Author: admin

  • પાણીનો બગાડ અને કચરો સળગાવનાર સામે મ્યુનિસિપલ કમિશનરની કડક કાર્યવાહી

    પાણીનો બગાડ અને કચરો સળગાવનાર સામે મ્યુનિસિપલ કમિશનરની કડક કાર્યવાહી

    મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા શહેરના વોર્ડ નંબર-૭ની અચાનક મુલાકાત લઈ સફાઈ વ્યવસ્થા, જાહેર સુવિધાઓ અને નાગરિક શિસ્ત અંગે સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જાહેરમાં પાણીનો બગાડ કરતા તેમજ કચરો સળગાવતા લોકોને કડક ચેતવણી આપી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

    કમિશનરે આસ્વાદ પાનથી લઈને દાઉદી વ્હોરા વિસ્તાર સહિતના વિસ્તારોની મુલાકાત લઈ જીવીપી પોઈન્ટ, ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વ્યવસ્થા તથા જાહેર સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વધારાના નગરપાલિકા સફાઈ કર્મચારીઓને કામગીરી વધુ સઘન બનાવવા પણ સૂચના આપવામાં આવી હતી.

    ત્રિકોણબાગ વિસ્તાર તથા જાહેર શૌચાલયોની સફાઈ વ્યવસ્થા અંગે પણ કમિશનરે સ્થળ પર જઈ સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી સુધારાત્મક પગલાં લેવા તાકીદ કરી હતી.

    આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી નાસ્તા ગલી પાસે આવેલી નાળાની તાત્કાલિક સફાઈ કરવા તેમજ જાહેર માર્ગ પરના નડતરરૂપ દબાણો દૂર કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જાહેર માર્ગ પર ચા-નાસ્તાનો ધંધો કરતા કેટલાક વેપારીઓ દ્વારા ગેરવ્યવસ્થા ઉભી થતી હોવાના મુદ્દે પણ કમિશનરે ગંભીર નોંધ લીધી હતી.

    જાહેર સ્થળોએ પાણીનો બગાડ કરવો, કચરો સળગાવવો તથા ગંદકી ફેલાવવી જેવી પ્રવૃત્તિઓ સામે મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.

  • મોરબી મનપામાં બોગસ હાજરી કૌભાંડમાં વધુ 8 નામ ખુલ્યા

    મોરબી મનપામાં બોગસ હાજરી કૌભાંડમાં વધુ 8 નામ ખુલ્યા

    મોરબી : મોરબી મહાનગર પાલિકામાં નોકરી કર્યા વગર જ પગાર હડપ કરવાના બોગસ હાજરી કૌભાંડમાં હવે વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. વર્કશોપ વિભાગમાં બહાર આવેલા કૌભાંડની તપાસ દરમિયાન વધુ આઠ રોજમદાર કર્મચારીઓએ પણ આ જ મોડેસ ઓપરેન્ડીથી ખોટી હાજરી પૂરતા હોવાનું સામે આવતા મનપા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

    પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગર પાલિકાના વર્કશોપ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક રોજમદાર કર્મચારીઓની એક જ સમયે હાજરી નોંધાતી હોવાની શંકા ઉભી થતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક કર્મચારી પોતાની હાથની અલગ અલગ આંગળીઓનો ઉપયોગ કરી ગેરહાજર કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી નોંધાવતો હોવાનું સામે આવ્યું હતું.

    આ મામલે અગાઉ ૧૩ કર્મચારીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ચાલી રહેલી વધુ તપાસમાં હવે વધુ આઠ રોજમદાર કર્મચારીઓ પણ બોગસ હાજરી કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.

    કૌભાંડના પગલે હવે મહાનગર પાલિકા તંત્ર દ્વારા અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા અંદાજે ૬૦૦ કર્મચારીઓની ક્રોસ ચકાસણી શરૂ કરવામાં આવી છે. મનપાના અન્ય વિભાગોમાં પણ આવી ગેરરીતિ ચાલી રહી છે કે કેમ તે મુદ્દે સઘન તપાસ હાથ ધરાઈ છે.

