Author: admin

  • ડીઝલની અછતને પગલે ગુજરાતમાં 12 લાખ ટ્રક થંભી જશે, જીવનજરૂરી ચીજો મોંઘી થવાની ભીતિ

    ડીઝલની અછતને પગલે ગુજરાતમાં 12 લાખ ટ્રક થંભી જશે, જીવનજરૂરી ચીજો મોંઘી થવાની ભીતિ

    ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિને જોતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલમાં અછત વર્તાઈ રહી છે જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, જો ઈંધણની અછત દૂર નહીં થાય તો, ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે. ડીઝલની અછતની સાથે સાથે મંદીના માહોલને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની આર્થિક કમર ભાંગી ગઈ છે.

    આ જોતાં ટ્રાન્સપોર્ટરોએ ઇંધણની અછત દૂર કરવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે. ટ્રાન્સપોર્ટરો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આ થક મંદીનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ડીઝલની અછત સર્જાતા ટ્રાન્સપોર્ટરો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

    હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ કફોડી બની છે. હાઈવેના મોટાભાગના પેટ્રોલપંપો જાણે બંધ અવસ્થામાં છે જ્યાં પાટિયા લાગ્યાં છે કે, ડીઝલનો જથ્થો નથી. ડીઝલ માટે ટ્રકચાલકોને આમથી તેમ ભટકવું પડે છે. મહત્ત્વની વાત તો એ છે કે, પેટ્રોલ પંપો પર મર્યાદિત લિટર જ ડીઝલ આપવામાં આવે છે જેથી દૂરના અંતરમાં જતાં ટ્રકચાલકો અટવાઈ જાય તેવી સ્થિતિ પરિણમી છે.

    અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન મેદાને પડ્યું ડીઝલ વિના માલસામાનની હેરફેર કરતા ટ્રકચાલકો અટવાઈ પડયા છે. અપુરતા ડીઝલને લીધે માલસામાનની સમયસર ડિલિવરી પણ થઇ શકતી નથી પરિણામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર પહોંચી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી સ્થિતિ થઈ છે. ત્યારે હવે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન મેદાને આવ્યું છે. એસોસિયેશને સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, એક તરફ મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

    ત્યારે ડીઝલની અછતને પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તેમ છે. જો આ પરિસ્થિતિ યથાવત્ રહી તો, ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે એ દિવસો દૂર નથી. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ થશે તો લાખો લોકોની રોજીરોટી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ટ્રકોની અવરજવર અટકશે તો શાકભાજીથી માંડીને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચે તેમ છે. આ જોતાં ઈધણની અછત દૂર કરવા અને મંદીમાં રહેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા માટે તાકીદે રજૂઆત કરાઈ છે.

    આમ, સરકાર ભલે દાવો કરે પણ ગુજરાતમાં ડિઝલની અછતની સમસ્યા વધુને વધુ વકરી રહી છે જેના લીધે ટ્રાન્સપોર્ટરોને મોટા આર્થિ નુકસાન થાય તેવી ભીતિ છે. ડીઝલના ભાવ-અછતને લીધે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા રૂટ પર ખાનગી બસોની સંખ્યા ઘટી રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. સાથે સાથે ડીઝલની સર્જાયેલી અછતને કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. પર્યાપ્ત માત્રામાં ડીઝલ ન મળતાં ખાનગી ટ્રાવેલ્સ બસ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.

    અનેક ટ્રાવેલ્સ સંચાલકોએ બસોના રૂટ ઘટાડી દીધાં છે. એવું જાણવા મળ્યું છે કે, ખાનગી બસોના સંચાલનમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રાવેલ્સ ઓપરેટરોનું કહેવું છે કે, ડીઝલના પુરવઠામાં અનિયમિતતાને લીધે ખાનગી લક્ઝરી બસો દોડાવવી મુશ્કેલ બની છે. આ ઉપરાંત જો બસ ભાડું વધારવામાં આવે તો બસ મુસાફરોનો રોષ વહોરવો પડી શકે છે. આ સંજોગોમાં બસો ચલાવવી હવે આ થક રીતે પોષાય તેમ નથી. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા રૂટ પર ખાનગી બસોની સંખ્યા ઘટી ગઈ છે.

