Author: admin

  • મોરબી જિલ્લામાં વોટિંગ અને મતગણતરીના દિવસે ડ્રાઈ ડે

    મોરબી જિલ્લામાં વોટિંગ અને મતગણતરીના દિવસે ડ્રાઈ ડે

    ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-2026 અન્વયે મોરબી જિલ્લામાં આગામી તા. 26/04/2026ના રોજ મતદાન અને તા. 28/04/2026ના રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી (ઈંઅજ) દ્વારા ગુજરાત પ્રોહિબીશન એક્ટ હેઠળ ‘ડ્રાય ડે’ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

    આ જાહેરનામા અનુસાર, મતદાન પૂર્વેના 48 કલાક એટલે કે તા. 24/04/2026ના સાંજના 06:00 કલાકથી તા. 26/04/2026ના સાંજના 06:00 કલાક સુધી (મતદાન પૂર્ણ થતા સુધી) તેમજ તા. 28/04/2026ના રોજ મતગણતરીના આખા દિવસે સમગ્ર જિલ્લામાં ‘ડ્રાય ડે’ અમલી રહેશે. જો કોઈ સંજોગોમાં પુન: મતદાન યોજાય, તો તે દિવસે પણ આ પ્રતિબંધ લાગુ પડશે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં આવેલી ક્લબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ કે અન્ય કોઈપણ લાયસન્સ ધરાવતી સંસ્થાઓ દારૂૂનું વેચાણ કરી શકશે નહીં કે પીરસી શકશે નહીં. વધુમાં, વ્યક્તિગત રીતે દારૂૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા માટે પરમિટ ધરાવતી વ્યક્તિઓ પર પણ આ પ્રતિબંધ સમાન રીતે લાગુ પડશે.

    જિલ્લા મેજિસ્ટ્રેટના આ હુકમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારોને દારૂૂ કે અન્ય નશાયુક્ત પદાર્થોનું પ્રલોભન આપી પ્રભાવિત થતા અટકાવવાનો છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ગુજરાત પ્રોહિબીશન એક્ટ મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

  • મોરબીમાં વોર્ડ નં. 4 ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન, કોંગ્રેસના 20 કાર્યકરો ભાજપમાં જોડાયા

    મોરબીમાં વોર્ડ નં. 4 ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન, કોંગ્રેસના 20 કાર્યકરો ભાજપમાં જોડાયા

    મોરબી : મોરબી શહેરમાં આજે વોર્ડ નં. 4 ખાતે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે મોરબી જિલ્લા Bharatiya Janata Partyના આગેવાનો, કાર્યકરો તેમજ વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું.

    કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કૉંગેસમાંથી ભાજપમાં સામેલ થયેલા 20 કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી સન્માનપૂર્વક પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. નવા જોડાયેલા કાર્યકર્તાઓએ ભાજપની નીતિ અને વિકાસકાર્યોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના અગ્રણીઓએ પોતાના સંબોધનમાં વોર્ડ નં. 4 સહિત સમગ્ર મોરબીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતિથી વિજયી બનાવવા આહવાન કર્યું હતું.

    સાથે જ મોરબી મહાનગરપાલિકામાં ભાજપની જીતથી ટ્રિપલ એન્જિન સરકાર બનશે અને શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
    કાર્યક્રમ અંતે ઉપસ્થિત કાર્યકરો અને નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

  • નિષ્ણાંતોએ આપી ચેતવણી : ઠંડુ તરબુચ ખાવાથી પાચન તંત્રની પ્રક્રિયાને નુકસાન

    નિષ્ણાંતોએ આપી ચેતવણી : ઠંડુ તરબુચ ખાવાથી પાચન તંત્રની પ્રક્રિયાને નુકસાન

    જ્યારે પણ આપણે ‘ઉનાળો’ અને ‘હાઇડ્રેશન’ શબ્દો સાંભળીએ છીએ, ત્યારે સૌથી પહેલાં તરબુચ યાદ આવે છે. આ ફળમાં લગભગ 92 ટકા પાણી હોય છે, જે ઉનાળાની ગરમી સામે લડવા માટે શરીરને જરૂરી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ પૂરા પાડે છે, સાથે જ તે સ્વાદમાં પણ અદભુત હોય છે. ઘણા લોકોનું માનવું છે કે ફ્રીજમાં રાખેલું તડબૂચ વધુ સ્વાદિષ્ટ અને કડક લાગે છે.

    આપણે અવારનવાર ફ્રીજમાંથી સીધું કાઢેલું ઠંડું અને કડક તરબુચ ખાવાનું પસંદ કરીએ છીએ, પરંતુ આપણને ખબર નથી હોતી કે તે સ્વાસ્થ્યને મદદ કરવાને બદલે નુકસાન પહોંચાડી રહ્યું છે. સિનિયર ડાયેટિશિયન ગીતિકા ચોપરા કેટલાક મહત્વના તથ્યો જણાવે છે જે દર્શાવે છે કે ફ્રીજમાંથી સીધું કાઢેલું ઠંડું તરબુચ ખાવું હાનિકારક હોઈ શકે છે.