  • ભારતીય રેલવે ઑગસ્ટ 2026થી 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમમાં કરશે મોટો બદલાવ, જાણો શું હશે…

    ભારતીય રેલવે ઑગસ્ટ 2026થી 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમમાં કરશે મોટો બદલાવ, જાણો શું હશે…

    ભારતીય રેલવે હવે તેની લગભગ 40 વર્ષ જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમને આધુનિક બનાવવાની તૈયારીમાં છે. આ મોટો ટૅક્નોલૉજી અપગ્રેડ ઑગસ્ટ 2026થી શરૂ થવાનો છે, જેનાથી મુસાફરોને વધુ ઝડપી, સરળ અને વિશ્વસનીય સેવા મળશે.

    આ નવી સિસ્ટમ આધુનિક ટૅક્નોલૉજી પર આધારિત હશે એટલે કે એમાં AIનો સમાવેશ કરવામાં આવશે. આ સિસ્ટમ હાલની સરખામણીએ ઘણી વધુ ક્ષમતા સાથે કામ કરશે. રેલવે મંત્રી Ashwini Vaishnawએ અધિકારીઓને સૂચના આપી છે કે સિસ્ટમ અપગ્રેડ દરમિયાન મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવે.ઓનલાઇન ટિકિટ બુકિંગ હવે બની ગયું છે સામાન્ય ભારતમાં ટ્રેન મુસાફરી માટે હવે મોબાઇલ એપ્સ અને ઓનલાઇન બુકિંગ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા માધ્યમ બની ગયા છે.

    હાલમાં લગભગ 88% ટિકિટો ઓનલાઇન બુક થાય છે, જેના કારણે વધુ શક્તિશાળી અને ઝડપી રિઝર્વેશન સિસ્ટમની જરૂરિયાત ઊભી થઈ છે. જુલાઈ 2025માં લોન્ચ થયેલી RailOne એપ આ પરિવર્તનનું મોટું ઉદાહરણ છે. અત્યાર સુધીમાં આ એપને 3.5 કરોડથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે અને દરરોજ 9 લાખથી વધુ બુકિંગ આ એપ દ્વારા થાય છે. RailOne એપમાં AI આધારિત સ્માર્ટ સુવિધાઓ RailOne એપ મુસાફરોને માત્ર ટિકિટ બુકિંગ જ નહીં પરંતુ અનેક સ્માર્ટ સુવિધાઓ પણ આપે છે,

    જેમ કે: લાઇવ ટ્રેન ટ્રેકિંગ AI આધારિત વેઇટલિસ્ટ પ્રેડિક્શન સીટ ઉપલબ્ધતા માહિતી ટ્રેનમાં જ ખાવાનું ઑર્ડર કરવાની સુવિધા મુસાફરી મેનેજમેન્ટ અને ટિકિટ કંટ્રોલ ખાસ કરીને AI વેઇટલિસ્ટ પ્રેડિક્શન ફીચર હવે 94% સુધીની સચોટતા સાથે ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા બતાવે છે, જ્યારે અગાઉ આ ચોકસાઈ માત્ર 53% હતી.

    મુસાફરોને મળશે વધુ ઝડપી અને સરળ સેવા નવી રિઝર્વેશન સિસ્ટમ લાગુ થયા બાદ મુસાફરોને અનેક ફાયદા મળશે: વધુ ઝડપી ટિકિટ બુકિંગ Tatkal દરમિયાન સર્વર ક્રેશમાં ઘટાડો પીક અવર્સમાં વધુ સારી કામગીરી રિયલ-ટાઇમ અપડેટ્સ વધુ મજબૂત સાયબર સુરક્ષા ઘણા મુસાફરો Tatkal બુકિંગ દરમિયાન ધીમી ગતિ અને પેમેન્ટ ફેલ થવાની સમસ્યાનો સામનો કરતા હતા. નવી સિસ્ટમ આ સમસ્યાઓને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવી રહી છે.

    મુસાફરોને હજુ પણ મળી રહ્યું છે કન્સેશન ટૅક્નોલૉજી અપગ્રેડ સાથે ભારતીય રેલવે મુસાફરોને સસ્તી મુસાફરીની સુવિધા પણ આપી રહી છે. વર્ષ 2024-25 દરમિયાન સરેરાશ મુસાફર ભાડામાં લગભગ 43% કન્સેશન આપવામાં આવ્યું હતું, જેના કારણે ટ્રેન મુસાફરી આજે પણ દેશના સૌથી સસ્તા પરિવહન માધ્યમોમાંથી એક છે.