    સાથે સાથે સૌરાષ્ટ્ર અને મુંબઈ દિલ્હી તથા એમપી સહિતના રાજ્યોમાં જતી ખાનગી બસોની સંખ્યામાં 25-30 ટકાનો ઘટાડો થયો છે. પેટ્રોલ પંપો પર પાંચ દિવસે એક જ ટેન્કર મળે છે એક બાજુ, સરકાર કહે છે કે, પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે તે માટે નક્કર આયોજન કરાયું છે જ્યારે બીજી બાજુ, પેટ્રોલ પંપ માલિકોનું કહેવું છે કે, પાંચ દિવસમાં પેટ્રોલ-ડીઝલની એક જ ટેન્કર આવે છે. અપૂરતા જથ્થાને લીધે ટુ વ્હીલરથી માંડીને કાર-ટ્રકમાં મર્યાદિત માત્રામાં પેટ્રોલ-ડીઝલ આપવું પડે છે.

    મોટાભાગના વાહનચાલકો અછતના ડરથી ટાંકી ફૂલ કરવાનો આગ્રહ રાખે છે જેના લીધે રકઝક થાય છે. પેટ્રોલ-ડીઝલની અછત છતાં સરકારે કહ્યું કે ગભરાશો નહીં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં અચાનક 35થી 40 ટકા જેટલો મોટો ઉછાળો આવ્યો છે. અછતને પગલે કચ્છથી માંડીને ઉત્તર ગુજરાત સુધી પેટ્રોલ પંપ પર વાહનોની કતાર લાગી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આમ નાગરિકો અને ખેડૂતોને પરેશાની ભોગવવી રહી છે. પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલ નથી તેવા પાટિયા ઝૂલી રહ્યાં છે તેમ છતાંય સરકારે લોકોને અપીલ કરી છે કે, અફવાથી સાવધાન રહેવું, પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો છે એટલે ગભરાશો નહીં. આજે કેબિનેટની બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર રહ્યો હતો.

  • દિવ્યક્રાંતિ ન્યુઝના અહેવાલ બાદ મહારાણા સર્કલ વિસ્તારમાં રાહત કામગીરી શરૂ

    દિવ્યક્રાંતિ ન્યુઝના અહેવાલ બાદ મહારાણા સર્કલ વિસ્તારમાં રાહત કામગીરી શરૂ

    દિવ્યક્રાંતિ ન્યુઝના અસરકારક અહેવાલ બાદ મોરબી નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. ગઈ કાલે મહારાણા સર્કલ પાસે મોતના કુવા સમાન બની ગયેલા રોડ અને ઉભરાતી ગટરની ગંભીર સમસ્યાને દિવ્યક્રાંતિ ન્યુઝ દ્વારા પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવી હતી. અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આજે નગરપાલિકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ઉભરાતી ગટરની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

    સ્થાનિક લોકોમાં નગરપાલિકાની ઝડપી કામગીરીને લઈને સંતોષની લાગણી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે લાંબા સમયથી આ સમસ્યા યથાવત હતી, પરંતુ મીડિયાએ મુદ્દાને ઉઠાવતા તંત્રએ ગંભીરતા દાખવી છે. જોકે, સ્થાનિકોનું માનવું છે કે માત્ર ગટરની કામગીરી પૂરતી નથી, પરંતુ જ્યાં સુધી રોડ સંપૂર્ણ રીતે ચાલવા યોગ્ય ન બને ત્યાં સુધી લોકોની મુશ્કેલી યથાવત રહેશે.

    ઉલ્લેખનીય છે કે મોરબી-1માંથી મોરબી-2 તરફ જતા હજારો વાહનોનો અંદાજે 85 ટકા ટ્રાફિક આ માર્ગ પરથી પસાર થાય છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા આ રસ્તાની હાલત છેલ્લા ઘણા દિવસોથી જોખમી બની ગઈ હતી, જેના કારણે અકસ્માતનો ભય સતત લોકોમાં રહ્યો હતો.

