ્સ ફોલો કરીને પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડેડિકેટેડ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને સીધી જ પોતાની માર્કશીટ ફોનમાં પ્રાપ્ત કરી શકશે.

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં રાજ્યભરમાંથી કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2026ની આ બોર્ડ પરીક્ષામાં માત્ર ધોરણ 10માં જ 9.07 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

    જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.19 લાખ અને સામાન્ય પ્રવાહમાં 5.01 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. રિઝલ્ટનું સરવૈયું આ વખતે કુલ 756392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 634327 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેના પરથી કહી શકાય કે આ વખતે બોર્ડનું પરીણામ 83.86% આવ્યું છે

    જે ગત વર્ષે 83.08% હતું. આ વખતે સૌથી વધુ 100% પરિણામ ધરાવતું કેન્દ્ર આજોલ (જિ.ગાંધીનગર) રહ્યું હતું. જ્યારે સૌથી ઓછું 33.74% પરિણામ ધરાવતું કેન્દ્ર મુનખોસલા (જિ.દાહોદ) રહ્યું હતું. જોકે સૌથી વધુ 90.85% પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા રહ્યો હતો.

    જ્યારે સૌથી ઓછું 76.42% પરિણામ પંચમહાલ જિલ્લાનો આવ્યો હતો. આ રીતે મેળવો રિઝલ્ટ આ ચાર સ્ટેપમાં વેબસાઇટ પરથી મેળવો પરિણામ સ્ટેપ-1www.gseb.org વેબસાઇટ ઓપન કરો સ્ટેપ-2 ગુજરાત SSC રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. સ્ટેપ-3 લિંકમાં સીટ નંબર ઉમેરો. સ્ટેપ-4 હવે તમને માર્કશીટ જોવા મળશે.

  • વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો

    વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો

    વાંકાનેરના કણકોટ ગામ પાસે કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લીમીટેડનો એલપીજી બોટલિંગ પ્લાન્ટ આવેલો છે અને ત્યાં પ્લાન્ટ ઇન્ચાર્જ અને ઓપરેટર તરીકે કામ કરતા બે કર્મચારીઓ દ્વારા કંપની દ્વારા મોકલવામાં આવેલ એલપીજી ગેસના જથ્થામાંથી કંપનીની જાણ બહાર 92 ટન 656 કિલો ગેસના જથ્થાને બારોબાર વેચી નાખ્યો છે

    અને તેના નાણા કંપનીના એકાઉન્ટમાં જમા કરાવેલ નથી અને 1,52,88,240 ની કિંમતનો ગેસ બારોબાર વેચાણ કરીને કંપની સાથે વિશ્વાસઘાત કરેલ હોય હાલમાં કંપનીના કર્મચારીઓ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

    મહારાષ્ટ્ર ખાતે આવેલ કોન્ફિડન્ટ ટાવર રામદાસ ફ્લેટ સેન્ટ્રલ બજાર રોડ ખાતે રહેતા અને નાગપુરમાં કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લીમીટેડ ખાતે નોકરી કરતા સુભાંગસિંગ બિજેન્દ્રપાલ સિંગ (42)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશકુમાર ભેરૂલાલ મેઘવાલ રહે હાલ મહાવીરનગર વાંકાનેર મૂળ રહે. રાજસ્થાન તથા ઇલ્યાસ નૂરમામદભાઈ પરાસરા રહે. કણકોટ તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે.

    જેમાં તેને જણાવ્યુ છે કે, કણકોટ ગામે આવેલ કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડના એલપીજી બોટલિંગ પ્લાન્ટ ખાતે સુરેશકુમાર પ્લાન્ટના ઇન્ચાર્જ તરીકે તથા ઇલ્યાસ પ્લાન્ટના ઓપરેટર તરીકે કામ કરે છે અને બંને આરોપીઓએ કંપની સાથે વિશ્વાસઘાત કરીને કંપની દ્વારા મોકલાવવામાં આવેલ એલપીજી ગેસના જથ્થામાંથી સૂચના મુજબનું વેચાણ ન કરીને સ્ટોરેજ પ્લાન્ટમાંથી 92 ટન 656 કિલો એલપીજી ગેસનો જથ્થો જેની કિંમત 1,52,88,240 રૂપિયા થાય છે તે કંપનીની જાણ બહાર કોઈપણ રીતે બારોબાર વેચાણ કરી નાખેલ છે .

  • મોરબીમાં હિંસક ડાઘિયાઓનો એક જ દિવસમાં 15 લોકોને બટકા તોડ્યા

    મોરબીમાં હિંસક ડાઘિયાઓનો એક જ દિવસમાં 15 લોકોને બટકા તોડ્યા

    મોરબીમાં રખડતા ઢોરના ત્રાસથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે મહાપાલિકા ટીમ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતું હોય છે જોકે હજુ પણ શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી તંત્ર 100 ટકા મુક્ત કરી શક્યું નથી તો રખડતા ઢોર ઉપરાંત શ્વાનનો આતંક પણ છાશવારે જોવા મળી રહ્યો છે.

    એક જ દિવસમાં વૃધ્ધો અને મહિલા સહીત 12 થી વધુ નાગરિકોને કુતરાએ બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા હતા.મોરબી શહેરના શનાળા રોડ, સરદાર બાગ વિસ્તાર, રાજનગર, ધર્મવિજય સોસાયટી, વાવડી રોડ, પંચાસર રોડ સહિતના વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં 12 થી વધુ લોકોને કુતરાએ બચકા ભરી લોહીલુહાણ કરી નાખતા સિવિલ હોસ્પિટલ સારવાર લેવા માટે દોડી આવ્યા હતા.

    શ્વાનના આતંકનો ભોગ બનેલા દર્દીઓની વાત કરીએ તો 73 વર્ષીય દેવેન્દ્રભાઈ છગનભાઈ, 33 વર્ષના કૌશિક ભાણજીભાઈ, 22 વર્ષીય ઈશીતાબેન અતુલભાઈ, 62 વર્ષીય દમયંતીબેન જયેશભાઈ, 48 વર્ષના અનિલભાઈ ક્રિપાલદાસ, 77 વર્ષના શ્રવણ ધવલભાઈ, 35 વર્ષના રાધેશ્યામભાઈ, 25 વર્ષના પુજાબેન અશોકભાઈ, 40 વર્ષીય દિપ્તીબેન મનીષભાઈ, 74 વર્ષના રાહી જયેશભાઈ, 19 વર્ષના હ્ર્નીશાબેન હરજીવનભાઈ અને 65 વર્ષના રમેશભાઈ કુંવરજીભાઈ સહિતનાને શ્વાને બચકા ભર્યા હતા.

    એક જ દિવસમાં ખાલી સિવિલ હોસ્પીટલમાં 12 થી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા છે અને શ્વાનનો આતંક કેટલો છે તે સમજી સકાય છે પરંતુ નીમ્ભર તંત્ર કોઈ પગલા ભરતું નથી તે પણ હકીકત છે

  • રીન્યુએબલ ઉર્જામાં ગુજરાતની સિધ્ધિ; રાજસ્થાનને પાછળ છોડીને `નંબર-વન’ બન્યું

    રીન્યુએબલ ઉર્જામાં ગુજરાતની સિધ્ધિ; રાજસ્થાનને પાછળ છોડીને `નંબર-વન’ બન્યું

    સૌર, પવન જેવી પુનઃ પ્રાપ્ત ઉર્જા ઉત્પાદનમાં ગુજરાતે ડંકો વગાડ્યો છે અને રાજસ્થાનને પાછળ છોડીને નંબર-વન બની ગયું છે. કેન્દ્ર સરકારના રિન્યુએબલ (પુનઃ પ્રાપ્ય) ઉર્જા મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં રિન્યુએબલ ઉર્જા ક્ષમતા 47178 મેગાવોટ થઇ છે અને વર્ષમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે.

    સૌર અને પવન ઉર્જાનો તેમાં મોટો હિસ્સો છે. રાજસ્થાનની રીન્યુએબલ ઉર્જા ક્ષમતા 47020 મેગાવોટ છે. ગુજરાત 2024-25માં 13785 મેગાવોટની ક્ષમતા સાથે બીજાક્રમે હતું પરંતુ હવે ક્ષમતા વૃધ્ધિ સાથે પ્રથમક્રમે આવી ગયું છે.

    આંકડાકીય રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ગુજરાતમાં સૌર ઉર્જા ક્ષમતા 29303 મેગાવોટ,પવન ઉર્જાની 15642 મેગાવોટ, 2103 મેગાવોટ હાઇડ્રો તથા 130 મેગાવોટ બાયોક્ષમતા છે.

    ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેક્ટર શાલીની અગ્રવાલે કહ્યું કે ગુજરાતની ઉર્જા ક્ષેત્રે આ મોટી સિધ્ધી છે. પ્રથમ વખત સમગ્ર દેશમાં રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યો છે.

    ભારત સરકારે 2031 સુધીમાં 500 ગીગાવોટની રીન્યુએબલ ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો ટારગેટ નકકી કર્યો છે. ગુજરાતે આ લક્ષ્યાંક 100 ગીગાવોટનો રાખ્યો છે. ગુજરાતે 47 ગીગાવોટની ક્ષમતા હાંસલ કરી જ લીધી છે અને હજુ અનેક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં હોવાથી ટારગેટ હાંસલ થઇ જવાનો વિશ્વાસ છે.

    તેમણે ઉમેર્યું કે વૈશ્વિક યુધ્ધ સંકટ વચ્ચે પણ રીન્યુએબલ ઉર્જાને કારણે ભારતને કોઇ ખરાબ અસર નથી. વિશ્વસ્તરે ઉર્જા ક્ષેત્રે સંકટ સર્જાયું છે. પરંતુ ગુજરાતમાં રીન્યુએબલ ઉર્જાને કારણે રાહત છે. સરકારે હવે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

    સમગ્ર રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ગુજરાત ટોચના સ્થાને પહોંચવા છતાં માત્ર સૌર ઉર્જાને લક્ષ્યમાં લેવામાં આવે તો રાજસ્થાન મોખરે છે. રાજસ્થાનમાં સોલાર ક્ષમતા 41012 મેગાવોટ છે. રૂફટોપ સોલારમાં ગુજરાત નંબર-વન છે અને 6881 મેગાવોટની ક્ષમતા સાથે સમગ્ર દેશમાં મોખરે છે.

    નિષ્ણાંતોના કહેવા પ્રમાણે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વધુ રોકાણ તથા મજબૂત ઇકો સિસ્ટમને કારણે ગુજરાત મોખરે છે. છેલ્લા પાંચ વર્ષમાં ક્ષમતામાં મોટો વધારો થયો છે.

  • મોરબીના મધુપુર ગામે રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન

    મોરબીના મધુપુર ગામે રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન

    મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શ્રી રાજપૂત કરણી સેનાની મોરબી ટીમ દ્વારા મહાનગર પાલિકા અને મોરબી અને માળિયા તાલુકા પંચાયતના ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું તલવાર અને પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્મમાં શ્રી રાજપૂત કરણીસેના, ગુજરાત રાજપૂત યુવાસંઘ મોરબી શાખા તેમજ જિલ્લા રાજપૂત સમાજના અગ્રણીઓ કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહાનુભાવોએ હાજરી આપી હતી.

    અને આવનારા સમયમાં ક્ષત્રિય સમાજના વડીલો, અગ્રણીઓ દ્વારા રાજપૂત સમાજ માટે સમાજલક્ષી અને સમાજ કલ્યાણ માટે એક બંધારણ બનાવવામાં પણ આવેલ છે. તેની જાહેરાત પણ મેલડીધામ મધુપુરથી આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

  • મોરબીમાં દિકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપવા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યું

    મોરબીમાં દિકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપવા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યું

    મોરબીમાં પોલીસ અને લોકરક્ષક દળની ભરતીની ઘણી બહેનો દ્વારા તૈયારી કરવામાં આવે છે અને તેઓને નિવૃત આર્મી ઓફિસર દ્વારા નિ:શુલ્ક ફિઝિકલ ટ્રેનિંગ અને લેખિત પરીક્ષાની તૈયારી કરાવવા માટેનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

    જેની નોંધ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલ છે અને તેઓના આ ઉમદા કાર્યને બિરદાવ્યૂ છે. મોરબીમાં રહેતા નિવૃત આર્મી ઓફિસર સહદેવસિંહ ઝાલાને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભકામના પાઠવી છે જેમાં જણાવ્યુ છે કે, નસ્ત્રઆપના દ્વારા મોરબીમાં પોલીસ અને લોકરક્ષક દળની ભરતીની તૈયારી કરતી બહેનો માટે છેલ્લા બે વર્ષથી નિ:શુલ્ક ફિઝિકલ ટ્રેનિંગ અને લેખિત પરીક્ષાની તૈયારી કરાવવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે,

    તે જાણીને અત્યંત આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. થથ અત્રે ઉલેખનીય છે કે, સહદેવસિંહ ઝાલા ભારતીય સેનામાં 28 વર્ષ સુધી રાષ્ટ્રસેવા કર્યા બાદ તેઓ નિવૃત્તિ થયા છે અને હાલમાં તેઓએ દીકરીઓના સશક્તિકરણનું બીડું ઝડપ્યું છે, ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મહિલા સશક્તિકરણના વિઝનને અનુસરીને તેઓએ દિકરીઓને દરેક ક્ષેત્રમાં નેતૃત્વ અપાવવા માટે હાલમાં ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને કાર્ય વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પને બળ પૂરું પાડે છે.

    અને હાલમાં દીકરીઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ બને તે માટે રનિંગ, ટાઈમ મેનેજમેન્ટ અને ડાયેટ પ્લાન દ્વારા જે તાલીમ આપવામાં આવી રહી છે તે લોકરક્ષક અને પોલીસ ભરતી માટે તૈયારી કરતી દીકરીઓને ખુબજ ઉપયોગી થશે. અને મોરબીના નિવૃત ઓફિસર સહદેવસિંહ ઝાલા દ્વારા જે તાલીમ આપવામાં આવી રહી છે તે અન્ય નિવૃત્ત સૈનિકો અને અધિકારીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

  • મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮ મેના રોજ યોજાશે

    મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮ મેના રોજ યોજાશે

    લોકોની ફરિયાદો/પ્રશ્નોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો મે-૨૦૨૬ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૮/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૧૧ કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.

    આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો તા.૧૦ મી મે સુધીમાં સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા સાથે અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે.

        જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધિત ખાતામાં કરેલી રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી.
    
    
        અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. આ અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી જ ધ્યાનમાં લેવામાં આવશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે.

    સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે, અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તેમજ અગાઉ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવાઈ ગયેલા પ્રશ્નો ધ્યામાં લેવામાં આવશે નહી. સુનિશ્ચિત તારીખ બાદ આવેલી અરજીઓ પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે જેની તમામ અરજકર્તાઓને ખાસ નોંધ લેવા મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

  • LPG સિલિન્ડર પર મોટી અપડેટ આવી: જેમને દર મહિને સિલિન્ડર જોઈતો હોય તેમના માટે એલર્ટ, આટલા દિવસ રાહ જોવી પડશે

    LPG સિલિન્ડર પર મોટી અપડેટ આવી: જેમને દર મહિને સિલિન્ડર જોઈતો હોય તેમના માટે એલર્ટ, આટલા દિવસ રાહ જોવી પડશે

    મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર એલપીજી સિલિન્ડર પર દેખાવા લાગી છે. ભારતની સામાન્ય જનતાને પણ એલપીજી ગેસની શોર્ટેઝનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે સરકારે ઘણા બદલાવ પાછલા મહિને લાગૂ કર્યા, જેથી લોકોને એલપીજી ગેસ મળતો રહે. સરકારે સ્થિતિને ધ્યાનમાં રાખતા અમુક મોટા ફેરફાર કર્યા છે, જેથી ગેસની સપ્લાય પર વધારે અસર ન પડે અને તકલીફને કંટ્રોલમાં રાખી શકાય. જો આપ પણ ઘર પર એલપીજીનો ઉપયોગ ખાવાનું બનાવવા માટે કરો છો, આ આપના માટે જરુરી સમાચાર છે.

    સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો અંતર્ગત એલપીજી ગેસ સિલિન્ડરના બુકિંગની વચ્ચેનો સમય વધારવાના છે. શહેરોમાં એક સિલિન્ડર બુકિંગ બાદ બીજો બુક કરવા માટે કમસે કમ 25 દિવસ રાહ જોવી પડશે. વળી ગ્રામિણ વિસ્તાર માટે 45 દિવસનો સમય નક્કી થઈ શકે છે. પણ જો કોઈ નિશ્ચિત સમય પહેલા બુકિંગ કરવાની કોશિશ કરશે તો સિસ્ટમ આપોઆપ તેને બ્લોક કરી દેશે.

    ભારતમાં એલપીજી સિલિન્ડરની કિંમતો પર પણ મોટી અસર પડી છે. મેથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં એક સાથે લગભગ 1000 રુપિયાનો વધારો કરી દીધો છે. સરકારી તેલ કંપનીઓની વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ અલગ અલગ શહેરોમાં અલગ અલગ વધારવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 993 રુપિયા વધી ગયા છે. આવા સમયે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 3071.50 રુપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયા છે.

    આ અગાઉ એલપીજી સિલિન્ડરના ભાવ એપ્રિલમાં બદલાયા હતા. ગેસ સિલિન્ડરના ભાવમાં 195.50 રુપિયાનો વધારો કર્યો હતો અને હવે આ વધારો પણ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ગ્લોબલ ઓયલની કિંમતોમાં ભારે ઉછાળાના કારણે થયો છે. આ ઉપરાંત બીજો એક બદલાવ એ છે કે એલપીજી સિલિન્ડરની ડિલિવરી માટે હવે ઓટીપી આધારિત સિસ્ટમને ફરજિયાત કરી દીધી છે.

    જે અંતર્ગત ગ્રાહક ખાલી બુકિંગ અથવા રસીદ બતાવીને સિલિન્ડર મેળવી શકશે નહીં, પણ બુકિંગ બાદ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા ડિલિવરી ઓથેંટિકેશન કોડ (OTP) બતાવવો જરુરી હશે. સરકાર અનુસાર, આ સિસ્ટમ પહેલાથી જ 94.5 ટકાથી વધારે ડિલિવરીમાં ઉપયોગ થઈ રહી છે. તેનાથી સિલિન્ડર યોગ્ય ગ્રાહક સુધી સુરક્ષિત રીતે પહોંચી શકશે. વળી જે એલપીજી ગ્રાહકોએ હજું સુધી eKYC પૂરું નથી કર્યું, તેમને એલપીજી સિલિન્ડર નહીં મળે. સાથે જ તમામ એલપીજી ગ્રાહકોને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી એલપીજી અકાઉન્ટને લિંક રાખવું જરુરી છે.

    એલપીજી સિલિન્ડરની સુરક્ષાને લઈ સરકારે ખાસ ધ્યાન આપ્યું છે. જે અંતર્ગત તમામ સિલિન્ડર માટે કડક સુરક્ષા તપાસ અને વેરિફિકેશન નિયમ લાગૂ કરી દીધા છે, જેથી કોઈ પણ પ્રકારની લાપરવાહીથી બચી શકાય. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે સિલિન્ડર લેતી વખતે તેના સીલ, એક્સપાયરી ડેટ જરુરથી ચેક કરો અને નવો QR કોડ સ્કેન કરો. આ QR કોડવાળા સિલિન્ડરને સ્કેન કરી ગ્રાહક મેન્યુફેક્ચરિંગ ડેટ, છેલ્લે કરેલા લીકેજની તપાસ અને રીફિલનો સમગ્ર રેકોર્ડ આસાનીથી જોઈ શકે છે.

    ગેસ બુકિંગ સર્વિસેસને પણ હવે એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાની કોશિશ થઈ રહી છે. જે અંતર્ગત લોકો હવે મોબાઈલ એપ, UPI અને વોયસ-અસિસ્ટેડ સેવાઓ દ્વારા આસાનીથી ગેસ બુક કરી શકે છે. આ મલ્ટી-ચેનલ સિસ્ટમનો ઉદ્દેશ્ય તમામ લોકોને સુવિધા આપવાનો છે, જેથી જે લોકો એપ્સનો ઉપયોગ નથી કરી શકતા, તે પણ સિંપલ ડિજિટલ રીતથી ગેસ સર્વિસેસનો ફાયદો ઉઠાવી શકે.

    સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર સિસ્ટમને વધારે સારી બનાવી રહી છે, જેથી આર્થિક મદદ યોગ્ય અને જરુરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે. જે અંતર્ગત જે પરિવારોની આવક વધારે છે, તેમની સહાયતા રકમ ઓછી કરી શકાય છે, વળી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પહેલાની માફક પૂરતી મદદ સીધી તેમના બેન્ક ખાતામાં મળતી રહેશે, જેથી સરકારી યોજનાનો લાભ યોગ્ય રીતે લક્ષિત લોકો સુધી પહોંચી શકે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત પણ લોકોને એલપીજી સિલિન્ડરનો ફાયદો યોગ્ય રીતે આપવામાં આવી રહ્યો છે.

  • મોરબી : ઘુંટુ ઔધોગિક વિસ્તારમાં મેન્ટેનન્સ કામગીરીને કારણે આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

    મોરબી : ઘુંટુ ઔધોગિક વિસ્તારમાં મેન્ટેનન્સ કામગીરીને કારણે આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

    મોરબી : પીજીવીસીએલના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે તા. 06-05-2026ના રોજ જરૂરી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી નિયત સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

    નાયબ ઇજનેર, ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભરતનગર એસ.એસ.થી નીકળતા મેક્સવર્લ્ડ અને પોઝિટિવ ફીડરમાં બપોરે 2:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જ્યારે ટિટાનિયમ ફીડરમાં સાંજે 5:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી મેન્ટેનન્સ કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રહેશે.

    ઉલ્લેખનીય છે કે દર્શાવેલ સમયગાળા દરમિયાન સંબંધિત ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જોકે મેન્ટેનન્સ કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ થશે તો પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે, તેમ પણ યાદીમાં જણાવાયું છે.