Author: admin

  • વોટ્સએપ ગૂગલ-એપલ ઉપરાંત પોતાની કલાઉડ સ્ટોરેજ આપશે

    વોટ્સએપ ગૂગલ-એપલ ઉપરાંત પોતાની કલાઉડ સ્ટોરેજ આપશે

    તમે કદાચ જાણતા હશો કે અત્યારે આપણા વોટ્સએપ એકાઉન્ટમાંના ડેટાનો બે રીતે બેકઅપ લઇ શકીએ છીએ. એક, વોટ્સએપ પોતે દરરોજ લગભગ અડધી રાતે આપણા બધા ડેટાનો બેકઅપ લે છે.

    એ ઉપરાંત પોતાના વોટ્સએપ ડેટાને ગૂગલ ડ્રાઇવમાં પણ બેકઅપ રાખી શકીએ છીએ ને આ બેકઅપ ઓટોમેટિક લેવામાં આવે તેવું નક્કી કરી શકાય છે. આપણે ઇચ્છીએ તો એ માટે ડેઇલી વિકલી અથવા મંથલી એવી ફ્રિકવન્સી સેટ કરી શકીએ અથવા આપણે જ્યારે બેકઅપ પર ક્લિક કરીએ ફક્ત ત્યારે જ બેકઅપ લેવાય તેવું પણ નક્કી કરી શકાય.

    બીજી તરફ, વોટ્સએપમાં એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન મળે છે પરંતુ તેનો ડેટા ગૂગલ ડ્રાઇવમાં પહોંચે એ પછી તેને એવી સલામતી મળતી નથી. આપણે ઇચ્છીએ તો બેકઅપ પણ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ રહે એવું સેટિંગ કરી શકીએ છીએ. પરંતુ આવું ‘બાય ડિફોલ્ટ’ એટલે કે આપોઆપ થતું નથી.

    એવું કરવું એ આપણી મરજીની વાત છે. આવો બેકઅપ ડેટા એનક્રિપ્ટેડ રહે એ માટે આપણે તેને પાસકી, પાસવર્ડ અથવા ૬૪ ડિજિટની એનક્રિપ્શનકી થી પ્રોટેક્ટેડ રાખી શકીએ છીએ. એ પછી વોટ્સએપ કે ગૂગલમાંથી કોઈ આપણા ડેટાને જોઈ શકતું નથી. વોટ્સએપ દરરોજ અડધી રાતે જે બેકઅપ લે છે તે આપણા ફોનના સ્ટોરેજમાં જ જમા થતો હોય છે. તેમ ક્લાઉડમાં લેવાતો બેકઅપ ગૂગલ ડ્રાઇવ કે પછી આઇફોનમાંથી આઇક્લાઉડમાં પહોંચે છે. હવે આ આખી વાત એક નવો વળાંક લઈ રહી છે.

    હવે વોટ્સએપ કંપની આમાં એક ત્રીજો વિકલ્પ આપવાની તૈયારીમાં છે. કંપની પોતે તેની પોતાની જ ક્લાઉડ સર્વિસમાં આપણો બેકઅપ લેવાની સગવડ આપશે. મતલબ કે આપણે ઇચ્છીએ તો ગૂગલ ડ્રાઇવ કે આઇક્લાઉડમાં બેકઅપ લઈ શકીએ અથવા ત્યારે જ વોટ્સએપની ક્લાઉડ સર્વિસ પસંદ કરી શકીશું.

    આ માટે વોટ્સએપ તેના પોતાના ક્લાઉડમાં બે જીબી સુધીની ફ્રી સ્પેસ આપે તેવી શક્યતા છે. જોકે અત્યારે એ સ્પષ્ટતા નથી કે આ ફ્રી સ્ટોરેજ વોટ્સએપના તમામ યૂઝરને મળશે કે પછી હમણાં જાહેર થયેલી વોટ્સએપ ‘પ્લસ’ પેઇડ સર્વિસના સબસ્ક્રાઇબર્સને જ મળશે. એવી પણ શક્યતા છે કે વોટ્સએપ તેના ક્લાઉડમાં કુલ ૫૦ જીબી સુધીની સ્ટોરેજ સાથે પેઇડ સ્ટોરેજ પણ ઓફર કરશે. જોકે અત્યારે આ બધું ડેવલપમેન્ટના સ્ટેજ પર છે.

  • LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ

    LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ

    કેન્દ્ર સરકાર દ્વારા LPG સબસિડીના નિયમોમાં કડકાઈ વધારવામાં આવી છે. ઇન્ડેન (Indane) અને અન્ય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એવા ગ્રાહકોને મોબાઈલ પર નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે જેમની વાર્ષિક કરપાત્ર આવક (Gross Taxable Income) ₹10 લાખથી વધુ છે. આવા ગ્રાહકોએ હવે બજાર ભાવે સિલિન્ડર ખરીદવો પડશે અને તેમની સબસિડી બંધ કરી દેવામાં આવશે.

    ઇન્કમ ટેક્સ વિભાગના ડેટાથી થશે ઓળખ

    તેલ કંપનીઓ હવે સીધી આવકવેરા વિભાગના રેકોર્ડનો ઉપયોગ કરી રહી છે. મોકલવામાં આવેલા મેસેજમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ઉપલબ્ધ રેકોર્ડ મુજબ ગ્રાહક અથવા તેમના જીવનસાથીની સંયુક્ત આવક નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે. અગાઉ આ નિયમ ‘સેલ્ફ-ડિક્લેરેશન’ પર આધારિત હતો, પરંતુ હવે સરકારી ડેટા ઇન્ટિગ્રેશન દ્વારા તેને સખત રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે.

    નિયમ શું છે?

    કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2015 માં જ આ નિયમ બનાવ્યો હતો કે જે પરિવારોની વાર્ષિક આવક ₹10 લાખથી વધુ છે, તેઓ સબસિડી માટે પાત્ર રહેશે નહીં. આ રકમ વ્યક્તિગત અથવા પતિ-પત્ની બંનેની સંયુક્ત આવક તરીકે ગણવામાં આવે છે. સરકારનો હેતુ એ છે કે આર્થિક રીતે સક્ષમ લોકો સબસિડી છોડે જેથી તેનો લાભ ‘ઉજ્જવલા યોજના’ અંતર્ગત જરૂરિયાતમંદોને આપી શકાય.

    ભૂલથી નોટિસ મળી હોય તો શું કરવું?

    જો તમારી આવક ₹10 લાખથી ઓછી છે અને તેમ છતાં તમને આવો મેસેજ મળ્યો છે, તો ગભરાવાની જરૂર નથી. તમારી પાસે 7 દિવસનો સમય છે:

    ટોલ-ફ્રી નંબર: તમે તરત જ 1800-2333-555 પર સંપર્ક કરી તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

    ઓનલાઈન પોર્ટલ: સંબંધિત તેલ કંપનીના ગ્રીવન્સ પોર્ટલ (જેમ કે IndianOil ના પોર્ટલ) પર જઈને વાંધો નોંધાવો.

    ધ્યાન રાખો: જો તમે 7 દિવસમાં જવાબ નહીં આપો, તો તમારી સબસિડી કાયમી ધોરણે બંધ થઈ જશે.

  • માતૃત્વને વંદન : મધર્સ ડેનો સાચો અર્થ

    માતૃત્વને વંદન : મધર્સ ડેનો સાચો અર્થ

    દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે સમગ્ર વિશ્વમાં “મધર્સ ડે” ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર ઉજવણી પૂરતો નથી, પરંતુ માતાના અપરંપાર પ્રેમ, ત્યાગ અને સંસ્કારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. માતા એ માત્ર એક શબ્દ નથી, પરંતુ સંતાન માટે આખું જીવન સમર્પિત કરનાર એક જીવંત શક્તિ છે.

