Author: admin

  • મોરબીમાં રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત

    મોરબીમાં રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત

    મોરબી-જેતપર રોડ ઉપર આવેલ ટાઈટેનીયમ વિટ્રિફાઈડ કારખાનામાં કામ કરતા યુવાનના 8 વર્ષના બાળકને કૂતરાએ બચકા ભરીનલીધા હતા જેથી તને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ટૂં કી સારવાર દરમિયાન તે માસુમ બાળકનું મોતની પછી હતું

    મોરબીના જેતપર રોડ ઉપર આવેલ ટાઈટેનિયમ સિરામિક કારખાનામાં રહેતા અને કામ કરતા કૃપાલભાઈ માલવિયાના 8 વર્ષીય પુત્ર કૃણાલ કૃપાલભાઈ માલવિયાને રખડતા શ્વાનોએ બચકા ભરી લીધા હતા જેથી કરીને ઈજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા

    અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે બાળકનું મોતનીપજ્યુ હતુ વધુમાં બનાવની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કૃપાલભાઈ તેના પત્ની અને બાળક સાથે લેબર કોલોની પાસે બહારના ભાગે સુતા હતા ત્યારે રાત્રિના સમયે તેના દીકરા કૃણાલ ને કુતરા ઢસડીને કોલોનીની પાછળના ભાગે લઈ ગયા હતા અને ત્યાં તેને શરીર ઉપર એકથી વધુ બટકા ભરી લેવામાં આવ્યા હતા

    જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે બાળકનું મોત નિપજ્યું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

    ઉલેખનીય છે કે, મોરબી શહેરમાં દિવસેને દિવસે રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે. અને બે દિવસ પહેલાં જીઆઇડીસી વિસ્તાર અને ચિત્રકુટ સોસાયટી આસપાસ 20થી વધુ લોકોને શ્વાનોએ બચકા ભરી લીધા હતા. ત્યારે માસુમ બાળકની જેમ અન્ય કોઈ વ્યક્તિનો જીવ લેવાય ત્યારે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે

  • મોરબીમાં કેનાલને બોક્સ પાર્કિંગ કરવાની કામગીરીનો પ્રારંભ

    મોરબીમાં કેનાલને બોક્સ પાર્કિંગ કરવાની કામગીરીનો પ્રારંભ

    મોરબી : મોરબી શહેરમાંથી પસાર થતી કેનાલને બોક્સ પાર્કિંગ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

    અંદાજે રૂ. ૫૭ કરોડના ખર્ચે હાથ ધરાનારી આ કામગીરી પૂર્ણ થયા બાદ શહેરમાં પાર્કિંગની સમસ્યામાં રાહત મળશે તેમજ નાગરિકોને હરવા-ફરવાની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ બનશે.

    મોરબીના મ્યુનિસિપલ કમિશ્નરે માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાંથી પસાર થતી કેનાલ ઉપર બોક્સ પાર્કિંગ બનાવવાની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને સંબંધિત વિભાગની મંજૂરી બાદ હવે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

    આ પ્રોજેક્ટ અંતર્ગત કેનાલને કવર કરીને તેના ઉપર પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સાથે સાથે નાગરિકોને બેસવાની સુવિધા, હરવા-ફરવા માટેનું સુંદર વાતાવરણ તથા અન્ય જરૂરી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેનાલમાં પાણી છોડવામાં આવે તે પહેલાં ચોમાસા પૂર્વે જરૂરી કામગીરી પૂર્ણ કરવા આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ કામ પૂર્ણ થતાં શહેરના ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યામાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • ક્રૂડતેલ 100 ડોલરની નીચે : શેરબજારમાં તેજી

    ક્રૂડતેલ 100 ડોલરની નીચે : શેરબજારમાં તેજી

    અમેરિકા અને ઇરાન વચ્ચેના યુધ્ધમાં આવતા 48 કલાકમાં જ સમજુતી થઇ જવાની અને કાયમી શાંતિ થઇ જવાના સંકેતોને પગલે ક્રૂડતેલમાં ગાબડુ પડ્યું હતું જ્યારે શેરબજાર તથા રૂપિયો ઉંચકાયા હતા.

