Author: admin

  • આવતીકાલે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરાયો

    આવતીકાલે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરાયો

    ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ-10 માટે વર્ષ 2026ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી. જેમાં રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ ધોરણ-10 (SSC)નું પરિણામ આવતીકાલે એટલે કે 6 મેના રોજ GSEB બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

    આવતીકાલે ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ની ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. બધુવારે(6 મે) સવારે 8 વાગ્યે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે.

    વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક નંબર દાખલ કરીને પરિણામ જોઈ શકાશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp નંબર 6357300971 પર મોકલીને પણ પોતાનું પરિણામ તરત જ મેળવી શકશે.
    બોર્ડની અખબારી યાદી મુજબ, ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓમાં મોકલવા અંગેની સૂચનાઓ હવે પછી આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પરિણામ બાદ ગુણચકાસણી કરાવવી હોય તો તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત, નામ સુધારા કે પૂરક પરીક્ષા 2026 માટેના ફોર્મ ભરવા અંગેની વિગતો પણ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

  • કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ

    કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ

    ગુજરાતમાં કચ્છ, અમરેલી, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મંગળવારે(5 મે) ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ભુજ-અંજારમાં તો ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે.

    કચ્છમાં કરાં સાથે કમોસમી વરસાદ

    કચ્છમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભુજ-અંજાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં હીરાપર, મોડસર, મોખાણા સહિતના ગામડાંઓમાં માવઠું પડ્યું છે. ભારે પવન સાથે અમુક સ્થળે કરાં સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.

    બીજી તરફ, ભચાઉના કડોલમાં પણ માવઠું પડ્યું છે. જેમાં કડોલ, માય અને લાખાવટ સહિતના ગામોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થયો છે. ભર ઉનાળે માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.

    અમરેલીના ગાજવીજ સાથે માવઠું થતાં કેરીના પાકને નુકશાનની ભીતિ

    હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ થયો છે. જેમાં અમરેલીના ખાંભા ગીર પંથક અને ધારી ગીર પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. જેમાં ખાંભા ગીરના ખડાધાર, નાનુડી, પીપળવા, ચતુરી ગામો અને ધારી શહેર-અમુક ગામોમાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાનની ભીતિ વર્તાઈ રહી છે.

    ઉત્તર ગુજરાતમાં માવઠું

    અરવલ્લીના મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ શામળાજી સહિતના વિસ્તારોમાં આજે 5મી મેએ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં મહીસાગરના કડાણા તાલુકાના સરહદી ગામો અને ખાનપુર પંથકમાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જ્યારે ગોધર ઉતર, જોગણ અને સરસવા સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ, દાહોદ જિલ્લામાં પણ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને વરસાદી ઝાપટાં પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

    ગુજરાતમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. IMD અનુસાર, 13થી વધુ જિલ્લામાં ભારે પવન ફૂંકાવવાની સાથે હળવા કમોસમી વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.

  • સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો; પણ ભાવ નહીં વધે! જાણો કેમ?

    સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો; પણ ભાવ નહીં વધે! જાણો કેમ?

    ભારત સરકારે 1 મે 2026 થી સોફ્ટ ડ્રિંક્સ પરના ટેક્સ દરોમાં ધરખમ વધારો કર્યો છે. 30મી એપ્રિલે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે સોફ્ટ ડ્રિંક્સ પર 28 ટકાને બદલે 40 ટકા જીએસટી લાગુ થશે. હવેથી નવા રેટ પ્રમાણે જ તમામ વ્યવહાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

    શા માટે લેવાયો આ નિર્ણય? સિંગલ ટેક્સ સ્લેબ: અગાઉ સોફ્ટ ડ્રિંક્સ પર 38 ટકા જીએસટી અને 12 ટકા કોમ્પન્સેશન સેસ લેવામાં આવતો હતો, જેના કારણે બે અલગ હિસાબ રાખવા પડતા હતા. હવે બંનેને ભેગા કરીને 40 ટકાનો એક જ સ્લેબ બનાવી દેવામાં આવ્યો છે.

