Author: admin

  • મોરબી નજીક પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ

    મોરબી નજીક પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ

    મોરબીના જેતરોડ ઉપર આવેલ બંધ પડેલ સિરામિક કારખાનાનો હાલમાં મોર્ડન પોલિમર્સ નામનું પ્લાસ્ટિકની ચેર બનાવવાનું કારખાનું ચાલુ હતું ત્યાં રોમટીરીયલ તેમજ ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો તે ગોડાઉનમાં પ્લાસ્ટિકની ખુરશીઓ મૂકી હતી ત્યાં આગ લાગતા અને મોડી રાત્રીને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોવાથી હાલમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો

    અને કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જેતપર રોડ ઉપર આવેલ ઇટા મેક્સ નામનું કારખાનું છેલ્લા ઘણા સમયથી બંધ પડ્યું છે અને તેના શેડને ભાડે આપવામાં આવ્યો હતો અને ત્યાં મોર્ડન પોલીમર્સ નામનું કારખાનું છે

    આ કારખાનાની અંદર પ્લાસ્ટિક દાણાનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકની ખુરશીઓ બનાવવા માટેનું કામકાજ કરવામાં આવતું હતું દરમ્યાન ગુરુવારે રાત્રિના 8:00 વાગ્યા સુધી ત્યાં કામકાજ ચાલુ હતું. અને ત્યાર બાદ 8:30 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર કારખાનામાં આગ લાગી હતી અને કારખાનામાં પડેલ પ્લાસ્ટિક રોમટીરીયલ તથા પ્લાસ્ટિકની તૈયાર ખુરશીઓ મૂકી હતી ત્યાં સુધી આગ પ્રસરી ગઈ હતી જે અંગેની કારખાનામાં કામ કરતા શ્રમિકો દ્વારા કારખાનેદારને જાણ કરવામાં આવતા કારખાનેદારે આ બનાવની મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમ બે ફાયર ફાઈટર સાથે સ્થળ ઉપર પહોંચી હતી

    જોકે, આગ વધુ પ્રસરી ગઈ હોવાના કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને વધુ બે ફાયર ફાઈટરને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા . અને એકી સાથે ચાર ફાઈટરને કામે લગાડીને કારખાનામાં લાગેલી આગને કાબુમાં કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા અને ચાર કલાક જેટલા સમય સુધી સતત પાણીનો મારો ચાલુ રાખીને આગને કાબુમાં લેવામાં આવી હતી

    જોકે, પ્લાસ્ટિક મટીરીયલની અંદર આગ પ્રસરિ ગઈ હોવાના કારણે હજુ પણ પવન લાગતાની સાથે જ આગ શરૂ થઈ જતી હોવાના કારણે ફાયર ફાઈટર તથા ફાયરની ટીમને સ્થળ ઉપર જ રાખવામાં આવી હોવાનું ફાયર ઓફિસર જયેશભાઈ ડાકીએ જણાવ્યુ હતું. વધુમાં કારખાનેદાર મહેન્દ્રભાઈ આદ્રોજાના જણાવ્યા પ્રમાણે પ્લાસ્ટિક રોમટીરીયલ તથા પ્લાસ્ટિકની તૈયાર ચેરનો જથ્થો જ્યાં પડ્યો હતો તે વિભાગની અંદર આગ લાગી છે જેથી કરીને તેઓને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે સદનસીબે મશીનરી જે બાજુ મૂકવામાં આવી હતી ત્યાં આગ વધુ પ્રસરી ન હોવાના કારણે મશીનરીમાં પ્રમાણ માં ઓછું નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થયેલ નથી.

  • મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ

    મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ

    મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગરના ઢાળ પાસે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક દેશી દારૂનું વેચાણ થતું હોવાની અગાઉ અનેક વખત ફરિયાદો ઉઠી છે ગત તા 8/5 ના રોજ સ્થાનિક લોકો દ્વારા આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી .

    તેમ છતાં તે વિસ્તારની અંદર દેશી વેચાણ થતું હોવાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 10 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો

    પોલીસ દ્વારા દારૂના જથ્થાને કબજે કરવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં દિનેશ સોમાભાઈ પુરબીયા (37) રહે વિદ્યુતનગર મફતિયાપરા મોરબી વાળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે . સ્થાનિક લોકો દ્વારા અવારનવાર દારૂના દુષણને ડામવા માટે રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે

    આ દૂષણ ને હવે ડામવામાં નહીં આવે તો આગામી સમયમાં વિદ્યુતનગર અને હરિઓમ પાર્ક સોસાયટીના લોકો રાજકોટના રેન્જ આઇજી ને રજૂઆત કરવા માટે જશે તેવું જણાવ્યું છે

  • મહારાણા સર્કલ–ત્રાજપર રોડ પર તૂટી ગયેલા ગટરના ઢાંકણાંથી ટ્રાફિક સમસ્યા વિકટ

    મહારાણા સર્કલ–ત્રાજપર રોડ પર તૂટી ગયેલા ગટરના ઢાંકણાંથી ટ્રાફિક સમસ્યા વિકટ

    ઉભરાતી ગટરના પાણી વચ્ચે વાહનચાલકો પસાર થવા મજબૂર, સ્થાનિકોમાં રો

    મોરબી : મહારાણા સર્કલથી ત્રાજપર ચાર રસ્તા તરફ જતા માર્ગ પર ગટરના ઢાંકણાં તૂટી જતાં તેમજ ગટરનું પાણી રોડ પર ઉભરાતા ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની છે.

    હાલ આ માર્ગ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી રોડ બંને બાજુથી સાંકડો બની ગયો છે, જેના કારણે અહીંથી ભારે ટ્રાફિક પસાર થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ગટરનું ઢાંકણું તૂટી જવાથી રોડ પર મોટા ખાડા પડી ગયા છે.

    સાથે જ ગટરનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે અનેક વાહનોને ઉભરાતી ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ સાંકડા માર્ગ પર પહેલેથી જ ટ્રાફિકનો ભારે દબાવ છે,

    ત્યારે ગટરના તૂટી ગયેલા ઢાંકણાં અને રોડ પર ફેલાયેલા પાણીના કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે. ખાસ કરીને બે-વ્હીલર ચાલકો માટે સ્થિતિ જોખમી બની રહી છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક ગટરનું સમારકામ કરી રોડ વાહન વ્યવહાર માટે સુરક્ષિત અને સુગમ બનાવવાની માંગ કરી છે.

  • મોરબીમાં યુવાન સામે એરગન તાકી દાગીના રોકડની લૂંટના ગુનામાં રીઢો ગુનેગાર ઝડપાયો

    મોરબીમાં યુવાન સામે એરગન તાકી દાગીના રોકડની લૂંટના ગુનામાં રીઢો ગુનેગાર ઝડપાયો

    મોરબી તાલુકાના લખધીરપુર થી પાનેલી તરફ જવાનો રસ્તા ઉપર યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈક ઉપર આવેલા અજાણ્યા બે શખ્સો દ્વારા એરગન જેવું હથિયાર તેના લમણા ઉપર રાખીને યુવાનને ડરાવી ધમકાવીને તેના ગળામાં પહેરેલ સોનાનો ચેન, મોબાઈલ અને રોકડા રૂપિયા આમ કુલ મળીને 1.60 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી જેની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

    મોરબીના લખધીરપુર ગામે રહેતા માવજીભાઈ ભીમજીભાઈ જાદવ (46) એ ત્રણ મહિના પહેલા બાઈકમાં આવેલા અજાણ્યા બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે લખધીરપુર ગામની સીમમાં લખધીરપુર થી પાનેલી તરફ જવાના કાચા રસ્તા ઉપર મોહનભાઈ દલવાડીની વાડી પાસેથી તેઓ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક નંબર જીજે 36 એએચ 9236 લઈને પસાર થઈ રહ્યા હતા.

    ત્યારે બાઈકમાં આવેલા અજાણ્યા બે શખ્સો દ્વારા તેઓને આંતરિને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને ડરાવી ધમકાવીને તેના લમણે એરગન જેવું હથિયાર રાખવામાં આવ્યું હતું અને ફરિયાદીએ ગળામાં પહેરેલ દોઢ તોલાનો સોનાનો ચેન તથા ખિસ્સામાં રહેલ રોકડા 5000 રૂપિયાને મોબાઈલ ફોન આમ કુલ મળીને 1.60 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની લૂંટ કરીને આ શખ્સો નાસી છૂટ્યા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી.