    સ્માર્ટ રેલવે તરફ મોટું પગલું ઑગસ્ટ 2026થી શરૂ થતો આ પ્રોજેક્ટ માત્ર ટેક્નિકલ અપગ્રેડ નથી, પરંતુ ભારતીય રેલવેને સંપૂર્ણ ડિજિટલ અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. જો આ યોજના સફળતાપૂર્વક અમલમાં આવશે, તો આગામી વર્ષોમાં ભારતીય મુસાફરો માટે ટ્રેન મુસાફરીનો અનુભવ સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

  • સુપ્રિમ કોર્ટની ડિજિટલ પહેલ સીજેઆઇ સૂર્યકાંતે લોન્ચ કરી `વન કેસ વન ડેટા’ સિસ્ટમ

    સુપ્રિમ કોર્ટની ડિજિટલ પહેલ સીજેઆઇ સૂર્યકાંતે લોન્ચ કરી `વન કેસ વન ડેટા’ સિસ્ટમ

    દેશની ન્યાયિક વ્યવસ્થાને ડિજિટલી મજબૂત બનાવવા માટે વન કેસ વન ડેટા પહેલની શરુઆત સીજેઆઇ સૂર્યકાંતે કરી છે. જે અંતર્ગત દેશભરની હાઇકોર્ટ, જિલ્લા અને તાલુકા અદાલતોમાં કેસોની જાણકારી એકિકૃત ડિજિટલ સિસ્ટમથી જોડવામાં આવશે જેથી કેસ મેનેજમેન્ટ અને ડેટા સમન્વય બહેતર રહેશે.

    સીજેઆઇએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં કોઇ કેસ સાથે જોડાયેલી અલગ-અલગ અદાલતોની જાણકારી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે જેથી કેસ ટ્રેકીંગ અને મેનેજમેન્ટ વધુ અસરકારક થઇ શકશે.

  • ફાર્મસી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: હવે પરીક્ષા આપ્યા વગર જ મળશે રજિસ્ટ્રેશન, 4 વર્ષથી એક્ઝિટ ટેસ્ટ ઘોંચમાં

    ફાર્મસી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: હવે પરીક્ષા આપ્યા વગર જ મળશે રજિસ્ટ્રેશન, 4 વર્ષથી એક્ઝિટ ટેસ્ટ ઘોંચમાં

    ફાર્મસી કાઉન્સિલે 2022માં ડિપ્લોમા ફાર્મસી પાસ વિદ્યાર્થીઓના ફાર્મસિસ્ટ તરીકેના રજિસ્ટ્રેશનમાટે ફાર્મસી એક્ઝિટ ટેસ્ટનો નિયમ લાગુ કર્યા બાદ 2024માં પહેલીવારની એક્ઝિટ ટેસ્ટ લેવાનાર હતી.

    પરંતુ પરીક્ષાના પેપરો અને પરીક્ષા ફી મુદ્દે ઉગ્ર વિરોધ સાથે વિવાદ ઊભો થતા અંતે છેલ્લી ઘડીએ પરીક્ષા કેન્સલ કરી દેવાઈ હતી. કેન્દ્ર સરકારે હજુ સુધી બે વર્ષ પણ આ પરીક્ષામાં ફેરફાર મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. જેથી ચાર વર્ષથી ઘોંચમાં પડેલી આ પરીક્ષા હવે ક્યારે લેવાશે અને લેવાશે કે નહીં તે પણ નક્કી નથી.અગાઉ કાઉન્સિલના આદેશથી 2022-23ની બેચના વિદ્યાર્થીઓનું પરીક્ષા વિના રજિસ્ટ્રેશન કરાવાયા બાદ હવે તમામ બેચના વિદ્યાર્થીઓનું પણ પરીક્ષા વિના રજિસ્ટ્રેશન કરી દેવાશે.

    શા માટે લેવાયો આ નિર્ણય?

    ડિપ્લોમા ફાર્મસીના બે વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થીઓનું જે તે રાજ્યની કાઉન્સિલમાં ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન થતુ હોય છે. આ રજિસ્ટ્રેશન નંબર એટલે કે લાયન્સ મળ્યા બાદ જ તેઓ ફાર્મસી કે મેડિકલ સ્ટોર શરૂ કરી શકે અથવા તો ફાર્મસિસ્ટ તરીકેની નોકરી-વ્યવસાય કરી શકે છે.