    શા માટે તરબુચને સીધું ફ્રીજમાંથી કાઢીને ન ખાવું જોઈએ? :-

    1. પાચન પ્રક્રિયા ધીમી પાડે છે : તરબુચ કુદરતી રીતે ઠંડક આપે છે. પણ જ્યારે તમે તેને એકદમ બરફ જેવું ઠંડું ખાઓ છો, ત્યારે તાપમાનમાં અચાનક ઘટાડો થવાને કારણે પાચન ધીમું પડી શકે છે. તેનાથી કેટલાક લોકોમાં પેટ ફૂલવું, પેટની ગડબડ થવી અથવા સામાન્ય પેટમાં દુખાવો થઈ શકે છે. આપણી પાચનતંત્ર સ્થિર તાપમાને શ્રેષ્ઠ રીતે કામ કરે છે, અને ખૂબ ઠંડો ખોરાક તે સંતુલનને બગાડી શકે છે.
    2. પોષક તત્વોનું શોષણ ઘટાડી શકે છે : સંશોધન સૂચવે છે કે તડબૂચને રૂમ ટેમ્પરેચર પર રાખવાથી તેમાં લાયકોપીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ વધુ જળવાઈ રહે છે. જ્યારે તેને ખૂબ ઠંડું ખાવામાં આવે છે, ત્યારે શરીરને તેને પચાવવામાં વધુ સમય લાગે છે, જે પોષક તત્વો શોષવાની ક્ષમતા પર અસર કરી શકે છે.

    ગીતિકા ચોપરા ચેતવણી આપે છે કે ઘણા લોકો તરબુચને ટુકડા કરીને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખે છે. આવું કરવાથી વિટામિન-ઈ જેવા મુખ્ય પોષક તત્વો તો ઘટે જ છે, સાથે બેક્ટેરિયા વધવાનું જોખમ પણ રહે છે.

    1. દાંતની સેન્સિટિવિટી વધારી શકે : ઠંડું તરબુચ દાંતમાં સેન્સિટિવિટી જગાડી શકે છે, ખાસ કરીને એવા લોકો માટે જેમના દાંતનું ઉપરનું પડ એનેમલ નબળું હોય. ઠંડો ખોરાક ખાતી વખતે થતો દુખાવો એ દાંતની છુપી સમસ્યાઓની નિશાની હોઈ શકે છે.
    2. સાઇનસ અથવા ગળાની સમસ્યાઓ વધારી શકે : ખૂબ ઠંડો ખોરાક નાકના માર્ગમાં સંકોચન ઉભું કરી શકે છે, સાઇનસની સમસ્યા વધારી શકે છે અથવા ગળામાં દુખાવો કરી શકે છે. ખાસ કરીને જે લોકો તાપમાનના અચાનક ફેરફાર પ્રત્યે સંવેદનશીલ હોય તેમને વધુ તકલીફ થાય છે.
    3. ઠંડું ફળ થોડા સમય માટે મેટાબોલિઝમ ધીમું કરે છે : ખૂબ ઠંડો ખોરાક ખાવાથી શરીરનાં અંદરના તાપમાનમાં ઘટાડો થાય છે. તેને ફરીથી સંતુલિત કરવા માટે શરીરને વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે ટૂંકા સમય માટે પાચન ચયાપચય ધીમું પડી શકે છે.

    ઉનાળામાં ફળોનો આનંદ લેવો મહત્વપૂર્ણ છે, પરંતુ યાદ રાખો કે ફળો કુદરતી રીતે જ સ્વાદિષ્ટ હોય છે. સ્વાસ્થ્યના જોખમો ટાળવા અને તેનો પૂરો ફાયદો મેળવવા માટે તેને હંમેશા સામાન્ય તાપમાને જ ખાવા જોઈએ.

  • મોરબીના 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ : 5 વોર્ડમાં 2-2 મશીન મૂકાશે

    મોરબીના 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ : 5 વોર્ડમાં 2-2 મશીન મૂકાશે

    મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના પક્ષના ઉમેદવારો અને ભાજપથી નારાજ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી 4 ફોર્મ પાછા ખેંચવામાં આવેલ છે જેથી જો કે, 13 પૈકીનાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ છે જેમાં વોર્ડ નંબર 3, 6 અને 13 નો સમાવેશ થયા છે. અને જો અન્ય વોર્ડની વાત કરીએ તો મહાપાલિકાના કુલ વોર્ડમાંથી 1 વોર્ડમાં 11, 2 વોર્ડમાં 15, 4 વોર્ડમાં 13 અને 3 વોર્ડમાં 16 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

    જેથી માત્ર 8 દિવસના ચૂંટણી પ્રચારમાં વધુમાં વધુ મતદારો સુધી પહોચવા માટે તમામ ઉમેદવારોએ પોતાના વોર્ડને ખૂંદવાનું શરૂ કરી દીધું છે. વધુમાં ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે દરેક બેલેટ યુનિટની અંદર 14 ઉમેદવાર હોય તો તેના નામ, 15 મું નોટાનું બટન તથા 16 મુ રજીસ્ટ્રેશનનું બટન આમ કુલ 16 બટન આપવામાં આવતા હોય છે જોકે આ વખતે મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં જુદા જુદા પાંચ વોર્ડ એવા છે કે જેમાં 15 થી 16 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેથી આ વોર્ડની અંદર દરેક બૂથમાં એક કંટ્રોલ યુનિટ અને બે-બે બેલેટ યુનિટ મૂકવામાં આવશે અને પહેલા બેલેટ યુનિટના 14 ઉમેદવારો સુધીના નામ હશે જ્યારે 15 અને 16 માં ઉમેદવારના નામ જે તે વોર્ડમાં મુકાયેલ બીજા બેલેટ યુનિટમાં હશે.