    હવે લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે વરસાદી સીઝન પહેલા તંત્ર રોડની મરામત પણ ઝડપથી પૂર્ણ કરી માર્ગને કમ સે કમ સલામત રીતે ચાલવા યોગ્ય બનાવશે, જેથી કોઈ જાનહાની જેવી ગંભીર ઘટના સર્જાય નહીં.

    દિવ્યક્રાંતિ ન્યુઝ સતત જનહિતના પ્રશ્નોને અવાજ આપતું રહ્યું છે અને આ ઘટનામાં પણ મીડિયા ના અસરકારક અહેવાલ બાદ લોકોને તાત્કાલિક સુવિધા મળવાની શરૂઆત થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • દિવ્યક્રાંતિ ન્યુઝના અહેવાલ બાદ મહારાણા સર્કલ વિસ્તારમાં રાહત કામગીરી શરૂ

    દિવ્યક્રાંતિ ન્યુઝના અહેવાલ બાદ મહારાણા સર્કલ વિસ્તારમાં રાહત કામગીરી શરૂ

    દિવ્યક્રાંતિ ન્યુઝના અસરકારક અહેવાલ બાદ મોરબી નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. ગઈ કાલે મહારાણા સર્કલ પાસે મોતના કુવા સમાન બની ગયેલા રોડ અને ઉભરાતી ગટરની ગંભીર સમસ્યાને દિવ્યક્રાંતિ ન્યુઝ દ્વારા પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવી હતી. અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આજે નગરપાલિકા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ઉભરાતી ગટરની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

    સ્થાનિક લોકોમાં નગરપાલિકાની ઝડપી કામગીરીને લઈને સંતોષની લાગણી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે લાંબા સમયથી આ સમસ્યા યથાવત હતી, પરંતુ મીડિયાએ મુદ્દાને ઉઠાવતા તંત્રએ ગંભીરતા દાખવી છે. જોકે, સ્થાનિકોનું માનવું છે કે માત્ર ગટરની કામગીરી પૂરતી નથી, પરંતુ જ્યાં સુધી રોડ સંપૂર્ણ રીતે ચાલવા યોગ્ય ન બને ત્યાં સુધી લોકોની મુશ્કેલી યથાવત રહેશે.

    ઉલ્લેખનીય છે કે મોરબી-1માંથી મોરબી-2 તરફ જતા હજારો વાહનોનો અંદાજે 85 ટકા ટ્રાફિક આ માર્ગ પરથી પસાર થાય છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા આ રસ્તાની હાલત છેલ્લા ઘણા દિવસોથી જોખમી બની ગઈ હતી, જેના કારણે અકસ્માતનો ભય સતત લોકોમાં રહ્યો હતો.

    હવે લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે વરસાદી સીઝન પહેલા તંત્ર રોડની મરામત પણ ઝડપથી પૂર્ણ કરી માર્ગને કમ સે કમ સલામત રીતે ચાલવા યોગ્ય બનાવશે, જેથી કોઈ જાનહાની જેવી ગંભીર ઘટના સર્જાય નહીં.

    દિવ્યક્રાંતિ ન્યુઝ સતત જનહિતના પ્રશ્નોને અવાજ આપતું રહ્યું છે અને આ ઘટનામાં પણ મીડિયા ના અસરકારક અહેવાલ બાદ લોકોને તાત્કાલિક સુવિધા મળવાની શરૂઆત થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • WhatsApp લાવ્યું જોરદાર પ્રાઇવસી ફીચર: હવે વાંચ્યા પછી મેસેજ આપોઆપ ગાયબ થશે

    WhatsApp લાવ્યું જોરદાર પ્રાઇવસી ફીચર: હવે વાંચ્યા પછી મેસેજ આપોઆપ ગાયબ થશે

    વૉટ્સએપ એક એવા નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે મેસેજ વંચાઈ ગયા પછી તેને આપોઆપ ડિલીટ કરી દેશે. “આફ્ટર રીડિંગ” નામનું આ નવું અપડેટ હાલમાં એન્ડ્રોઇડ અને આઇઓએસના પસંદગીના બીટા યુઝર્સ દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.

    મેટા કંપની પોતાના પ્લેટફોર્મ પર યુઝર્સની પ્રાઇવસી વધારવા અને તેમને ચેટિંગ પર વધુ નિયંત્રણ આપવા માટે જે મોટા પાયે પ્રયાસો કરી રહી છે, આ નવું ફીચર તેનો જ એક ભાગ છે. આ ફીચર એક રીતે જોવા જઈએ તો સ્નેપચેટમાં જે રીતે કામ કરે છે એ જ રીતે કામ કરશે.મેસેજ ડિલીટ થવાનો સમયગાળો “આફ્ટર રીડિંગ” ફીચરમાં યુઝર્સને તેમના મેસેજ વાંચ્યા પછી ગાયબ કરવા માટે ત્રણ વિકલ્પો મળશે:

    • વાંચ્યાની 5 મિનિટ પછી • 1 કલાક પછી • 12 કલાક પછી જો સામેવાળી વ્યક્તિ મેસેજ ખોલશે જ નહીં, તો તે 24 કલાકના સમયગાળા પછી આપોઆપ ડિલીટ થઈ જશે. આ ફીચર સામાન્ય ‘ડિસેપિયરિંગ મેસેજીસ’કરતાં અલગ છે,

    કારણ કે તેમાં મેસેજ મોકલતાની સાથે જ ટાઈમર શરૂ થઈ જતું હોય છે, જ્યારે આમાં વાંચ્યા પછી શરૂ થશે. AI આસિસ્ટન્ટ માટે ‘ઇનકોગ્નિટો ચેટ’ મેટા તરફથી પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવેલું આ એકમાત્ર અપડેટ નથી. કંપનીએ તેના AI આસિસ્ટન્ટ માટે ‘ઇનકોગ્નિટો ચેટ’ ફીચરની પણ જાહેરાત કરી છે. આ ફીચર એક એવું અસ્થાયી ચેટ સ્પેસ બનાવશે જ્યાં યુઝર્સ તેમની ચેટ હિસ્ટ્રી સેવ કર્યા વિના ખાનગીમાં વાતચીત કરી શકશે.

    પૈસા, નોકરી, સંબંધો કે સ્વાસ્થ્ય જેવી અંગત બાબતોની ચર્ચા માટે આ ફીચર ખાસ ઉપયોગી સાબિત થશે. વાતચીતમાં વધુ સારી પ્રાઇવસી આ ઇનકોગ્નિટો ચેટ મેટાની “પ્રાઇવેટ પ્રોસેસિંગ” ટેક્નોલોજી પર કામ કરે છે, જે AI વિનંતીઓને કંપનીના મુખ્ય સર્વરથી દૂર એક સુરક્ષિત અને અલગ વાતાવરણમાં રાખે છે.

    આનાથી ફાયદો એ થશે કે જ્યારે યુઝર્સની વાતચીત પ્રોસેસ થઈ રહી હશે, ત્યારે મેટા કે વૉટ્સએપ પોતે પણ જોઈ શકશે નહીં કે યુઝર્સ શું વાત કરી રહ્યા છે. આગામી મહિનાઓમાં આ ફીચર વૉટ્સએપ અને ‘મેટા AI’ એપ પર તબક્કાવાર રીતે રોલઆઉટ કરવામાં આવશે.

  • મોરબી : આર્થિક વિકાસ, જળ વ્યવસ્થાપન અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    મોરબી : આર્થિક વિકાસ, જળ વ્યવસ્થાપન અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા તથા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટેના ‘વાર્ષિક ઋણ આયોજન (Annual Credit Plan – ACP)’ નું વિધિવત વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ બેંકિંગ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વિવિધ વિકાસલક્ષી ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા.

    પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે બેઠકમાં જણાવ્યું હતું કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવું વહીવટી તંત્રની મુખ્ય જવાબદારી છે. તેમણે તમામ વિભાગોને પારદર્શક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપતાં ખાસ કરીને સામાન્ય નાગરિકો અને લાભાર્થીઓ સુધી સરળતાથી ધિરાણ ઉપલબ્ધ બને તે માટે બેંકિંગ ક્ષેત્રે સંવેદનશીલ અભિગમ અપનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

    ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈ માટેના મુખ્ય જળાશયો તથા ડેમોમાં પાણીની ઉપલબ્ધતાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં કોઈપણ વિસ્તારમાં પાણીની અછત સર્જાય નહીં તે માટે આગોતરા આયોજન સાથે કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ ‘સુજલામ્ સુફલામ્ યોજના’ અંતર્ગત ચાલી રહેલા જળાશયોના ઊંડા ઉતારવાના તથા નવીનીકરણના કાર્યોને વધુ વેગ આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

    જાહેર આરોગ્ય સેવાઓ અંગે સમીક્ષા કરતા પ્રભારી સચિવે સગર્ભા માતાઓની આરોગ્ય સંભાળ, સંસ્થાકીય પ્રસુતિ તથા બાળ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. જિલ્લામાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે સ્થાનિક સ્તરે આરોગ્યલક્ષી વ્યવસ્થાઓને વધુ અસરકારક બનાવવા તાકીદ કરવામાં આવી હતી.

    વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જિલ્લાના વિવિધ વિકાસકાર્યો તથા સરકાર દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યાંકોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જિલ્લા વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠકનું સંચાલન કરીને વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતી આપી હતી.

    આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Google અને Samsung એ લોન્ચ કર્યા AI સ્માર્ટ ગ્લાસીસ, દમદાર ફીચર્સ જાણીને તમે પણ ખરીદી લેશો

    Google અને Samsung એ લોન્ચ કર્યા AI સ્માર્ટ ગ્લાસીસ, દમદાર ફીચર્સ જાણીને તમે પણ ખરીદી લેશો

    ગૂગલનો વાર્ષિક કાર્યક્રમ I/O ની શરૂઆત થઈ ગઈ છે. પહેલાં જ દિવસે કંપનીએ અનેક વસ્તુઓનું એલાન કર્યું છે. ખાસ કરીને ગૂગલ સ્માર્ટ ગ્લાસિસ પર કામ કરે છે. આમ, કંપની એક નહીં પરંતુ અનેક સ્માર્ટ ગ્લાસિસ લોન્ચ કરી શકે છે..

    દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓમાં શામેલ Google એ મોટી ઇવેન્ટ Google I/O 2026 માં એવા સ્માર્ટ ચશ્મા બતાવ્યા જે આવનાર સમયમાં મોબાઇલ ફોનની જરૂરિયાતને ઓછી કરી શકે છે. ગૂગલે તેનાં સ્માર્ટ ગ્લાસિસને સેમસંગની સાથે મળીને કરાર કર્યો છે. કંપનીએ એઆઇનાં ચશ્માની ઝલક બતાવી છે જે તમારો અવાજ સાંભળશે, ફોટો અને વીડિયો એડિટ કરશે, રસ્તો બતાવશે અને સાથે તમે જમવાનું પણ ઓર્ડર કરી શકશો.

    કંપનીનું કહેવુ છે કે આ ચશ્મા માત્ર જોવા માટે જ નહીં પરંતુ ડિઝિટલ સાથીની જેમ કામ કરશે. સૌથી વધારે ચર્ચા Google નાં નવા Android XR સ્માર્ટ ગ્લાસિસની થઈ રહી છે. કંપનીએ ફેશન બ્રાન્ડ Warby Parker અને Gentle Monster ની સાથે મળીને નવા સ્માર્ટ ચશ્મા બનાવ્યા છે. આ ચશ્મામાં કેમેરા અને સ્પીકર હશે. આ સાથે જ આ ગ્લાસિસમાં Gemini AI કામ કરશે. ગૂગલે જણાવ્યું કે યુઝર માત્ર બોલીને અનેક કામ કરી શકશે,

    જેમ કે રેસ્ટોરન્ટનું નામ બોલીને ખાવાનો ઓર્ડર કરવો, રસ્તો પૂછવો, ટ્રાન્સલેશન વગેરે. કંપનીએ તેનાં Universal Cart ફીચરનું એલાન પણ કર્યું છે, જેની મદદથી યુઝર Youtube, Gmail, Search અને Gemini દ્વારા અલગ-અલગ વેબસાઇટ પરથી સામાનની પસંદગી કરીને તમે એકસાથે ખરીદી શકશો.