    મધ્ય પૂર્વના યુધ્ધમાં શાંતિ સ્થપાવાના સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટ ખુલી જશે અને ક્રૂડતેલના પરિવહનમાં રાહત થઇ જવાની અટકળો વ્યક્ત થવા લાગી છે. ક્રૂડ સંકટ દુર થવાની આ ગણતરીએ ભાવમાં ગાબડા હતા. આજે સતત બીજા દિવસે ભાવ તૂટ્યા હતા. ડબલ્યુટીઆઇ ક્રૂડ 93.08 ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ 99.22 ડોલર સાંપડ્યું હતું. ગઇકાલે સાત ટકાના ઘટાડા બાદ આજે વધુ બે ટકા તૂટ્યું હતું. બે દિવસમાં સરેરાશ 10 ટકાનો ઘટાડો હતો.

    ક્રૂડની અસર કરન્સી માર્કેટમાં પણ થઇ હોય તેમ ડોલર સામે સતત બીજા દિવસે રૂપિયો ઉંચકાયો હતો તે 40 પૈસા વધીને 94.22 સાંપડ્યો હતો. બીજી તરફ શેરબજારમાં પણ તેજીનો ટ્રેન્ડ જળવાયો હતો. લાર્જકેપ-હેવીવેઇટ કરતાં પણ રોકડા-મીડકેપ શેરોમાં વધુ આકર્ષણ હતું.

    મધ્ય પૂર્વના યુધ્ધમાં શાંતિના આશાવાદ હેઠળ માનસ પોઝીટીવ બન્યું હતું. હવે વિદેશી નાણાં સંસ્થાઓનું નવું રોકાણ ઠલવવાની પણ આશા વ્યકત થતી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધ સમાપ્તિની સતાવાર ઘોષણા માર્કેટમાં નવી તેજી સર્જી શકે છે.

    શેરબજારમાં આજે પેટીએમ, પોલીકેબ, ભારત ફોર્જ, ભેલ, યસ બેંક, સુઝલોન, આર.આર. કેબલ, ગોદરેજ ઇન્ડ. એરો ફલેક્ષ, પતંજલી વગેરે ઉંચકાયા હતા. ગોદરેજ કન્ઝયુમર, બ્લુસ્ટાર, વેદાંત, રીલાયન્સ, વોડાફોન, ટાટા કેપીટલ, એચસીએલ ટેકનોમાં ઘટાડો હતો.

    મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 77954 હતો તે ઉંચામાં 78384 તથા નીચામાં 77713 હતો. નિફટી 25 પોઇન્ટ વધીને 24355 હતો તે ઉંચામાં 24482 તથા નીચામાં 24284 હતો.

  • પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન

    પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન

    ગયા વર્ષે પહલગામમાં થયેલા ઘાતકી આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના જવાબમાં ભારતે પાકિસ્તાની આતંકી ઠેકાણાઓ અને તેમના સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ આ અત્યંત ગુપ્ત અને પ્રચંડ ઓપરેશન પાર પાડ્યું હતું. એક વર્ષ પૂર્ણ થવા પર થલ સેના, વાયુસેના અને નૌસેનાના ઉચ્ચ અધિકારીઓએ આ ઓપરેશનની સફળતાની વિગતો જાહેર કરી છે.

    પાકિસ્તાનને પહોંચાડેલું ભારે નુકસાન

    લેફ્ટિનન્ટ જનરલ રાજીવ ઘઈ, એર માર્શલ અવધેશ ભારતી અને વાઈસ એડમિરલ એએન પ્રમોદે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, આ ઓપરેશન આતંકવાદ સામે ભારતની દ્રઢ ઈચ્છાશક્તિનું પ્રતીક છે. આ ઓપરેશન દરમિયાન ભારતે પાકિસ્તાનના 13 વિમાન તોડી પાડ્યા હતા અને 11 સૈન્ય બેઝને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઓપરેશનમાં 100થી વધુ પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં આવ્યા હતા.