    આ ઉપરાંત પહેલા યુનિટની અંદર નોટાનું બટન તથા રજીસ્ટ્રેશનનું બટન બંધ કરવામાં આવશે અને બીજા યુનિટની અંદર જે નોટાનું બટન તથા રજીસ્ટ્રેશનનું બટન હશે તેને કાર્યરત રાખવામાં આવશે આમ જે વોર્ડમાં 15 કે 16 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યાં મતદાન કરવા માટે જતા મતદારોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે તે લોકોએ બે નંબરના બેલેટ યુનિટીની અંદર જે રજીસ્ટ્રેશન બટન આપ્યું હશે તેને દબાવ્યા પછી જ તેઓના મત રજીસ્ટર થશે.

    કયા વોર્ડમાં કોણ કોણ છે ઉમેદવાર
    વોર્ડ 1
    ભાજપ: જયંતિભાઈ દામજીભાઇ પડસુંબિયા, રમાબેન પરેશકુમાર રૂપાલા, વીણાબેન માવજીભાઇ કંઝારીયા, જયદીપ પ્રશાંતભાઇ મહેતા
    કોંગ્રેસ: લક્ષ્મીબેન નવઘણભાઈ વેરાણા, દિનેશભાઇ કલાભઈ સેરસિયા, વસંતભાઇ લાલજીભાઇ કંઝારીયા, જયોતીબેન સંદીપકુમાર જીવરાજાની
    આપ: નીતાબેન પ્રભાતભાઈ ચાવડા, દીપકભાઈ દેવાભાઈ ડાભી, ઝંખના દિવ્યેશભાઈ અગ્રાવત, ભવાનભાઈ પ્રેમજીભાઈ કંઝારિયા
    અપક્ષ: અમિત દેવાભાઇ અવાડિયા, જીજ્ઞાસાબેન અમિતભાઇ ગામી, નિર્મલાબેન મોરારજીભાઇ કંઝારીયા, રાજેશભાઇ ચિમનલાલ રામાવત

    વોર્ડ 2
    ભાજપ: સીતાબેન પરબતભાઇ હુંબલ, જયેશભાઇ મહેશભાઇ અગેચણીયા, મનસુખભાઇ મુળજીભાઇ સારેસા, આરતીબેન અમિતભાઇ જંજવાડીયા
    કોંગ્રેસ: કોમલબેન સુનીલભાઇ કગથરા, જેતુનબેન જુમાભાઇ સુમરા, હિતેન્દ્ર ભગવાનજી ચૌહાણ, હુશેનભાઇ ભચુભાઇ ભટી
    આપ: કાજલબેન જયેશકુમાર ધંધુકિયા, તેજલ કિરણભાઈ કાનગડ, જયેશ ખીમજીભાઈ સારેસા, ઈકબાલભાઈ હુસેનભાઇ કટિયા
    બસપા: જયભાઇ ભુપેન્દ્રભાઇ સગઠીયા
    અપક્ષ: કેશવલાલ છગનલાલ શુકલ, રવિકુમાર કૈલાશભાઇ, હુસેનબાનુ જામ

    વોર્ડ 3
    ભાજપ: રમાબેન કેતનભાઇ બોપલિયા, જિગ્નેશ હંસરાજભાઇ કૈલા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા
    કોંગ્રેસ: પ્રવીણકુમાર મનસુખભાઈ વઘાસિયા, હિતેશભાઈ લાલજીભાઈ મહેતા, અલ્પાબા વનરાજસિંહ જાડેજા, વનિતાબેન મુકેશભાઇ ગામી
    આપ: સચિન કિશોરભાઈ મકવાણા, અંજલીબેન મહેશભાઈ પરમાર, અરુણાબેન બીપીનભાઈ વડસોલા, ચુનીલાલ માવજીભાઈ બાવરવા

    વોર્ડ 4
    ભાજપ: પુનમબેન જીતેનભાઇ અગેચણીયા, અશ્વિનિબેન અશ્વિનભાઇ પાટડિયા, વિવેક રમેશભાઇ ગોલતર, ગૌતમ ભાવેષભાઇ પરમાર
    કોંગ્રેસ: લખમણ ભૂરાભાઇ વરાણિયા, લીલાબેન શામજીભાઇ મજેઠિયા, ભાવનીક હસમુખભાઇ મુછડિયા
    આપ: સંજયભાઈ નથુભાઈ સાલાણી, લલિતભાઇ વિરજીભાઇ ખરા, સવિતાબેન દિપકભાઇ ગણેશીયા, હંસાબેન બાબુભાઇ બાસપીયા
    બસપા: નરેન્દ્રભાઇ રૂપાભાઇ પરમાર, અનિલભાઇ મોહનભાઇ ચાવડા