    આરોગ્ય પ્રત્યે જાગૃતિ: પીણાંઓમાં સુગર કન્ટેન્ટનું પ્રમાણ ઘટાડવા અને તેનો વપરાશ ઓછો કરવાના હેતુથી આ ટેક્સ વધારવામાં આવ્યો છે. વેપારીઓ ખાસ ધ્યાન રાખે સરકારી આદેશ મુજબ, 1 મે થી જ રિટેઈલ બિલિંગ, સ્ટોક ટ્રાન્સફર અને પરચેઝ ઓર્ડર નવા દર (40%) પ્રમાણે તૈયાર કરવાના રહેશે.

    જો કોઈ વેપારી જૂના ટેક્સ સ્ટ્રક્ચર મુજબ વ્યવહાર કરશે, તો તેમની સામે ટેક્સ ડિમાન્ડ નીકળી શકે છે અને વ્યાજ સહિત દંડ પણ ચૂકવવો પડી શકે છે. ફળના નામે વેચાતા ડ્રિંક્સ પર સ્પષ્ટતા ઘણા ડ્રિંક્સ મેન્ગો ડ્રિંક કે ફ્રૂટ સ્પ્લેશ જેવા ફળના નામે વેચાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે,

    માત્ર ફળના નામ જોડવાથી જીએસટીમાં કોઈ રાહત મળશે નહીં, તેના પર પણ નિયમ મુજબ પૂરો ટેક્સ લાગશે. જોકે, પ્યોર ફ્રૂટ જ્યુસ કે પલ્પ જે કાર્બોનેટેડ નથી, તેના પર ટેક્સ ઓછો રહેશે.

  • એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું

    એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન ડિફોલ્ટરો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં 27મી એપ્રિલે બહાર પાડેલા પરિપત્ર મુજબ, જો કોઈ લોન લેનાર પાસે નાણાં હોવા છતાં ઈરાદાપૂર્વક લોન નહીં ચૂકવે, તો તેને માત્ર છ મહિનામાં જ ‘વિલફૂલ ડિફોલ્ટર’ જાહેર કરી દેવામાં આવશે

    એક ભૂલ અને તમામ એકાઉન્ટ ફ્રીઝ નવા નિયમો મુજબ, જો કોઈ ગ્રાહકે એકથી વધુ બેંકો કે સંસ્થાઓ પાસેથી લોન લીધી હોય અને તે કોઈ પણ એક લોનમાં ડિફોલ્ટર જાહેર થાય, તો તેને તેની તમામ લોનમાં ડિફોલ્ટર માની લેવામાં આવશે.

    આટલું જ નહીં, આવા કિસ્સામાં રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિર્ધારિત બેંકિંગ નિયમો હેઠળ વ્યક્તિના તમામ બેંક એકાઉન્ટ્સ સ્થગિત (ફ્રીઝ) કરી દેવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ કડક જોગવાઈઓ પહેલી એપ્રિલ 2026થી અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે.

    ECL સિસ્ટમથી બેંકોની જોગવાઈમાં વધારો બેંકિંગ ક્ષેત્રમાં અત્યાર સુધી NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) માટે નફામાંથી જોગવાઈ કરવામાં આવતી હતી, પરંતુ હવે ‘એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ’ (ECL) મોડેલ અમલમાં આવશે. બેંકોએ હવે લોન આપતી વખતે જ સંભવિત નુકસાનની ગણતરી કરીને અગાઉથી રકમ અનામત રાખવી પડશે.

    સ્ટાન્ડર્ડ એસેટ્સ (નિયમિત લોન) માટે પણ બેંકોએ વધુ રકમની જોગવાઈ કરવી પડશે. આ મોડેલને કારણે ટૂંકા ગાળા માટે બેંકોની નફાકારકતા પર અસર પડી શકે છે અને નફો ઘટી શકે છે. હવે લોન છુપાવી શકાશે નહીં: ઓટોમેટેડ સિસ્ટમ NPA ઓળખવા માટે હવે તમામ કોમર્શિયલ બેંકોએ ઓટોમેટેડ સિસ્ટમ ફરજિયાતપણે લાગુ કરવી પડશે.