    આત્મનિર્ભર ભારતની તાકાત: 65% સ્વદેશી હથિયારોનો વપરાશ

    લેફ્ટિનન્ટ જનરલ રાજીવ ઘઈ (તત્કાલીન DGMO) એ જણાવ્યું કે, આ ઓપરેશનમાં 65 ટકાથી વધુ સંરક્ષણ ઉપકરણો સ્વદેશી હતા, જે આત્મનિર્ભર ભારતની વધતી શક્તિ દર્શાવે છે. સરકારે સેનાને સંપૂર્ણ ‘પ્રોફેશનલ ફ્રીડમ’ અને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા, જેના કારણે પાકિસ્તાનની તમામ નપાક હરકતોને જડબાતોડ જવાબ આપી શકાયો. પાકિસ્તાન એટલું મજબૂર બન્યું હતું કે તેણે ઓપરેશન રોકવા માટે અપીલ કરવી પડી હતી.”

    વાયુસેના અને ‘જીવો અને જીવવા દો’ની નીતિ

    એર માર્શલ અવધેશ ભારતીએ જણાવ્યું કે ભારતીય સેના હંમેશા ‘જીવો અને જીવવા દો’ (Live and Let Live) ની ફિલસૂફીમાં માને છે, પરંતુ જ્યારે કોઈ અમારી શાંતિને નબળાઈ માને છે ત્યારે તેને નિર્ણાયક જવાબ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, જ્યારે ભારતનું પહેલું હથિયાર પાકિસ્તાની ટાર્ગેટ પર ત્રાટક્યું ત્યારે શહીદ પરિવારોને આંશિક ન્યાય મળ્યો હતો. વાયુસેના હાલમાં ‘મિશન સુદર્શન ચક્ર’ હેઠળ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે.

    નૌસેનાએ પાકિસ્તાની સમુદ્રી માર્ગો પર મેળવ્યું નિયંત્રણ

    વાઈસ એડમિરલ એએન પ્રમોદે (DGNO) ખુલાસો કર્યો કે આ ઓપરેશનમાં ભારતીય નૌસેનાએ બેટલ કેરિયર ગ્રુપ, સબમરીન અને અન્ય સંપત્તિઓ તૈનાત કરી હતી. નૌસેનાએ સ્ટ્રાઈક્સમાં સક્રિય ભાગ લેવા ઉપરાંત પાકિસ્તાનના વ્યાપારી માર્ગોને પણ નિયંત્રિત કર્યા હતા, જેનાથી પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું હતું.

    ભારતીય સશસ્ત્ર દળોએ સ્પષ્ટ કર્યું છે કે ભારત હવે આતંકવાદ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ પર ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં પણ કોઈપણ પડકારનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ છે.

  • મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ ‘વેલ્યુ ચેઇન પાર્ટનર’ની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ

    મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ ‘વેલ્યુ ચેઇન પાર્ટનર’ની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ

    મોરબી જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે તેલીબિયાં પાકોના ઉત્પાદન અને મૂલ્યવર્ધનને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    ભારત સરકારની NMEO-Oilseed (National Mission on Edible Oils – Oilseeds) યોજના અંતર્ગત જિલ્લામાં વિવિધ યોજનાકીય કામગીરીઓ સુચારુ રીતે પાર પાડવા માટે ‘વેલ્યુ ચેઇન પાર્ટનર’ (VCP) ની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

    આ યોજના હેઠળ કામ કરવા માટે રસ ધરાવતા અને નિર્ધારિત લાયકાત ધરાવતા એફ.પી.ઓ. (FPO), સહકારી સંસ્થાઓ તેમજ જાહેર અથવા ખાનગી કોર્પોરેશનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

    લાયક સંસ્થાઓએ જરૂરી તમામ દસ્તાવેજો અને વિગતવાર માહિતી સાથેની પોતાની અરજી આગામી તારીખ: ૧૨/૦૫/૨૦૨૬ સુધીમાં ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી, મોરબી ખાતે રૂબરૂમાં અથવા કચેરીના સત્તાવાર ઈ-મેઈલ ID: daomorbi@gmail.com પર મોકલી આપવાની રહેશે.