    વોર્ડ 5
    ભાજપ: માનુબેન રમેશભાઇ સિયાર, ભગિરથ મનસુખભાઇ બરાસરા, મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા, મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ
    કોંગ્રેસ: પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા, મંજુલાબેન ગલાભાઇ પરમાર, વિજયાબેન અમરશીભાઇ મકવાણા, અમિત મનુભાઇ ભોજવીયા
    આપ: રાજકુમાર મહિપતસિંહ જાડેજા, શોભનાબેન મુકેશભાઇ દેગામા, કૈલાશબેન સંજયભાઇ મુછડિયા, ગોપાલ રમેશભાઇ પરસાડીયા
    બસપા: દિપક ચંદુભાઇ ટુંડિયા, કાંતિલાલ વીરજીભાઇ ખડોલા
    અપક્ષ: હરીશભાઇ મોતીભાઇ રાતડીયા, સંગીતાબા ગિરીરાજસિંહ ઝાલા

    વોર્ડ 6
    ભાજપ: કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા, પુષ્પા જીગર વાળા, ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, ચિરાગ હસમુખભાઇ રાણપરા
    કોંગ્રેસ: દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની, શિરાજુદીનભાઈ મજીદભાઈ દરજાદા, શબ્બીર અસગરઅલી ગુલાબી
    આપ: ગફારભાઇ જુસબભાઇ ખોલેરા, રોનિત શૈલેષકુમાર લવા, રૂપલબેન રાકેશભાઇ મહેતા, કાજલબેન વિજયભાઇ રામાવત
    અપક્ષ: સિતાબા અનોપસિંહ જાડેજા

    વોર્ડ 7
    ભાજપ: મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર, જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી, જયેશભાઇ વસંતભાઇ દેસાઇ
    કોંગ્રેસ: હિરલબેન તેજશભાઇ ટાંક,

  • ગુજરાત ગેસના એમડી સાથે બેઠક સફળ : મોરબી સિરામિક ઉદ્યોગોને એકસમાન ભાવે ગેસ મળશે, વેટ ઘટાડા માટે સરકાર સમક્ષ રજૂઆત થશે

    ગુજરાત ગેસના એમડી સાથે બેઠક સફળ : મોરબી સિરામિક ઉદ્યોગોને એકસમાન ભાવે ગેસ મળશે, વેટ ઘટાડા માટે સરકાર સમક્ષ રજૂઆત થશે

    મોરબી : છેલ્લા દોઢેક મહિનાથી ગેસ સપ્લાય બંધ રહેતા શટડાઉન થયેલા મોરબીના સિરામિક ઉદ્યોગોને હવે રાહત મળવાની શક્યતા ઉભી થઈ છે.

    ગુજરાત ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકાસિંહ ઓલખ સાથે ગુરુવારે ગાંધીનગર ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક હકારાત્મક રહી હતી. બેઠકમાં તમામ ઉદ્યોગોને એકસમાન ભાવે નેચરલ ગેસ સપ્લાય આપવા સહમતી નોંધાઈ હતી.
    મધ્યપૂર્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતા પેટ્રોલિયમ પેદાશોની અછતને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ ઉદ્યોગો સહિત મોરબીના સિરામિક ઉદ્યોગોને ગેસ સપ્લાય સ્થગિત કરવામાં આવ્યો હતો. પરિણામે મોરબીના અનેક સિરામિક એકમો છેલ્લા એકથી દોઢ મહિનાથી બંધ હાલતમાં હતા.

    હાલ પરિસ્થિતિ સામાન્ય બનતા ઉદ્યોગો માટે ગેસ સપ્લાય ફરી શરૂ કરવામાં આવી છે. જોકે ગુજરાત ગેસ કંપનીએ નિયમિત ગ્રાહકો માટે અલગ અને પ્રોપેન-એલપીજી વાપરતા ઉદ્યોગો માટે ઊંચા દરે ગેસ આપવાનો નિર્ણય કરતા ઉદ્યોગકારોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ મુદ્દે ઉદ્યોગકારોએ ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆતો કરી હતી.

    ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, નિલેશભાઈ જેતપરિયા, પરેશભાઈ કુંડારીયા, ગૌતમભાઈ કાંજીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગેસના ભાવમાં રાહત તેમજ તમામ ઉદ્યોગોને સમાન દરે નેચરલ ગેસ આપવા નિર્ણય લેવાયો હતો.

    ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, ગેસના દરમાં વધુ રાહત મળે તે માટે હવે રાજ્ય સરકાર સમક્ષ વેટના દર ઘટાડવા રજૂઆત કરવામાં આવશે. જો જરૂરી રાહત મળશે તો આગામી તા. 1લી મેથી મોટાભાગના સિરામિક ઉદ્યોગો ફરી શરૂ થઈ જશે.

    શ્રમિકો પરત ફરતા ઉદ્યોગો ફરી ગતિમાન બનશે
    મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે નવા ગેસ દર આવતીકાલથી અમલમાં આવશે. મોટા ભાગના ઉદ્યોગકારોએ એકમો શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે વતનમાં ગયેલા શ્રમિકો હજુ પરત ફરવાના બાકી હોવાથી આગામી 15થી 20 દિવસમાં શ્રમિકો પરત ફરતા સિરામિક ઉદ્યોગો સંપૂર્ણ રીતે ધમધમતા થઈ જશે.