    હાલમાં આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે આરોપી સુખલ ઉર્ફે સુધલબાબુ ઉર્ફે સુકુલકુમાર અનિલભાઈ કોરી (28) રહે. હરિસિંહપુર થાના જીલ્લો મેનપુરી યુપી વાળાની ધરપકડ કરેલ છે વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે લૂંટના ગુનામાં ઝડપાયેલ આરોપી સામે યુપીના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક કે બે નહીં પરંતુ 21 જેટલા ગુના નોંધાયેલા છે અને યુપી પોલીસ દ્વારા તેની ત્યાં ધરપકડ કરવામાં આવી હતી જેથી હાલમાં ટ્રાન્સફર વોરંટના આધારે યુપી પોલીસ પાસેથી મોરબી તાલુકા પોલીસે આરોપીનો કબજો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • મોરબી નજીક પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ

    મોરબી નજીક પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ

    મોરબીના જેતરોડ ઉપર આવેલ બંધ પડેલ સિરામિક કારખાનાનો હાલમાં મોર્ડન પોલિમર્સ નામનું પ્લાસ્ટિકની ચેર બનાવવાનું કારખાનું ચાલુ હતું ત્યાં રોમટીરીયલ તેમજ ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો તે ગોડાઉનમાં પ્લાસ્ટિકની ખુરશીઓ મૂકી હતી ત્યાં આગ લાગતા અને મોડી રાત્રીને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોવાથી હાલમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

    જેતપર રોડ ઉપર આવેલ ઇટા મેક્સ નામનું કારખાનું છેલ્લા ઘણા સમયથી બંધ પડ્યું છે અને તેના શેડને ભાડે આપવામાં આવ્યો હતો અને ત્યાં મોર્ડન પોલીમર્સ નામનું કારખાનું છે આ કારખાનાની અંદર પ્લાસ્ટિક દાણાનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકની ખુરશીઓ બનાવવા માટેનું કામકાજ કરવામાં આવતું હતું દરમ્યાન ગુરુવારે રાત્રિના 8:00 વાગ્યા સુધી ત્યાં કામકાજ ચાલુ હતું.

    અને ત્યાર બાદ 8:30 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર કારખાનામાં આગ લાગી હતી અને કારખાનામાં પડેલ પ્લાસ્ટિક રોમટીરીયલ તથા પ્લાસ્ટિકની તૈયાર ખુરશીઓ મૂકી હતી ત્યાં સુધી આગ પ્રસરી ગઈ હતી જે અંગેની કારખાનામાં કામ કરતા શ્રમિકો દ્વારા કારખાનેદારને જાણ કરવામાં આવતા કારખાનેદારે આ બનાવની મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી.

    ફાયરની ટીમ બે ફાયર ફાઈટર સાથે સ્થળ ઉપર પહોંચી હતી જોકે, આગ વધુ પ્રસરી ગઈ હોવાના કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને વધુ બે ફાયર ફાઈટરને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા .

    અને એકી સાથે ચાર ફાઈટરને કામે લગાડીને કારખાનામાં લાગેલી આગને કાબુમાં કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા અને ચાર કલાક જેટલા સમય સુધી સતત પાણીનો મારો ચાલુ રાખીને આગને કાબુમાં લેવામાં આવી હતી જોકે, પ્લાસ્ટિક મટીરીયલની અંદર આગ પ્રસરિ ગઈ હોવાના કારણે હજુ પણ પવન લાગતાની સાથે જ આગ શરૂ થઈ જતી હોવાના કારણે ફાયર ફાઈટર તથા ફાયરની ટીમને સ્થળ ઉપર જ રાખવામાં આવી હોવાનું ફાયર ઓફિસર જયેશભાઈ ડાકીએ જણાવ્યુ હતું.