    આ નિમણૂક અંગેની વધુ માહિતી, લાયકાતના ધોરણો અને અન્ય જાણકારી માટે ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી, મોરબીનો કચેરી સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

  • મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે ૧૫ દિવસીય નિઃશૂલ્ક સમર યોગ કેમ્પ

    મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે ૧૫ દિવસીય નિઃશૂલ્ક સમર યોગ કેમ્પ

    મોરબી તા.૭ મે – બાળકોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા અને ભારતીય સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉનાળુ વેકેશનમાં તા. ૧૬-૦૫-૨૦૨૬ થી ૩૦-૦૫-૨૦૨૬ દરમિયાન ૭ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે ૧૫ દિવસીય નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

    આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ અને ગેજેટ્સ પાછળ વધુ સમય વિતાવી રહ્યા છે, ત્યારે આ કેમ્પ તેમને કુદરતી વાતાવરણમાં શિસ્તબદ્ધ જીવન જીવવાની પ્રેરણા આપશે. નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિસરની તાલીમ આપશે.

     જોકે, બેઠકો મર્યાદિત હોવાથી 'વહેલા તે પહેલા'ના ધોરણે રજીસ્ટ્રેશન કરવા નીચે આપેલી લિંક પર ફોર્મ ભરવાનું રહેશે. રજીસ્ટ્રેશન લિંક: https://forms.gle/vLQ8QFaszLhSA2rH6 વધુ માહિતી માટે ગોકુળ નગર પ્રાથમિક શાળા, શકત શનાળા તથા ૮૧૬૦૯૧૬૮૮૨  લીલા લહેર ગાર્ડન, રાજપર ખાતે ૮૫૫૩૩૧૮૫૮૫  ખાતે સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
  • દેવળીયા ખાતે શ્રી રાજપુત કરણીસેના હળવદ ટીમની કાર્યકારી બેઠક યોજાઈ

    દેવળીયા ખાતે શ્રી રાજપુત કરણીસેના હળવદ ટીમની કાર્યકારી બેઠક યોજાઈ

    હળવદ તાલુકાના દેવળીયા ગામ ખાતે શ્રી રાજપુત કરણીસેના હળવદ ટીમની કાર્યકારી બેઠક પ્રમુખશ્રી ઝાલા વિરપાલસિંહ ઢવાણાના વરદહસ્તે યોજાઈ હતી. બેઠક દરમિયાન સંગઠનના નવનિયુક્ત હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું

    તેમજ સામાજિક મુદ્દાઓ અંગે ચિંતન-મંથન કરવામાં આવ્યું હતું.બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે તાલુકામાં સમાજ તેમજ અન્ય કોઈપણ સમાજ પર અન્યાય થતો હશે તો શ્રી રાજપુત કરણીસેના હળવદ ટીમ હંમેશા સમાજના પડખે ઉભી રહેશે અને સમાજના દુઃખ-સુખમાં સહભાગી બનશે.

    આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા ઈનચાર્જ લક્ષ્મણસિંહ માલણીયાદ, સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય હોદેદાર વિજયસિંહ તથા રાણાજી ભલગામડા, હળવદ ટીમ પ્રભારી જીગ્નેશસિંહ સાપકડા, મોરબી તાલુકા પ્રમુખ રવિરાજ સાપર સહિત મોરબી જિલ્લા સંગઠનના હોદેદારો અર્જુનસિંહ દિઘડીયા, વિજયસિંહ ધનાળા, મયુરસિંહ ઘણાદ, સુરેન્દ્રસિંહ સાપકડા, અજયસિંહ કોયબા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

    તે ઉપરાંત તાલુકા સંગઠનના હોદેદારો કિરીટસિંહ દિઘડીયા, માર્ગદર્શક વિશ્વરાજસિંહ ધનાળા, કીર્તીરાજસિંહ ચરાડવા, રાજદીપસિંહ માલણીયાદ, મહિપાલસિંહ ઈગોરાળા, અજયસિંહ ખોડ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ટપર, અર્જુનસિંહ માલણીયાદ, કુલદીપસિંહ લીયા, પ્રતિપાલસિંહ દિઘડીયા, પ્રવિણસિંહ દિઘડીયા, શક્તિસિંહ ખોડ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન દેવળીયા ક્ષત્રિય સમાજ દ્વારા શ્રી રાજપુત કરણીસેના હોદેદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ ગંભીરસિંહ દેવળીયા, હરદેવસિંહ તેમજ દેવળીયા ગામના હોદેદારો અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

  • મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો

    મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો

    મોરબી તાલુકાની રોટરીગ્રામ (અમરનગર) પ્રાથમિક શાળાના શિક્ષક અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ વાલજીભાઈ સરડવાનો ભવ્ય વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

    મોરબી તાલુકાની રોટરીગ્રામ અમરનગર પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી મણિલાલ વાલજીભાઈ સરડવાનો અનેક મહેમાનોની ઉપસ્થિતિમાં વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જીલ્લામાં શૈક્ષણિક ફલક પર જેમનું અદકેરું નામ છે એવા મણિલાલ સરડવાનો વિદાય સન્માન કાર્યક્રમ અદભુત અને અલૌકિક રહ્યો હતો. ખાસ તેમના વિદાયમાં સન્માન કાર્યક્રમમાં શૈક્ષીક મહાસંઘ મોરબી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

    જિલ્લાના તમામ તાલુકાના ટી.પી.ઈ.ઓ, કે.ની., બી.આર.સી. અને સી.આર.સી.ઓ ઉપસ્થિત રહ્યાં. આ ઉપરાંત મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ડો. મનુભાઈ કૈલા, મંત્રી જયંતીભાઈ વિડજા, ઉમિયા માનવસેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, ગામના સરપંચ, એસ.એમ.સી.ના અધ્યક્ષ સહિતના હાજર રહ્યા હતા.

    ઉલેખનીય છે કે, 1986 માં પી.ટી.સી કરીને ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં મણીભાઈ સરડવાએ પ્રાથમિક શિક્ષક તરીકેની પોતાની સફર શરૂ કરી અને ત્યાર બાદ માળિયાના વાધરવા, ખાનપર, દાદાશ્રીનગર (અ.) પ્રાથમિક, રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં તેઓએ ફરજ બજાવી હતી. તેઓને નિવૃતિ વિદાયમાન સાથે શેષ જીવન દીર્ઘ અને તંદુરસ્ત બની રહે તેવી સહુકોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલેખનીય છે કે, તેઓએ અત્યાર સુધીમાં 52 વખત રક્તદાન કર્યું છે. અને અનેકવિધ સેવકીય કામ અને સંસ્થાઓની સાથે જોડાયેલ છે.

  • રીન્યુએબલ ઉર્જામાં ગુજરાતની સિધ્ધિ; રાજસ્થાનને પાછળ છોડીને `નંબર-વન’ બન્યું

    રીન્યુએબલ ઉર્જામાં ગુજરાતની સિધ્ધિ; રાજસ્થાનને પાછળ છોડીને `નંબર-વન’ બન્યું

    સૌર, પવન જેવી પુનઃ પ્રાપ્ત ઉર્જા ઉત્પાદનમાં ગુજરાતે ડંકો વગાડ્યો છે અને રાજસ્થાનને પાછળ છોડીને નંબર-વન બની ગયું છે. કેન્દ્ર સરકારના રિન્યુએબલ (પુનઃ પ્રાપ્ય) ઉર્જા મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં રિન્યુએબલ ઉર્જા ક્ષમતા 47178 મેગાવોટ થઇ છે અને વર્ષમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે.

    સૌર અને પવન ઉર્જાનો તેમાં મોટો હિસ્સો છે. રાજસ્થાનની રીન્યુએબલ ઉર્જા ક્ષમતા 47020 મેગાવોટ છે. ગુજરાત 2024-25માં 13785 મેગાવોટની ક્ષમતા સાથે બીજાક્રમે હતું પરંતુ હવે ક્ષમતા વૃધ્ધિ સાથે પ્રથમક્રમે આવી ગયું છે.