    આ સિસ્ટમમાં માનવીય દખલગીરી નહિવત રહેશે, જેથી બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને મોટી લોન લેનારાઓ હપ્તા ભરવામાં અનિયમિતતા છુપાવી શકશે નહીં. જોકે, NPA જાહેર કરવા માટેનો 90 દિવસનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. જોખમના આધારે લોનનું વર્ગીકરણ નવા નિયમો હેઠળ બેંકની અસ્કયામતોને ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવશે. •પ્રથમ કેટેગરી: ઓછામાં ઓછી જોખમી લોન, જેમાં 12 મહિના સુધીના નુકસાનની સંભાવના હોય.

    •દ્વિતીય કેટેગરી: જેમાં ધિરાણ સામે વધુ જોખમ જણાતું હોય. •તૃતીય કેટેગરી: વર્તમાન ધોરણ મુજબ જે લોનની રકમ ફસાઈ ગઈ હોય (NPA). વધુમાં, લોનની ગણતરીમાં પારદર્શિતા લાવવા માટે હવે કરારના વ્યાજદરને બદલે ‘ઈફેક્ટિવ ઈન્ટરેસ્ટ રેટ’ ને ધ્યાનમાં લેવામાં આવશે. ભારતીય જાહેર ક્ષેત્રની બેંકોને વૈશ્વિક ધોરણોની હરોળમાં લાવવા માટે આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે.

  • બંગાળમાં પહેલીવાર ‘ભગવો’ લહેરાયો: જાણો ભાજપની ઐતિહાસિક જીતના 5 હીરો

    બંગાળમાં પહેલીવાર ‘ભગવો’ લહેરાયો: જાણો ભાજપની ઐતિહાસિક જીતના 5 હીરો

    પશ્ચિમ બંગાળમાં ખેલા હોબેના નારા વચ્ચે આ વખતે મમતા બેનરજીનું બંગાળી કાર્ડ નિષ્ફળ સાબિત થયું હોય તેમ જણાય છે. ચૂંટણી પંચના વલણો મુજબ, ભાજપ 144 બેઠકો પર લીડ કરી રહ્યું છે, જ્યારે TMC માત્ર 76 બેઠકો પર સમેટાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે, મમતા બેનરજી પોતાના ગઢ ગણાતા ભવાનીપુરથી પણ હારી શકે છે. બંગાળના સ્થાનિક નેતાઓ શુભેન્દુ અધિકારી અને દિલીપ ઘોષની મહેનત તો છે જ, પરંતુ આ જીતમાં બીજા રાજ્યોથી આવેલા 5 એવા દિગ્ગજ નેતાઓ છે, જેઓ ભાજપના સાઇલન્ટ હીરો બનીને ઉભર્યા છે.

    1. ભૂપેન્દ્ર યાદવ: ચૂંટણી મેનેજમેન્ટના એક્સપર્ટ

    કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ભાજપના ચૂંટણી મામલાના નિષ્ણાત માનવામાં આવે છે. અમિત શાહના નજીકના મનાતા યાદવ ઘણા સમયથી બંગાળમાં કેમ્પ કરી રહ્યા હતા. અગાઉ હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ તેમની વ્યૂહરચનાના વખાણ થયા હતા. બંગાળમાં તેમણે જમીની સ્તરે જે રીતે મોરચો સંભાળ્યો તેનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે.

    1. મંગલ પાંડે: રાજ્ય પ્રભારીની સફળ ભૂમિકા

    રાજ્યના પ્રભારી તરીકે મંગલ પાંડેનું નામ આ યાદીમાં પ્રથમ છે. તેમણે ચૂંટણી દરમિયાન અને તે પહેલા સંગઠનને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમની દેખરેખ હેઠળ જ બંગાળમાં ભાજપના પ્રચાર અભિયાનને નવી દિશા મળી હતી.

    1. સુનીલ બંસલ: સંગઠનના મજબૂત સ્તંભ

    સંગઠન મહામંત્રી તરીકે સુનીલ બંસલની તૈનાતી બંગાળમાં ખૂબ જ મહત્ત્વની રહી. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ પોતાનો મોટાભાગનો સમય બંગાળમાં પસાર કરી રહ્યા હતા. બૂથ લેવલ પર કાર્યકરોને સક્રિય કરવાનું અને રણનીતિ ઘડવાનું કામ બંસલે કુશળતાપૂર્વક કર્યું છે.

    1. બિપ્લબ કુમાર દેબ: સક્રિય સહ-પ્રભારી

    સહ-પ્રભારી તરીકે બિપ્લબ કુમાર દેબનું યોગદાન પણ આ ચૂંટણીમાં મહત્ત્વનું રહ્યું છે. તેઓ ઘણા સમયથી બંગાળમાં સક્રિય હતા અને જમીની સ્થિતિનું સીધું રિપોર્ટિંગ અમિત શાહને કરતા હતા.

    1. અમિત શાહનું સીધું માર્ગદર્શન

    આ તમામ નેતાઓની કમાન સીધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હાથમાં હતી. મતદાન બાદ પણ કોલકાતામાં મળેલી ભાજપની બેઠકમાં તેમણે પરિસ્થિતિનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. આ જીત બાદ અમિત શાહનું કદ ફરી એકવાર વધ્યું છે અને તેમની કોર ટીમમાં સામેલ ભૂપેન્દ્ર યાદવ અને સુનીલ બંસલ જેવા નેતાઓ વધુ મજબૂત બનશે.

    ભાજપના પાંચ યોદ્ધાઓએ રંગ રાખ્યો

    બંગાળની જમીન પર તૃણમૂલ કોંગ્રેસના મૂળિયાં હચમચાવી દેવામાં ભાજપના આ પાંચ યોદ્ધાઓએ જે રીતે સાઇલન્ટલી કામ કર્યું છે, તે રાજકીય ઇતિહાસમાં એક મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે. 2021માં મમતા બેનરજી નંદીગ્રામથી હાર્યા હતા, પરંતુ આ વખતે આખા બંગાળમાં TMCના વળતા પાણી જોવા મળી રહ્યા છે.

  • મોરબી જિલ્લો ધો.12 (સાયન્સ)માં 94.85 ટકા સાથે રાજયમાં પ્રથમ

    મોરબી જિલ્લો ધો.12 (સાયન્સ)માં 94.85 ટકા સાથે રાજયમાં પ્રથમ

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર રાજ્યની અંદર 94.85 ટકા સાથે મોરબી જીલ્લો સાયન્સ વિભાગમાં નંબર વન આવ્યો છે જ્યારે સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લાનું 96.23 ટકા પરિણામ આવ્યું છે જેથી કરીને મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

    ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે જે બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં સમગ્ર ગુજરાતની અંદર 94.85 ટકા સાથે સાયન્સ વિભાગમાં મોરબી જીલ્લો અવ્વલ નંબર ઉપર આવ્યો છે. ત્યારે મોરબીના સાયન્સના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર શાળાઓમાં ઉજવણી પણ થવા લાગી છે. જો મોરબી જિલ્લાના સાયન્સના પરિણામ ઉપર નજર કરીએ તો ધો. 12 સાયન્સમાં 1849 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા.

    જેમાંથી 1845 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તે પૈકી 27 વિદ્યાર્થીઓને અ-1, 291 વિદ્યાર્થીઓને અ-2, 472 વિદ્યાર્થીઓને ઇ-1, 391 વિદ્યાર્થીઓને ઇ-2, 355 વિદ્યાર્થીઓને ઈ-1 અને 191 વિદ્યાર્થીઓના ઈ-2 પરિણામ આવ્યું છે.