    પરંતુ ફાર્મસિસ્ટના વ્યવસાયમાં ગુણવત્તા અને માપદંડો જળવાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ડિપ્લોમા ફાર્મસી એક્ઝિટ ટેસ્ટ લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે 2022માં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા આ માટે વિધિવત રીતે રેગ્યુલેશન્સ તૈયાર કરીને જાહેર કર્યા હતા. જે અંતર્ગત પ્રથમવારની ડિપ્લોમા ફાર્મસી એક્ઝિટ ટેસ્ટ ઓક્ટોબર 2024માં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવામા આવનાર હતી.

    બોર્ડ દ્વારા રજિસ્ટ્રેશન પણ કરી દેવામાં આવ્યુ હતુ અને ગુજરાતના 536 સહિત દેશભરના 18243 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. પરંતુ ત્રણ પેપરો અને પાંચ હજાર જેટલી ઊંચી પરીક્ષા ફી મુદ્દે ઉગ્ર વિરોધ અને વિવાદ થતા કેન્દ્રને રજૂઆત થઈ હતી.કઈ બેચના વિદ્યાર્થીઓને મળશે લાભ?

    જેને પગલે અંતે પરીક્ષા કેન્સલ કરી દેવાઈ હતી અને ત્યારબાદ કાઉન્સિલે એક વર્ષની છુટ પરીક્ષા વિના રજિસ્ટ્રેશનની આપી હતી. કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય ન કરતા ફાર્મસી કાઉન્સિલે ગત ડિસેમ્બરમાં 2022-23ના વર્ષમાં ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ લેનારા અને તે પછીના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ એક્ઝિટ ટેસ્ટ ન લેવાય ત્યાં સુધી પાસ થઈ જાય તો તેઓને એક્ઝિટ ટેસ્ટ વિના રજિસ્ટ્રેશન નંબર આપી દેવા માટે રાજ્યોની કાઉન્સિલોને પરિપત્ર કર્યો હતો. આમ 2022થી 2024ના તેમજ 2023થી 2025 સુધીના અને 2024થી 2026 સુધીના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ રજિસ્ટ્રેશન નંબર મળી જશે. ચાર વર્ષથી ઘોંચમાં પડેલી આ પરીક્ષા હવે ક્યારે લેવાશે તે મોટો પ્રશ્ન છે.

  • લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબીટીસ-બીપી ચેકઅપ કેન્દ્ર ખુલ્લું મુકાયું

    લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબીટીસ-બીપી ચેકઅપ કેન્દ્ર ખુલ્લું મુકાયું

    લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ઓમ કલીનીકના ડો. દિપક આર. ફુલતરિયાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ રોયલ પ્લાઝા ન્યુ ચંદ્રેશનગર રાજનગર અને પંચાસર રોડ મોરબીની જનતાના જન આરોગ્ય માટે વિનામૂલ્યે ડાયાબિટીસ અને બીપી ચેક અપ માટેનુ કેન્દ્ર ડોક્ટરના માતા પિતા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યોના હસ્તે દિપ પ્રાગટય કરીને ખુલ્લુ મુકવામા આવ્યુ હતું.

    જેમા તમામ વર્ગના લોકો આ કેન્દ્રનો લાભ લે તેવો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા ઓમ ક્લિનિકના ડો દિપક આર. ફુલતરિયાનો ભાવ છે આ સેવાકીય પ્રોજેક્ટ ડો નિલેશભાઈ ભાડજાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ છે. ત્યારે રમેશભાઈ રૂપાલા, ત્રિભોવનભાઈ ફુલતરિયા, કેશુભાઈ દેત્રોજા, નાનજીભાઈ મોરડીયા અને બાલુભાઈ પાંચોટીયા સહિતના હાજર રહ્યા હતા.

  • ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ

    ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ

    પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે. સંક્રમણ ગુજરાતમાં ન ફેલાય તે હેતુથી પશુપાલન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે.

    રાજ્ય સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓના પોલ્ટ્રી ફાર્મમાં સરવેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે જેના કારણે સરહદી વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મમાં લાખો મરઘાને મારી નંખાયા છે.

    બર્ડ ફ્લૂના જોખમને જોતાં દરેક જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો સતત પોલ્ટ્રી ફાર્મ અને પક્ષીઓના આશ્રયસ્થાનોનું નિરીક્ષણ કરી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વિશેષ તકેદારી ર્ર્ખ્વામાં આવી રહી છે.

    જેથી સરહદ પારથી સંક્રમણ રાજ્યમાં પ્રવેશી ન શકે. પશુપાલન વિભાગની સાવચેતી રાખવા અપીલ બર્ડ ફ્લૂના સંભવિત જોખમોને ટાળવા માટે પશુપાલન વિભાગે પણ લોકોને સાવચેતી રાખવા અપોલ કરી છે. ઇંડા કે ચિકનનો ઉપયોગ કરનારા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.

    જો કોઈ વિસ્તારમાં અચાનક મોટી સંખ્યામાં મરઘાં કે પક્ષીઓનાં મોત થાય તો તુરંત જ નજીકના સરકારી પશુ દવાખાને જાણ કરવા જણાવાયું છે. હાલમાં રાજ્ય સરકાર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે અને નાગરિકોને ગભરાવવાને બદલે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

  • લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબીટીસ-બીપી ચેકઅપ કેન્દ્ર ખુલ્લું મુકાયું

    લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબીટીસ-બીપી ચેકઅપ કેન્દ્ર ખુલ્લું મુકાયું

    લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ઓમ કલીનીકના ડો. દિપક આર. ફુલતરિયાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ રોયલ પ્લાઝા ન્યુ ચંદ્રેશનગર રાજનગર અને પંચાસર રોડ મોરબીની જનતાના જન આરોગ્ય માટે વિનામૂલ્યે ડાયાબિટીસ અને બીપી ચેક અપ માટેનુ કેન્દ્ર ડોક્ટરના માતા પિતા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યોના હસ્તે દિપ પ્રાગટય કરીને ખુલ્લુ મુકવામા આવ્યુ હતું.

    જેમા તમામ વર્ગના લોકો આ કેન્દ્રનો લાભ લે તેવો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા ઓમ ક્લિનિકના ડો દિપક આર. ફુલતરિયાનો ભાવ છે આ સેવાકીય પ્રોજેક્ટ ડો નિલેશભાઈ ભાડજાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ છે. ત્યારે રમેશભાઈ રૂપાલા, ત્રિભોવનભાઈ ફુલતરિયા, કેશુભાઈ દેત્રોજા, નાનજીભાઈ મોરડીયા અને બાલુભાઈ પાંચોટીયા સહિતના હાજર રહ્યા હતા.

  • મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

    મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

    મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર અને પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સયુક્ર્ત ઉપક્રમે મોરબીમાં કેન્સર જન જાગૃતિ અભિયાન અંતર્ગત કેન્સરના પ્રાથમિક તબક્કાના નિદાન માટે એક વિશેષ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

    કેન્સર જેવી જટિલ બીમારી અંગે સમયસર ખ્યાલ આવે તો યોગ્ય નિદાન કરી દર્દીઓ બીમારીને માત આપીને સાજા થઇ શકે છે તો કેન્સર અંગે જાગૃતિ લાવવાના ઉદેશ સાથે ચેતતા નર સદા સુખીના સૂત્ર સાથે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્રના સયુક્ત ઉપક્રમે મોરબી જી.આઈ.ડી.સી. શનાળા રોડ સ્થિત સંસ્કાર ઇમેજિંગ અને બ્લડ બેન્ક ખાતે કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સરનું વહેલું નિદાન કરી દર્દીઓને જટિલ સારવાર અને આર્થિક બોજમાંથી બચાવવાનો છે. જન જાગૃતિ અભિયાન અંતર્ગત આયોજિત આ કેમ્પમાં 100 થી વધુ લોકોએ લાભ લઈને કેન્સરનું સ્ક્રીનીંગ કરાવ્યું હતું.

    આ કેમ્પમાં પુરુષો માટે મોઢાના કેન્સરનું નિદાન તદ્દન જ્યારે 50 વર્ષથી વધુ વયના પુરુષો માટે પ્રોસ્ટેટ કેન્સરનો ઙજઅ ટેસ્ટ તેમજ મહિલાઓ માટે ગર્ભાશયના કેન્સરનું પ્રાથમિક ચેકઅપ અને જરૂર જણાય તો સર્વાઇકલ સ્મીયર ટેસ્ટ રાહત દરે કરી આપવામાં આવ્યા હતા તો સ્ત્રીઓમાં સ્તન કેન્સરના નિદાન માટે નિશુલ્ક ચેકઅપ અને જરૂરી જણાય તો મેમોગ્રાફી આ કેમ્પમાં કરી આપવામાં હતી.

    આ કેમ્પમાં કેન્સર સર્જન ડો. જેકોબ જ્હોન રેડિયોલોજીસ્ટ, ડો. અક્ષય ધોરીયાણી અને બ્રેસ્ટ ઓન્કોપ્લાસ્ટિક સર્જન, ડો. અશ્વિની મોદી, પેથોલોજીસ્ટ ડો પૂનમ કાચરોલા,ગાયનેકોલોજિસ્ટ ડો પાયલ ફળદુ, એમ્બ્રોલોજીસ્ટ ડો અંકિતા પટેલ અને ડો. જનરલ સર્જન સહિતના નામાંકિત ડોક્ટરોએ આ કેમ્પમાં સેવા આપી હતી.

    સમગ્ર કેમ્પની જહેમત પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સાધનાબેન ઘોડાસરા, ડો. અંકિતાબેન પટેલ અને આશાબેન ભાલોડીયા અને શ્રી ઉમિયા આરોગ્ય કેન્દ્રના સભ્યોએ ઉઠાવી હતી

  • 6%થી વધારાની ડયુટી ફરી દાણચોરી વધારશે સોના પરની આયાત જકાત નહી વધે : કેન્દ્ર

    6%થી વધારાની ડયુટી ફરી દાણચોરી વધારશે સોના પરની આયાત જકાત નહી વધે : કેન્દ્ર

    વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને સોનાની ખરીદી એક વર્ષ માટે મુલત્વી રાખવા કરેલી અપીલથી સરકાર સોનાની આયાતને ઘટાડવા કોઈ પ્રકારના પગલા લેવા જઈ રહી છે તેવા સંકેત છે. ખાસ કરીને ભારતનો જવેલરી ઉદ્યોગ રૂા.0.51 લાખ કરોડનો છે અને તે લાખો લોકોને રોજગારી આપે છે.

    ભારત એ દુનિયાનો બીજા નંબરનો સોનાનો વપરાશકાર દેશ છે. જયારે ચાંદીમાં તે પ્રથમ ક્રમે છે પણ તે મોટાભાગે લગભગ પુરૂ ક્ષેત્ર આયાત પર નિર્ભર છે તથા ક્રુડતેલ અને સોનુ એ ભારતના આયાત બિલને સૌથી વધુ હિસ્સો ધરાવે છે.

    ભારતમાં સોના પર આયાત જકાત 6% છે અને જીએસટી 3% છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ આયાત જકાત વધારવા કોઈ યોજના નથી. જો કે સરકારને ભય છે કે જો આયાત જકાત વધુ ઉંચી 15% લઈ જવાય તો સોનાની દાણચોરી વધી જશે.

    સોના ઉંચા ભાવના કારણે જે થોડુ ઘણું દાણચોરીથી પ્રવેશે છે તે વધી જશે. બીજી તરફ સરકારે એ સ્પષ્ટતા કરી છે કે ભારતીયો માટે વિદેશ નાણા લઈ જવાની જે 2.50 લાખ ડોલર (રૂા.2.10 કરોડ અંદાજે) છુટ છે તેમાં પણ કોઈ બદલાવની હાલ કોઈ યોજના નથી.

    સરકાર માને છે કે, આ પ્રકારના કોઈ પગલા યોગ્ય સંકેત આપશે નહી. જો રોકાણકાર તેનું ભંડોળ વિદેશ લઈ જઈ શકે નહી તો શા માટે ભારતમાં રોકાણ કરે તે પ્રશ્ન સર્જાઈ શકે છે. ઉપરાંત દુનિયામાં મિલ્કતોના ભાવ ઘટયા છે તેનો લાભ ભારતીયોને મળે છે તે છીનવાશે નહી.