    વધુમાં કારખાનેદાર મહેન્દ્રભાઈ આદ્રોજાના જણાવ્યા પ્રમાણે પ્લાસ્ટિક રોમટીરીયલ તથા પ્લાસ્ટિકની તૈયાર ચેરનો જથ્થો જ્યાં પડ્યો હતો તે વિભાગની અંદર આગ લાગી છે જેથી કરીને તેઓને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે સદનસીબે મશીનરી જે બાજુ મૂકવામાં આવી હતી ત્યાં આગ વધુ પ્રસરી ન હોવાના કારણે મશીનરીમાં પ્રમાણ માં ઓછું નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થયેલ નથી.

  • મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3-3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો

    મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3-3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો

    ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા વૈશ્વિક તણાવની સીધી અસર હવે ભારતીય જનતાના ખિસ્સા પર પડી રહી છે. મિડલ-ઈસ્ટ સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ભારતીયો માટે આજની સવાર આંચકાજનક રહી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને તેલ પુરવઠામાં અવરોધના કારણે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. નવી કિંમતો શુક્રવાર, 15 મે 2026 થી અમલમાં આવી ગઈ છે.

    મુખ્ય શહેરોમાં પેટ્રોલના નવા ભાવ:

    વિવિધ મેટ્રો શહેરોમાં પ્રતિ લિટર આશરે ₹2.80 થી ₹3.30 સુધીનો વધારો થયો છે:

    દિલ્હી: ₹97.77 (₹3 નો વધારો)

    કોલકાતા: ₹108.74 (₹3.29 નો વધારો)

    મુંબઈ: ₹106.68 (₹3.14 નો વધારો)
    ચેન્નાઈ: ₹103.67 (₹2.83 નો વધારો)

    ડીઝલના ભાવમાં પણ ઉછાળો

    ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે:

    દિલ્હી: ₹90.67 પ્રતિ લિટર

    કોલકાતા: ₹95.13 પ્રતિ લિટર

    મુંબઈ: ₹93.14 પ્રતિ લિટર

    ચેન્નાઈ: ₹95.25 પ્રતિ લિટર

    લોકોમાં ગભરાટ

    છેલ્લા કેટલાક દિવસોથી અફવાઓ ફેલાઈ રહી હતી કે ભાવમાં ₹15 થી ₹20 સુધીનો વધારો થઈ શકે છે. આ ડરને કારણે ગુજરાત, હરિયાણા, દિલ્હી અને બિહાર સહિતના રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં જ ખાનગી વાહનોનો ઓછો ઉપયોગ કરવા અને વર્ક ફ્રોમ હોમ પર ભાર મૂકીને ઇંધણ બચાવવા અપીલ કરી હતી, જે ભાવ વધારાના સંકેત તરીકે જોવામાં આવી રહી હતી.

    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિએશનનું નિવેદન

    પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના ચેરમેન અરવિંદભાઈ ઠક્કરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે યુદ્ધ જેવી વિકટ સ્થિતિમાં પણ મોટું નુકસાન વેઠીને દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સતત જાળવી રાખ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સહિતની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે જ સરકાર દ્વારા આ ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    તેમણે વધુમાં કહ્યું કે, વર્તમાનમાં કેન્દ્ર સરકારને દૈનિક 2 હજાર કરોડ રૂપિયાનું તોતિંગ નુકસાન થઈ રહ્યું છે. તાજેતરના ભાવ વધારા બાદ પણ સરકારને ડીઝલ પર પ્રતિ લિટર રૂપિયા 37 અને પેટ્રોલ પર પ્રતિ લિટર રૂપિયા 17નું નુકસાન સહન કરવું પડે છે. જોકે, તેમણે લોકોને આશ્વાસન આપતા સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં ઇંધણનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે, તેથી સામાન્ય જનતાએ સહેજ પણ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી.

  • ચાંદીમાં એકઝાટકે ₹11,000 તો સોનામાં ₹1,700 થી વધુનો ધરખમ ઘટાડો

    ચાંદીમાં એકઝાટકે ₹11,000 તો સોનામાં ₹1,700 થી વધુનો ધરખમ ઘટાડો

    ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. રોકાણકારોમાં ભારે નફાખોરી અને વૈશ્વિક બજારની અસરોને કારણે કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે.

    સોના અને ચાંદીના ભાવમાં થયેલો ઘટાડો નીચે મુજબ છે

    ચાંદી (Silver) – MCX (03-Jul-26):

    જૂનો બંધ ભાવ (Prev. Close): ₹2,91,102 પ્રતિ કિલો

    આજનો ઓપન ભાવ (Open): ₹2,80,000 પ્રતિ કિલો

    આજનો નીચો ભાવ (Low): ₹2,79,458 પ્રતિ કિલો

    વર્તમાન ભાવ : ₹2,81,666

    કુલ ઘટાડો: અગાઉના બંધ ભાવથી અંદાજે ₹9,436 (-3.24%) નો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે ઉચ્ચ સ્તરથી આ કડાકો ₹11,644 સુધી પહોંચ્યો છે.

    સોનું (Gold) – MCX (05-Jun-26)

    જૂનો બંધ ભાવ (Prev. Close): ₹1,61,978 પ્રતિ 10 ગ્રામ
    આજનો ઓપન ભાવ (Open): ₹1,60,790 પ્રતિ 10 ગ્રામ

    આજનો નીચો ભાવ (Low): ₹1,60,261 પ્રતિ 10 ગ્રામ

    વર્તમાન ભાવ : ₹1,60,336

    કુલ ઘટાડો: અગાઉના બંધ ભાવથી અંદાજે ₹1,642 (-1.01%) નો ઘટાડો નોંધાયો છે, જે દિવસ દરમિયાનના ઉચ્ચ સ્તરથી જોતા ₹1,717 સુધીનો કડાકો દર્શાવે છે.

    કડાકાનું કારણ શું?

    સોના-ચાંદીના ભાવમાં આ ભીષણ ઘટાડા પાછળ મુખ્યત્વે રોકાણકારો દ્વારા કરવામાં આવેલી પ્રોફિટ બુકિંગ (નફાખોરી) જવાબદાર છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે અમેરિકા અને ચીન વચ્ચેની વાતચીત તથા પર્શિયન ગલ્ફમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. ડોલરની મજબૂતી અને ભારતીય બજારમાં આયાત જકાતમાં ફેરફારની અસરો પણ આ કિંમતો પર જોવા મળી રહી છે.

  • ‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત

    ‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત

    NEET 2026ની પરીક્ષાનું પણ પેપર ફૂટી ગયા બાદ હવે નીટની નવી પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઇ છે. ત્યારે આ મામલે ખુદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજીને એક મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે હવેથી આગામી વર્ષથી NEET ની પરીક્ષા ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે. OMR શીટનો વિકલ્પ હવે હટી જશે. દરેક વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે.

    દોષિતોને પાતાળમાંથી પણ શોધી કાઢીશું: શિક્ષણ મંત્રી

    શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સમક્ષ કડક શબ્દોમાં જણાવ્યું કે, જે પણ લોકો આ પેપર લીક કાંડમાં સામેલ છે તેમને છોડવામાં આવશે નહીં, તેમને ‘પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે’. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારની લડાઈ પરીક્ષા માફિયાઓ સામે છે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી બચવા તેમણે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે આ મામલે CBI તપાસ સોંપવામાં આવી છે જે આ કૌભાંડના મૂળ સુધી જશે.

    21 જૂને લેવાશે નવી પરીક્ષા, 14 જૂને એડમિટ કાર્ડ

    NTA દ્વારા સોશિયલ મીડિયા પર નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. હવે NEET 2026 ની નવી પરીક્ષા 21 જૂનના રોજ યોજાશે. આ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ 14 જૂન સુધીમાં જારી કરી દેવામાં આવશે. આ વખતે વિદ્યાર્થીઓને પેપર લખવા માટે 15 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ ન પડે તેની જવાબદારી પણ સરકાર લેશે અને વિદ્યાર્થીઓને તેમની પસંદગીના શહેરમાં પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે એક અઠવાડિયાનો સમય અપાશે.

    આગામી વર્ષથી પરીક્ષા ઓનલાઈન લેવાનો મોટો નિર્ણય

    શિક્ષણ મંત્રીએ એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે, પેપર લીક જેવી ઘટનાઓ પર કાયમી લગામ લગાવવા માટે આગામી વર્ષથી NEET UG ની પરીક્ષા ઓનલાઈન (Computer Based) આયોજિત કરવામાં આવશે. ઓનલાઈન મોડને કારણે સુરક્ષા વધુ મજબૂત બનશે અને ગેરરીતિની શક્યતાઓ નહિવત થઈ જશે.

    ભારે હૈયે લીધો પરીક્ષા રદ કરવાનો નિર્ણય

    ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય ખૂબ જ દુઃખદાયક હતો, પરંતુ લાખો મહેનતુ વિદ્યાર્થીઓના હિત અને ન્યાય માટે આ જરૂરી હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે 12 મે સુધીમાં ‘ગેસ પેપર’ ના નામે અસલી પ્રશ્નપત્રના સવાલો બહાર આવી ગયા હતા. NTA માં ‘ઝીરો એરર’ સિસ્ટમ લાગુ કરવી એ સરકારની પ્રાથમિકતા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

  • ભરઉનાળે મોરબીમાં બે દિવસનો પાણીકાપ : અનેક વિસ્તારોમાં પાણી વિતરણ રહેશે બંધ

    ભરઉનાળે મોરબીમાં બે દિવસનો પાણીકાપ : અનેક વિસ્તારોમાં પાણી વિતરણ રહેશે બંધ

    મોરબી : મોરબી શહેરમાં રવાપર-ઘુનડા રોડ પર ચાલી રહેલી કામગીરી તેમજ ગૌશાળા હેડવર્ક્સના રીનોવેશન કામને પગલે મોરબી મહાનગર પાલિકા દ્વારા આજે ગુરુવાર અને આવતીકાલે શુક્રવાર એમ બે દિવસ માટે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. ભરઉનાળાના સમયમાં પાણી વિતરણ પ્રભાવિત થતાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડશે.

    મહાનગર પાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે રવાપર-ઘુનડા રોડના કામ અને ગૌશાળા હેડવર્ક્સના રીનોવેશનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.

    આ પાણીકાપ હેઠળ રવાપર રોડ વિસ્તાર ઉપરાંત ગૌશાળા હેડવર્ક્સ હેઠળ આવતા સુરજબાગ, દરબારગઢ, રણછોડનગર સહિતના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી પાણી વિતરણ નહીં કરવામાં આવે.

    મહાનગર પાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને જરૂરી પ્રમાણમાં પાણીનો સંગ્રહ અગાઉથી કરી લેવા અનુરોધ કર્યો છે.

  • વારંવાર દબાણ કરનાર આસામીઓની મિલકત સીલ કરવાની મહાનગરપાલિકાની ચેતવણી

    વારંવાર દબાણ કરનાર આસામીઓની મિલકત સીલ કરવાની મહાનગરપાલિકાની ચેતવણી

    મોરબી : શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા તેમજ જાહેર માર્ગોને દબાણમુક્ત બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા હવે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા “વન વિક વન રોડ” ઝુંબેશ અંતર્ગત જુના બસસ્ટેન્ડ નજીક મચ્છીપીઠથી લઈને આસ્વાદ પાન સુધીના માર્ગ પર દબાણ હટાવવાની વિશેષ કામગીરી કરવામાં આવી હતી, જેમાં રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દૂર કરીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

    મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દબાણ કરનાર દુકાનદારોને ત્રણ દિવસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જેના પગલે અંદાજે ૩૫ થી ૪૦ જેટલા વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા. ગત વર્ષે પણ કોર્પોરેશન દ્વારા આ જ વિસ્તારમાં પાકા ઓટલાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

    ડેપ્યુટી કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, જાહેર માર્ગો પર વારંવાર દબાણ કરનાર લોકોને હવે આઈડેન્ટિફાય કરીને નિયમ મુજબ નોટિસ આપવામાં આવશે. નોટિસ છતાં દબાણ દૂર ન કરનાર અથવા ફરીથી દબાણ કરનાર સામે મહાનગરપાલિકા દ્વારા તેમની દુકાનો અને મિલકતો સીલ કરવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવશે.

    મહાનગરપાલિકાની આ ઝુંબેશને પગલે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થાય તેમજ જાહેર માર્ગો દબાણમુક્ત બને તેવા પ્રયાસો વધુ તેજ બન્યા છે.