    જયારે મોરબી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 6165 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જેમાંથી 6,155 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી અને તે પૈકી 216 વિદ્યાર્થીઓને અ-1, 966 વિદ્યાર્થીઓને અ-2, 1281 વિદ્યાર્થીઓને ઇ-1, 1411 વિદ્યાર્થીઓને ઇ-2, 1217 વિદ્યાર્થીઓને ઈ-1, 715 વિદ્યાર્થીઓને ઈ-2 ગ્રેડ આવેલ છે. આમ મોરબી જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 96.23 ટકા પરિણામ જાહેર થયું છે જેથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • ગુજરાતનાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો

    ગુજરાતનાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો

    ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે.

    રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ 128 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપે તા. 03 મે 2026ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 59.75 ટકા એટલે કે 5.32 લાખ મિલિયન ક્યુબિક ફીટ-ખઈઋઝ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

    આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં 9.04 ટકા જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં 12.18 ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ, જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે.

    વધુમાં ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ 72.33 ટકાથી વધુ એટલે કે 2.41 લાખ ખઈઋઝ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતમાં 59.52 ટકા એટલે કે, 49,338 ખઈઋઝ પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 54.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 49.11 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 43.45 ટકા અને કચ્છ વિસ્તારમાં 37.12 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.

    આમ રાજ્યમાં કુલ 5.32 લાખ ખઈઋઝ એટલે કે 59.75 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ તા. 03 મે, 2025 સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં 32.35 ટકા, મધ્ય ગુજરાતમાં 49.09 ટકા, દક્ષિણ ગુજરાતમાં 51.05 ટકા, સૌરાષ્ટ્રમાં 32.45 ટકા અને કચ્છ વિસ્તારમાં 33.61 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં 02 લાખ ખઈઋઝ થી વધુ એટલે કે 60.15 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ 4.52 લાખ ખઈઋઝ એટલે કે 50.71 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.

  • ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરલમથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રૅકોર્ડ

    ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરલમથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રૅકોર્ડ

    પશ્ચિમ બંગાળની ધરતી પર એક નવો સૂર્યોદય થયો છે : નરેન્દ્ર મોદી
    પશ્ચિમ બંગાળ પરથી ઘુસપેઠિયાઓ પર કડક કાર્યવારહી થશે, બંગાળ ભયમુક્ત બનશે એ મોદીની ગેરંટી છે : નરેન્દ્ર મોદી

    ભારતના 5 રાજ્યોના ચૂંટણી પરિણામોએ માત્ર સત્તા પરિવર્તન જ નથી કર્યું, પરંતુ અનેક દાયકાઓ જૂના રૅકોર્ડ તોડી નાખ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન અને કેરલમમાં ડાબેરીઓના છેલ્લા કિલ્લાનું પતન એ ભારતીય રાજનીતિની સૌથી મોટી ઘટના બની છે. ગંગોત્રીથી ગંગાસાગર સુધી હવે ભાજપનો પાવર કોરિડોર તૈયાર થઈ ગયો છે.

    1. 75 વર્ષ પછી સપનું સાકાર

    ભાજપના સ્થાપક દીનદયાલ ઉપાધ્યાયના ‘કર્તવ્ય પથ’ ઉત્તરાખંડથી ઉત્તર પ્રદેશમાં તો પહેલા જ સરકાર બની ગઈ હતી, પરંતુ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ બંગાળમાં 75 વર્ષ પછી આ સપનું સાકાર થયું છે. મુખર્જીના વિચારોના આધારે જ ભાજપનો પાયો નખાયો હતો. આવી સ્થિતિમાં શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ પર ભાજપ એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે.

    પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણીના વલણોમાં રાજ્યમાં ભાજપ બહુમતી કરતાં વધુ બેઠકો મેળવતી જણાય છે. ભાજપ 190થી વધુ બેઠકો જીતતી દેખાઈ રહી છે, જ્યારે TMC 100થી ઓછી બેઠકો પર સમેટાઈ રહી હોય તેમ લાગે છે. આવી સ્થિતિમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

    1. જ્યાંથી ભાજપનો જન્મ થયો ત્યાં જ સરકાર બનતી ન હતી!

    શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ 1901માં કોલકાતાના બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે તેમની રાજકીય સફરની શરૂઆત 1929થી કરી અને કોંગ્રેસ સાથે જોડાયા. જો કે, એક વર્ષ પછી જ તેમણે કોંગ્રેસ છોડી દીધી. 1939માં તેઓ હિંદુ મહાસભામાં જોડાયા અને 1940માં હિંદુ મહાસભાના પ્રમુખ બન્યા. તેઓ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહ્યા હતા.

    દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ તેમની ક્ષમતા જોઈને મુખર્જીને પોતાના મંત્રીમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી બનાવ્યા હતા, પરંતુ તેઓ લાંબો સમય સાથે રહ્યા નહીં. નેહરુ કેબિનેટમાંથી રાજીનામું આપીને વર્ષ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની રચના કરી, આ તે જ ભારતીય જનસંઘ છે જેના વૈચારિક એજન્ડા પર ભાજપની રચના થઈ હતી.

    ઈતિહાસ સાક્ષી છે કે જનસંઘ (હવે ભાજપ)નો જન્મ બંગાળના ગર્ભમાંથી થયો હતો, પરંતુ રાજકીય વિડંબના એ હતી કે દાયકાઓ સુધી આ પક્ષ પોતાની જ જન્મભૂમિ પર ‘બહારનો’ ગણાતો રહ્યો. જનસંઘથી લઈને ભાજપ સુધી, બંગાળની જમીન 75 વર્ષ સુધી રાજકીય રીતે વેરાન રહી હતી. ડાબેરીઓના 34 વર્ષ અને તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષોએ ભાજપની શક્તિ સીમિત બનાવીને રાખી હતી. આઝાદી પછી પહેલીવાર બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે

    1. લેફ્ટનો સત્તાવાર એક્ઝિટ: કેરલમનો છેલ્લો ગઢ પણ તૂટ્યો

    ભારતીય રાજકારણમાં એક સમયે જેનો દબદબો હતો તે ડાબેરી પક્ષો (લેફ્ટ) હવે સત્તાના નકશા પરથી સંપૂર્ણપણે બહાર થઈ ગયા છે. કેરલમમાં ડાબેરીઓના છેલ્લા કિલ્લાનું પતન થયું છે અને ત્યાં કોંગ્રેસના નેતૃત્વવાળા UDF ગઠબંધને જીત મેળવી છે. 2011માં બંગાળ ગુમાવ્યા બાદ ડાબેરીઓ પાસે માત્ર કેરલમ હતું, જે હવે તેમના હાથમાંથી સરકી ગયું છે.

    1. તમિલનાડુ થલાપતિ વિજયનો જાદુઈ ઉદય

    તમિલનાડુમાં 10 વર્ષ જૂની એમ. કે. સ્ટાલિનની સરકારની વિદાય થઈ છે. પરંતુ અહીં સૌથી મોટો રૅકોર્ડ અભિનેતા વિજયે બનાવ્યો છે. વિજયની પાર્ટી TVK એ એકલા હાથે 110થી વધુ બેઠકો પર સરસાઈ મેળવી છે. તમિલનાડુમાં સત્તા માટે 117 બેઠકોની જરૂર હોય છે, અને વિજય પોતાની પહેલી જ ચૂંટણીમાં જાદુઈ આંકડાની અત્યંત નજીક પહોંચીને નવો રૅકોર્ડ સ્થાપ્યો છે.

    1. ભાજપનું મિશન 21 ઓડિશાથી બંગાળ સુધી વિજયકૂચ

    પીએમ મોદીનું ગંગોત્રીથી ગંગાસાગર સુધીનું સપનું હવે પૂર્ણ થયું છે. ભાજપ હવે દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તામાં છે અથવા સરકારનો હિસ્સો છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર અને હવે પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોમાં ભગવો લહેરાઈ રહ્યો છે.

    નવા સ્થાપિત થયેલા અન્ય રેકોર્ડ્સ

    1. પૂર્વોત્તરમાં સ્થિરતા: અસમમાં સતત બીજી વાર જીત મેળવીને ભાજપે પૂર્વોત્તરમાં પોતાની પકડ મજબૂત કરી છે.
    2. વોટ શેર: પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષમાંથી સીધા સત્તા પક્ષ સુધીની મજલ કાપવામાં ભાજપે પોતાના વોટ શેરમાં ઐતિહાસિક ઉછાળો નોંધાવ્યો છે.
    3. ચહેરા વિનાની જીત: બંગાળમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા વિના પણ પ્રચંડ બહુમતી મેળવવી એ પણ એક રણનીતિક રેકોર્ડ છે.
  • મોરબી જિલ્લામાં ચોમાસા પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈવધુ વરસાદની સ્થિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સક્રિય રાખવા સૂચના

    મોરબી જિલ્લામાં ચોમાસા પૂર્વ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઈવધુ વરસાદની સ્થિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સક્રિય રાખવા સૂચના

    મોરબી જિલ્લામાં ચોમાસાની ઋતુના આગોતરા આયોજન માટે કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકનું સંચાલન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા દસ વર્ષમાં પડેલા વરસાદની સમીક્ષા કરાઈ હતી તેમજ આગામી ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તો તકેદારીના પગલાં માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાનની જવાબદારી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપાયું હતું.

    જેમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે વરસાદમાં સલામત આશ્રય સ્થાનો પર રાખવા માટેની વ્યવસ્થા કરવા, ભારે વરસાદની આગાહી અંગે લોકોને સાવચેતીના સંદેશ સમયસર પહોંચાડવા, ડી-વોટરિંગ પાઇપ, હોળી, દોરડા, જનરેટર સહિતની સુવિધાઓ હાથવગી રાખવા તેમજ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે દવા સહિતની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

    કલેકટરે વધુ વરસાદમાં જાન-માલ હાની ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવા તેમજ તમામ અધિકારીઓને સચેત એપ ડાઉનલોડ કરવાની સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મનપા ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • ’કોલ પ્લાન’ સાથે ડેટા જરૂરી નથી, 28 દિવસનો પ્લાન હવે 30 દિવસનો થશે

    ’કોલ પ્લાન’ સાથે ડેટા જરૂરી નથી, 28 દિવસનો પ્લાન હવે 30 દિવસનો થશે

    કેન્દ્ર સરકારે હવે મોબાઈલ ડેટાના નિયમો બદલવાની તૈયારી કરી લીધી છે. આ હેઠળ લોકોને ઈન્ટરનેટ ડેટા વગરનાં પ્લાન પણ મળી શકશે, જેમાં માત્ર આઉટગોઈંગ, ઈનકમિંગ અને મેસેજ સામેલ હશે. વળી, ટૂંકા ગાળાના પ્લાનની કિંમત પર કેપિંગ હશે,

    જ્યારે 28 દિવસના પ્લાનની જગ્યાએ ટૂંકા ગાળાના અને 30 દિવસવાળા પ્લાન પણ લાવવાની તૈયારી છે. રિચાર્જ મહિનાને પણ 28 થી વધારીને 30 દિવસ કરવાનો વિચાર છે. આ માટે કેન્દ્રીય સંચાર મંત્રાલય હેઠળ ટ્રાઈએ નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સરકારનો પ્રયાસ છે કે જૂન-જુલાઈ સુધીમાં નવી જોગવાઈઓ લાગું કરવામાં આવે.

    ટ્રાઈએ નવા ડ્રાફ્ટ પર 5 મે સુધી સૂચનો માંગ્યા છે. અગાઉ પણ ડેટા વગરના પ્લાન પર વિચાર કરવામાં આવ્યો હતો અને તે માટે નિયમોમાં સુધારા પણ કરાયા હતા. પરંતુ, ત્યારે મોટા પ્લાન આપી દેવામાં આવ્યા હતા, જેમાં યોજનાઓ અને ઓફરનું બંડલ એટલે કે ક્લબ પ્લાન હતો. આ કારણે હવે ડેટા વગરના માત્ર વોઈસ કોલ અને મેસેજ પ્લાન લાવવાની અનિવાર્યતા કરવામાં આવી રહી છે. આ હેઠળ ટૂંકા ગાળાના પ્લાન પણ લાવવા પડશે.

    કિંમત બાબતે પણ કેપિંગ :- ટૂંકા ગાળાના પ્લાનની કિંમત ઓછી રાખવી પડશે. આમાં કીપેડ મોબાઈલ વાપરતા લોકોનો સમાવેશ થઈ શકે છે, કારણ કે અનેક જગ્યાએ ગ્રામીણ અથવા ઓછી આવક ધરાવતા લોકો હજુ પણ સ્માર્ટફોનને બદલે કીપેડ ફોન વાપરે છે. તેથી કિંમતોને લઈને પણ મર્યાદા રાખવામાં આવશે, જે મુખ્યત્વે ટૂંકા ગાળાના ડેટા વગરના પ્લાન માટે હશે. તેની કિંમત બંડલ પ્લાન કરતા એ જ પ્રમાણમાં ઓછી રાખવી પડશે,

    જે પ્રમાણમાં સેવા અને સમયગાળો ઘટાડવામાં આવી રહ્યો છે. તેને મોંઘા રાખી શકાશે નહીં. પૂરા 30 દિવસનો મળશે પ્લાન :- લાંબા સમયથી રિચાર્જ પ્લાન માટે 30 દિવસનો મહિનો કરવાની માંગ છે. હાલમાં ટેલિકોમ કંપનીઓ રિચાર્જ માટે 28 દિવસનો મહિનો આપે છે. આનાથી તેમને વર્ષમાં એક મહિનો વધારાનો મળી જાય છે.

    નવા સુધારા ડ્રાફ્ટમાં 30 દિવસનો મહિનો કરવાનો વિચાર છે. આ મુદ્દો સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં ઉઠાવ્યો હતો. 350 રૂપિયા સરેરાશ માસિક પ્લાન :- સામાન્ય રીતે હવે 300 થી 350 રૂપિયાની સરેરાશનો માસિક પ્લાન છે. મોટાભાગના પ્લાન આ જ સરેરાશ કિંમતની આસપાસ છે.

    આમાં કંપનીઓ ડેટા પેકથી લઈને અન્ય અનેક ઓફર આપે છે. એટલું જ નહીં, નેટફ્લિક્સ અને ઝી-5 એક્સેસ સહિત અન્ય બંડલ પ્લાન જોડવામાં આવે છે. આશરે છ મહિના પહેલા ટેલિકોમ કંપનીઓએ પ્લાનની કિંમતો વધારી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં મોબાઈલ કનેક્શન બંધ પણ થયા હતા

    . તેથી નવા ડ્રાફ્ટમાં પ્લાન સાથે બિનજરૂરી ઓફર જોડતા રોકવા પર પણ વિચાર સંભવ છે. આ ફેરફારો થશે :- 1 ડેટા વગરના વોઈસ અને મેસેજ વાળા પ્લાન લાવવા. 2 ટૂંકા ગાળાના પ્લાન લાવવા, દા.ત. સાત દિવસનો પ્લાન. 3 ડેટા વગરના વોઈસ પ્લાનની વેલિડીટી વધુમાં વધુ એક વર્ષ સુધીની. 4 દરેક ડેટા અને અન્ય ક્લબ યોજના વાળા પ્લાનનો ’ડેટા વગરનો’ વિકલ્પ આપવો.