  • બહારની પાણી પુરી ખાતા લોકો સાવધાન, ભુજમાં પાણીપુરી ખાધા પછી 100 લોકોને ફૂડ પોઈઝનિંગ

    બહારની પાણી પુરી ખાતા લોકો સાવધાન, ભુજમાં પાણીપુરી ખાધા પછી 100 લોકોને ફૂડ પોઈઝનિંગ

    કચ્છના ભુજ નજીક આવેલા લોડાઈ વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની મોટી ઘટના સામે આવી છે. માહિતી મુજબ, પાણીપુરી ખાધા બાદ આશરે 100થી વધુ લોકોની તબિયત અચાનક બગડી ગઈ હતી.

    ગઈકાલે સાંજના સમયે સ્થાનિક લોકો પાણીપુરીનો આનંદ માણ્યા બાદ થોડા કલાકોમાં જ ઉલ્ટી, ડાયરીયા અને પેટમાં દુખાવાની ફરિયાદો શરૂ થઈ હતી. સ્થિતિ ગંભીર બનતા દર્દીઓને તાત્કાલિક ભુજની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

    આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે તપાસ શરૂ કરી

    હોસ્પિટલ સૂત્રો મુજબ ઘણા દર્દીઓની હાલત સ્થિર છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. આરોગ્ય વિભાગની ટીમે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે અને પાણીપુરીના નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરીમાં મોકલ્યા છે.

    ફૂડ પોઇઝનિંગ થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી

    પ્રાથમિક તપાસમાં અશુદ્ધ પાણી અથવા બગડેલા સામગ્રીના ઉપયોગને કારણે ફૂડ પોઇઝનિંગ થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

  • ભારત સરકાર બનાવશે અદ્યતન સાયબર ઇન્ટેલિજન્સ સિસ્ટમ, સ્ટેટ આધારિત હુમલાઓ સામે મોટું પગલું

    ભારત સરકાર બનાવશે અદ્યતન સાયબર ઇન્ટેલિજન્સ સિસ્ટમ, સ્ટેટ આધારિત હુમલાઓ સામે મોટું પગલું

    ભારત સરકાર સાયબર ઇન્ટેલિજન્સ આર્કિટેક્ચર વિકસાવવાની તૈયારીમાં છે. આ પહેલનો ઉદ્દેશ તેના વિશાળ ડિજિટલ ઇકોસિસ્ટમ પર રહેલાં જોખમને શોધવા, એનાલાઇઝ કરવું અને ત્યાર બાદ એને દૂર કરવા પર ફોકસ કરશે. એક રિપોર્ટ મુજબ સ્ટેટ દ્વારા સ્પોન્સર થયેલા હુમલામાં મુખ્ય ટાર્ગેટ તરીકે સરકારના નેટવર્ક્સને પસંદ કરવામાં આવતા હોવાથી આ પગલું લેવામાં આવી રહ્યું છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે સિસ્ટમ ઇન્ટિગ્રેટર પસંદ કરવા માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) જાહેર કરવામાં આવી છે.

    પેટાબાઇટ લોગ એનાલિટિક્સ પ્લેટફોર્મ પર આધારિત હશે સિસ્ટમ

    સરકાર દ્વારા જે સિસ્ટમ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે એ પેટાબાઇટ લોગ એનાલિટિક્સ પ્લેટફોર્મ પર આધારિત હશે. આ પ્લેટફોર્મ સરકારની ડિજિટલ સિસ્ટમ્સ દ્વારા ઉત્પન્ન થતા વિશાળ ડેટાને એકત્રિત અને પ્રોસેસ કરશે. 2 એપ્રિલે જાહેર થયેલા ટેન્ડર મુજબ આ પ્લેટફોર્મ ‘થ્રેટ હન્ટિંગ, હેલ્થ/પરફોર્મન્સ મોનિટરિંગ, તેમજ સાયબર હુમલા/ઇન્સિડન્ટ્સની ઓળખ અને નિયંત્રણ’ માટે કામ કરશે. એક પેટાબાઇટ એટલે દસ લાખ ગિગાબાઇટ અથવા એક ક્વાડ્રિલિયન બાઇટ્સ થાય છે.

    એક કરતાં વધુ સિક્યોરિટી ટૂલ્સનો સમાવેશ

    આ સાયબર ઇન્ટેલિજન્સ આર્કિટેક્ચર હેઠળ વિવિધ સિક્યોરિટી ટૂલ્સને એક જ સિસ્ટમમાં સમાવેશ કરવાની યોજના છે. તેમાં સિક્યોરિટી ઇન્ફોર્મેશન એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ (SIEM), સિક્યોરિટી ઓર્કેસ્ટ્રેશન ઓટોમેશન એન્ડ રિસ્પોન્સ (SOAR), યુઝર એન્ડ એન્ટિટી બિહેવિયર એનાલિટિક્સ (UEBA), અને નેટવર્ક ડિટેક્શન એન્ડ રિસ્પોન્સ (NDR)નો સમાવેશ થાય છે. તેનો ઉદ્દેશ સાયબર અટેક્સને ‘360-ડિગ્રી વ્યુ’ પૂરું પાડવાનો છે. આથી સાઇબર અટેકને વહેલી તકે શોધી એનું ઝડપી નિવારણ લાવવાનો છે.