    માતા બાળકના જીવનની પ્રથમ શિક્ષિકા હોય છે. બાળક જ્યારે બોલતા, ચાલતા કે દુનિયાને ઓળખતા શીખે છે ત્યારે તેની પાછળ માતાની મહેનત અને મમતા રહેલી હોય છે. માતા પોતાના સંતાનના સુખ માટે અનેક મુશ્કેલીઓ સહન કરે છે, પરંતુ ક્યારેય તેની સામે ફરિયાદ કરતી નથી. સંતાન બીમાર પડે ત્યારે રાતભર જાગીને તેની સેવા કરતી માતા પોતાના દુઃખને હંમેશા પાછળ મૂકી દે છે.

    આધુનિક યુગમાં જીવનશૈલી ઝડપભરી બની ગઈ છે. ઘણા લોકો પોતાના કાર્ય અને વ્યસ્તતામાં એટલા ગૂંથાઈ જાય છે કે માતા માટે સમય કાઢવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં “મધર્સ ડે” આપણને યાદ અપાવે છે કે માતા માટે પ્રેમ અને સન્માન વ્યક્ત કરવું માત્ર એક દિવસ પૂરતું ન હોવું જોઈએ. માતાને સાચો આનંદ ત્યારે મળે છે જ્યારે સંતાન તેની લાગણીઓને સમજે, તેને સમય આપે અને તેની કદર કરે.

    ભારતીય સંસ્કૃતિમાં માતાને દેવતાસમાન સ્થાન આપવામાં આવ્યું છે. “માતૃ દેવો ભવ”નો સંદેશ આપણને શીખવે છે કે માતાની સેવા અને સન્માન એ જીવનનું સૌથી મોટું કર્તવ્ય છે. ઈતિહાસ અને પુરાણોમાં પણ માતાના મહિમાના અનેક ઉદાહરણો જોવા મળે છે. છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાં માતા જીજાબાઈના સંસ્કારોએ જ તેમને મહાન શાસક બનાવ્યા હતા.

    મધર્સ ડે નિમિત્તે દરેક સંતાને સંકલ્પ લેવો જોઈએ કે માતાના ચહેરા પર હંમેશા ખુશી જળવાઈ રહે. મોંઘી ભેટો કરતાં પણ પ્રેમભર્યા શબ્દો, થોડો સમય અને સન્માન માતા માટે વધુ કિંમતી હોય છે.

    અંતમાં એટલું જ કહી શકાય કે માતા એ ઈશ્વરની સૌથી સુંદર ભેટ છે. માતાનું સ્થાન કોઈ લઈ શકતું નથી. તેથી માત્ર મધર્સ ડે પર જ નહીં, પરંતુ જીવનના દરેક દિવસે માતાના પ્રેમ અને ત્યાગને વંદન કરવું જોઈએ.

  • મોરબીમાં ઐતિહાસિક સાવર તળાવના બ્યુટિફિકેશન માટે તંત્ર સજ્જ : 180 ગેરકાયદે દબાણો પર ટૂંક સમયમાં ફરી વળશે બુલડોઝર

    મોરબીમાં ઐતિહાસિક સાવર તળાવના બ્યુટિફિકેશન માટે તંત્ર સજ્જ : 180 ગેરકાયદે દબાણો પર ટૂંક સમયમાં ફરી વળશે બુલડોઝર

    મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલા ઐતિહાસિક સાવર તળાવના કાયાકલ્પ માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં અવરોધરૂપ બનતા અંદાજે 180 જેટલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે નગરપાલિકાએ આખરી નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી કાચા-પાકા દબાણો કરીને લોકો વસવાટ કરી રહ્યા હતા.

    વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે રજૂઆત
    તંત્રની આકરી કાર્યવાહીની જાણ થતા જ સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં મનપા કચેરીએ પહોંચી ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી. સ્થાનિકોની માંગ છે કે તેમને આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવામાં આવે અને સ્થળાંતર માટે પૂરતો સમય આપવામાં આવે. જોકે, તંત્ર દ્વારા છેલ્લા બે મહિનાથી સતત નોટિસો આપવામાં આવતી હોવાથી હાલ આ માંગણી સ્વીકારવામાં આવી નથી.

    તળાવનું થશે નવીનીકરણ
    નગરપાલિકાના જણાવ્યા અનુસાર, સાવર તળાવનું નવીનીકરણ શહેરની સુંદરતામાં વધારો કરશે. ગેરકાયદે દબાણો દૂર થયા બાદ અહીં વોક-વે અને ગાર્ડન જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. આગામી ગણતરીના દિવસોમાં જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તળાવની જમીન ખુલ્લી કરવા માટે બુલડોઝર ફેરવવામાં આવશે તેવી શક્યતા છે.

  • જે મિસાઇલ અમેરિકા પાસે પણ નથી તે ભારતે બનાવીને રચ્યો ઇતિહાસ, પાડોશી દેશો નામ સાંભળીને જ ધ્રુજી ઉઠશે

    જે મિસાઇલ અમેરિકા પાસે પણ નથી તે ભારતે બનાવીને રચ્યો ઇતિહાસ, પાડોશી દેશો નામ સાંભળીને જ ધ્રુજી ઉઠશે

    ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટૅક્નોલૉજીથી સજ્જ અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે.

    આ અદ્યતન ટૅક્નોલૉજી ભારતની વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે. ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શુક્રવાર, 8 મે 2026 ના રોજ ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ આઇલૅન્ડ પરથી મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) સિસ્ટમથી સજ્જ ઍડ્વાન્સ ‘અગ્નિ'(Agni) મિસાઇલનું સફળ ફ્લાઇટ-ટ્રાયલ કરવામાં આવ્યું છે.

    આ ટૅક્નોલૉજી સાથે ભારત હવે વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. જે એક જ મિસાઇલ દ્વારા અલગ-અલગ ભૌગોલિક વિસ્તારોમાં અનેક લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. MIRV ટૅક્નોલૉજીની તાકાત આ પરીક્ષણ દરમિયાન, મિસાઇલને મલ્ટિપલ પેલોડ્સ (હથિયારો) સાથે લોન્ચ કરવામાં આવી હતી. હિંદ મહાસાગર ક્ષેત્રમાં વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા વિવિધ લક્ષ્યોને આ મિસાઇલે ચોકસાઇપૂર્વક વીંધ્યા હતા.

    સામાન્ય મિસાઇલ માત્ર એક જ લક્ષ્ય પર પ્રહાર કરે છે, જ્યારે MIRV ટૅક્નોલૉજીથી સજ્જ અગ્નિ મિસાઇલ એકસાથે અનેક શહેરો કે સૈન્ય મથકોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. ચોકસાઈ અને ટ્રેકિંગ DRDO (ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન) દ્વારા વિકસિત આ મિસાઇલના ટ્રેકિંગ માટે જમીન અને જહાજ આધારિત અનેક સ્ટેશનો તૈનાત કરવામાં આવ્યા હતા. લિફ્ટ-ઑફથી લઈને પેલોડના ઇમ્પેક્ટ સુધીની તમામ ક્ષણોનું ટેલીમેટ્રી ડેટા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

    ફ્લાઇટ ડેટા પુષ્ટિ કરે છે કે, મિશનના તમામ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. રક્ષામંત્રીની અભિનંદન વર્ષા રક્ષામંત્રી રાજનાથ સિંહે DRDO, ભારતીય સેના અને આ પ્રોજેક્ટમાં જોડાયેલા ઉદ્યોગોને આ મોટી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “આ સફળતા વધતાં જતાં જોખમો સામે દેશની સંરક્ષણ સજ્જતામાં અતુલ્ય ક્ષમતા ઉમેરશે.” આ મિસાઇલના વિકાસમાં દેશભરના ઉદ્યોગોએ DRDOને સહયોગ આપ્યો છે.