    આ ચશ્માની સૌથી ખાસ વાત તેનાં કેમેરા અને એડિટિંગ ફીચર છે. ગૂગલે જણાવ્યું કે યુઝર કેમેરાથી ફોટો લીધા બાદ ડાયરેક્ટ AI ને કહી શકશે કે ફોટામાં ચેન્જિસ કરો. જેમ કે બેકગ્રાઉન્ડ બદલવું, ઇફેક્ટ તેમજ વીડિયોને સારો બનાવે છે.

    આમ, ગૂગલે તેનાં નવા PICS એપની પણ જાણકારી આપી છે, જેમાં યુઝર ફોટાને કોઈપણ હિસ્સા પર ટેપ કરીને માત્ર લખશે અને AI જાતે જ બદલી લેશે. આનો અર્થ એ થાય છે કે લાંબુ એડિટિંગ કરવાનું કામ તમારે જાતે નહીં કરવુ પડે. આ સાથે કંપનીએ Project Aura નામનાં એડવાન્સ સ્માર્ટ ગ્લાસ પણ બતાવ્યા છે, જેને Xreal ની સાથે મળીને બનાવવામાં આવ્યાં છે. આમાં સ્ક્રીન જેવી ડિસ્પ્લે ટેક્નોલોજી મળશે. આમાં Google Calender, Notes અને Gemini નો સપોર્ટ મળશે.

  • મોરબીમાં રોટરી કલબ દ્વારા ટીબીના દર્દીઓને રાશનકીટનું વિતરણ

    મોરબીમાં રોટરી કલબ દ્વારા ટીબીના દર્દીઓને રાશનકીટનું વિતરણ

    ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબીમાં રોટરી ક્લબ દ્વારા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓની વહારે આવીને તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરાયો છે.

    અને નિક્ષય મિત્ર બનીને મોરબી તાલુકાના 5 જેટલા જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તેવા આશય સાથે ખાસ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    અને ખાસ કરીને ટીબીની દર્દીઓને દવાઓની સાથે સાથે સારો અને પૌષ્ટિક ખોરાક મળી રહે તે હેતુથી રોટરી ક્લબ ઓફ દ્વારા આ સેવા કર્યા કરવામાં આવ્યું હતું

  • મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭ના ‘વાર્ષિક ઋણ આયોજન (ACP)’નું વિમોચન

    મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭ના ‘વાર્ષિક ઋણ આયોજન (ACP)’નું વિમોચન

    મોરબી : મોરબી જિલ્લાના આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા તેમજ આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા હેતુથી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭ માટેના ‘વાર્ષિક ઋણ આયોજન (Annual Credit Plan – ACP)’નું વિધિવત વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર તથા બેંકિંગ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ ક્ષેત્રોના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા.

    આ અવસરે જિલ્લામાં કૃષિ, એમએસએમઈ (MSME), શિક્ષણ, હાઉસિંગ તેમજ અન્ય અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં બેંકિંગ સેક્ટર દ્વારા વધુમાં વધુ ધિરાણ ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ ઉપસ્થિત તમામ બેંકર્સને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી તથા સ્વરોજગારલક્ષી યોજનાઓનો લાભ સામાન્ય અને જરૂરિયાતમંદ લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે બેંકો સકારાત્મક અભિગમ અપનાવે.

    જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગરે ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, મહિલા સશક્તિકરણ તથા સ્વરોજગારી આધારિત પ્રવૃત્તિઓમાં બેંકોની સક્રિય ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. અસરકારક ધિરાણ વ્યવસ્થા દ્વારા છેવાડાના નાગરિકોને આર્થિક રીતે સશક્ત બનાવી શકાય છે. આ સાથે વર્ષ ૨૦૨૬-૨૭ના વાર્ષિક ઋણ આયોજનના લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

    આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, લીડ બેંક મેનેજર સાકીર છીપા, નાબાર્ડ મોરબીના અધિકારીશ્રી આદિત્ય નિકમ, વિવિધ બેંકોના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સંબંધિત સરકારી વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • મહારાણા સર્કલ પાસે મોતના કૂવા સમાન બનેલા રોડ પર કોઈની જાન હાનિ થશે તો કોણ જવાબદાર?

    મહારાણા સર્કલ પાસે મોતના કૂવા સમાન બનેલા રોડ પર કોઈની જાન હાનિ થશે તો કોણ જવાબદાર?

    મોરબીના મહારાણા સર્કલ પાસે તંત્રની ઘોર બેદરકારી હવે લોકોના જીવ માટે સીધો ખતરો બની ગઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી મુખ્ય માર્ગ પર પડેલા ભયાનક ખાડાઓ મોતના કૂવા સાબિત થઈ રહ્યા છે, છતાં જવાબદાર અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ મૌન સાધીને બેઠા છે. રસ્તા પર ગટરનું ગંદુ પાણી ઉભરાઈ આખો માર્ગ નર્ક સમાન બની ગયો છે, જ્યાંથી પસાર થવું એટલે જીવ હાથ પર લઈને ચાલવા જેવું બની ગયું છે.

    દિવ્યક્રાંતિ મીડિયાએ બે દિવસ પહેલા જ આ જીવલેણ સમસ્યાનો પર્દાફાશ કરીને તંત્રને ચેતવણી આપી હતી, પરંતુ બેદરકાર તંત્રના કાન પર જૂં પણ રેંગી નથી. પરિણામે આજે ફરી એકવાર વધુ એક વાહન ખાડામાં ફસાઈ ગયું અને ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ. સ્થાનિક લોકો દોડી આવ્યા, ભારે મહેનત બાદ ડ્રાઈવરને બચાવવામાં આવ્યો. સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ જો આજે કોઈનો જીવ ગયો હોત તો તેની જવાબદારી કોણ લેત?

    લોકોમાં હવે તંત્ર સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. લોકો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે નિર્દોષના મોતની રાહ જોઈ રહ્યું છે? આવા નબળા અને ભ્રષ્ટ રોડ કામ કરનાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કેમ નથી થતી? શું લોકોના ટેક્સના પૈસાથી માત્ર કાગળ પર વિકાસના નાટકો જ કરવામાં આવે છે?

    મોરબીવાસીઓ હવે સીધો જવાબ માંગે છે — જો આવતીકાલે આવા ખાડાના કારણે કોઈનું મોત થાય તો શું જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ગુનાહિત બેદરકારીનો કેસ નોંધાશે? કે પછી હંમેશની જેમ ઘટના બાદ માત્ર ખોખલા વચનો અને દેખાવડી કાર્યવાહી કરીને મામલો દબાવી દેવામાં આવશે?

    હવે પ્રશ્ન માત્ર રસ્તાનો નથી… પ્રશ્ન લોકોના જીવનો છે. અને લોકો પૂછે છે — આખરે તંત્ર ક્યારે જાગશે? કે પછી કોઈના મોત બાદ જ રસ્તા પર ડામર પડશે?

  • પાવર કાપ અને ડીઝલ અછતથી મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં

    પાવર કાપ અને ડીઝલ અછતથી મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં

    મોરબીનો વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ હાલમાં ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે. સતત વધી રહેલા વીજકાપ અને ડીઝલની ભારે અછતને કારણે ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ રહી છે, જેના કારણે ઉદ્યોગકારોમાં ભારે ચિંતા ફેલાઈ છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ ઉદ્યોગકારોની વ્યથા વ્યક્ત કરતાં સરકાર અને PGVCL તંત્ર સમક્ષ તાત્કાલિક અસરથી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ ઉઠાવી છે.

    મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે ખાસ કરીને પીપળી રોડ અને માંડલ રોડ વિસ્તારના સિરામિક ઉદ્યોગો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. જેતપરની 220 KV લાઈનથી 66 KV માં આવતી રંગપર તરફની કેબલમાં બ્લાસ્ટ થતા છેલ્લા દિવસોમાં અનેક વખત લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. એક ઘટનામાં 12 કલાકથી વધુ સમય સુધી પાવર બંધ રહ્યો હતો, જ્યારે બીજી તરફ વારંવાર નાના ફોલ્ટના કારણે પણ સમગ્ર ફીડરો બંધ કરવાની નોબત આવી રહી છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગ સતત ચાલતી પ્રોડક્શન પ્રક્રિયા ધરાવે છે, જેમાં માત્ર એક મિનિટનો પાવર કાપ પણ હજારો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે. છતાં દિવસ દરમિયાન અનેક વખત 1 થી 1.5 કલાક સુધી વીજકાપ રહે છે અને ક્યારેક તો 5 કલાક સુધી પાવર ઉપલબ્ધ રહેતો નથી. જેના કારણે ઉત્પાદન, મશીનરી અને મજૂરી વ્યવસ્થાપન ઉપર ગંભીર અસર પડી રહી છે.

    મોરબીનો સિરામિક ઉદ્યોગ PGVCL ની કુલ આવકમાં 30 ટકા કરતાં વધુ હિસ્સો આપતો હોવા છતાં પૂરતી સુવિધાઓ ન મળતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. સ્થાનિક કચેરીથી લઈને રાજકોટના અધિકારીઓ અને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ સ્થાયી ઉકેલ મળ્યો નથી. પ્રી-મોનસૂન મેન્ટેનન્સની કામગીરી સમયસર ન થવાને કારણે હાલ સ્થિતિ વધુ વિકટ બની હોવાનું તેમણે જણાવ્યું હતું.

    બીજી તરફ છેલ્લા ચારથી પાંચ દિવસથી મોરબીમાં ડીઝલની ભારે અછત ઊભી થતા ઉદ્યોગોની મુશ્કેલી બમણી થઈ ગઈ છે. પાવર કાપ દરમિયાન જનરેટર ચલાવવા માટે ડીઝલ અનિવાર્ય હોવા છતાં બેરલમાં પૂરતો જથ્થો મળતો નથી. ઉપરાંત ફેક્ટરીઓમાં ઉપયોગમાં લેવાતા ફોર્કલિફ્ટ, લોડર અને ટ્રેક્ટર જેવા વાહનો પણ ડીઝલ વિના ઠપ્પ થઈ રહ્યા છે, જેના કારણે લોડિંગ-અનલોડિંગ અને ઉત્પાદન કામગીરી પ્રભાવિત થઈ રહી છે.

    મનોજભાઈ એરવાડિયાએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અગાઉની પરિસ્થિતિઓને કારણે ઉદ્યોગો લગભગ દોઢ મહિના સુધી બંધ રહ્યા હતા. ભારે પ્રયત્નો બાદ મજૂરોને પાછા બોલાવી ઉદ્યોગો ફરી શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિ યથાવત રહેશે તો ફરી ઉદ્યોગો બંધ કરવાની ફરજ પડશે. જો આવું બનશે તો મજૂરો ફરી અન્યત્ર સ્થળાંતર કરી શકે છે અને સમગ્ર ઉદ્યોગ વ્યવસ્થા માટે ગંભીર સંકટ સર્જાઈ શકે છે.

    અંતમાં સિરામિક એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે સિરામિક ઉદ્યોગને વિશેષ કેટેગરીમાં રાખી પૂરતો ડીઝલ જથ્થો ફાળવવામાં આવે તેમજ PGVCL દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય મેન્ટેનન્સ અને સ્થિર વીજ પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી હજારો લોકોની રોજગારી સુરક્ષિત રહી શકે અને મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાંથી બહાર આવી શકે.