    સરકારી નેટવર્ક્સમાં કોન્ફિડેન્શિયલ માહિતી હોવાથી આ પહેલ જરૂરી

    NICNET અને National Knowledge Network જેવા નેટવર્ક્સ દ્વારા મંત્રાલયો અને રાજ્યોમાં ચાલતી સેવાઓને સપોર્ટ કરવામાં આવે છે. આથી આ નેટવર્ક્સ સરકારના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી અને સંવેદનશીલતાને દર્શાવે છે. આ નેટવર્ક્સ સાયબર અટેક્સ માટે હાઇ વેલ્યુ ટાર્ગેટ હોવાને કારણે એને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. તેમ જ એને કેન્દ્ર દ્વારા મોનિટર કરવામાં આવશે. આથી એને વધુ સિક્યોર અને તરત એક્શન લઈ શકાય એવી બનાવી શકાય.

    પ્લેટફોર્મ દ્વારા ઓટોમેટેડ રિસ્પોન્સ પણ શક્ય બનશે

    આ સાયબર ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ફક્ત ખતરાઓ શોધશે નહીં, પરંતુ ઓટોમેટેડ રિસ્પોન્સ પણ આપશે. ઓટોમેટેડ સિસ્ટમ થ્રેટ ઇન્ટેલિજન્સ ફીડ્સ સાથે વધુ સારી રીતે કામ કરવાની ક્ષમતા આપશે, જે સાયબર અટેક સામે વધુ પાવરફુલ બનીને ફાઇટ કરશે. આ ટેન્ડરમાં ખૂબ જ ટાઇટ સિક્યોરિટી પર ભાર મૂકવામાં આવ્યો છે. એ તમામ મેલિશિયસ કોડ, છુપાયેલા ખતરાઓ અથવા નબળાઈઓથી મુક્ત હોવા જોઈએ અને સંવેદનશીલ ડેટાને ભારતના ડેટા સુરક્ષા કાયદા મુજબ એન્ક્રિપ્ટ અથવા સુરક્ષિત રાખવું જરૂરી રહેશે.

  • મોરબી ફાયર વિભાગ દ્વારા ફાયર સર્વિસ વીકની ઉજવણી : 30 નવા જવાનોની ભરતી થશે, આધુનિક સાધનોથી વિભાગ વધુ સજ્જ બનશે

    મોરબી ફાયર વિભાગ દ્વારા ફાયર સર્વિસ વીકની ઉજવણી : 30 નવા જવાનોની ભરતી થશે, આધુનિક સાધનોથી વિભાગ વધુ સજ્જ બનશે

    મોરબી : દર વર્ષે 14 એપ્રિલે ઉજવાતા ફાયર ડે તથા 14 થી 20 એપ્રિલ દરમિયાન ઉજવાતા ફાયર સર્વિસ વીક નિમિત્તે મોરબી ફાયર વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં લાગેલી આગ બુઝાવવા જતા 66 ફાયર જવાનો શહીદ થયા હતા, તેમની સ્મૃતિમાં આ સપ્તાહ ઉજવવામાં આવે છે.

    મોરબી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ જણાવ્યું હતું કે કેસરબાગ ફાયર સ્ટેશન ખાતે સવારે 8 વાગ્યે શહીદ ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે 6:30થી 7:30 દરમિયાન ફાયર વિભાગના વિવિધ વાહનોની ભવ્ય રેલી યોજાઈ હતી. રેલી કેસરબાગથી શરૂ થઈ ગેંડા સર્કલ, સર્કિટ હાઉસ, પાડા પુલ, મણી મંદિર, ઉમિયા સર્કલ, રવાપર ચોકડી માર્ગે બાપા સીતારામ ચોક ખાતે પૂર્ણ થઈ હતી.

    બાપા સીતારામ ચોક ખાતે 27 મીટર ઊંચી ટર્ન ટેબલ લેડર મારફતે ફાયર જવાને તિરંગો લહેરાવી સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. ઉપરાંત, લોકોને જાગૃત કરવા માટે મિની ફાયર વાહન, બોટ, રેસ્ક્યુ ટેન્ડર, વોટર બાઉઝર સહિતના આધુનિક સાધનોનું લાઈવ ડેમો પણ આપવામાં આવ્યું હતું.

    ફાયર વિભાગને વધુ મજબૂત બનાવવા આયોજન

    મોરબી જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ફાયર વિભાગનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કુલ પાંચ નવા ફાયર સ્ટેશન શરૂ કરવાનું આયોજન છે. જેમાં સુલતાન શેરી ખાતે જૂના સ્ટેશનનું નવીનીકરણ, સર્કિટ હાઉસ નજીક જિલ્લાનું મોડેલ ફાયર સ્ટેશન, એસ.પી. રોડ, અમરેલી ડેમ વિસ્તાર તેમજ શનાળા ખાતે નવા ફાયર સ્ટેશનનો સમાવેશ થાય છે.