    MIRV ટૅક્નોલૉજીની વિશેષતાઓ અને ખાસિયતોએક જ મિસાઇલ, અનેક લક્ષ્ય – MIRV ટૅક્નોલૉજીની મુખ્ય ખાસિયત એ છે કે તે એક જ મિસાઇલ દ્વારા અનેક પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે. સ્વતંત્ર નિશાન – આ મિસાઇલમાંથી છૂટા પડતાં દરેક હથિયારને (રી-એન્ટ્રી વ્હીકલ) અલગ-અલગ દુશ્મન લક્ષ્યો પર સ્વતંત્ર રીતે ત્રાટકવા માટે સેટ કરી શકાય છે.

    સુરક્ષા કવચને ભેદવામાં સક્ષમ- એકસાથે અનેક હથિયારો અલગ-અલગ દિશામાં છોડવાને કારણે દુશ્મન દેશની એન્ટી-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે તેને રોકવું અત્યંત મુશ્કેલ બની જાય છે. વ્યૂહાત્મક સરસાઈ- ભારત હવે વિશ્વના એવા જૂજ દેશોની યાદીમાં સામેલ થયું છે જેઓ આ જટિલ ટૅક્નોલૉજી ધરાવે છે. આ પરીક્ષણ સાથે ભારતે પરમાણુ પ્રતિરોધક ક્ષમતામાં નવી ઊંચાઈ હાંસલ કરી છે, જે દેશની સુરક્ષા માટે એક મજબૂત કવચ સાબિત થશે. ખાસ કરીને ત્યારે જ્યારે પાડોશમાં પાકિસ્તાન અને ચીન જેવા અવળચંડા પાડોશી હોય ત્યારે ભારત પાસે આ શક્તિ ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.

  • મોરબી મનપા આશ્રયગ્રહ ખાતે આશ્રીતો માટે ઇ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો

    મોરબી મનપા આશ્રયગ્રહ ખાતે આશ્રીતો માટે ઇ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો

    મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાન ઘટક અંતર્ગત મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ કાર્યરત છે

    મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આશ્રયગૃહ ખાતે ગત તા. 6 મેં ના રોજ આશ્રિતો માટે બાંધકામ શ્રમિક વિભાગ તથા મહાનગરપાલિકાની UCD શાખા ના સહયોગ થી ઈ- નિર્માણ કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું.

    બાંધકામ શ્રમિક વિભાગની ટીમ દ્વારા આશ્રયગૃહના આશ્રિતોને ઈ-નિર્માણ યોજનાના વિવિધ લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ઈ-નિર્માણ કાર્ડની પ્રોસેસ ઓનલાઈન કરવામાં આવી હતી આ કેમ્પમાં કુલ 17 જેટલા આશ્રિતોએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા બાંધકામ શ્રમિક વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કેમ્પને સફળ બનાવ્યો હતો.

  • મોરબી મનપાની ડોગ સેલ્ટર બનાવવાની અને વેક્સિનેશન કામગીરી શરૂ

    મોરબી મનપાની ડોગ સેલ્ટર બનાવવાની અને વેક્સિનેશન કામગીરી શરૂ

    મોરબીમાં રજડતા કૂટરોના આતંક વધી ગયો છે અને થોડા દિવસો પહેલા એક જ દિવસમાં 20 થી વધુ લોકોને કૂતરાએ બચકાં ભરી લીધા હતા જેથી હાહાકાર મચી ગયો હતો તેવામાં હવે મોરબી મનપા દ્વારા નંદીઘર પાસે ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે

    અને આગામી દિવસોમાં કુતરાઓનું વેક્સિનેશન અને સ્ટેરિલાઈજેસનનું કામ પણ શરૂ કરવામાં આવશે. મોરબી શહેરમાં રખડતા કૃતરાના ત્રાસને નિયંત્રણમાં લેવા માટે મનપા દ્વારા પંચાસર રોડ પર નંદીઘર પાસે ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

    કુતરાઓના ત્રાસ તેમજ વસ્તીને નિયંત્રણમાં લેવા માટે વેક્સિનેશન અને સ્ટેરિલાઈજેસન ટૂંક સમયમાં કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે મનપા દ્વારા પેટડોગનુ રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે. અને હાલ સુધીમાં 44 પેટડોગ ઓનરના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેથી અધિકારી દ્વારા મોરબીના લોકોને અપીલ કરીને તેઓના પેટડોગનુ રજીસ્ટ્રેશન કરવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

  • મોરબી પાલિકા દ્વારા આધુનિક મશીનરીથી ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈનોની સઘન સફાઈ ઝુંબેશ શરૂ

    મોરબી પાલિકા દ્વારા આધુનિક મશીનરીથી ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈનોની સઘન સફાઈ ઝુંબેશ શરૂ

    મોરબી : આગામી ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને પાણી ભરાવા અને ગટર ઉભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાં ડ્રેનેજ મેનહોલ તેમજ સ્ટ્રોમ વોટર નેટવર્કની સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

    મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો તેમજ વિવિધ સોસાયટી વિસ્તારોમાં કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને નીચાણવાળા અને ગીચ વસાહત ધરાવતા વિસ્તારોમાં આવેલા મેનહોલની સફાઈ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ચોમાસામાં ગટર ઉભરાવાની સ્થિતિ ઊભી ન થાય તે માટે જેટિંગ અને સુપર સકર મશીનો દ્વારા લાઈનોમાં જામેલો કચરો અને ગાદ દૂર કરવામાં આવી રહ્યા છે.

    આ ઉપરાંત વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે બનાવવામાં આવેલી સ્ટ્રોમ વોટર લાઈનોની પણ સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. લાઈનોના એક્ઝિટ પોઈન્ટ અને કેચપીટમાં ફસાયેલો પ્લાસ્ટિક તથા અન્ય કચરો દૂર કરી પાણીનો પ્રવાહ અવરોધ રહિત બનાવવામાં આવી રહ્યો છે.

    મહાનગરપાલિકા દ્વારા માનવ શ્રમની સાથે આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવામાં આવી છે, જેથી ટૂંકા સમયમાં શહેરના વધુ વિસ્તારોમાં સફાઈ કામગીરી પૂર્ણ કરી શકાય.

    ચોમાસા દરમિયાન ઊભી થતી આપત્તિઓ અને નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા 24×7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. શહેરના તમામ 13 વોર્ડમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં આ સફાઈ અભિયાન પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પાણી ભરાવાની કોઈપણ સ્થિતિ ઊભી ન થાય તે માટે કામગીરીનું સીધું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું હોવાનું મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

  • મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલીશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ

    મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલીશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ

    મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સાવરની પાર તરીકે ઓળખાતા વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવા માટે મહાપાલિકા દ્વારા 300 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવા અંતિમ નોટિસ આપવામાં આવેલ છે.

    જેથી સ્થાનિક લોકો શુક્રવારે મોડી સાંજે મહાપાલિકા કચેરીએ આવ્યા હતા અને ડિમોલેશન કરતાં પહેલા તેઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આવાસ યોજનામાં મકના કે પછી પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. મોરબીના પંચાસરોડને પહોળો કરવા માટે તેને અગાઉ 225 થી વધુ મકાનોને વર્ષ 2023 માં ડિમોલેશન કરીને તોડી પાડવામાં આવ્યા હતા

    અને ત્યાર બાદ તે રોડને પહોળો બનાવવામાં આવ્યો છે જોકે પંચાસરોડની બાજુમાં આવેલ સાવરની પાર તરીકે ઓળખાતા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રહેતા પરિવારના લોકોને સરકારી જમીન ખાલી કરવા માટે તંત્ર દ્વારા અગાઉ માર્ચ મહિનામાં નોટિસ આપવામાં આવી હતી.

    ત્યારે સ્થાનિક લોકો દ્વારા ડિમોલેશનને રોકવા માટે કલેકટરમાં રજૂઆત કરવામાં આવી હતી યાર બાદ મામલો હાઇકોર્ટ સુધી પહોચ્યો હતો જો કે, હાઇકોર્ટે તમામની રજૂઆત સાંભળીને નવેસરથી હુકમ કરવા માટે કહ્યું હતું જેથી મહાપાલિકા દ્વારા સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરીને ડિમોલીશન માટેની દબાણકારોને અંતિમ નોટિસ આપવામાં આવેલ છે.

    અને લગભગ આગામી સપ્તાહમાં લગભગ 300 જેટલા મકાનોને તોડી પાડવામાં આવશે. જો કે, ત્યાર પહેલા શુક્રવારે મોડી સાંજે સાવરની પાર વિસ્તારમાં જે આસામીઓને નોટિસો આપવામાં આવી છે ત્યાંથી મહિલાઓ, બાળકો સહિતના લગભગ 200 જેટલા લોકો મહાપાલિકા કચેરીએ આવ્યા હતા અને કમિશનરને આવેદનપત્ર પાઠવીને ડિમોલીશન કરતાં પહેલા તેઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આવાસ યોજનામાં મકાન કે પછી પ્લોટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

  • મોરબી પાલિકા દ્વારા આધુનિક મશીનરીથી ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈનોની સઘન સફાઈ ઝુંબેશ શરૂ

    મોરબી પાલિકા દ્વારા આધુનિક મશીનરીથી ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈનોની સઘન સફાઈ ઝુંબેશ શરૂ

    મોરબી : આગામી ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને પાણી ભરાવા અને ગટર ઉભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

    પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાં ડ્રેનેજ મેનહોલ તેમજ સ્ટ્રોમ વોટર નેટવર્કની સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો તેમજ વિવિધ સોસાયટી વિસ્તારોમાં કામગીરી ચાલી રહી છે.

    ખાસ કરીને નીચાણવાળા અને ગીચ વસાહત ધરાવતા વિસ્તારોમાં આવેલા મેનહોલની સફાઈ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ચોમાસામાં ગટર ઉભરાવાની સ્થિતિ ઊભી ન થાય તે માટે જેટિંગ અને સુપર સકર મશીનો દ્વારા લાઈનોમાં જામેલો કચરો અને ગાદ દૂર કરવામાં આવી રહ્યા છે.

    આ ઉપરાંત વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે બનાવવામાં આવેલી સ્ટ્રોમ વોટર લાઈનોની પણ સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. લાઈનોના એક્ઝિટ પોઈન્ટ અને કેચપીટમાં ફસાયેલો પ્લાસ્ટિક તથા અન્ય કચરો દૂર કરી પાણીનો પ્રવાહ અવરોધ રહિત બનાવવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા માનવ શ્રમની સાથે આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવામાં આવી છે,

    જેથી ટૂંકા સમયમાં શહેરના વધુ વિસ્તારોમાં સફાઈ કામગીરી પૂર્ણ કરી શકાય. ચોમાસા દરમિયાન ઊભી થતી આપત્તિઓ અને નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા 24×7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

    શહેરના તમામ 13 વોર્ડમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં આ સફાઈ અભિયાન પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પાણી ભરાવાની કોઈપણ સ્થિતિ ઊભી ન થાય તે માટે કામગીરીનું સીધું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું હોવાનું મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.