    આંકડાકીય રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ગુજરાતમાં સૌર ઉર્જા ક્ષમતા 29303 મેગાવોટ,પવન ઉર્જાની 15642 મેગાવોટ, 2103 મેગાવોટ હાઇડ્રો તથા 130 મેગાવોટ બાયોક્ષમતા છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેક્ટર શાલીની અગ્રવાલે કહ્યું કે ગુજરાતની ઉર્જા ક્ષેત્રે આ મોટી સિધ્ધી છે.

    પ્રથમ વખત સમગ્ર દેશમાં રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યો છે. ભારત સરકારે 2031 સુધીમાં 500 ગીગાવોટની રીન્યુએબલ ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો ટારગેટ નકકી કર્યો છે. ગુજરાતે આ લક્ષ્યાંક 100 ગીગાવોટનો રાખ્યો છે.

    ગુજરાતે 47 ગીગાવોટની ક્ષમતા હાંસલ કરી જ લીધી છે અને હજુ અનેક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં હોવાથી ટારગેટ હાંસલ થઇ જવાનો વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું કે વૈશ્વિક યુધ્ધ સંકટ વચ્ચે પણ રીન્યુએબલ ઉર્જાને કારણે ભારતને કોઇ ખરાબ અસર નથી. વિશ્વસ્તરે ઉર્જા ક્ષેત્રે સંકટ સર્જાયું છે.

    પરંતુ ગુજરાતમાં રીન્યુએબલ ઉર્જાને કારણે રાહત છે. સરકારે હવે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સમગ્ર રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ગુજરાત ટોચના સ્થાને પહોંચવા છતાં માત્ર સૌર ઉર્જાને લક્ષ્યમાં લેવામાં આવે તો રાજસ્થાન મોખરે છે.

    રાજસ્થાનમાં સોલાર ક્ષમતા 41012 મેગાવોટ છે. રૂફટોપ સોલારમાં ગુજરાત નંબર-વન છે અને 6881 મેગાવોટની ક્ષમતા સાથે સમગ્ર દેશમાં મોખરે છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વધુ રોકાણ તથા મજબૂત ઇકો સિસ્ટમને કારણે ગુજરાત મોખરે છે. છેલ્લા પાંચ વર્ષમાં ક્ષમતામાં મોટો વધારો થયો છે.

  • મોરબીની ‘ક્રાંતિકારી સેના’નાં નામનો દુરઉપયોગ કરવા બદલ પોલીસ ફરિયાદ

    મોરબીની ‘ક્રાંતિકારી સેના’નાં નામનો દુરઉપયોગ કરવા બદલ પોલીસ ફરિયાદ

    મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત સામાજિક સંગઠન ક્રાંતિકારી સેનાના નામ અને લોગાના ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તે અંગેની લેખિત ફરિયાદ આપવામાં આવી છે.

    ક્રાંતિકારી સેના સંગઠનના સભ્ય યોગેશભાઈ રમેશભાઈ ગાંભવાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2013 થી મોરબીમાં કાર્યરત ક્રાંતિકારી સેનામાં આશરે 500 જેટલા સભ્યો જોડાયેલા છે અને સંગઠન મુખ્યત્વે સામાજિક સેવા તેમજ અબોલ જીવોની સેવા માટે કાર્ય કરે છે. સંગઠનની કોઈપણ રાજકીય પાર્ટી અથવા પ્રવૃત્તિ સાથે કોઈ જોડાણ નથી અને તે બિનરાજકીય તરીકે ઓળખ ધરાવે છે.

    જો કે, તાજેતરમાં વડોદરાના રહેવાસી શ્રેય મહેન્દ્રભાઈ પટેલે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સંગઠનનું નામ, રજિસ્ટર્ડ લોગો અને પોસ્ટરોનો દૂરઉપયોગ કર્યો હતો. જેથી કરીને સામાન્ય નાગરિકોમાં સંગઠન વિષે ખોટો ભ્રમ ઊભો થાય અને સંગઠનની પ્રતિષ્ઠાને નુકસાન પહોચે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે.

    અને તેણે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો પોસ્ટ કરીને પોતાને માસ્કમેન તરીકે પ્રોજેક્ટ કરી અંગત રાજકીય અને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો છે તેવો હાલમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.