    ફાયર વિભાગ પાસે હાલ 3 સ્પીડ બોટ, 2 નવા મિની ફાયર સ્ટેશન તથા અન્ય આધુનિક વાહનો ઉપલબ્ધ છે. વિભાગ દ્વારા 7 નવા વાહનો ઉમેરવામાં આવ્યા છે અને આગામી બજેટમાં રોબોટ સહિત વધુ આધુનિક સાધનો ખરીદવાની યોજના છે.

    હાલમાં વિભાગમાં 21 જવાનો ફરજ બજાવી રહ્યા છે. આ જ મહિનામાં વધુ 30 નવા ફાયર જવાનોની ભરતી કરીને કામગીરીમાં જોડવામાં આવશે.

    ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે આગ, અકસ્માત, પાણીમાં ડૂબવાના બનાવ, લિફ્ટમાં ફસાવા સહિત કોઈપણ ઇમરજન્સી સમયે નાગરિકો 101 નંબર પર 24 કલાક અને 365 દિવસ ટોલ ફ્રી સંપર્ક કરી શકે છે. મોરબી ફાયર વિભાગ દરેક પરિસ્થિતિમાં તાત્કાલિક સેવા આપવા સજ્જ છે.

  • હોર્મુઝની ખાડી મુદ્દે અમેરિકાની આડોડાઈ વિશ્વને વધુ નડશે

    હોર્મુઝની ખાડી મુદ્દે અમેરિકાની આડોડાઈ વિશ્વને વધુ નડશે

    યૂનાઈટેડ સ્ટેટ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, અમેરિકા દ્વારા સંપૂર્ણ નાકાબંધી નહીં પણ ટાર્ગેટેડ બ્લોકેજ ઊભો કરવામાં આવશે. તેનો સીધો અર્થ એવો છે કે, અમેરિકા દ્વારા માત્ર એવા જ જહાજોને રોકવામાં આવશે જે ઈરાનના બંદરોએથી આવતા હશે અથવા તો ઈરાનના બંદરો સુધી જતા હશે : હોર્મુઝની ખાડી દુનિયાનો મહત્ત્વનો ચોક પોઈન્ટ ગણાય છે. તેને ચિકન નેક પણ કહેવામાં આવે છે. તેની પહોળાઈ માત્ર 33 કિલોમીટર છે પણ વાસ્તવિકતામાં જહાજોને પસાર થવા દેવાની પહોળાઈ તો માત્ર 3.7 કિલોમીટરની જ છે. તેના કારણે જ આ જગ્યા રણનીતિક દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશિલ અને મહત્ત્વની બની જાય છે : ઈરાન પાસે આ વિસ્તારમાં એન્ટિ શિપ મિસાઈલો, હજારો સમુદ્રી સુરગો અને લાખોની સંખ્યામાં નાની નાની એમ્યુનિશન બોટ, મિસાઈલો, રોકેટ અને ડ્રોન છે જે અમેરિકાના મોટા મોટા જહાજોને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે અને લાગ આવે તો ડૂબાડી પણ શકે છે. આ રસ્તો ખૂબ જ નાનો અને સાંકડો છે તેથી અમેરિકી જહાજો અને સેના ચોક્કસ ક્ષેત્રથી આગળ વધી શકે તેમ જ નથી

    અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કામચલાઉ ધોરણે યુદ્ધ વિરામ થકી ૧૪ દિવસ માટે અટકાવાયું હતું. આ દરમિયાન પાકિસ્તાનના મધ્યસ્થીના નામે ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલા નેતાઓ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચર્ચા કરવા ભેગા થયા હતા. ત્રણે દેશો વચ્ચેની શાંતિવાર્તા નિષ્ફળ ગયાની સોમવારે અધિકારિક જાહેરાત કરવામાં આવી હતી. આ ચર્ચા વિચારણા દરમિયાન ઈરાને જે શરતો મુકી હતી તેના કારણે ટ્રમ્પ વધારે અકળાયા હતા. તેમણે આ વાર્તા રદ થયા બાદ ચેતવણી ઉચ્ચારી હતી કે, હવે હોર્મુઝની ખાડીમાંથી તે એકપણ જહાજ પસાર થવા નહીં દે. તેણે સમગ્ર ખાડીની આસપાસ નાકાબંદી કરવાની જાહેરાત કરી હતી અને તે દિશામાં કામગીરી પણ શરૂ કરી દીધી હતી.

    જાણકારો માને છે કે, અમેરિકા દ્વારા ભલે શેખી મારવામાં આવતી પણ તેઓ હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી શકે તેમ જ નથી.

    જો આ ખાડીની નાકાબંધી કરવામાં આવે તો દુનિયાભરમાં ક્રૂડ અને ગેસ ઉપરાંત અન્ય વસ્તુઓનો સપ્લાય સદંતર અટકી જાય અને ચારેકોર ભયાનક સ્થિતિ ઊભી થાય. તેના કરતા પણ મોટી બાબત એ છે કે, ખરેખર અમેરિકા આ હોર્મુઝની ખાડી બંધ કરી શકે છે તે માની લેવું કે નહીં.

    જાણકારોનો અહેવાલ છે કે, અમેરિકા ધારે તો પણ ૩૩ કિલોમીટર પહોળો આ જળમાર્ગ બંધ કરી શકે તેમ નથી. તે અહીંયા નાકાબંધી કરવા તહેનાત પણ થઈ શકે તેમ નથી. ઈરાને દરિયામાં એટલા બધા મરીન માઈન્સ બિછાવ્યા છે કે ક્યારે કઈ માઈન્સ ફાટે કોઈને ખબર નથી. બીજી તરફ અમેરિકાએ બે મોટા યુદ્ધ જહાજ આ ખાડીમાં તહેનાત કરી દીધા છે જે બાકીના જહાજો ઉપર દબાણ ઊભું કરશે.

    ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પોતાના પહેલા નિવેદનમાં કહ્યું હતું કે, હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા દરેક જહાજને અમેરિકા દ્વારા રોકવામાં આવશે. તેના થકી લાગશે કે હોર્મુઝની ખાડીમાં બ્લોકેજ ઊભો થયો છે. ત્યારબાદ થોડા સમય પછી યૂનાઈટેડ સ્ટેટ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, અમેરિકા દ્વારા સંપૂર્ણ નાકાબંધી નહીં પણ ટાર્ગેટેડ બ્લોકેજ ઊભો કરવામાં આવશે. તેનો સીધો અર્થ એવો છે કે, અમેરિકા દ્વારા માત્ર એવા જ જહાજોને રોકવામાં આવશે જે ઈરાનના બંદરોએથી આવતા હશે અથવા તો ઈરાનના બંદરો સુધી જતા હશે. બીજી તરફ સાઉદી અરબ, યુએઈ અને કુવૈત જેવા સાથી દેશોના બંદરોએ આવન-જાવન કરતા જહાજોને રાહત આપવામાં આવશે.

    ટ્રમ્પનો દાવો છે કે, ઈરાન દ્વારા આ રસ્તેથી પસાર થતા જહાજો પાસેથી ગેરકાયદે ટોલ વસુલવામાં આવી રહ્યો છે. અમેરિકા ક્યારેય આવું કામ ચલાવી લેશે નહીં. હું કોઈપણ ભોગે ઈરાનને આવા ટોલ વસુલવા દઈશ નહીં. ઉલ્લેખનીય છે કે, જેમ હાઈવે ઉપરથી ગાડીઓ પસાર થાય અને તેની પાસેથી ટોલ વસુલવામાં આવે છે તેમ ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા જહાજો પાસેથી ટોલ વસુલવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય મરિન કાયદાઓનું ઉલ્લંઘન છે. કાયદાનો ભંગ કરીને જહાજો પાસેથી ગેરકાયદે ટોલ વસુલાતને અમેરિકા અટકાવશે.

    માનવામાં આવી રહ્યું છે કે, આ કામગીરી ધારવામાં આવે તેટલી સરળ નથી. હોર્મુઝની ખાડી દુનિયાનો મહત્ત્વનો ચોક પોઈન્ટ ગણાય છે. તેને ચિકન નેક પણ કહેવામાં આવે છે. તેની પહોળાઈ માત્ર ૩૩ કિલોમીટર છે પણ વાસ્તવિકતામાં જહાજોને પસાર થવા દેવાની પહોળાઈ તો માત્ર ૩.૭ કિલોમીટરની જ છે. તેના કારણે જ આ જગ્યા રણનીતિક દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશિલ અને મહત્ત્વની બની જાય છે. ટેકનિલકી અમેરિકા પાસે નૌસેનાના વિશાળ યુદ્ધ જહાજો અને અન્ય જહાજો છે કે તે આ ખાડીને બંધ કરીને તેના ઉપર બ્લોકેજ ઊભું કરી શકે છે. તે સ્થિતિને કાબુ કરવાની ક્ષમતા ધરાવે છે પણ તે આ કામ કરી શકે કે કેમ ત્યાં સૌથી મોટો પડકાર રહેલો છે.

  • મોરબીમાં પરશુરામ જયંતિ નિમિતે રવિવારે ભવ્ય શોભાયાત્રા નીકળશે

    મોરબીમાં પરશુરામ જયંતિ નિમિતે રવિવારે ભવ્ય શોભાયાત્રા નીકળશે

    મોરબીમાં દર વર્ષે પરશુરામ જન્મ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા 19 ને રવિવારે મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભૂદેવોને સહપરિવાર જોડાવા માટે આયોજકો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

    મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

    અને મોરબીના વાઘપરા શેરી નંબર-14 માં આવેલ ગાયત્રી મંદિરથી આ શોભાયાત્રા તા 19 ના રોજ બપોરે 3:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને રામ ચોક, શનાળા રોડ, હોસ્પિટલ ચોક, શાક માર્કેટ ચોક, નગર દરવાજા, સુભાષ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, વીસી ફાટક, નવલખી રોડ થઈને આ શોભાયાત્રાને નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરવામાં આવશે. ત્યાર બાદ પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે .

    અને ત્યાર બાદ આગામી વર્ષ માટેની પરશુરામ યુવા ગ્રૂપની ટીમને જાહેર કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ ઉદયભાઈ જોશી તેમજ મહામંત્રી વિશ્ર્વાસભાઈ જોશી, હર્ષભાઈ વ્યાસ અને વિજયભાઇ રાવલ સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે.